૮.૨૯

તારાવિશ્વ પ્રભામંડળથી તિલવાડા

તાલ્યારખાન, એ. એફ. એસ., ‘બૉબી’

તાલ્યારખાન, એ. એફ. એસ., ‘બૉબી’ (જ. 1897; અ. 13 જુલાઈ 1990, મુંબઈ) : ભારતના વિખ્યાત રમતગમત સમીક્ષક તથા ક્રિકેટ, હૉકી અને ફૂટબૉલની રમતના કૉમેન્ટેટર. 1930ના ગાળામાં રેડિયો પરથી હૉકી, ફૂટબૉલની રમતનું જીવંત પ્રસારણ કર્યું, પણ ક્રિકેટની રમતના કૉમેન્ટેટર તરીકે વધુ ખ્યાતિ મેળવી. 1940માં મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે પુણેમાં ખેલાયેલી રણજી…

વધુ વાંચો >

તાવર્ન્યે, ઝાં બાપ્તિસ્ત

તાવર્ન્યે, ઝાં બાપ્તિસ્ત (જ. 1605, પૅરિસ; અ. 1689, મૉસ્કો) : ફ્રેન્ચ મુસાફર, લેખક અને ઝવેરાતનો વેપારી. તાવર્ન્યેએ સાત વખત દરિયાઈ સફર ખેડેલી, જેમાંથી પાંચ વખત તો તે ભારત આવેલો અને લાંબો  વખત ત્યાં રહેલો. તેણે તેનો પ્રથમ પ્રવાસ 1630થી 32માં કરેલો જેમાં તે કૉન્સ્ટેન્ટિનોપલ થઈ પર્શિયા પહોંચેલો. આ પ્રવાસમાં તે…

વધુ વાંચો >

તાવીજ

તાવીજ : મનુષ્યની રક્ષા કરનાર મંત્ર વગેરેને લખી તેને ધાતુની ડબીમાં મૂકી ડબીને દોરા વડે હાથ કે ગળામાં ધારણ કરાય તે. આનો ઉદગમ વેદકાળથી થયો છે, કારણ કે અથર્વવેદના સૂક્ત 8/5માં મણિને દોરીથી બાંધીને ધારણ કરવાનો નિર્દેશ છે. આ ઉપરાંત, અથર્વવેદના 4/10, 10/3, 6, 19/28 થી 31 અને 34થી 36માં…

વધુ વાંચો >

તાશ્કંદ

તાશ્કંદ : મધ્ય એશિયાનાં પહાડી ક્ષેત્રોમાં આવેલું સૌથી પ્રાચીન શહેર અને ઉઝબેકિસ્તાન દેશનું પાટનગર તથા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર. વિસ્તાર : 335 ચો.કિમી.. તે આશરે 41° 20´ ઉ. અ. અને 69° 18´ પૂ. રે. પર ટિએન શાન પર્વતોની તળેટીના ચિરચિક નદી ઉપરના મોટા રણદ્વીપમાં સમુદ્રસપાટીથી આશરે 478 મીટરની ઊંચાઈએ આવેલું…

વધુ વાંચો >

તાશ્કંદ કરાર

તાશ્કંદ કરાર (10 જાન્યુઆરી, 1966) : ભારત પાકિસ્તાન વચ્ચેના 1965ના યુદ્ધને અંતે સધાયેલ ઐતિહાસિક સમજૂતી. પાકિસ્તાનની રચના (14–15 ઑગસ્ટ 1947) પછી તેનો ભારત સાથેનો સંબંધ અને વ્યવહાર તનાવપૂર્ણ રહ્યો છે. વૈમનસ્ય અને અમૈત્રીભર્યા વ્યવહારને લીધે એક કરતાં વધારે વાર તેનાં દળોએ ભારતના સીમાડાઓ પર આક્રમણ કર્યું છે. 22 સપ્ટેમ્બર, 1965ના…

વધુ વાંચો >

તાસ

તાસ : ભૂતપૂર્વ સોવિયેત સંઘની અને હવે રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થા. તેનું નામ રશિયન ભાષાના તેના પૂરા નામનો આદ્યાક્ષરી સંક્ષેપ છે : ટેલિગ્રાફનોઇ એજેન્ત્સ્વો સોવેત્સ્કોવો સોયુઝા (સોવિયેત સંઘની ટેલિગ્રાફ સંસ્થા). વિશ્વની પ્રમુખ સમાચાર સંસ્થાઓમાં તેનું સ્થાન છે. ભૂતપૂર્વ સોવિયેત સંઘના ઘટકોમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં સમાચારો પહોંચાડવાની તેની વ્યવસ્થા છે.…

