ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
દાસ, વાસંતીદેવી ચિત્તરંજન
દાસ, વાસંતીદેવી ચિત્તરંજન (જ. 1880; અ. 1974) : સ્વાતંત્ર્ય-સેનાની અને સામાજિક કાર્યકર. શ્રીમંત પિતાનાં સંસ્કારી પુત્રી વાસંતીદેવીનું લગ્ન દેશબંધુ ચિત્તરંજનદાસ સાથે થયું. દેશબંધુની પ્રતિષ્ઠા મોટી હતી. તેઓ બૅરિસ્ટરની યોગ્યતા પણ મેળવી ચૂક્યા હતા, પરંતુ તેમના માટે વ્યવસાય નવો હતો. તેઓ હજુ સ્થિર થઈ શક્યા નહોતા, સફળતાની વાત તો દૂર હતી.…
વધુ વાંચો >દાસ, વિજયકુમાર
દાસ, વિજયકુમાર (જ. 1947, કટક) : ઊડિયા લેખક. ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.. પ્રથમ વર્ગમાં 1972માં ઉત્તીર્ણ થયા અને પછી નૅશનલ બુક ટ્રસ્ટમાં સહસંપાદક તરીકે જોડાયા. એમણે કૉલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવા માંડેલી અને ત્યારે જ ઉદીયમાન કવિ તરીકે એમણે પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ અંગ્રેજીમાં પણ કાવ્યો લખે છે જે…
વધુ વાંચો >દાસ, સારલા
દાસ, સારલા (જ. પંદરમી સદી, સારલાદેવીના મંદિર પાસેના કનકપુર ગામમાં, જિ. કટક) : ઊડિયા લેખક. ઊડિયા સાહિત્યના આદિ કવિ. તે ઊડિયા ભાષાને સુષ્ઠુ આકાર આપનાર શૂદ્રમુનિ તરીકે જાણીતા હતા. એમનાં માતાપિતાનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. એમનું મૂળ નામ સિદ્ધેશ્વર પડિદા હતું પણ એમણે સારલાદેવીની આરાધના કરી. દેવી એમની પર…
વધુ વાંચો >દાસ, સૂર્યનારાયણ
દાસ, સૂર્યનારાયણ (જ. 1908, દશરથપુર, ગંજમ જિલ્લો) : ઊડિયા લેખક. પિતા શાળામાં શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન એટલે નાનપણથી જ પિતા દ્વારા સંસ્કૃત સાહિત્યનો પરિચય થયેલો. 1946માં એમણે ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી ઊડિયા સાહિત્ય લઈને એમ.એ.ની પરીક્ષા પસાર કરી અને વિશ્વવિદ્યાલયમાં એ પરીક્ષામાં પ્રથમ આવ્યા. એમનો રુચિનો વિષય સંશોધન હતો. એ એમ.એ. થઈ…
વધુ વાંચો >દાસ, હરપ્રસાદ
દાસ, હરપ્રસાદ (જ. 1945, બાનપુર, ઓરિસા) : કવિ, વિવેચક, નવલકથાકાર અને અનુવાદક. ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની પદવી મેળવી છે. 1967માં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ; પરંતુ આઈ.એ.એસ.માં પસંદગી પામીને 1968માં ઇંડિયન ઑડિટ ઍન્ડ એકાઉન્ટ્સ સર્વિસમાં તેઓ જોડાયા. આ સંદર્ભમાં તેમણે દેશ-વિદેશમાં કેટલાક મહત્વના હોદ્દાઓ પર રહીને પોતાની કામગીરી બજાવી. હાલ…
વધુ વાંચો >દાસ્તાન, વી અદબ
દાસ્તાન, વી અદબ : અરબી-ફારસી-ઉર્દૂમાં રચાયેલ કથાસાહિત્યનો લોકપ્રિય પ્રકાર. જગતની લગભગ દરેક ભાષામાં કથાસાહિત્ય જોવા મળે છે. અરબી-ફારસી અને ઉર્દૂમાં તે દાસ્તાન તરીકે ઓળખાય છે. મોટે ભાગે તે કાલ્પનિક હોય છે અને તેની રચના ગદ્ય તેમજ પદ્યમાં થયેલી હોય છે. પશ્ચિમ એશિયાની સંસ્કૃતિઓમાં તેનાં મૂળ જોઈ શકાય છે. ઈ. સ.…
વધુ વાંચો >દાહકો
દાહકો (incendiaries) : યુદ્ધમાં ઉપયોગમાં લેવાતાં આગ લગાડવા માટેનાં વિનાશકારી સાધનો. તે મુખ્યત્વે યુદ્ધ દરમિયાન અને ક્યારેક આગ લગાડવા અથવા ભાંગફોડ માટે કામમાં લેવાય છે. વિવિધ ઘટકોનો ઉપયોગ કરી તે બનાવવામાં આવે છે. કેટલાંક દાહકો હવાના સંપર્કને કારણે આપોઆપ સળગી ઊઠે છે, જ્યારે બીજાં કેટલાંક દાહકો જુદા જુદા ઘટકો ભેગા…
વધુ વાંચો >દાહરોગ
દાહરોગ : બળતરાનો અનુભવ કરાવતો શરીરનો રોગ. શરીરના અંદરના અવયવોમાં તેમજ બહાર ત્વચા ઉપર તે થઈ શકે છે. તે વ્યાધિ પિત્તપ્રકોપથી ઉત્પન્ન થાય છે અને ઉષ્ણતા તેનું મુખ્ય લક્ષણ છે. દેશી વૈદ્યકમાં દાહના સાત પ્રકારો વર્ણવ્યા છે : (1) પિત્તજ એટલે કે પિત્તવિકારથી થતો, (2) રક્તજ એટલે રક્તવિકારથી થતો, (3)…
વધુ વાંચો >દાહોદ
દાહોદ : ગુજરાતની પૂર્વ સીમા પર આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 22° 50’ ઉ. અ. અને 74° 15’ પૂ. રે.. આજુબાજુનો 3,642 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2022 મુજબ જિલ્લાની વસ્તી 22,42,498 જેટલી છે, વસ્તીગીચતા દર ચોકિમી. દીઠ 583 છે. આ જિલ્લાની રચના 2 ઑક્ટોબર, 1997ના રોજ…
વધુ વાંચો >દાંડીકૂચ
દાંડીકૂચ (12 માર્ચ 1930 – 5 એપ્રિલ 1930; મીઠાનો સત્યાગ્રહ : 6 એપ્રિલ 1930) : પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની કાયદેસરતાને સંપૂર્ણ અહિંસક રીતે પડકારતી ગાંધીજીની ઐતિહાસિક કૂચ. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસમાં 1930ના વર્ષમાં બ્રિટિશ શાસનના અસ્તિત્વને પડકારવા ગાંધીજીએ તેમના 79 સાથીઓ સાથે અમદાવાદના હરિજન આશ્રમથી (12 માર્ચ)…
વધુ વાંચો >તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >