ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

દેવધર, બી. આર.

દેવધર, બી. આર. (જ. 11 સપ્ટેમ્બર 1902, મીરજ; અ. 10 માર્ચ 1990, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક, સંગીતશાસ્ત્રજ્ઞ તથા સંગીતવિવેચક. સંગીતની પ્રારંભિક તાલીમ તેમણે અણ્ણાજીપંત સુખદેવ પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારપછી નીલકંઠ બુવા અને પંડિત વિનાયકરાવ પટવર્ધન પાસેથી અને છેલ્લે 1922 સુધી મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસકર…

વધુ વાંચો >

દેવની મોરી

દેવની મોરી : ગુજરાતમાં સૌથી પ્રાચીનતમ બૌદ્ધ અવશેષો. અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળેથી બૌદ્ધ વિહાર અને સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. સ્થાનિક લોકોમાં ભોજ રાજાના ટેકરા તરીકે ઓળખાતા આ સ્થળેથી મોટા કદની ઈંટો અને માટીનાં વાસણોના અવશેષો મળી આવતાં 1960માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ-વિભાગ દ્વારા ત્યા…

વધુ વાંચો >

દેવનૂર, મહાદેવ

દેવનૂર, મહાદેવ (જ. 1948, દેવનૂર, તા. નન્નમગુડ, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની ટૂંકી નવલકથા ‘કુસુમબાલે’ને સાહિત્ય અકાદમીનો 1990ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. કન્નડ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની આયોવા યુનિવર્સિટીમાં ‘ક્રિએટિવ રાઇટિંગ’ વિશે અભ્યાસ કર્યો. તે પછી મસૂરી ખાતેના ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંડિયન લૅંગ્વેજિઝ’માં થોડો સમય અધ્યાપક રહ્યા. બેન્દ્રે…

વધુ વાંચો >

દેવપાલ (ગૌડનરેશ)

દેવપાલ (ગૌડનરેશ) (શાસન નવમી સદીમાં) : આ નામના ચાર રાજાઓ પૂર્વકાલીન ભારતના રાજકીય ઇતિહાસમાં થઈ ગયા : (1) પ્રતીહાર વંશનો 14મો રાજા, મહીપાલનો પુત્ર અને વિજયપાલનો ગુરુબંધુ, ઈસવી 10મી સદીનો પૂર્વાર્ધ, રાજધાની કનોજ – કાન્યકુબ્જ, (2) માળવાના પરમાર વંશનો 19મો રાજા, યશોવર્માનો પ્રપૌત્ર અને હરિશ્ચંદ્રનો પુત્ર, 10મી સદીનું ચોથું ચરણ,…

વધુ વાંચો >

દેવબંદ વિચારધારા

દેવબંદ વિચારધારા : મુસ્લિમ સમાજની સુધારણાની પ્રવૃત્તિ. 1857ના વિપ્લવમાં મુસ્લિમોએ લીધેલ સક્રિય ભાગ તથા સર સૈયદ અહમદખાને અંગ્રેજોતરફી દર્શાવેલ વલણના પ્રત્યાઘાત રૂપે મુખ્યત્વે દેવબંદ શાખાનો ઉદય થયો. 1857ના વિપ્લવમાં સક્રિય ભાગ લેનાર મુસ્લિમ નેતાઓના એક જૂથે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના શામલી ગામે બ્રિટિશ શાસન સામે સામુદાયિક આંદોલન ચલાવવાનું આયોજન કર્યું…

વધુ વાંચો >

દેવબાવળ

દેવબાવળ : દ્વિદળી વર્ગના સીઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Parkinsonia aculeata Linn. (સં. રામબબૂલ, કિડ્કિંરાટ; હિં. વિલાયતી કિકિરાત, વિલાયતી બબૂલ; મ. દેવબાવળી, ગુ. દેવબાવળ, રામબાવળ, પરદેશી બાવળ) છે. તે એક મોટો કાંટાળો ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનો મૂલનિવાસી છે. તે ભારતના શુષ્ક ભાગોમાં લગભગ બધે જ…

વધુ વાંચો >

દેવભૂતિ

દેવભૂતિ : ભારતીય સામ્રાજ્ય પર રાજ્ય કરનાર શૂંગ વંશનો છેલ્લો રાજા. મૌર્ય વંશના છેલ્લા રાજવી બૃહદ્રથના સેનાપતિ શૂંગવંશીય પુષ્પમિત્રે સ્વામીની હત્યા કરી ભારતીય સામ્રાજ્ય હસ્તગત કર્યું. એના પછી એનો પુત્ર અગ્નિમિત્ર, એનો સુજ્યેષ્ઠ, સુજ્યેષ્ઠનો વસુમિત્ર, એનો ઉદંક, ઉદંકનો પુલિંદક, એનો ઘોષવસુ, ઘોષવસુનો વજ્રમિત્ર, એનો ભાગવત અને એનો દેવભૂતિ થયો. દેવભૂતિએ…

વધુ વાંચો >

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા : સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે.…

વધુ વાંચો >

દેવયાની તારાવિશ્વ

દેવયાની તારાવિશ્વ (Andromeda galaxy) : આકાશગંગાની સૌથી વધારે નજીકનું Sb. પ્રકારનું સર્પિલ (spiral) તારાવિશ્વ. સ્થાનિક જૂથના  નામે જાણીતા તારાવિશ્વના નાના ગુચ્છ(cluster)નું આ સભ્ય છે. આ જૂથમાં આકાશગંગા પ્રણાલી, ત્રિકોણીય નિહારિકા (M33), નાનાં અને મોટાં મેગેલનિક વાદળો (NGC – New General Catalogue 6822) અને કેટલાંક ઝાંખાં વામન દીર્ઘવૃત્તીય તારાવિશ્વોનો સમાવેશ થાય…

વધુ વાંચો >

દેવરસ, બાળાસાહેબ

દેવરસ, બાળાસાહેબ (જ. 5 નવેમ્બર 1915, નાગપુર; અ. 17 જૂન 1996, પુણે) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક. પૂરું નામ મધુકર દત્તાત્રેય દેવરસ. તેમનું કુટુંબ આંધ્રપ્રદેશથી આવી મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના કારંજ ગામે વસેલું. સંસ્કૃત અને તત્વજ્ઞાન સાથે 1935માં બી.એ. થયા બાદ 1937માં એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. કિશોર વયે તેમને…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >