૮.૨૯

તારાવિશ્વ પ્રભામંડળથી તિલવાડા

તિરુ, વી. ક.

તિરુ, વી. ક. (જ. 1883, ચેન્નાઈ; અ. 1953) : વીસમી શતાબ્દીના અગ્રગણ્ય તમિળ લેખક. એમનું મૂળ નામ કલ્યાણસુંદરમ્ છે પણ ‘તિરુ વી. ક.’ તખલ્લુસથી લખતા હોવાથી એ નામથી જ તમિળનાડુમાં એ જાણીતા છે. શિક્ષણ ચેન્નાઈમાં. વેસ્લી કૉલેજમાં ભણતા હતા ત્યારે કૉલેજમાં તમિળના પ્રાધ્યાપક શ્રી. ના. કાર્દિનેર પિળ્ળૈનો એમના પર પ્રબળ…

વધુ વાંચો >

તિર્યકર્દષ્ટિ

તિર્યકર્દષ્ટિ (squint) : સામેના કોઈ ચોક્કસ બિન્દુ પર જોતી વખતે બેમાંથી એક આંખ ત્રાંસી થઈ જવી તે. જ્યારે કોઈ નિશ્ચિત બિન્દુ પર જોવાનું હોય ત્યારે બંને આંખ તેની દિશામાં એકબીજીને લગભગ સમાંતર જોતી હોય એમ સ્થિર થાય છે. જો તે નિશ્ચિત બિન્દુ અથવા જોનાર વ્યક્તિ તેના સ્થાનેથી ખસે પરંતુ તે…

વધુ વાંચો >

તિલકમંજરી

તિલકમંજરી : સંસ્કૃત મહાકવિ ધનપાલ(975થી 1035)ની ગદ્યકથા. ધારાના સમ્રાટ પરમાર વંશના ભોજદેવ(990થી 1055)ના સભાકવિપદે રહીને અન્ય કાવ્યકૃતિઓની પણ રચના કરી છે. પ્રાસ્તાવિક શ્લોકોમાં વ્યાસ–વાલ્મીકિથી આરંભીને પોતાના સમય સુધીના પૂર્વ કવિઓનાં કાવ્યોનું આલોચનાત્મક સ્મરણ કરીને કવિએ કથાનો આરંભ કર્યો છે. ‘તિલકમંજરી’માં બે કથાનકોની કલાત્મક ગૂંથણી છે. મુખ્ય કથાનકનો નાયક છે અયોધ્યાનો…

વધુ વાંચો >

તિલક રાજાનક

તિલક રાજાનક (ઈ. સ. 1075થી 1125) : કાશ્મીરી અલંકારશાસ્ત્રી. ‘અલંકાર સર્વસ્વ’ના કર્તા રુય્યકના તે પિતા હોવા ઉપરાંત ગુરુ પણ હતા, કારણ કે રુય્યકે પોતે જણાવ્યા પ્રમાણે તેણે સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ તિલક પાસે કર્યો હતો. રાજાનક તિલકે ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પર ‘ઉદભટ-વિવેક’ કે ‘ઉદભટવિચાર’ નામની ટીકા લખી છે એવી માહિતી ‘અલંકારસર્વસ્વ’ પર જયરથે…

વધુ વાંચો >

તિલવાડા

તિલવાડા : સોળ માત્રાનો તબલા પર વાગતો તાલ. તેના બોલ, માત્રા, વિભાગો તથા ભરી–તાળી/ખાલીની વ્યવસ્થા આ પ્રમાણે છે (બંને વિકલ્પો આપ્યા છે) : ભરી/ખાલીના વજનને કારણે તિલવાડા પૂર્ણ તાલ માનવામાં આવે છે. હ્રષિકેશ પાઠક

વધુ વાંચો >

તારાવિશ્વ પ્રભામંડળ

Jan 29, 1997

તારાવિશ્વ પ્રભામંડળ (galactic halo) : તારાવિશ્વની આસપાસ ફેલાતો પ્રકાશ. તારાવિશ્વની નાભિ અને સપાટીની આસપાસ આવેલા તારાઓ અને તારાઓના ઝૂમખાથી ઉદભવતા પ્રકાશને તારાવિશ્વ પ્રભામંડળ કહે છે. તારાવિશ્વ પ્રભામંડળ, 200,000 પ્રકાશ-વર્ષ અંતર સુધી વિસ્તરેલા અજ્ઞાત પદાર્થ(dark matter)માંથી, પણ ઉદભવતું હોવાનું મનાય છે. દીપક ભદ્રશંકર વૈદ્ય

વધુ વાંચો >

તારાસમુદાય 1 અને 2

Jan 29, 1997

તારાસમુદાય 1 અને 2 : વય અને સ્થાન પ્રમાણે પાડવામાં આવેલા તારાના, બે વિભાગો, તારાઓને તેમનાં વય અન સ્થાન પ્રમાણે જુદા જુદા સમુદાયમાં વહેંચવામાં આવે છે. તારાઓના બે મુખ્ય સમુદાય છે : સમુદાય 1 : આમાં મુખ્યત્વે નવા તારાઓ જે તારાવિશ્વના તળમાં આવેલા છે તેમનો સમાવેશ થાય છે. સમુદાય 2…