વધુ વાંચો >

તાસો, તોર્કવેતો

તાસો, તોર્કવેતો (જ. 11 માર્ચ 1544, રોમ; અ. 25 એપ્રિલ 1595, સાન્ત ઓનોફિઓ, ઇટાલી) : ઇટાલિયન કવિ. નેપલ્સમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ પાદુઆમાં કાયદાનો અભ્યાસ કર્યો. પણ કાયદાને બદલે તેમણે સાહિત્યમાં વધુ રુચિ દાખવી અને 1562માં તો તેમનું પ્રથમ મહાકાવ્ય ‘રિનાલ્ડો’ પ્રસિદ્ધ થયું. તેમણે 1570માં કાર્ડિનલ લૂઈગી દ’ ઇસ્તેની નોકરી…

વધુ વાંચો >

તાહિતિ

તાહિતિ : ‘સોસાયટી આઇલૅન્ડ’ નામથી ઓળખાતા ચૌદ ટાપુઓમાંનો સૌથી મહત્વનો ટાપુ. તે મધ્યદક્ષિણ પૅસિફિક મહાસાગરમાં 17° 49´ દ. અ. અને 149° 25´ પ. રે. પર ઑસ્ટ્રેલિયાની પૂર્વે આશરે 5600 કિમી.ને અંતરે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 1042 ચોકિમી. છે. લંબાઈ 53 કિમી. તથા પહોળાઈ 25 કિમી. જેટલી છે. તેની કુલ…

વધુ વાંચો >

તાળાબંધી

તાળાબંધી (lock-out) : કારખાનાના માલિક દ્વારા કામચલાઉ કામ બંધ કરવાનું  જાહેર કરવામાં આવે અથવા કામદારોને કામ નહિ કરવા માટે જણાવવામાં આવે અથવા માલિક દ્વારા કામદારોને કામ પર આવવાની મનાઈ ફરમાવવામાં આવે તેવી પરિસ્થિતિ. તાળાબંધી અને હડતાળ વિરોધાભાસી પરિસ્થિતિઓ છે. કામદારો પોતાની માગણીઓનો માલિક દ્વારા અસ્વીકાર કરવામાં આવે ત્યારે કામ નહિ…

વધુ વાંચો >

તાંગાઇલ

તાંગાઇલ : બાંગ્લાદેશના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. તાંગાઇલ જિલ્લાનું ક્ષેત્રફળ લગભગ 3414 ચોકિમી. છે. અને તે આશરે 3,65,083 (2012) જેટલી વસ્તી ધરાવે છે. જેવી રીતે દક્ષિણનાં મધુપુર જંગલોથી તાંગાઇલ પ્રદેશ, ઢાકા પ્રદેશથી અલગ પડે છે, તેવી જ રીતે બ્રહ્મપુત્ર નદીથી તે મિમેનસિંગ પ્રદેશથી અલગ પડે છે. તાંગાઇલ નગર…

વધુ વાંચો >

તારાવિશ્વ પ્રભામંડળ

Jan 29, 1997

તારાવિશ્વ પ્રભામંડળ (galactic halo) : તારાવિશ્વની આસપાસ ફેલાતો પ્રકાશ. તારાવિશ્વની નાભિ અને સપાટીની આસપાસ આવેલા તારાઓ અને તારાઓના ઝૂમખાથી ઉદભવતા પ્રકાશને તારાવિશ્વ પ્રભામંડળ કહે છે. તારાવિશ્વ પ્રભામંડળ, 200,000 પ્રકાશ-વર્ષ અંતર સુધી વિસ્તરેલા અજ્ઞાત પદાર્થ(dark matter)માંથી, પણ ઉદભવતું હોવાનું મનાય છે. દીપક ભદ્રશંકર વૈદ્ય

વધુ વાંચો >

તારાસમુદાય 1 અને 2

Jan 29, 1997

તારાસમુદાય 1 અને 2 : વય અને સ્થાન પ્રમાણે પાડવામાં આવેલા તારાના, બે વિભાગો, તારાઓને તેમનાં વય અન સ્થાન પ્રમાણે જુદા જુદા સમુદાયમાં વહેંચવામાં આવે છે. તારાઓના બે મુખ્ય સમુદાય છે : સમુદાય 1 : આમાં મુખ્યત્વે નવા તારાઓ જે તારાવિશ્વના તળમાં આવેલા છે તેમનો સમાવેશ થાય છે. સમુદાય 2…

વધુ વાંચો >

તારાસારણી

Jan 29, 1997

તારાસારણી (star catalogue) : તારાઓની માહિતી આપતી સારણી. તારાઓની સંખ્યા ઘણી વધારે હોવાથી તેની સારણી, વર્ગીકરણ, નામકરણ વગેરે બનાવવામાં ઘણી મુશ્કેલી રહે છે. વળી કોઈ પણ એક જ પદ્ધતિમાં કે સારણીમાં બધા તારાઓને સમાવી શકાતા નથી. તારાસારણી મુખ્યત્વે તારાની તેજસ્વિતા પ્રમાણે અને વર્ણપટના આધારે તૈયાર કરવામાં આવે છે. મુખ્ય તારાસારણી…

