૧૦.૧૩

નાસપાતીથી નિકોસિયા

નાસ્તિક

નાસ્તિક : ભારતીય પરંપરા પ્રમાણે વેદમાં અને વેદધર્મમાં આસ્થા કે શ્રદ્ધા ન ધરાવનાર મનુષ્ય. ભારતમાં પ્રાચીન કાળથી વેદમાં અશ્રદ્ધા રાખનારા નાસ્તિકોની પરંપરા ચાલી આવે છે. વેદના મંત્રો અર્થ વગરના છે એવો મત વ્યક્ત કરનારા કૌત્સ ઋષિનો મત છેક વેદાંગ નિરુક્તમાં રજૂ કરી આચાર્ય યાસ્કે તેનું ખંડન કર્યું છે. પ્રાચીન ભારતના…

વધુ વાંચો >

નાહટા, અગરચંદ

નાહટા, અગરચંદ (જ. 19 માર્ચ 1911, બિકાનેર; અ. 20 જાન્યુઆરી 1983, બિકાનેર) : જૈન ધર્મના બહુશ્રુત વિદ્વાન. ‘स्वाध्यायात् न प्रमदितव्यम् ।’ તેમના જીવનનું સૂત્ર હતું. તેમનો જન્મ શ્રીમંત નાહટા પરિવારમાં થયો હતો. એમણે શાળામાં માત્ર પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને વ્યાપારી કુટુંબ હોવાને કારણે કિશોરાવસ્થાથી જ વેપારમાં જોડાઈ…

વધુ વાંચો >

નાહટા, ભંવરલાલ

નાહટા, ભંવરલાલ (જ. 19 સપ્ટેમ્બર 1911, બીકાનેર; અ. 11 ફેબ્રુઆરી 2002, કૉલકાતા) : જૈન વાઙ્મય, ઇતિહાસ, ધર્મ અને દર્શનના વિદ્વાન. બીકાનેરના જાણીતા શ્રેષ્ઠી પરિવારમાં જન્મ. પિતા ભૈરુદાનજી અને માતા તીજાદેવી. કાકા અગરચંદજી નાહટા પ્રસિદ્ધ વિદ્વાન. ચૌદ વર્ષની વયે જતનકંવર સાથે લગ્ન. પારસકુમાર અને પદમસિંહ નામે બે પુત્રો અને શ્રીકાંતા અને…

વધુ વાંચો >

નાહન

નાહન : હિમાચલ પ્રદેશના સિરમૂર જિલ્લાનું મુખ્ય વહીવટી મથક અને જિલ્લાનું મોટામાં મોટું નગર. ભૌગોલિક સ્થાન : 30° 33’ ઉ. અ. અને 77° 18´ પૂ. રે.. સિમલાની દક્ષિણે શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું આ નગર તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. તે કૃષિપેદાશો તથા ઇમારતી લાકડાંના વ્યાપારનું મહત્વનું મથક છે. આ…

વધુ વાંચો >

નાહરગઢ કિલ્લો (અઢારમી સદી)

નાહરગઢ કિલ્લો (અઢારમી સદી) : રાજસ્થાનના કિલ્લાઓના સ્થાપત્યમાં સૌથી અર્વાચીન કહી શકાય તેવું સ્થાપત્ય ધરાવતો કિલ્લો. આ કિલ્લો જયપુરની વાયવ્ય હદ પર ટેકરી પર બંધાયેલો છે, જે ખાસ કરીને મહારાણીઓ માટેનો હતો. કિલ્લાની રચનામાં એક વિશાળ પટાંગણની ફરતે જુદાં જુદાં સાત મહાલયોની રચના કરવામાં આવી છે, જે દરેક સ્વતંત્ર રીતે…

વધુ વાંચો >

નાળમંડપ

નાળમંડપ : પગથિયાં, સીડી, મંદિરમાં પ્રવેશદ્વાર સાથે સંકળાયેલ મંડપને નાળમંડપ કહેવામાં આવે છે. મંદિરોના સ્થાપત્યમાં ગૂઢમંડપમાં પ્રવેશવા જ્યારે મંડપની ફરસની ઊંચાઈ આજુબાજુના જમીન, પ્રાંગણના સ્તરથી ઊંચે રખાતી ત્યારે પગથિયાંની ઉપર નાળમંડપ રચાતો. આનું આયોજન પણ ગૂઢમંડપના ભાગ રૂપે જ કરાતું. શિવમંદિરની સાથે નંદીના સ્થાનને ફરતો રચાતો મંડપ નંદીમંડપ તરીકે ઓળખાતો.…

વધુ વાંચો >

નાળુકેટ્ટુ ઘરો

નાળુકેટ્ટુ ઘરો : કેરળનાં ઘરો. તે સ્થાપત્યની દૃષ્ટિએ એક અત્યંત આગવી શૈલી ધરાવે છે. ઘરોની રચના તેની બાજુઓની સંખ્યા પ્રમાણે નામ ધારણ કરે છે. નાળુકેટ્ટુ એટલે ચાર બાજુવાળું ઘર. આવી જ રીતે એટ્ટુકેટ્ટુ એટલે આઠ બાજુવાળું ઘર. દરેક પાંખ(wing)માં જુદી જુદી સગવડોની રચના કરાયેલ હોય છે. વચ્ચે એક આંગણું હોય…

વધુ વાંચો >

નાંદી, અમલા

નાંદી, અમલા (જ. 27 જૂન 1919; અ. 24 જુલાઈ 2020, કૉલકાતા) : બંગાળી નૃત્યાંગના. પિતા અક્ષયકુમાર નાન્દી સંનિષ્ઠ સમાજસેવક તેમજ વિદ્યાવ્યાસંગી હતા. સંસ્કારી અને સુખી કુટુંબમાં ઊછરેલ અમલામાં બાળપણથી જ કલા, વિદ્યા તેમજ વિશ્વબંધુત્વની ભાવનાનું સિંચન થયું હતું. અગિયાર વર્ષની કુમળી વયે પિતા સાથે પૅરિસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કૉલોનિયલ પ્રદર્શન…

વધુ વાંચો >

નાંદીપુર

નાંદીપુર : મૈત્રકકાલ દરમિયાન ઉત્તર લાટમાં રાજસત્તા ધરાવતા ગુર્જરનૃપતિ વંશની રાજધાની. તેનું નામ નાન્દીપુરી હતું. સમય જતાં એ ‘નાન્દીપુર’ કહેવાયું. કેટલાક આ નાન્દીપુરને ‘રેવામાહાત્મ્ય’માં ભરુકચ્છ (ભરૂચ) પાસે જણાવેલા નન્દિતીર્થ તરીકે ને હાલ ભરૂચની પૂર્વે ઝાડેશ્વર દરવાજાની બહાર આવેલા નંદેવાલ નામે જૂના કિલ્લા તરીકે ઓળખાવે છે. જ્યારે બીજા વિદ્વાનો નાંદીપુરને ભરૂચથી…

વધુ વાંચો >

નાંદેડ

નાંદેડ : મહારાષ્ટ્ર રાજ્યની પૂર્વ સરહદ પર આવેલો જિલ્લો, જિલ્લામથક અને નગર. રાજ્યના મરાઠાવાડા વહીવટી વિભાગમાં સામેલ આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 10,545 ચોકિમી. છે અને તે રાજ્યના કુલ વિસ્તારનો 3.38 ટકા ભાગ આવરી લે છે. જિલ્લાનું ભૌગોલિક સ્થાન આશરે  18° 15’ થી 19° 55’ ઉ. અ. અને  77° 07’ થી…

વધુ વાંચો >

નાસપાતી

Jan 13, 1998

નાસપાતી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી(ગુલાબાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pyrus communis Linn. (ગુ. નાસપાતી, કા., પં., ઉ.પ્ર. બાગુગોશા; અં. કૉમન અથવા યુરોપિયન પે’અર) છે. તે યુરોપ અને એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. બાહ્ય લક્ષણો : તેનું વૃક્ષ પહોળો પિરામિડ આકારનો પર્ણમુકુટ ધરાવે છે. પર્ણો વર્તુળી-અંડાકાર(orbicularovate)થી માંડી ઉપવલયાકાર (elliptic),…

વધુ વાંચો >

નાસર, જમાલ અબ્દેલ

Jan 13, 1998

નાસર, જમાલ અબ્દેલ (જ. 15 જાન્યુઆરી 1918, ઍલેક્ઝાન્ડ્રિયા; અ. 28 સપ્ટેમ્બર 1970, કૅરો, ઇજિપ્ત) : ઇજિપ્શિયન મુત્સદ્દી, ઇજિપ્શિયન રાષ્ટ્રવાદના અગ્રણી અને આરબ રાષ્ટ્રવાદના સૌથી વધુ પ્રભાવક સમર્થક. ફેલાહીન (ખેડૂતો) સાથેના સંબંધને ઉપસાવવા માટે સરકારી પ્રકાશનોમાં નાસરનો જન્મ બેની મૂર ખાતે થયો હતો તેમ દર્શાવવામાં આવતું રહ્યું. બેની મૂર નાસરના વડવાઓનું…

વધુ વાંચો >

નાસા (National Aeronautics and Space Administration – NASA)

Jan 13, 1998

નાસા (National Aeronautics and Space Administration – NASA) : અમેરિકાના વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરવાના હેતુથી ઑક્ટોબર, 1958માં સ્થાપિત કરવામાં આવેલી સંસ્થા. તેના જુદા જુદા અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન નીચેની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે : (1) મુખ્ય કાર્યાલય, વૉશિંગ્ટન ડી.સી. (છ પેટાકાર્યાલયો દ્વારા વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે).…

વધુ વાંચો >

નાસારોગ (નાકના રોગો)

Jan 13, 1998

નાસારોગ (નાકના રોગો) : આયુર્વેદમાં ‘નાસા’ એટલે ‘નાક’. નાકના 31 પ્રકારના રોગ પંડિત ભાવમિશ્રે બતાવ્યા છે. (1) પીનસ અથવા અપીનસ, (2) પૂતિનસ્ય, (3) નાસાપાક, (4) રક્તપિત્ત, (5) પૂયશોણિત (પૂયરક્ત), (6) ક્ષવથુ, (7) ભ્રંશથુ, (8) દીપ્ત, (9) નાસાનાહ/પ્રતિનાહ, (10) પરિસ્રવ, (11 થી 15) નાસાશોષ (પાંચ પ્રકાર), (16 થી 19) ચાર પ્રકારના…

વધુ વાંચો >

નાસા વંકપટલ (deviated nasal septum)

Jan 13, 1998

નાસા વંકપટલ (deviated nasal septum) : બે નસકોરાં વચ્ચેનો પડદો વાંકો હોવાથી થતો તકલીફકારક વિકાર. બે નસકોરાંની વચ્ચે એક કાસ્થિ (cartilage) અને શ્લેષ્મકલા(mucaus membrane)નો પડદો આવેલો છે. તેને નાસાપટલ અથવા નાસિકાપટલ (nasal septum) કહે છે. તે નસકોરાની ગુહા(પોલાણ)ની મધ્યરેખા તરફની દીવાલ બનાવે છે. તેમાં વોમર અને ઇથમૉઇડ હાડકાની પટ્ટીઓ પણ…

વધુ વાંચો >

નાસિખ, ઇમામબખ્શ

Jan 13, 1998

નાસિખ, ઇમામબખ્શ (જ. 10 એપ્રિલ 1772, ફૈઝાબાદ; અ. 1838, લખનૌ) : ઉર્દૂ કવિ. ‘નાસિખ’ તેમનું તખલ્લુસ હતું. લખનૌના સાંસ્કૃતિક વાતાવરણથી મોહિત થઈ લખનૌને વતન ગણી, ત્યાં આવી વસ્યા હતા. લખનૌના નવાબોની શાન, ઉદારતા, કાવ્યરસિકતાની સાથે સાથે તેમના દ્વારા અપાતું સાહિત્યિક પ્રોત્સાહન પ્રશંસનીય હતાં. લખનૌમાં નાસિખના જીવન ઉપર ખૂબ અસર કરનાર…

વધુ વાંચો >

નાસિર ખુસરવ

Jan 13, 1998

નાસિર ખુસરવ (જ. 28 ઓગસ્ટ 1004, કુબાદિયાન, જિ. બલ્ખ; અ. 1088, યમકાન) : સલ્જૂક યુગના ખ્યાતનામ ફારસી કવિ અને વિદ્વાન. તેમનું પૂરું નામ હકીમ અબુ મુઈન નાસિર બિન ખુસરવ બિન હારિસ. તેમણે સલ્જૂક રાજ્યમાં મર્વ શહેરમાં સરકારી સેવા બજાવી હતી અને ‘અદીબ’ તેમજ ‘દ્બીરે ફાઝિલ’ જેવાં ઉપનામો રાખ્યાં હતાં. 43…

વધુ વાંચો >

નાસિર, ઝહીરુદ્દીન

Jan 13, 1998

નાસિર, ઝહીરુદ્દીન (જ. 9 નવેમ્બર 1932, ઇંદોર; અ. 1994 દિલ્હી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની આલાપ-ધ્રુપદ શૈલીના વિખ્યાત ગાયક અને ડાગર પરિવારના ઓગણીસમા વંશજ. તેઓ ઉસ્તાદ અલ્લાબંદેખાંના પૌત્ર તથા ઉસ્તાદ નસીરુદ્દીનખાંના પુત્ર હતા. શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક શિક્ષા તેમણે તેમના પિતા પાસેથી પાંચ વર્ષની વયથી લીધી હતી; પરંતુ પિતાના અવસાન પછી સંગીતની…

વધુ વાંચો >

નાસિર હુસેન

Jan 13, 1998

નાસિર હુસેન (જ. 3 ફેબ્રુઆરી 1931, ભોપાલ; અ. 13 માર્ચ 2002, મુંબઈ) : હિંદી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક. નાસિર હુસેને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત એ. આર. કારદાર સાથે કામ કરીને કરી. 1948માં તેઓ ફિલ્મિસ્તાન સાથે જોડાયા અને સુબોધ મુખરજીની ફિલ્મોની પટકથા લખવાનું શરૂ કર્યું. દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘તુમ સા નહીં…

વધુ વાંચો >

નાસૂર (dacryocystitis)

Jan 13, 1998

નાસૂર (dacryocystitis) : ચેપને કારણે થતો અશ્રુપોટીનો પીડાકારક સોજો. તેને અશ્રુપોટીશોથ (dacryocystitis) કહે છે. આંખમાં નેત્રકલા (conjunctiva) અને સ્વચ્છા(cornea)ને ભીનાં રાખવા માટે અશ્રુગ્રંથિ(lacrimal gland)માં આંસુ (અશ્રુ) બને છે. આંખના ડોળાની બહાર, આંખના ગોખલામાં બહાર અને ઉપલી બાજુ અશ્રુગ્રંથિ આવેલી છે. તે લગભગ 12 જેટલી નલિકાઓ (ducts) દ્વારા ઉપલા પોપચાની પાછળથી…

વધુ વાંચો >