૧૦.૦૩

નરપતિજયચર્યા (1097)થી નવરોતિલોવા, માર્ટિના

નવગ્વ

નવગ્વ : ‘નવ’ એ સંખ્યાવાચક શબ્દ પરથી બનેલો આ શબ્દ ઋગ્વેદમાં વપરાયેલો છે. ‘દશગ્વ’ શબ્દની સાથે તેનો પ્રયોગ ઋગ્વેદમાં 1/62/4, 2/34/12, 3/39/5 અને 5/29/2 – એ ચાર સ્થળોએ થયો છે. નવની સંખ્યામાં ઇન્દ્રની મદદે જનારા ઇન્દ્રનાં ભક્ત એવાં કુળો કે કુટુંબો આ ‘નવગ્વ’ શબ્દ વડે કહેવામાં આવ્યાં છે. નવગ્વ શબ્દ…

વધુ વાંચો >

નવચેતન

નવચેતન (1922) : વીસમી સદીનું પ્રથમ ગુજરાતી સાહિત્યિક માસિક. ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ કૉલકાતાથી 1 એપ્રિલ, 1922ના રોજ પોતાના તંત્રીપદે આ માસિકનું પ્રકાશન શરૂ કર્યું હતું. ગુજરાતથી સેંકડો માઈલ દૂર બંગાળમાંથી ગુજરાતી સામયિક શરૂ કરવાના તેમના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, પણ નિષ્ઠાને કારણે તે બધી મુશ્કેલીઓ પાર કરી ગયા હતા.…

વધુ વાંચો >

નવજાગૃતિ (Renaissance)

નવજાગૃતિ (Renaissance) : યુરોપમાં પ્રાચીન યુરોપીય સંસ્કૃતિઓના પુનર્જન્મથી વિવિધ ક્ષેત્રે થયેલ પરિવર્તન. વિશ્વના ઇતિહાસમાં નવજાગૃતિ તરીકે ઓળખાયેલ આંદોલનનો પ્રારંભ યુરોપના ઇટાલીમાં ચૌદમી સદીમાં થયો હતો. તેનો સમયગાળો ચૌદમી, પંદરમી તથા સોળમી સદીનો ગણાય છે. આ સદીઓના તર્કશુદ્ધ વિચારકો અને સંતોએ નવજાગૃતિના આંદોલનનો પાયો નાખ્યો. આ આંદોલને રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક,…

વધુ વાંચો >

નવજીવન

નવજીવન : ઇન્દુલાલ યાજ્ઞિકે શંકરલાલ બૅંકરના સહકારથી 1915ના જુલાઈ માસમાં શરૂ કરેલું અને પછીથી ગાંધીજીએ ચલાવેલું પત્ર. મૂળ નામ ‘નવજીવન અને સત્ય’ હતું. 1919ના માર્ચ-એપ્રિલમાં ગાંધીજીએ એ જ નામથી તે માસિકને સાપ્તાહિક રૂપે ચલાવેલું. ગાંધીજીએ રૉલેટ ઍક્ટ વિરુદ્ધ આંદોલન ચલાવેલું તેનાથી પ્રભાવિત થઈને ઇન્દુલાલે તે પત્ર ગાંધીજીને સોંપેલું. ગાંધીજીના તંત્રીપદે…

વધુ વાંચો >

નવતત્વગાથાપ્રકરણ

નવતત્વગાથાપ્રકરણ : જૈન દર્શનનાં નવ તત્વોની ચર્ચા ધરાવતો ગ્રંથ. જડ અને ચેતન એવાં બે તત્વોના બનેલા સંસારમાં તે બે સિવાય ત્રીજું કોઈ તત્વ નથી. અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થોનો આ બે તત્વમાં સમાવેશ થાય છે. જેનામાં લાગણી નથી તે જડ. તેથી વિપરીત તે ચૈતન્ય કે આત્મા. આત્મા એટલે જીવ. આમ જીવ…

