૧૦.૦૩

નરપતિજયચર્યા (1097)થી નવરોતિલોવા, માર્ટિના

નર્મદ

નર્મદ (જ. 24 ઑગસ્ટ 1833, સૂરત; અ. 25 ફેબ્રુઆરી 1886, સૂરત) : અર્વાચીનોની યુગમૂર્તિ સમા ગુજરાતી સાહિત્યસર્જક. જન્મ વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા લહિયા. પિતા ધંધાર્થે મુંબઈ રહેતા હોઈ નર્મદની બાલ્યાવસ્થા મુંબઈમાં. પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની ગામઠી શાળામાં વિદ્યારંભ. પછી સૂરતમાં ઇચ્છા મહેતા અને દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ. 1844માં…

વધુ વાંચો >

નર્મદ સાહિત્ય સભા, સૂરત

નર્મદ સાહિત્ય સભા, સૂરત : છેલ્લા નવ દાયકાથી કાર્યરત રહેલી સૂરતની ગુજરાતી સાહિત્ય સંસ્થા. તેનું પ્રથમનું નામકરણ ‘ગુજરાતી સાહિત્ય સભા’ હતું; તે 1923માં સ્થપાઈ હતી ને તેના પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર પાઠકજી હતા. 1939માં આ સંસ્થાનું નામ બદલી ‘નર્મદ સાહિત્ય સભા’ રાખવામાં આવ્યું છે. ત્યારે એના પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી થયા ને…

વધુ વાંચો >

નર્મદા

નર્મદા : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થઈને વહેતી નદી. ભારતની સાત પવિત્ર નદીઓ પૈકીની એક. ‘નર્મ’ એટલે સુખ અથવા આનંદ અને ‘દા’ એટલે દેનારી, એ અર્થમાં ‘નર્મદા’ એવું એનું પ્રચલિત નામ પડેલું છે. તેનાં હજાર નામ મળે છે; પરંતુ તે ‘રેવા’, ‘અમરજા’, ‘રુદ્રકન્યા’, ‘મૈકલ-કન્યા’ એવાં નામોથી પણ જાણીતી છે.…

વધુ વાંચો >

નર્મદા (જિલ્લો)

નર્મદા (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21° 38´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.ની આજુબાજુનો 2755.5 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લાના ઉત્તર ભાગમાંથી નર્મદા નદી પસાર થતી હોવાથી જિલ્લાને ‘નર્મદા’ નામ અપાયું છે. તેની ઉત્તરે વડોદરા જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્યની સીમા, દક્ષિણે…

વધુ વાંચો >

નર્મ-મર્મ (wit and humour)

નર્મ-મર્મ (wit and humour) : અનુક્રમે નર્મયુક્ત વાક્ચાતુર્ય અને સમર્મ હાસ્યરસનો નિર્દેશ કરતાં પદો. હાસ્યની નિષ્પત્તિમાં સામાન્યત: નર્મ અને મર્મનો પ્રયોગ થાય છે. વ્યંગ કે કટાક્ષ કે અવળવાણીનો આશ્રય લઈને નર્મોક્તિ હાસ્ય નિષ્પન્ન કરે છે. મજાક કે મશ્કરીમાં વિશિષ્ટ કાકુથી ઉચ્ચારાતાં વચનો પણ નર્મોક્તિ જ છે. સુદામાને જોઈને મજાક કરતી…

વધુ વાંચો >

નર્સ પૉલ એમ.

નર્સ પૉલ એમ. (જ. 25 જાન્યુઆરી 1949, ગ્રેટ બ્રિટન) : 2001ના વર્ષના નોબેલ પુરસ્કારનો સહવિજેતા કોષવિજ્ઞાની. તેમણે 1973માં યુનિવર્સિટી ઑવ્ ઈસ્ટ ઍન્જલિયા, નૉર્વિચ, ઇંગ્લૅન્ડમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર પછી ICRF (Imperial Cancer Research Fund) સેલ સાઇકલ્ લૅબોરેટરીના 1984–87 સુધી અધ્યક્ષ રહ્યા અને 1987–93 સુધી ફૅકલ્ટી ઑવ્ ધ યુનિવર્સિટી ઑવ્…

વધુ વાંચો >

નલદવદંતીરાસ

નલદવદંતીરાસ (1917) : જૈન સાધુકવિ સમયસુંદરરચિત કૃતિ. છ ખંડમાં વિભક્ત આ કૃતિની આશરે એક હજાર કડીઓ છે. સમયસુંદરે તે રચવામાં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ – એ બે ગ્રંથોનો આધાર લીધો છે અને એ બંને રચનાઓમાં મળતા કથાવસ્તુમાં કવિએ ખાસ કોઈ મહત્ત્વના ફેરફાર કર્યા નથી. સમયસુંદરની આ રચના જૈન પરંપરાની નળકથાને બરાબર…

વધુ વાંચો >

નલવિલાસ

નલવિલાસ : આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્રે 12મી સદીમાં લખેલું સાત અંકનું નાટક. તેમણે મહાભારતની નલકથાને આ નાટ્યકૃતિમાં આલેખી છે. કવિએ ‘નાટ્યદર્પણ’માં 13 જગ્યાએ તેમાંથી ઉદ્ધરણો આપ્યાં છે. તેમની પ્રિય કૃતિઓમાં ‘રઘુવિલાસ’ પછી ‘નલવિલાસ’ છે. પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે રામ અને કૃષ્ણની વાર્તા જેવી નળની વાર્તા પણ આકર્ષક છે. પ્રથમ અંકમાં વિહાર-ઉદ્યાનમાં…

વધુ વાંચો >

નલિયા

નલિયા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પશ્ચિમે આવેલા અબડાસા તાલુકાનું મુખ્ય મથક. સ્થાન 23° 20´ ઉ. અ. અને 68° 50´ પૂ. રે. કચ્છનાં મહત્ત્વનાં ગામો પૈકીનું એક છે; તે જિલ્લાનાં ગામો, તેમજ ભુજ, ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર વગેરે સાથે રાજ્ય-માર્ગ-પરિવહનની બસોથી જોડાયેલું છે. અહીં તાલુકા-કક્ષાની વહીવટી કચેરીઓ આવેલી છે.…

વધુ વાંચો >

નવગ્રહ

નવગ્રહ : ખાસ કરીને મંદિરોના સ્થાપત્યમાં – જૈન મંદિરોના ગર્ભગૃહના પ્રવેશદ્વારના ઉપલા ભાગમાં નવગ્રહનાં નવ ચિહનોની પ્રતિમા એક હારમાં ગોઠવવામાં આવે છે. દ્વારશાખામાં બંને બાજુએ ગંગા-યમુનાની પ્રતિમાઓ અને મથાળે નવ ગોખલામાં નવ ગ્રહોની પ્રતિમાની રચના કરવામાં આવતી અને આના વડે બારસાખને સુશોભિત કરવામાં આવતી. આમાં બરાબર વચ્ચેના ભાગમાં દ્વારની ઉપર…

વધુ વાંચો >

નરપતિજયચર્યા

Jan 3, 1998

નરપતિજયચર્યા (1097) : રાજાની દૈનિક વાર્ષિક ચર્યા, તેનાં કાર્યો અને યુદ્ધમાં મળનાર જય-પરાજય માટેના ભવિષ્યકથનના સિદ્ધાંતોનો ગ્રંથ. શકુનશાસ્ત્રોનો ગ્રંથ. લેખક નરપતિ. પિતા આમ્રદેવ ગુજરાતના ધારાનગરના વિદ્વાન જૈન. જૈનશાસ્ત્રમાં તેમની વિદ્વત્તા અપ્રતિમ હતી. નરપતિએ આ ગ્રંથ ગુજરાત પ્રદેશના તે વખતના પાટનગર અણહિલવાડ પાટણમાં રચ્યો છે. નરપતિ પણ પિતાની માફક જૈનશાસ્ત્ર, દર્શન…

વધુ વાંચો >

નરવર્ધન

Jan 3, 1998

નરવર્ધન (ઈ. સ. 500 આશરે) : પુષ્યભૂતિ વંશનો થાણેશ્વરનો મહારાજા. સ્થાણ્વીશ્વર(થાણેશ્વર-થાણેસર)ના પુષ્યભૂતિ વંશમાં એકાધિક રાજાઓ થયા. મુદ્રાઓ અને તામ્રપત્રોમાંનાં લખાણો ઉપરથી આ વંશના રાજાઓની માહિતી ઉપલબ્ધ થાય છે. તે અનુસાર ઈ. સ. 500ના અરસામાં મહારાજા નરવર્ધન થઈ ગયા. સરસ્વતીના કાંઠે થાણેશ્વર હતું અને ત્યાં રાજ્ય સ્થાપનાર પુષ્યભૂતિ હતો. આ રાજાઓ…

વધુ વાંચો >

નરવર્મા

Jan 3, 1998

નરવર્મા (ઈ. સ. 1095 આશરે) : ભારતમાં માળવાના પરમાર વંશનો રાજા. તેના મોટા ભાઈ લક્ષ્મણદેવ પછી ધારની ગાદીએ  ઈ. સ. 1095માં કે તે પૂર્વે આવેલો. એના 38 વર્ષના રાજ્યકાલ દરમિયાન એ સમકાલીન ચંદેલા રાજા સલક્ષણવર્મા, ચોળ રાજા વિક્રમ અને ગુજરાતના ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે અથડામણમાં આવેલો અને સિદ્ધરાજે તેને…

વધુ વાંચો >

નરસિંહ

Jan 3, 1998

નરસિંહ (આશરે પંદરમી સદી) : પ્રસિદ્ધ ગુજરાતી ભક્તકવિ. નરસિંહનો જીવનકાળ નક્કી કરવા માટેનો મુખ્ય આધાર ‘હારમાળા’ની આ કડી છે : ‘‘સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિંનિ આપ્યો હાર રે.’’ એ કડીવાળું પદ જો નરસિંહનું રચેલું હોય તો માંડળિકવાળો હાર-પ્રસંગ સં. 1512(ઈ. સ. 1456)માં બન્યો એમ…

વધુ વાંચો >

નરસિંહગુપ્ત બાલાદિત્ય

Jan 3, 1998

નરસિંહગુપ્ત બાલાદિત્ય (સને 495–510) : મગધનો અંતિમ મહાન ગુપ્ત સમ્રાટ. સ્કન્દગુપ્તના અવસાન બાદ ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન થયું અને સ્કન્દગુપ્તના વારસદારો ઉત્તર ભારતના જુદા જુદા પ્રદેશોમાં સ્વાયત્ત કે ખંડિયા રાજાઓ તરીકે શાસન કરતા હતા. નરસિંહગુપ્ત-બાલાદિત્ય પાંચમી સદીના અંતે અને છઠ્ઠી સદીના પ્રારંભે મગધમાં રાજ્ય કરતો હતો. ‘બાલાદિત્ય’ તેનો ખિતાબ હતો. માળવામાં…

વધુ વાંચો >

નરસિંહપુર

Jan 3, 1998

નરસિંહપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે આશરે 23° 0´ ઉ. અક્ષાંશવૃત્ત અને 79° 0´ પૂ. રેખાંશવૃત્ત પર સિન્ગ્રી નદીના કિનારે આવેલું છે. આ શહેરી વસાહત એક કાળે ‘છોટા ગડરવાડા’ તરીકે ઓળખાતી હતી, પણ લગભગ ઈ. સ. 1800માં અહીં વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહનું મંદિર બાંધવામાં આવ્યા પછીથી…

વધુ વાંચો >

નરસિંહ મહેતા

Jan 3, 1998

નરસિંહ મહેતા (ચલચિત્ર : 1932) : ગુજરાતી ભાષાનું પ્રથમ બોલતું ચલચિત્ર. નિર્માતા : સાગર મૂવીટોન, દિગ્દર્શક : નાનુભાઈ વકીલ, કથા : ચતુર્ભુજ દોશી, સંગીત : રાણે, છબીકલા : ફરેદૂન ઈરાની, મુખ્ય કલાકારો : મારુતિરાવ (નરસિંહ મહેતા), મોહન લાલા (રા’માંડલિક), ઉમાકાંત દેસાઈ, મનહર, બચુ, ત્રિકમદાસ, જમના, દેવી, મહેતાબ. 1931માં ભારતનું પ્રથમ…

વધુ વાંચો >

નરસિંહ મહેતો

Jan 3, 1998

નરસિંહ મહેતો (નાટક : 1905) : ભક્તિરસનું ત્રિઅંકી નાટક. આ નાટકના લેખક હતા પોપટલાલ માધવજી ઠક્કર. શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપનીએ ઈ. સ. 1905માં આ નાટક ભજવ્યું હતું. આ નાટક છપાયું નથી. પ્રેમભક્તિરસના આ નાટકની ભાષા રસમય અને ભભકવાળી છે. લેખકની શૈલી નાટકી (theatrical) છે. નાટક જોઈ પ્રેક્ષકોને સદબોધ મળે…

વધુ વાંચો >

નરસિંહાચાર, ડી. એલ.

Jan 3, 1998

નરસિંહાચાર, ડી. એલ. (જ. જૂન 1906, હુળિળુ, કર્ણાટક; અ. 1971) : કન્નડ લેખક. શરૂઆતનું શિક્ષણ ટુંકુર અને ઉચ્ચશિક્ષણ બૅંગાલુરુ અને મૈસૂરમાં. એમ.એ. અને પીએચ.ડી. ઉપાધિઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મેળવી તે જ યુનિવર્સિટીમાં કન્નડ-વિભાગમાં પંડિત તરીકે નિયુક્ત થયા. જુદા જુદા હોદ્દા પર મૈસૂર અને ઓસમાનિયા યુનિવર્સિટીઓમાં અને રાજ્યના શિક્ષણવિભાગમાં કાર્ય કર્યું. 1969માં…

વધુ વાંચો >

નરસ્તનવૃદ્ધિ (gynaecomastia)

Jan 3, 1998

નરસ્તનવૃદ્ધિ (gynaecomastia) : પુરુષનું સ્તન મોટું થવું તે. સામાન્ય રીતે તેમાં પુરુષોના સ્તનની ગ્રંથિઓ મોટી થયેલી હોય છે. જો તે ઝડપથી થાય તો તેમાં દુખાવો થાય છે તથા તેને અડવાથી દુખે છે. જાડા છોકરાઓ તથા મોટી ઉંમરના પુરુષોમાં ઘણી વખતે ચરબી જામવાથી પણ નરસ્તનવૃદ્ધિ થયેલી લાગે છે. ડીંટડીના પરિવેશ(areola)ને આંગળીઓ…

વધુ વાંચો >