૮.૨૯

તારાવિશ્વ પ્રભામંડળથી તિલવાડા

તિપ્પેરુદ્રસ્વામી, એચ.

તિપ્પેરુદ્રસ્વામી, એચ. (જ. 13 ફેબ્રુઆરી 1928, હોનાલી, જિ. શિમોગા) : કન્નડ લેખક, નવલકથાકાર અને વિવેચક. તેમના પિતા વીરશૈવ સંપ્રદાયના હતા અને તેમણે તેમનું આખું જીવન સાહિત્યસાધનામાં વિતાવેલું. વતનમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ તિપ્પેરુદ્રસ્વામી હંમેશા તેમના વર્ગમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પૈકીના એક રહ્યા અને તેમની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેમણે સંખ્યાબંધ ચંદ્રકો અને…

વધુ વાંચો >

તિબેટ

તિબેટ : ભારતની ઉત્તરે આવેલો પડોશી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 28° થી 36´ 20´ ઉ. અ. અને 79° થી 96° પૂ. રે.. અગાઉ સ્વાયત્તપ્રદેશ હતો, પરંતુ 1965થી દાયદેસર રીતે તે ચીનના આધિપત્ય હેઠળ છે. ભૂતકાળમાં તે એક સ્વતંત્ર ધાર્મિક રાષ્ટ્ર હતું. તેની અગ્નિ સીમાએ મ્યાનમાર, દક્ષિણે ભારત, ભૂતાન અને નેપાળ…

વધુ વાંચો >

તિમિરન તો સમરમ્

તિમિરન તો સમરમ્ : આધુનિક તેલુગુ કવિ દાશરથીનો કાવ્યસંગ્રહ. તે ભાષાના 1974ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે તેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. એમાંનાં 47 કાવ્યોમાં વિષય અને શૈલીનું પ્રચુર વૈવિધ્ય છે. પ્રવર્તમાન દૈનિક પરિસ્થિતિ સામે આક્રોશ છે. સ્વતંત્ર ભારત વિશે સેવેલાં સ્વપ્નો સાકાર થવાને બદલે સર્વતોમુખી ભ્રષ્ટાચાર, હિંસા, મૂલ્યોનો હ્રાસ વગેરેથી…

વધુ વાંચો >

તિમોર સમુદ્ર

તિમોર સમુદ્ર : મલેશિયા દ્વીપકલ્પના તિમોર ટાપુને ઑસ્ટ્રેલિયા ખંડના ઉત્તર-પશ્ચિમ તરફના વિસ્તારથી વિખૂટો પાડતો છીછરા પાણીનો દરિયાઈ પ્રદેશ. તે 9° 21´ દ. અ. અને 125° 08´ પૂ. રે. પર આવેલો છે. તેનું પાણી ઉષ્ણકટિબંધના પાણીની જેમ અત્યંત ગરમ છે. તેના ઉત્તર તરફના વિસ્તારમાં ઇન્ડોનેશિયા, પૂર્વ તરફના વિસ્તારમાં મેલવિલે ટાપુ, દક્ષિણ-પૂર્વ…

વધુ વાંચો >

તિમ્મકવિ, કુંચિમંચિ

તિમ્મકવિ, કુંચિમંચિ (જ. 1684, કંદવાડા, જિ. ગોદાવરી; અ. 1767) : તેલુગુ કવિ. પિતા ગંગામાત્ય તથા માતા બચ્ચાંબા. એમની કવિતા મોટે ભાગે પૌરાણિક વિષયો પર છે. એમણે ભક્તિકાવ્યોની પણ રચના કરી છે. એમણે શ્લેષપ્રધાન રચનાઓ તથા ચિત્રકાવ્યો રચ્યાં છે. એ મુખ્યત્વે તો શિવભક્ત હતા, તેમ છતાં એમણે રામ અને કૃષ્ણભક્તિનાં પદો…

વધુ વાંચો >

તિરહેનિયન સમુદ્ર

તિરહેનિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાયેલો દરિયો. તિરહેનિયન સમુદ્રનું સૌથી વિશેષ મહત્વ ઇટાલી દેશ માટે છે. રોમન સંસ્કૃતિના વિકાસમાં આ સમુદ્રનો ફાળો ખૂબ જ મોટો ગણાય છે. તિરહેનિયન સમુદ્ર 38° થી 43° ઉ. અ. અને 9°.4´ થી 16.2´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેના ઉત્તર અને પૂર્વ કિનારે ઇટાલી,…

વધુ વાંચો >

તિરાને

તિરાને : યુરોપના અગ્નિખૂણામાં આવેલ આલ્બેનિયા પ્રજાસત્તાક દેશની રાજધાની. એડ્રીઆટિક સમુદ્રથી પૂર્વમાં 32 કિમી. દૂર કિનારાના મેદાનમાં તે પથરાયેલ છે. મૂળ તે ફળદ્રૂપ મેદાનની દક્ષિણે ચૂનાના ખડકોની હારમાળાની તળેટીમાંનો જંગલવિસ્તાર હતો. વસ્તી આશરે 4,21,286 (2011) છે. ઓટોમન સેનાપતિ બર્કીન્ઝાદેશ સુલેમાન પાશાએ 1600માં તેની સ્થાપના કરી હતી. 1946માં રશિયાની અસર હેઠળ…

