ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

તેલવાહક જહાજ

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >

દોશી, દિલીપ રસિકલાલ

Mar 22, 1997

દોશી, દિલીપ રસિકલાલ (જ. 22 ડિસેમ્બર 1947, રાજકોટ; અ. 23 જૂન 2025, લંડન, ઇંગ્લૅન્ડ) : બંગાળ, ઈસ્ટઝોન, ઇંગ્લૅન્ડની વૉર્વિકશાયર કાઉન્ટી અને ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ ખેલનાર ડાબોડી ગોલંદાજ. ડાબોડી સ્પિનર સામાન્યત: દડાને પકડવા માટે વચલી આંગળીનો ઉપયોગ કરે છે જ્યારે દિલીપ દોશી ટચલી આંગળીથી દડાને પકડમાં રાખતા હતા. વિકેટ અનુકૂળ…

વધુ વાંચો >

દોશી, બાબુભાઈ

Mar 22, 1997

દોશી, બાબુભાઈ (જ. 21 મે 1919, મોનપુર, મહુવા, ગુજરાત) : પ્રખર ક્લાસંસ્કારવિદ, ઊડિસી નૃત્યકલા અને સંસ્કૃતિમાં ગણનાપાત્ર યશસ્વી યોગદાન દ્વારા રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારતના પૂર્વાંચલ પ્રદેશના અગ્રણી ગુજરાતી. ધર્મ, કલા, ઉદ્યોગ, સંસ્કૃતિ, સમાજસેવા, શિક્ષણ અને રાજકારણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં અગત્યનું પ્રદાન. અડધી સદી ઉપરાંત એક ગુજરાતી તરીકે ઓરિસામાં પરપ્રાંતના…

વધુ વાંચો >

દોશી, બાલકૃષ્ણ

Mar 22, 1997

દોશી, બાલકૃષ્ણ (જ. 26 ઑગસ્ટ, 1927, પુણે; અ. 24 જાન્યુઆરી 2023, અમદાવાદ) : જાણીતા ભારતીય સ્થપતિ. ઇજનેરીના અભ્યાસ માટે ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા (1948). પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૉડર્ન આર્ટના અભ્યાસ દરમિયાન સ્થાપત્યના અભ્યાસની પ્રેરણા મળી. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 4 વર્ષ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. 1950માં ઇંગ્લૅન્ડ જઈ કોઈ…

વધુ વાંચો >

દોશી, વાલચંદ હીરાચંદ

Mar 22, 1997

દોશી, વાલચંદ હીરાચંદ (જ. 23 નવેમ્બર 1882, સોલાપુર; અ. 8 એપ્રિલ 1953, સિદ્ધપુર) : દેશભક્ત ઉદ્યોગપતિ. રૂનો વેપાર તેમજ ધીરધારનો ધંધો કરનાર જૈન વેપારીને ઘેર વાલચંદ હીરાચંદનો જન્મ થયો હતો. તેમણે ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. બી.એ.(અર્થશાસ્ત્ર)ની અંતિમ પરીક્ષા આપ્યા વગર, પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી,…

વધુ વાંચો >

દોષો (કાવ્યના)

Mar 22, 1997

દોષો (કાવ્યના) : કાવ્યના આત્મા રસને હાનિકારક તત્ત્વો. અનૌચિત્ય એ જ કાવ્યદોષનું મૂળ છે. રસની પ્રતીતિમાં વિઘાત કરે તે રસદોષ, વિલંબ કરે તે અર્થદોષ અને અવરોધ કરે તે શબ્દદોષ – એવા ત્રણ મુખ્ય પ્રકારો થઈ શકે. આ રીતે રસને સીધી હાનિ પહોંચાડે તે રસદોષ છે. વીર રસમાં શૂરવીર યોદ્ધાને બદલે…

