૧૧.૦૬

પાટકર, મેધાથી પાદાંગુલિ વિકૃતિ (talipes), જન્મજાત

પાટીલ સંદીપ મધુસૂદન

પાટીલ, સંદીપ મધુસૂદન ( જ. 18 ઑગસ્ટ 1956, મુંબઈ) : ભારતનો આક્રમક જમોડી બૅટ્સમૅન અને મધ્યમ ઝડપી ગોલંદાજ. 1979-80 સૌરાષ્ટ્ર સામે મુંબઈ તરફથી રણજી ટ્રૉફી મૅચ ખેલતા સંદીપ પાટીલે 210 રનનો જુમલો નોંધાવતાં એને એ વર્ષે પાકિસ્તાન સામે ચેન્નઈની  ટેસ્ટમાં ખેલવાની તક મળી. પ્રથમ ટેસ્ટમાં 15 રને આઉટ થયેલા સંદીપ…

વધુ વાંચો >

પાટીલ સ્મિતા

પાટીલ, સ્મિતા (જ. 17 ઑક્ટોબર 1955, પુણે; અ. 13 ડિસેમ્બર 1986, મુંબઈ) : હિન્દી તથા મરાઠી ચલચિત્રોની અભિનેત્રી. માતા વિદ્યા પાટીલ, પિતા શિવાજીરાવ પાટીલ, મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન. શિક્ષણ : મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક. અભિનયની કોઈ પણ જાતની તાલીમ લીધા વિના નૈસર્ગિક અભિનય વડે…

વધુ વાંચો >

પાટેકર નાના

પાટેકર, નાના (જ. 1 જાન્યુઆરી 1951, મ્યૂરુન્ડ, જંજીર, મહારાષ્ટ્ર) : હિંદી ફિલ્મજગતમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અભિનેતા. મૂળ નામ વિશ્વનાથ. દેખાવડો ચહેરો કે ફિલ્મી પ્રતિભાવોનો વારસો ન હોવા છતાં પોતાના ધારદાર અભિનય, ઝડપી ગતિની સંવાદછટા, આવેશ અને આક્રોશપૂર્ણ અભિનેતાની છાપને કારણે ફિલ્મજગતમાં અગ્રણી અભિનેતાઓની હરોળમાં સ્થાન જમાવ્યું છે. શાળાકીય કારકિર્દીમાં મરાઠી…

વધુ વાંચો >

પાઠક ગોપાલસ્વરૂપ

પાઠક, ગોપાલસ્વરૂપ (જ. 26 ફેબ્રુઆરી 1896, બરેલી; અ. 31 જુલાઈ 1982, દિલ્હી) : ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને અગ્રણી ધારાશાસ્ત્રી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1917) અને એલએલ. બી.(1919)ની પદવીઓ મેળવ્યા પછી અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં 1919-46 દરમિયાન વકીલાત કરી. 1946-60 દરમિયાન તેમણે લૉ કમિશનના સભ્ય અને કાનૂન સુધારા સમિતિના સભ્ય ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાના…

વધુ વાંચો >

પાઠક જગન્નાથ

પાઠક, જગન્નાથ (જ. 1934, સહસરામ, બિહાર) : સંસ્કૃત ભાષાના બિહારી કવિ અને પંડિત. તેમના કાવ્યસંગ્રહ ‘કપિશાયની’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ‘કપિશાયની’ સંસ્કૃતમાં લખાયેલ મૌલિક રચના છે. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1965માં સંસ્કૃતમાં એમ.એ.ની અને 1968માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ અલ્લાહાબાદ ખાતેની ગંગામઠ ઝા સેન્ટ્રલ સંસ્કૃત વિદ્યાપીઠ…

વધુ વાંચો >

પાઠક જયંત હિંમતલાલ

પાઠક, જયંત હિંમતલાલ (જ. 20 ઑક્ટોબર 1920, ગોઠ–રાજગઢ, દેવગઢબારિયા, જિ. પંચમહાલ; અ. 1 સપ્ટેમ્બર 2003, સૂરત) : ગુજરાતી કવિ, વિવેચક, સંસ્મરણ-લેખક. 1938માં મૅટ્રિક; 1943માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ.; 1945માં એ જ વિષયો સહિત મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.. 1960માં અધ્યાપન દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.. બી.એ. થયા પછી 1943-47 દરમિયાન હાલોલની…

વધુ વાંચો >

પાઠકજી જયમનગૌરી વ્યોમેશચંદ્ર

પાઠકજી, જયમનગૌરી વ્યોમેશચંદ્ર (જ. 15 સપ્ટેમ્બર 1902, સૂરત; અ. 22 ઑક્ટોબર 1984, સૂરત) : ગુજરાતી કવયિત્રી. વતન સૂરત. સાક્ષર શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)નાં જ્યેષ્ઠ પુત્રી. અભ્યાસ સૂરત, અમદાવાદ, મુંબઈની શાળાઓમાં જૂના અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો. 1918માં સાહિત્યકાર વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી (1895-1935) સાથે લગ્ન. સૂરતની યુવતી મંડળમાં થોડાં વર્ષ પ્રમુખ. ગુજરાતી…

વધુ વાંચો >

પાઠકજી વ્યોમેશચંદ્ર જનાર્દન

પાઠકજી, વ્યોમેશચંદ્ર જનાર્દન (જ. 15 માર્ચ 1895, મુંબઈ; અ. 23 માર્ચ 1935, સૂરત) : ગુજરાતી નાટકકાર, વિવેચક. વતન સૂરત. સૂરતની સાર્વજનિક હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થઈ 1917માં વડોદરા કૉલેજમાંથી બી.એ.. પછી મુંબઈ જઈ એલએલ.બી. થઈ 1921માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર લઈ એમ.એ.. 1918માં સાક્ષર મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)નાં જ્યેષ્ઠ પુત્રી જયમનગૌરી (1902-1984) સાથે લગ્ન.…

વધુ વાંચો >

પાઠક દીના

પાઠક, દીના (જ. 4 માર્ચ 1921, અમરેલી; અ. 11 ઑક્ટોબર 2002 બાંદ્રા, મુંબઈ) : હિંદી-ગુજરાતી રંગભૂમિ, ચલચિત્રો અને ટીવી શ્રેણીઓનાં ગુજરાતી અભિનેત્રી. ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખવામાં પાયાનું કામ કરનાર દીનાબહેન મુંબઈ યુનિવર્સિટીનાં સ્નાતક હતાં. મુંબઈમાં કૉલેજના સમયથી નાટકોમાં ભાગ લેવા સાથે રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં રહ્યાં. ડાબેરી વિચારસરણી ધરાવતાં…

વધુ વાંચો >

પાઠક દેવવ્રત નાનુભાઈ

પાઠક, દેવવ્રત નાનુભાઈ (જ. 5 નવેમ્બર 1920, ભોળાદ, જિ. ધોળકા; અ. 8 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજ્યશાસ્ત્રી અને વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ; ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનના રાજ્ય-શાસ્ત્રના પૂર્વ પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ; શાંતિ સંશોધન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠના માનાર્હ પ્રોફેસર અને નિયામક; ગાંધીવિચારના અભ્યાસી અને મીમાંસક;…

વધુ વાંચો >

પાટકર મેધા

Jan 6, 1999

પાટકર, મેધા (જ. 1 ડિસેમ્બર 1954, મુંબઈ) : રાજકીય કાર્યકર અને નર્મદા-વિરોધી આંદોલનનાં અગ્રણી નેત્રી. પિતા વસંત ખાનોલકર હિંદ મજદૂર સભાના નેતા હતા અને ભારતના સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતા ઇન્દુમતી પોસ્ટ અને ટેલિગ્રાફ-વિભાગમાં કામ કરતાં પોસ્ટમાસ્ટર બનેલાં. સામાજિક કાર્યકર તરીકે તેમણે ઠીક ઠીક કામ કર્યું હતું. તેમણે શાલેય અને કૉલેજશિક્ષણ મુંબઈમાં…

વધુ વાંચો >

પાટણ

Jan 6, 1999

પાટણ : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું મુખ્યમથક, પાટણ તાલુકાનું તાલુકામથક અને જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. ભૌ. સ્થાન : 23o 50′ ઉ. અ. અને 72o 07′ પૂ. રે. મહેસાણાથી તે વાયવ્યમાં 57 કિમી., સિદ્ધપુરથી અને ઊંઝાથી પશ્ચિમ તરફ અનુક્રમે 29 કિમી. અને 26 કિમી., અંતરે આવેલું છે. તે ખંભાતના…

વધુ વાંચો >

પાટલિપુત્ર

Jan 6, 1999

પાટલિપુત્ર : મગધનું પ્રાચીન પાટનગર. તે વૈશાલીના વજ્જીઓ(વૃજ્જીઓ)ના આક્રમણ સામે રક્ષણ કરવા ગૌતમ બુદ્ધના સમકાલીન મગધનરેશ અજાતશત્રુના અમાત્ય વસ્સકારે ઈ. પૂ. 480ના અરસામાં ગંગા-શોણ નદીના સંગમ પર બંધાવેલું. પ્રાચીન પાટનગર ગિરિવ્રજ-રાજગૃહ હતું, પરંતુ અજાતશત્રુના પૌત્ર ઉદયાશ્વે પાટનગર પાટલિપુત્રમાં ખસેડ્યું. પાટલિપુત્ર ‘કુસુમપુર’ ને ‘પુષ્પપુર’ પણ કહેવાતું. ‘પાટલિપુત્ર’માં પાટલિવૃક્ષનો ખાસ મહિમા હતો.…