વધુ વાંચો >

તિરિવારુર

તિરિવારુર : તમિળનાડુ રાજ્યના તાંજાવુર જિલ્લામાં આવેલું શૈવ સંપ્રદાયનું તીર્થક્ષેત્ર. તે તાંજાવુરની પૂર્વે આશરે 35 કિમી.ના અંતરે 8°.30´ ઉ. અ. અને 79°.55´ પૂ. રે. પર છે. તેની ઉત્તરમાં પુદુચેરી (પૉન્ડિચેરી), પશ્ચિમમાં તાંજાવુર તથા દક્ષિણમાં નાગપટ્ટનમ્ નગરો આવેલાં છે. ત્યાંનું શિવપાર્વતીનું મંદિર ખૂબ જાણીતું છે. ત્યાં શિવ ત્યાગરાજ તથા પાર્વતી નીલોત્પલાંબિકા…

વધુ વાંચો >

તિરુઅરુપ્પા

તિરુઅરુપ્પા (ઓગણીસમી શતાબ્દી) : તમિળ કવિ રામલિંગસ્વામીએ રચેલાં ભક્તિપ્રધાન પદોનો સંગ્રહ. રામલિંગસ્વામી તમિળનાડુના લોકપ્રિય શૈવમાર્ગી સંત હતા. શિવ અને સુબ્રહ્મણ્યસ્વામી (કાર્તિક) પ્રત્યે પારાવાર ભક્તિ હોવા છતાં, અન્ય સંપ્રદાયો પ્રત્યે તેમને ખૂબ આદર હતો. તેમણે લોકોમાં બધા ધર્મો અને સંપ્રદાયો તરફ સમભાવ  કેળવી અને એ ભાવના પર આધારિત ‘સમરસ શુદ્ધ સન્માર્ગમ્’…

વધુ વાંચો >

તિરુક્કુરળ

તિરુક્કુરળ (ઈ. સ.ની પહેલી સદી) : પ્રાચીન તમિળ સાહિત્યનો શ્રેષ્ઠ ગણાતો ગ્રંથ. એમ મનાય છે કે એની રચના ઈસુની પ્રથમ શતાબ્દીમાં થઈ હશે પણ એની પ્રશસ્તિ બીજી સદીથી થવા લાગી. એના રચયિતા મહાન મનીષી તિરુવળુવર હતા. ‘તિરુક્કુરળ’ શબ્દમાં ‘તિરુ’ શ્રીના જેવો આદરસૂચક શબ્દ છે અને ‘કુરળ’ દોઢ પંક્તિના તમિળ છંદનું…

વધુ વાંચો >

તારાવિશ્વ પ્રભામંડળ

Jan 29, 1997

તારાવિશ્વ પ્રભામંડળ (galactic halo) : તારાવિશ્વની આસપાસ ફેલાતો પ્રકાશ. તારાવિશ્વની નાભિ અને સપાટીની આસપાસ આવેલા તારાઓ અને તારાઓના ઝૂમખાથી ઉદભવતા પ્રકાશને તારાવિશ્વ પ્રભામંડળ કહે છે. તારાવિશ્વ પ્રભામંડળ, 200,000 પ્રકાશ-વર્ષ અંતર સુધી વિસ્તરેલા અજ્ઞાત પદાર્થ(dark matter)માંથી, પણ ઉદભવતું હોવાનું મનાય છે. દીપક ભદ્રશંકર વૈદ્ય

વધુ વાંચો >

તારાસમુદાય 1 અને 2

Jan 29, 1997

તારાસમુદાય 1 અને 2 : વય અને સ્થાન પ્રમાણે પાડવામાં આવેલા તારાના, બે વિભાગો, તારાઓને તેમનાં વય અન સ્થાન પ્રમાણે જુદા જુદા સમુદાયમાં વહેંચવામાં આવે છે. તારાઓના બે મુખ્ય સમુદાય છે : સમુદાય 1 : આમાં મુખ્યત્વે નવા તારાઓ જે તારાવિશ્વના તળમાં આવેલા છે તેમનો સમાવેશ થાય છે. સમુદાય 2…

વધુ વાંચો >

તારાસારણી

Jan 29, 1997

તારાસારણી (star catalogue) : તારાઓની માહિતી આપતી સારણી. તારાઓની સંખ્યા ઘણી વધારે હોવાથી તેની સારણી, વર્ગીકરણ, નામકરણ વગેરે બનાવવામાં ઘણી મુશ્કેલી રહે છે. વળી કોઈ પણ એક જ પદ્ધતિમાં કે સારણીમાં બધા તારાઓને સમાવી શકાતા નથી. તારાસારણી મુખ્યત્વે તારાની તેજસ્વિતા પ્રમાણે અને વર્ણપટના આધારે તૈયાર કરવામાં આવે છે. મુખ્ય તારાસારણી…