વધુ વાંચો >

દોસો બાવન વૈષ્ણવો કી વાર્તા

Mar 22, 1997

દોસો બાવન વૈષ્ણવો કી વાર્તા : શુદ્ધાદ્વૈત સંપ્રદાયના વલ્લભાચાર્ય(1479—1531)ના પુત્ર વિઠ્ઠલનાથ(1515–1585)ના શિષ્યોનાં જીવનચરિત્રો. વલ્લભાચાર્યના પુષ્ટિ-સંપ્રદાયમાં તેનું ઘણું મહત્વ છે. તેને ગુરુના વચનની જેમ શ્રદ્ધેય ગણવામાં આવે છે. આ કૃતિના રચયિતા વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથ હતા એવી સર્વસામાન્ય માન્યતા પ્રવર્તે છે; પરંતુ તેમાં ગોકુલનાથનો ઉલ્લેખ વિશેષ ભક્તિભાવ સાથે કરવામાં આવેલો છે  તે…

વધુ વાંચો >

દૉસ્તોયેવ્સ્કી, ફ્યોદોર

Mar 22, 1997

દૉસ્તોયેવ્સ્કી, ફ્યોદોર (જ. 30 ઑક્ટોબર 1821; અ. 28 જાન્યુઆરી 1881) : રશિયન નવલકથાકાર. સાંપ્રત મનોવિજ્ઞાનનાં ઘણાં તારણોની પુરોગામી ભૂમિકા પૂરી પાડનાર, અસ્તિત્વવાદી સમસ્યાઓની આગોતરી સૃષ્ટિ રચી આપનાર અને આધુનિકતાવાદી ઝુંબેશના ઉદગમ-અણસાર દાખવનાર સમર્થ લેખક. મૉસ્કોમાં જાહેર મ્યુનિસિપલ હૉસ્પિટલના એક ડૉક્ટરનાં સાત સંતાનોમાંનું બીજું સંતાન. હૉસ્પિટલના કંપાઉંડમાં જ રહેઠાણ, આથી ગરીબાઈ,…

વધુ વાંચો >

દોહા

Mar 22, 1997

દોહા : ઈરાની અખાત ઉપર કતાર દ્વીપકલ્પના પૂર્વ કિનારે આવેલું કતાર રાજ્યની રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 25° 17´ ઉ અ. અને 51° 32´ પૂ. રે.. 1950 સુધી તો તે માછીમારોનું નાનું ગામ હતું. પેટ્રોલિયમ મળી આવ્યા પછી ઔદ્યોગિક વિકાસ થતાં  હવે તેનો વિસ્તાર 234 ચોકિમી. વાળું અને…

વધુ વાંચો >

દોહાકોશ

Mar 22, 1997

દોહાકોશ (ઈ. સ. 755–780) : સિદ્ધ સરહપા કે સરહપાદની રચનાઓના સંકલનરૂપ દોહાઓનો સંગ્રહ. તિબેટની ભોટભાષા કે ભૂતભાષામાંથી આ ગ્રંથ અપભ્રંશ ભાષામાં રૂપાંતરિત કરાયેલો છે. લગભગ 300 પદ્યોના બનેલા આ સંગ્રહમાં દોહાની સાથે સોરઠા, ચોપાઈ અને ગીતિઓ પણ આપવામાં આવી છે. આ ગીતો કે ગીતિઓની રચના આઠમીથી શરૂ કરી બારમી સદીમાં…

વધુ વાંચો >

દ્યાવાપૃથિવી

Mar 22, 1997

દ્યાવાપૃથિવી : વ્યક્તિગત દેવતાઓ ઉપરાંત, યુગલદેવતાઓ વિશેની, વૈદિક પુરાકથાશાસ્ત્રગત, વિશિષ્ટ પરંપરાના પરિણામસ્વરૂપ ડઝનેક યુગલોમાંનું મુખ્ય દેવતાયુગલ છે. આ દેવતાદ્વન્દ્વ સમાસની વિશેષતા એ છે કે એમાંના બંને શબ્દો દ્વિવચનમાં હોય છે. વળી, ‘દ્યૌ:’ (દ્યુલોક, સ્વર્ગ) અને ‘પૃથિવી’ એ બે દેવતાઓનાં યુગલસ્વરૂપવાળાં છ સૂક્તો ઋગ્વેદમાં મળે છે, જ્યારે એકલી ‘પૃથિવી’નું એક જ…

વધુ વાંચો >