વધુ વાંચો >

નવદ્વીપ

નવદ્વીપ : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લામાં ભાગીરથી અને જલાંગી નદીઓના સંગમસ્થાન પર આવેલું નગર, ધાર્મિક કેન્દ્ર અને યાત્રાધામ. તે 23° ઉ. અ. અને 88° પૂ. રે. પર, રાજ્યના પાટનગર કૉલકાતાથી ઉત્તરે આશરે 160 કિમી. દૂર અને જિલ્લામથક કૃષ્ણનગરથી પશ્ચિમે આશરે 30 કિમી. દૂર આવેલું છે. આ નગર ભાગીરથી…

વધુ વાંચો >

નવનીત–સમર્પણ

નવનીત–સમર્પણ : ગુજરાતી માસિકપત્ર. શિષ્ટ સાહિત્ય પીરસતું અગ્રણી ગુજરાતી સાહિત્યિક સામયિક. સાહિત્યરસિક ગુજરાતી કુટુંબોનું તે પ્રિય માસિક છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે પ્રદેશોમાં – વિદેશોમાં પણ તે સારી સંખ્યામાં વંચાતું આવ્યું છે. અગાઉ ‘નવનીત’ અને ‘સમર્પણ’ જુદાં જુદાં પ્રગટ થતાં હતાં. બંને સાહિત્યિક સામયિક હતાં. ઈ. સ. 1962ના…

વધુ વાંચો >

નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier)

નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier) : ભૂસ્તરીય વયમાં નવા સમયના ખડકોથી બધી બાજુએ સંપૂર્ણપણે ઘેરાયેલા, પણ મર્યાદિત વિસ્તાર આવરી લેતા જૂના સમયના ઓછાવત્તા ગોળાકાર-લંબગોળાકાર સ્વરૂપવાળા વિવૃત ખડકોથી બનતી રચના. જુદા જુદા પ્રમાણવાળા ઘસારાની, અસંગતિની, સ્તરભંગની કે ઊર્ધ્વવાંકમય ગેડીકરણની ક્રિયાથી તે તૈયાર થાય છે. નવપરિવેષ્ટિત ખડકભાગો સામાન્ય રીતે ખીણવિસ્તારોમાં, ગર્ત કે…

વધુ વાંચો >

નવપાષાણ યુગ

નવપાષાણ યુગ : પ્રાગૈતિહાસિક કાળના અશ્મયુગનો એક પેટાવિભાગ. માનવઇતિહાસના વર્ગીકરણમાં ભાષા અને સાહિત્યની પરંપરા મળે છે ત્યારથી ઐતિહાસિક યુગ નામ આપવામાં આવે છે, તેની પહેલાંના કાળને આદ્યૈતિહાસિક અને તેની પહેલાંના યુગને પ્રાગૈતિહાસિક યુગ નામ આપવામાં આવે છે. આ પરંપરા બે સદીથી દૃઢ થઈ છે. તેમાં પ્રાગૈતિહાસિક યુગનું પાષાણ કે અશ્મ…

વધુ વાંચો >

નવપ્રભાવવાદ (neo-impressionism)

નવપ્રભાવવાદ (neo-impressionism) : પ્રભાવવાદે શોધેલા ચિત્ર-સિદ્ધાંતોના આધારે ઉદ્ભવેલી ફ્રેંચ ચિત્રકલાની ઝુંબેશ. તેમાં પ્રભાવવાદના સિદ્ધાંતોને એવી ચરમસીમાએ પહોંચાડવામાં આવ્યા છે કે નવપ્રભાવવાદ અને પ્રભાવવાદ વચ્ચે ભાગ્યે જ કોઈ સામ્ય જણાય. સર્શને નવપ્રભાવવાદના અગ્રણી ચિત્રકાર ગણી શકાય. આ ચિત્રશૈલીના નીતિનિયમો ઘણા ચોક્કસ અને ચુસ્ત છે અને એમાં સહજ અભિવ્યક્તિનું સ્થાન પછી આવે…

વધુ વાંચો >

નરપતિજયચર્યા

Jan 3, 1998

નરપતિજયચર્યા (1097) : રાજાની દૈનિક વાર્ષિક ચર્યા, તેનાં કાર્યો અને યુદ્ધમાં મળનાર જય-પરાજય માટેના ભવિષ્યકથનના સિદ્ધાંતોનો ગ્રંથ. શકુનશાસ્ત્રોનો ગ્રંથ. લેખક નરપતિ. પિતા આમ્રદેવ ગુજરાતના ધારાનગરના વિદ્વાન જૈન. જૈનશાસ્ત્રમાં તેમની વિદ્વત્તા અપ્રતિમ હતી. નરપતિએ આ ગ્રંથ ગુજરાત પ્રદેશના તે વખતના પાટનગર અણહિલવાડ પાટણમાં રચ્યો છે. નરપતિ પણ પિતાની માફક જૈનશાસ્ત્ર, દર્શન…

વધુ વાંચો >

નરવર્ધન

Jan 3, 1998

નરવર્ધન (ઈ. સ. 500 આશરે) : પુષ્યભૂતિ વંશનો થાણેશ્વરનો મહારાજા. સ્થાણ્વીશ્વર(થાણેશ્વર-થાણેસર)ના પુષ્યભૂતિ વંશમાં એકાધિક રાજાઓ થયા. મુદ્રાઓ અને તામ્રપત્રોમાંનાં લખાણો ઉપરથી આ વંશના રાજાઓની માહિતી ઉપલબ્ધ થાય છે. તે અનુસાર ઈ. સ. 500ના અરસામાં મહારાજા નરવર્ધન થઈ ગયા. સરસ્વતીના કાંઠે થાણેશ્વર હતું અને ત્યાં રાજ્ય સ્થાપનાર પુષ્યભૂતિ હતો. આ રાજાઓ…

વધુ વાંચો >

નરવર્મા

Jan 3, 1998

નરવર્મા (ઈ. સ. 1095 આશરે) : ભારતમાં માળવાના પરમાર વંશનો રાજા. તેના મોટા ભાઈ લક્ષ્મણદેવ પછી ધારની ગાદીએ  ઈ. સ. 1095માં કે તે પૂર્વે આવેલો. એના 38 વર્ષના રાજ્યકાલ દરમિયાન એ સમકાલીન ચંદેલા રાજા સલક્ષણવર્મા, ચોળ રાજા વિક્રમ અને ગુજરાતના ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે અથડામણમાં આવેલો અને સિદ્ધરાજે તેને…

વધુ વાંચો >

નરસિંહ

Jan 3, 1998

નરસિંહ (આશરે પંદરમી સદી) : પ્રસિદ્ધ ગુજરાતી ભક્તકવિ. નરસિંહનો જીવનકાળ નક્કી કરવા માટેનો મુખ્ય આધાર ‘હારમાળા’ની આ કડી છે : ‘‘સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિંનિ આપ્યો હાર રે.’’ એ કડીવાળું પદ જો નરસિંહનું રચેલું હોય તો માંડળિકવાળો હાર-પ્રસંગ સં. 1512(ઈ. સ. 1456)માં બન્યો એમ…

વધુ વાંચો >

નરસિંહગુપ્ત બાલાદિત્ય

Jan 3, 1998

નરસિંહગુપ્ત બાલાદિત્ય (સને 495–510) : મગધનો અંતિમ મહાન ગુપ્ત સમ્રાટ. સ્કન્દગુપ્તના અવસાન બાદ ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન થયું અને સ્કન્દગુપ્તના વારસદારો ઉત્તર ભારતના જુદા જુદા પ્રદેશોમાં સ્વાયત્ત કે ખંડિયા રાજાઓ તરીકે શાસન કરતા હતા. નરસિંહગુપ્ત-બાલાદિત્ય પાંચમી સદીના અંતે અને છઠ્ઠી સદીના પ્રારંભે મગધમાં રાજ્ય કરતો હતો. ‘બાલાદિત્ય’ તેનો ખિતાબ હતો. માળવામાં…

વધુ વાંચો >

નરસિંહપુર

Jan 3, 1998

નરસિંહપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે આશરે 23° 0´ ઉ. અક્ષાંશવૃત્ત અને 79° 0´ પૂ. રેખાંશવૃત્ત પર સિન્ગ્રી નદીના કિનારે આવેલું છે. આ શહેરી વસાહત એક કાળે ‘છોટા ગડરવાડા’ તરીકે ઓળખાતી હતી, પણ લગભગ ઈ. સ. 1800માં અહીં વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહનું મંદિર બાંધવામાં આવ્યા પછીથી…

વધુ વાંચો >

નરસિંહ મહેતા

Jan 3, 1998

નરસિંહ મહેતા (ચલચિત્ર : 1932) : ગુજરાતી ભાષાનું પ્રથમ બોલતું ચલચિત્ર. નિર્માતા : સાગર મૂવીટોન, દિગ્દર્શક : નાનુભાઈ વકીલ, કથા : ચતુર્ભુજ દોશી, સંગીત : રાણે, છબીકલા : ફરેદૂન ઈરાની, મુખ્ય કલાકારો : મારુતિરાવ (નરસિંહ મહેતા), મોહન લાલા (રા’માંડલિક), ઉમાકાંત દેસાઈ, મનહર, બચુ, ત્રિકમદાસ, જમના, દેવી, મહેતાબ. 1931માં ભારતનું પ્રથમ…

વધુ વાંચો >

નરસિંહ મહેતો

Jan 3, 1998

નરસિંહ મહેતો (નાટક : 1905) : ભક્તિરસનું ત્રિઅંકી નાટક. આ નાટકના લેખક હતા પોપટલાલ માધવજી ઠક્કર. શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપનીએ ઈ. સ. 1905માં આ નાટક ભજવ્યું હતું. આ નાટક છપાયું નથી. પ્રેમભક્તિરસના આ નાટકની ભાષા રસમય અને ભભકવાળી છે. લેખકની શૈલી નાટકી (theatrical) છે. નાટક જોઈ પ્રેક્ષકોને સદબોધ મળે…

વધુ વાંચો >

નરસિંહાચાર, ડી. એલ.

Jan 3, 1998

નરસિંહાચાર, ડી. એલ. (જ. જૂન 1906, હુળિળુ, કર્ણાટક; અ. 1971) : કન્નડ લેખક. શરૂઆતનું શિક્ષણ ટુંકુર અને ઉચ્ચશિક્ષણ બૅંગાલુરુ અને મૈસૂરમાં. એમ.એ. અને પીએચ.ડી. ઉપાધિઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મેળવી તે જ યુનિવર્સિટીમાં કન્નડ-વિભાગમાં પંડિત તરીકે નિયુક્ત થયા. જુદા જુદા હોદ્દા પર મૈસૂર અને ઓસમાનિયા યુનિવર્સિટીઓમાં અને રાજ્યના શિક્ષણવિભાગમાં કાર્ય કર્યું. 1969માં…

વધુ વાંચો >

નરસ્તનવૃદ્ધિ (gynaecomastia)

Jan 3, 1998

નરસ્તનવૃદ્ધિ (gynaecomastia) : પુરુષનું સ્તન મોટું થવું તે. સામાન્ય રીતે તેમાં પુરુષોના સ્તનની ગ્રંથિઓ મોટી થયેલી હોય છે. જો તે ઝડપથી થાય તો તેમાં દુખાવો થાય છે તથા તેને અડવાથી દુખે છે. જાડા છોકરાઓ તથા મોટી ઉંમરના પુરુષોમાં ઘણી વખતે ચરબી જામવાથી પણ નરસ્તનવૃદ્ધિ થયેલી લાગે છે. ડીંટડીના પરિવેશ(areola)ને આંગળીઓ…

વધુ વાંચો >