વધુ વાંચો >

તારાસિંગ

Jan 29, 1997

તારાસિંગ (જ. 1928, હુકરણ, હોશિયારપુર, પંજાબ) : પંજાબી કવિ. તારાસિંગ કામિલને નામે પણ ઓળખાય છે. તેમના કાવ્યસંગ્રહ ‘કહિકશાં’ને સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેમણે હાસ્ય-વિનોદપૂર્ણ તથા હળવી કાવ્યરચનાઓથી લેખનનો પ્રારંભ કર્યો હતો. ‘કવિદરબાર’માં આ રચનાઓ ખૂબ લોકપ્રિય બની રહી. ત્યારબાદ તેઓ ગાંભીર્યપૂર્ણ કાવ્યલેખન તરફ વળ્યા. તેમણે 6 ગ્રંથો…

વધુ વાંચો >

તારીખ, તિથિ, દિનાંક

Jan 29, 1997

તારીખ, તિથિ, દિનાંક (calendar-day) : પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરતાં લાગતો સમય. પૃથ્વી સૂર્ય આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 વર્ષ કહેવાય. ચંદ્ર પૃથ્વી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 માસ કહેવાય. પૃથ્વી પોતાની ધરી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1…

વધુ વાંચો >

તારીખે ગુજરાત

Jan 29, 1997

તારીખે ગુજરાત : અબૂ તુરાબ વલી દ્વારા લખાયેલો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ. મુઘલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન લખાયેલો આ ઇતિહાસગ્રંથ ઐતિહાસિક ર્દષ્ટિએ મૂલ્યવાન છે. ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યકાળનો આ આંશિક ઇતિહાસ છે. મુહમ્મદ ઝમા હી. સં. 32(ઈ. સ. 1525)માં ગુજરાતના સુલતાન બહાદુરશાહના દરબારમાંથી નાસી જાય છે. ત્યાંથી આ ઇતિહાસનો આરંભ થાય…

વધુ વાંચો >

તારીખે દાઊદી

Jan 29, 1997

તારીખે દાઊદી : ભારતમાંના અફઘાન શાસનને આવરી લેતો ઇતિહાસનો ગ્રંથ. તેના કર્તા તેમજ તેની રચનાની તારીખ વિશે વિગતવાર માહિતી મળતી નથી, પરંતુ કર્તાના નામ અબ્દુલ્લાહ પરથી તેમજ મુઘલ સમ્રાટ જહાંગીરના તે ઇતિહાસમાંના ઉલ્લેખ પરથી એવું અનુમાન કરી શકાય કે આ ઇતિહાસ જહાંગીર ગાદી પર આવ્યા (1605) પછી લખાયો હશે. સાદી…

વધુ વાંચો >

તારીખે ફિરિશ્તા

Jan 29, 1997

તારીખે ફિરિશ્તા (અથવા ‘ગુલશને ઇબ્રાહીમી’) : જહાંગીરના રાજ્યારોહણ (1605) સુધીનો મુસ્લિમ શાસનનો ઇતિહાસ. લેખકનું મૂળ નામ મુલ્લા મુહમ્મદ કાસિમ હિન્દુશાહ અને ઉપનામ ‘ફિરિશ્તા’ હતું. ફિરિશ્તાએ 1606માં ઇતિહાસ લખવાનું શરૂ કર્યું અને 1611માં પૂર્ણ કર્યું. ઇતિહાસ લખતાં પહેલાં તેણે હાથ લાગેલી બધી ઐતિહાસિક સામગ્રીનું અધ્યયન કર્યું હતું. લગભગ 32 કે 35…

વધુ વાંચો >

તારીખે બહાદુરશાહી

Jan 29, 1997

તારીખે બહાદુરશાહી (સોળમી સદી) : દિલ્હી સલ્તનતથી માંડીને (ઈ. સ. 1304) સુલતાન બહાદુરશાહના શાસનનો અંત (ઈ. સ. 1526–1537) સુધીનો ઇતિહાસ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક હુસામખાન ગુજરાતી છે. લેખકના આ પુસ્તકની હસ્તપ્રત મળી નથી. ‘મિરાતે સિકંદરી’માં આ ગ્રંથનો ઘણો ઉપયોગ થયેલો છે. હાજી ઉદ્-દબીરે ‘તબકાતે બહાદુરશાહી’ તરીકે અને લેખકના નામ…

વધુ વાંચો >

તારીખે મુઝફ્ફરશાહી

Jan 29, 1997

તારીખે મુઝફ્ફરશાહી : મુઝફ્ફરશાહ બીજાના શાસન (1511–1526) દરમિયાનનો ઇતિહાસ. તેના  કર્તાનું નામ મીર સૈયદ અલી કાશાની હતું. તે ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાનો દરબારી ઇતિહાસકાર હતો. તે કવિ પણ હતો. સુલતાન મુઝફ્ફરશાહના આદેશથી તેણે આ ઇતિહાસ આડંબરી ભાષામાં લખ્યો છે. ગદ્ય અને પદ્યમાં રચાયેલ આ ટૂંકો ઇતિહાસ સુલતાન મુઝફ્ફરશાહ બીજાના માંડૂના…

વધુ વાંચો >