વધુ વાંચો >

તારાસારણી

Jan 29, 1997

તારાસારણી (star catalogue) : તારાઓની માહિતી આપતી સારણી. તારાઓની સંખ્યા ઘણી વધારે હોવાથી તેની સારણી, વર્ગીકરણ, નામકરણ વગેરે બનાવવામાં ઘણી મુશ્કેલી રહે છે. વળી કોઈ પણ એક જ પદ્ધતિમાં કે સારણીમાં બધા તારાઓને સમાવી શકાતા નથી. તારાસારણી મુખ્યત્વે તારાની તેજસ્વિતા પ્રમાણે અને વર્ણપટના આધારે તૈયાર કરવામાં આવે છે. મુખ્ય તારાસારણી…

વધુ વાંચો >

તારાસિંગ

Jan 29, 1997

તારાસિંગ (જ. 1928, હુકરણ, હોશિયારપુર, પંજાબ) : પંજાબી કવિ. તારાસિંગ કામિલને નામે પણ ઓળખાય છે. તેમના કાવ્યસંગ્રહ ‘કહિકશાં’ને સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેમણે હાસ્ય-વિનોદપૂર્ણ તથા હળવી કાવ્યરચનાઓથી લેખનનો પ્રારંભ કર્યો હતો. ‘કવિદરબાર’માં આ રચનાઓ ખૂબ લોકપ્રિય બની રહી. ત્યારબાદ તેઓ ગાંભીર્યપૂર્ણ કાવ્યલેખન તરફ વળ્યા. તેમણે 6 ગ્રંથો…

વધુ વાંચો >

તારીખ, તિથિ, દિનાંક

Jan 29, 1997

તારીખ, તિથિ, દિનાંક (calendar-day) : પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરતાં લાગતો સમય. પૃથ્વી સૂર્ય આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 વર્ષ કહેવાય. ચંદ્ર પૃથ્વી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 માસ કહેવાય. પૃથ્વી પોતાની ધરી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1…

વધુ વાંચો >

તારીખે ગુજરાત

Jan 29, 1997

તારીખે ગુજરાત : અબૂ તુરાબ વલી દ્વારા લખાયેલો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ. મુઘલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન લખાયેલો આ ઇતિહાસગ્રંથ ઐતિહાસિક ર્દષ્ટિએ મૂલ્યવાન છે. ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યકાળનો આ આંશિક ઇતિહાસ છે. મુહમ્મદ ઝમા હી. સં. 32(ઈ. સ. 1525)માં ગુજરાતના સુલતાન બહાદુરશાહના દરબારમાંથી નાસી જાય છે. ત્યાંથી આ ઇતિહાસનો આરંભ થાય…

વધુ વાંચો >

તારીખે દાઊદી

Jan 29, 1997

તારીખે દાઊદી : ભારતમાંના અફઘાન શાસનને આવરી લેતો ઇતિહાસનો ગ્રંથ. તેના કર્તા તેમજ તેની રચનાની તારીખ વિશે વિગતવાર માહિતી મળતી નથી, પરંતુ કર્તાના નામ અબ્દુલ્લાહ પરથી તેમજ મુઘલ સમ્રાટ જહાંગીરના તે ઇતિહાસમાંના ઉલ્લેખ પરથી એવું અનુમાન કરી શકાય કે આ ઇતિહાસ જહાંગીર ગાદી પર આવ્યા (1605) પછી લખાયો હશે. સાદી…

વધુ વાંચો >

તારીખે ફિરિશ્તા

Jan 29, 1997

તારીખે ફિરિશ્તા (અથવા ‘ગુલશને ઇબ્રાહીમી’) : જહાંગીરના રાજ્યારોહણ (1605) સુધીનો મુસ્લિમ શાસનનો ઇતિહાસ. લેખકનું મૂળ નામ મુલ્લા મુહમ્મદ કાસિમ હિન્દુશાહ અને ઉપનામ ‘ફિરિશ્તા’ હતું. ફિરિશ્તાએ 1606માં ઇતિહાસ લખવાનું શરૂ કર્યું અને 1611માં પૂર્ણ કર્યું. ઇતિહાસ લખતાં પહેલાં તેણે હાથ લાગેલી બધી ઐતિહાસિક સામગ્રીનું અધ્યયન કર્યું હતું. લગભગ 32 કે 35…

વધુ વાંચો >

તારીખે બહાદુરશાહી

Jan 29, 1997

તારીખે બહાદુરશાહી (સોળમી સદી) : દિલ્હી સલ્તનતથી માંડીને (ઈ. સ. 1304) સુલતાન બહાદુરશાહના શાસનનો અંત (ઈ. સ. 1526–1537) સુધીનો ઇતિહાસ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક હુસામખાન ગુજરાતી છે. લેખકના આ પુસ્તકની હસ્તપ્રત મળી નથી. ‘મિરાતે સિકંદરી’માં આ ગ્રંથનો ઘણો ઉપયોગ થયેલો છે. હાજી ઉદ્-દબીરે ‘તબકાતે બહાદુરશાહી’ તરીકે અને લેખકના નામ…

વધુ વાંચો >

તારીખે મુઝફ્ફરશાહી

Jan 29, 1997

તારીખે મુઝફ્ફરશાહી : મુઝફ્ફરશાહ બીજાના શાસન (1511–1526) દરમિયાનનો ઇતિહાસ. તેના  કર્તાનું નામ મીર સૈયદ અલી કાશાની હતું. તે ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાનો દરબારી ઇતિહાસકાર હતો. તે કવિ પણ હતો. સુલતાન મુઝફ્ફરશાહના આદેશથી તેણે આ ઇતિહાસ આડંબરી ભાષામાં લખ્યો છે. ગદ્ય અને પદ્યમાં રચાયેલ આ ટૂંકો ઇતિહાસ સુલતાન મુઝફ્ફરશાહ બીજાના માંડૂના…

વધુ વાંચો >