વધુ વાંચો >

પાટીલ નાના

Jan 6, 1999

પાટીલ, નાના (જ. 3 ઑગસ્ટ 1900, યેડે મચિન્દ્ર, જિ. સાંગલી; અ. 6 ડિસેમ્બર 1976, મિરજ) : ‘ગ્રામ રાજ્ય’ની ધારણાને અમલમાં મૂકનાર મહારાષ્ટ્રના અગ્રણી દેશભક્ત તથા ક્રાંતિકારી નેતા. એક ગરીબ મરાઠા કુટુંબમાં જન્મ. માતાપિતા વારકરી પંથના. તેમનો ઉછેર ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં થયો હતો. 16 વર્ષની વયે પ્રાથમિક શાળાંત પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

પાટીલ પ્રતિભા

Jan 6, 1999

પાટીલ, પ્રતિભા (જ. 19 ડિસેમ્બર 1934, જળગાંવ, ખાનદેશ પ્રદેશ, મહારાષ્ટ્ર) : ભારતીય પ્રજાસત્તાકનાં 13મા અને સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. મહારાષ્ટ્ર રાજ્યમાંથી સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બનીને બંને રીતે તેમણે ઇતિહાસ સર્જ્યો છે. તે પૂર્વે તેઓ રાજસ્થાનનાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. પ્રાથમિક, માધ્યમિક અને એમ.એ. સુધીનું શિક્ષણ મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં આવેલ જળગાંવ ખાતે. ત્યારબાદ…

વધુ વાંચો >

પાટીલ ભાઉરાવ પાયગૌંડા

Jan 6, 1999

પાટીલ, ભાઉરાવ પાયગૌંડા (જ. 1 સપ્ટેમ્બર 1887, કુંભોજ, જિ. કોલ્હાપુર; અ. 1 મે 1959, પુણે) : શિક્ષણપ્રસારક અને સમાજસુધારક. તેમણે સાંગલી જિલ્લાના ઐતવડે બુદ્રુક ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી કોલ્હાપુરમાં છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંના રાજા શાહુ મહારાજના પ્રભાવ હેઠળ તેમણે સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો. એ અરસામાં 7મા…

વધુ વાંચો >

પાટીલ રાઘવેન્દ્ર

Jan 6, 1999

પાટીલ, રાઘવેન્દ્ર (જ. 1951, બેટાગેરી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તેરુ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પ્રાણીવિજ્ઞાનમાં એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1973માં તેઓ અનાથ સેવાશ્રમ ટ્રસ્ટ પ્રિ. યુનિવર્સિટી કૉલેજ, મલ્લાડિહલ્લીમાં અધ્યાપક તરીકે જોડાયા અને ત્યાં (2008)માં પ્રિન્સિપાલ તરીકે જોડાયેલા…

વધુ વાંચો >

પાટીલ વસંતરાવ

Jan 6, 1999

પાટીલ, વસંતરાવ (જ. 13 નવેમ્બર 1917, કોલ્હાપુર; અ. 1 માર્ચ 1989, કોલ્હાપુર) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી રાજકીય નેતા. ‘વસંતદાદા’ નામથી લાડીલા બનેલા આ નેતાનો જન્મ ખેડૂત કુટુંબમાં થયેલો. પિતાનું નામ બંડૂજી અને માતાનું નામ રુક્મિણીબાઈ. માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ. 1937માં રાજકારણમાં પ્રવેશ. મહાત્મા ગાંધીની હાકલ પર 1940ના…

વધુ વાંચો >

પાટીલ વિશ્વાસ મહિપાલ

Jan 6, 1999

પાટીલ, વિશ્વાસ મહિપાલ (જ. 28 નવેમ્બર 1959, નેર્લે, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : ખ્યાતનામ મરાઠી નવલકથાકાર. મરાઠીની તેમની જાણીતી નવલકથા ‘ઝાડાઝડતી’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નેર્લેમાં અને માધ્યમિક શિક્ષણ કોક્રુડમાં. શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુરમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવીઓ મેળવ્યા પછી રાજ્ય મુલકી સેવાની પરીક્ષા…

વધુ વાંચો >

પાટીલ સદોબા કન્હોબા

Jan 6, 1999

પાટીલ, સદોબા કન્હોબા (જ. 14 ઑગસ્ટ 1900, માલવણ, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 જૂન 1981, મુંબઈ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી. મહારાષ્ટ્ર રાજ્યને કૉંગ્રેસનો ગઢ બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન હતું. પિતા પોલીસ અમલદાર હતા. કૉલેજકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ યુવાનોને અસહકારની…

વધુ વાંચો >