વધુ વાંચો >

તારાસિંગ

Jan 29, 1997

તારાસિંગ (જ. 1928, હુકરણ, હોશિયારપુર, પંજાબ) : પંજાબી કવિ. તારાસિંગ કામિલને નામે પણ ઓળખાય છે. તેમના કાવ્યસંગ્રહ ‘કહિકશાં’ને સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેમણે હાસ્ય-વિનોદપૂર્ણ તથા હળવી કાવ્યરચનાઓથી લેખનનો પ્રારંભ કર્યો હતો. ‘કવિદરબાર’માં આ રચનાઓ ખૂબ લોકપ્રિય બની રહી. ત્યારબાદ તેઓ ગાંભીર્યપૂર્ણ કાવ્યલેખન તરફ વળ્યા. તેમણે 6 ગ્રંથો…

વધુ વાંચો >

તારીખ, તિથિ, દિનાંક

Jan 29, 1997

તારીખ, તિથિ, દિનાંક (calendar-day) : પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરતાં લાગતો સમય. પૃથ્વી સૂર્ય આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 વર્ષ કહેવાય. ચંદ્ર પૃથ્વી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 માસ કહેવાય. પૃથ્વી પોતાની ધરી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1…

વધુ વાંચો >

તારીખે ગુજરાત

Jan 29, 1997

તારીખે ગુજરાત : અબૂ તુરાબ વલી દ્વારા લખાયેલો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ. મુઘલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન લખાયેલો આ ઇતિહાસગ્રંથ ઐતિહાસિક ર્દષ્ટિએ મૂલ્યવાન છે. ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યકાળનો આ આંશિક ઇતિહાસ છે. મુહમ્મદ ઝમા હી. સં. 32(ઈ. સ. 1525)માં ગુજરાતના સુલતાન બહાદુરશાહના દરબારમાંથી નાસી જાય છે. ત્યાંથી આ ઇતિહાસનો આરંભ થાય…

વધુ વાંચો >

તારીખે દાઊદી

Jan 29, 1997

તારીખે દાઊદી : ભારતમાંના અફઘાન શાસનને આવરી લેતો ઇતિહાસનો ગ્રંથ. તેના કર્તા તેમજ તેની રચનાની તારીખ વિશે વિગતવાર માહિતી મળતી નથી, પરંતુ કર્તાના નામ અબ્દુલ્લાહ પરથી તેમજ મુઘલ સમ્રાટ જહાંગીરના તે ઇતિહાસમાંના ઉલ્લેખ પરથી એવું અનુમાન કરી શકાય કે આ ઇતિહાસ જહાંગીર ગાદી પર આવ્યા (1605) પછી લખાયો હશે. સાદી…

વધુ વાંચો >

તારીખે ફિરિશ્તા

Jan 29, 1997

તારીખે ફિરિશ્તા (અથવા ‘ગુલશને ઇબ્રાહીમી’) : જહાંગીરના રાજ્યારોહણ (1605) સુધીનો મુસ્લિમ શાસનનો ઇતિહાસ. લેખકનું મૂળ નામ મુલ્લા મુહમ્મદ કાસિમ હિન્દુશાહ અને ઉપનામ ‘ફિરિશ્તા’ હતું. ફિરિશ્તાએ 1606માં ઇતિહાસ લખવાનું શરૂ કર્યું અને 1611માં પૂર્ણ કર્યું. ઇતિહાસ લખતાં પહેલાં તેણે હાથ લાગેલી બધી ઐતિહાસિક સામગ્રીનું અધ્યયન કર્યું હતું. લગભગ 32 કે 35…

વધુ વાંચો >

તારીખે બહાદુરશાહી

Jan 29, 1997

તારીખે બહાદુરશાહી (સોળમી સદી) : દિલ્હી સલ્તનતથી માંડીને (ઈ. સ. 1304) સુલતાન બહાદુરશાહના શાસનનો અંત (ઈ. સ. 1526–1537) સુધીનો ઇતિહાસ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક હુસામખાન ગુજરાતી છે. લેખકના આ પુસ્તકની હસ્તપ્રત મળી નથી. ‘મિરાતે સિકંદરી’માં આ ગ્રંથનો ઘણો ઉપયોગ થયેલો છે. હાજી ઉદ્-દબીરે ‘તબકાતે બહાદુરશાહી’ તરીકે અને લેખકના નામ…

વધુ વાંચો >

તારીખે મુઝફ્ફરશાહી

Jan 29, 1997

તારીખે મુઝફ્ફરશાહી : મુઝફ્ફરશાહ બીજાના શાસન (1511–1526) દરમિયાનનો ઇતિહાસ. તેના  કર્તાનું નામ મીર સૈયદ અલી કાશાની હતું. તે ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાનો દરબારી ઇતિહાસકાર હતો. તે કવિ પણ હતો. સુલતાન મુઝફ્ફરશાહના આદેશથી તેણે આ ઇતિહાસ આડંબરી ભાષામાં લખ્યો છે. ગદ્ય અને પદ્યમાં રચાયેલ આ ટૂંકો ઇતિહાસ સુલતાન મુઝફ્ફરશાહ બીજાના માંડૂના…

વધુ વાંચો >