૧૧.૦૬

પાટકર, મેધાથી પાદાંગુલિ વિકૃતિ (talipes), જન્મજાત

પાઠક પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક પુષ્કરરાય દલપતરાય)

પાઠક, પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક, પુષ્કરરાય દલપતરાય) (જ. 16 એપ્રિલ 1916, ભરૂચ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વડોદરા ખાતે લીધેલું. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી સંશોધન દ્વારા એમ. એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1937થી 1946 સુધી મ. સ. યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં શૈક્ષણિક સેવાઓ આપી.…

વધુ વાંચો >

પાઠક પ્રભાબહેન

પાઠક, પ્રભાબહેન (જ. 27 ડિસેમ્બર 1926, પછેગામ, વલ્લભીપુર; અ. 14 મે, 2016, અમદાવાદ) : રંગભૂમિ, રેડિયો અને ટેલિવિઝનનાં અભિનેત્રી. તેમણે અભિનયના ક્ષેત્રે છેલ્લા અડધા સૈકાથી વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ભાવનગર અને અમદાવાદમાં એમણે ઉચ્ચ શિક્ષણ લીધું અને પ્રસિદ્ધ કવિ-વિવેચક રામનારાયણ વિ. પાઠકના ભત્રીજા અરવિંદ પાઠક (જાણીતા અભિનેતા અને અનુવાદક) સાથે…

વધુ વાંચો >

(પંડિત) પાઠક બલરામ

(પંડિત) પાઠક, બલરામ (જ. 5 નવેમ્બર 1926, બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 15 ફેબ્રુઆરી 1991, ન્યૂ દિલ્હી) : વિખ્યાત સિતારવાદક. તેમના પિતા ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. તેમના કાકા સિતારવાદક હતા. શરૂઆતમાં બલરામ પાઠકે બંને પાસેથી શાસ્ત્રીય કંઠ્યસંગીત તથા સિતારવાદનની તાલીમ લીધી હતી. તેમણે બાર વર્ષની ઉંમરે 1938માં પ્રથમ વખત લોકો સમક્ષ સંગીતની…

વધુ વાંચો >

પાઠક રમણલાલ હિંમતલાલ (‘વાચસ્પતિ’)

પાઠક, રમણલાલ હિંમતલાલ (‘વાચસ્પતિ’) (જ. 30 જૂન 1922, રાજગઢ (ગોઠ), પંચમહાલ) : રેશનાલિઝમ પરત્વે પ્રતિબદ્ધ એવા ગુજરાતી લેખક. તેઓ વાર્તાકાર, હાસ્યકાર, ચિંતનાત્મક અને લલિત નિબંધોના લેખક ઉપરાંત વિવેચક, ભાષાવિજ્ઞાની, અનુવાદક અને નવલકથાકાર પણ હતા. સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાવાને કારણે અભ્યાસમાં વિક્ષેપ પછી 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.. અધ્યાપકીય કારકિર્દી સ્વીકારવાના લક્ષ્ય સાથે જૂન,…

વધુ વાંચો >

પાઠક રામનારાયણ નાગરદાસ

પાઠક, રામનારાયણ નાગરદાસ (જ. 23 ફેબ્રુઆરી 1905, ભોળાદ, તા. ધોળકા; અ. 4 જુલાઈ 1988) : ગુજરાતના એક ગાંધીવાદી લેખક, નવલકથાકાર અને નિબંધસર્જક. આરંભનું શિક્ષણ લાઠીની સંસ્કૃત પાઠશાળામાં લીધેલું. 1923ના નાગપુર ખાતેના ઝંડા સત્યાગ્રહમાં તથા 1928ના બારડોલીના, 1930-32ના મીઠાના અને 1938-39ના રાજકોટ સત્યાગ્રહમાં તેમજ 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં પણ ખૂબ જ…

વધુ વાંચો >

પાઠક રામનારાયણ વિશ્વનાથ

પાઠક, રામનારાયણ વિશ્વનાથ (જ. 8 એપ્રિલ 1887, ગણોલ, તા. ધોળકા; અ. 21 ઑગસ્ટ 1955, મુંબઈ) : ‘શેષ’, ‘દ્વિરેફ’, ‘સ્વૈરવિહારી’. ગુજરાતના એક સર્વતોમુખી સાહિત્યસર્જક. પિતા શિક્ષક હતા. તેમની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળોએ. ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં. 1904માં મૅટ્રિક. 1908માં તર્કશાસ્ત્ર અને મૉરલ ફિલૉસૉફીના વિષયો સાથે પ્રથમ વર્ગ સાથે…

વધુ વાંચો >

પાઠક શ્રીધર

પાઠક, શ્રીધર (જ. 11 જાન્યુઆરી 1858, જોંધરી, જિ. આગ્રા; અ. 13 સપ્ટેમ્બર 1928, પ્રયાગ, અલ્લાહબાદ) : જાણીતા હિન્દી કવિ. એફ. એ. સુધી અભ્યાસ કર્યા પછી પાઠકજીને કૉલકાતામાં સરકારી નોકરી મળી. નોકરીના ભાગ રૂપે કાશ્મીર અને નૈનીતાલ જવાનું થતાં પર્વતીય પ્રકૃતિના નિકટ સંસર્ગમાં રહેવાનું બન્યું. હિંદી, વ્રજભાષા ઉપરાંત અંગ્રેજી તથા સંસ્કૃત…

વધુ વાંચો >

પાઠક સરોજ રમણલાલ (‘વાચા’)

પાઠક, સરોજ રમણલાલ (‘વાચા’) (જ. 1 જૂન 1929, જખઉ (કચ્છ); અ. 16 એપ્રિલ 1989, બારડોલી) : ગુજરાતી ભાષાનાં પ્રથમ પંક્તિનાં મહિલા  વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યવિદ. પિતાનું નામ ભાટિયા નારણદાસ ઉદ્દેશી. ઉછેર મોટેભાગે મુંબઈની સાવ સામાન્ય ભરચક ચાલીમાં. ઘરગથ્થુ ડાયરી-લેખનથી લખવાની શરૂઆત; આગળ જતાં જયંત પાઠક, રમણ પાઠક ‘વાચસ્પતિ’ જેવા નવલોહિયા…

વધુ વાંચો >

પાઠક હરેકૃષ્ણ રામચંદ્ર

પાઠક, હરેકૃષ્ણ રામચંદ્ર (જ. 5 ઑગસ્ટ 1938, બોટાદ, જિ. ભાવનગર) : ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર. માતાનું નામ મોંઘીબહેન. વતન ભોળાદ. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. 1956માં મૅટ્રિક. 1961માં ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1961-62 દરમિયાન સોનગઢ (સૌરાષ્ટ્ર)ના ગુરુકુળમાં વિજ્ઞાન શિક્ષક. 1963થી ગાંધીનગર ખાતેના ગુજરાત રાજ્ય સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં…

વધુ વાંચો >

પાઠક હસમુખ હરિલાલ

પાઠક, હસમુખ હરિલાલ (જ. 12 ફેબ્રુઆરી 1930, પાલિતાણા, જિ. ભાવનગર, અ. 3 જાન્યુઆરી 2006) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ તરીકે પ્રસિદ્ધ. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. વતન ભોળાદ (તા. ધોળકા, જિ. અમદાવાદ). પિતા હરિલાલ. માતા દેવગૌરી. શાળા તથા કૉલેજનું શિક્ષણ અમદાવાદમાં. 1947માં મૅટ્રિક. 1954માં ભૌતિકવિજ્ઞાન અને ગણિતના વિષયો સાથે બી.એસસી.. 1955માં…

વધુ વાંચો >

પાટકર મેધા

Jan 6, 1999

પાટકર, મેધા (જ. 1 ડિસેમ્બર 1954, મુંબઈ) : રાજકીય કાર્યકર અને નર્મદા-વિરોધી આંદોલનનાં અગ્રણી નેત્રી. પિતા વસંત ખાનોલકર હિંદ મજદૂર સભાના નેતા હતા અને ભારતના સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતા ઇન્દુમતી પોસ્ટ અને ટેલિગ્રાફ-વિભાગમાં કામ કરતાં પોસ્ટમાસ્ટર બનેલાં. સામાજિક કાર્યકર તરીકે તેમણે ઠીક ઠીક કામ કર્યું હતું. તેમણે શાલેય અને કૉલેજશિક્ષણ મુંબઈમાં…

વધુ વાંચો >

પાટણ

Jan 6, 1999

પાટણ : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું મુખ્યમથક, પાટણ તાલુકાનું તાલુકામથક અને જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. ભૌ. સ્થાન : 23o 50′ ઉ. અ. અને 72o 07′ પૂ. રે. મહેસાણાથી તે વાયવ્યમાં 57 કિમી., સિદ્ધપુરથી અને ઊંઝાથી પશ્ચિમ તરફ અનુક્રમે 29 કિમી. અને 26 કિમી., અંતરે આવેલું છે. તે ખંભાતના…

વધુ વાંચો >

પાટલિપુત્ર

Jan 6, 1999

પાટલિપુત્ર : મગધનું પ્રાચીન પાટનગર. તે વૈશાલીના વજ્જીઓ(વૃજ્જીઓ)ના આક્રમણ સામે રક્ષણ કરવા ગૌતમ બુદ્ધના સમકાલીન મગધનરેશ અજાતશત્રુના અમાત્ય વસ્સકારે ઈ. પૂ. 480ના અરસામાં ગંગા-શોણ નદીના સંગમ પર બંધાવેલું. પ્રાચીન પાટનગર ગિરિવ્રજ-રાજગૃહ હતું, પરંતુ અજાતશત્રુના પૌત્ર ઉદયાશ્વે પાટનગર પાટલિપુત્રમાં ખસેડ્યું. પાટલિપુત્ર ‘કુસુમપુર’ ને ‘પુષ્પપુર’ પણ કહેવાતું. ‘પાટલિપુત્ર’માં પાટલિવૃક્ષનો ખાસ મહિમા હતો.…

વધુ વાંચો >

પાટીલ નાના

Jan 6, 1999

પાટીલ, નાના (જ. 3 ઑગસ્ટ 1900, યેડે મચિન્દ્ર, જિ. સાંગલી; અ. 6 ડિસેમ્બર 1976, મિરજ) : ‘ગ્રામ રાજ્ય’ની ધારણાને અમલમાં મૂકનાર મહારાષ્ટ્રના અગ્રણી દેશભક્ત તથા ક્રાંતિકારી નેતા. એક ગરીબ મરાઠા કુટુંબમાં જન્મ. માતાપિતા વારકરી પંથના. તેમનો ઉછેર ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં થયો હતો. 16 વર્ષની વયે પ્રાથમિક શાળાંત પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

પાટીલ પ્રતિભા

Jan 6, 1999

પાટીલ, પ્રતિભા (જ. 19 ડિસેમ્બર 1934, જળગાંવ, ખાનદેશ પ્રદેશ, મહારાષ્ટ્ર) : ભારતીય પ્રજાસત્તાકનાં 13મા અને સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. મહારાષ્ટ્ર રાજ્યમાંથી સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બનીને બંને રીતે તેમણે ઇતિહાસ સર્જ્યો છે. તે પૂર્વે તેઓ રાજસ્થાનનાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. પ્રાથમિક, માધ્યમિક અને એમ.એ. સુધીનું શિક્ષણ મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં આવેલ જળગાંવ ખાતે. ત્યારબાદ…

વધુ વાંચો >

પાટીલ ભાઉરાવ પાયગૌંડા

Jan 6, 1999

પાટીલ, ભાઉરાવ પાયગૌંડા (જ. 1 સપ્ટેમ્બર 1887, કુંભોજ, જિ. કોલ્હાપુર; અ. 1 મે 1959, પુણે) : શિક્ષણપ્રસારક અને સમાજસુધારક. તેમણે સાંગલી જિલ્લાના ઐતવડે બુદ્રુક ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી કોલ્હાપુરમાં છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંના રાજા શાહુ મહારાજના પ્રભાવ હેઠળ તેમણે સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો. એ અરસામાં 7મા…

વધુ વાંચો >

પાટીલ રાઘવેન્દ્ર

Jan 6, 1999

પાટીલ, રાઘવેન્દ્ર (જ. 1951, બેટાગેરી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તેરુ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પ્રાણીવિજ્ઞાનમાં એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1973માં તેઓ અનાથ સેવાશ્રમ ટ્રસ્ટ પ્રિ. યુનિવર્સિટી કૉલેજ, મલ્લાડિહલ્લીમાં અધ્યાપક તરીકે જોડાયા અને ત્યાં (2008)માં પ્રિન્સિપાલ તરીકે જોડાયેલા…

વધુ વાંચો >

પાટીલ વસંતરાવ

Jan 6, 1999

પાટીલ, વસંતરાવ (જ. 13 નવેમ્બર 1917, કોલ્હાપુર; અ. 1 માર્ચ 1989, કોલ્હાપુર) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી રાજકીય નેતા. ‘વસંતદાદા’ નામથી લાડીલા બનેલા આ નેતાનો જન્મ ખેડૂત કુટુંબમાં થયેલો. પિતાનું નામ બંડૂજી અને માતાનું નામ રુક્મિણીબાઈ. માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ. 1937માં રાજકારણમાં પ્રવેશ. મહાત્મા ગાંધીની હાકલ પર 1940ના…

વધુ વાંચો >

પાટીલ વિશ્વાસ મહિપાલ

Jan 6, 1999

પાટીલ, વિશ્વાસ મહિપાલ (જ. 28 નવેમ્બર 1959, નેર્લે, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : ખ્યાતનામ મરાઠી નવલકથાકાર. મરાઠીની તેમની જાણીતી નવલકથા ‘ઝાડાઝડતી’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નેર્લેમાં અને માધ્યમિક શિક્ષણ કોક્રુડમાં. શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુરમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવીઓ મેળવ્યા પછી રાજ્ય મુલકી સેવાની પરીક્ષા…

વધુ વાંચો >

પાટીલ સદોબા કન્હોબા

Jan 6, 1999

પાટીલ, સદોબા કન્હોબા (જ. 14 ઑગસ્ટ 1900, માલવણ, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 જૂન 1981, મુંબઈ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી. મહારાષ્ટ્ર રાજ્યને કૉંગ્રેસનો ગઢ બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન હતું. પિતા પોલીસ અમલદાર હતા. કૉલેજકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ યુવાનોને અસહકારની…

વધુ વાંચો >