૮.૨૯

તારાવિશ્વ પ્રભામંડળથી તિલવાડા

તારાવિશ્વ પ્રભામંડળ

તારાવિશ્વ પ્રભામંડળ (galactic halo) : તારાવિશ્વની આસપાસ ફેલાતો પ્રકાશ. તારાવિશ્વની નાભિ અને સપાટીની આસપાસ આવેલા તારાઓ અને તારાઓના ઝૂમખાથી ઉદભવતા પ્રકાશને તારાવિશ્વ પ્રભામંડળ કહે છે. તારાવિશ્વ પ્રભામંડળ, 200,000 પ્રકાશ-વર્ષ અંતર સુધી વિસ્તરેલા અજ્ઞાત પદાર્થ(dark matter)માંથી, પણ ઉદભવતું હોવાનું મનાય છે. દીપક ભદ્રશંકર વૈદ્ય

વધુ વાંચો >

તારાસમુદાય 1 અને 2

તારાસમુદાય 1 અને 2 : વય અને સ્થાન પ્રમાણે પાડવામાં આવેલા તારાના, બે વિભાગો, તારાઓને તેમનાં વય અન સ્થાન પ્રમાણે જુદા જુદા સમુદાયમાં વહેંચવામાં આવે છે. તારાઓના બે મુખ્ય સમુદાય છે : સમુદાય 1 : આમાં મુખ્યત્વે નવા તારાઓ જે તારાવિશ્વના તળમાં આવેલા છે તેમનો સમાવેશ થાય છે. સમુદાય 2…

વધુ વાંચો >

તારાસારણી

તારાસારણી (star catalogue) : તારાઓની માહિતી આપતી સારણી. તારાઓની સંખ્યા ઘણી વધારે હોવાથી તેની સારણી, વર્ગીકરણ, નામકરણ વગેરે બનાવવામાં ઘણી મુશ્કેલી રહે છે. વળી કોઈ પણ એક જ પદ્ધતિમાં કે સારણીમાં બધા તારાઓને સમાવી શકાતા નથી. તારાસારણી મુખ્યત્વે તારાની તેજસ્વિતા પ્રમાણે અને વર્ણપટના આધારે તૈયાર કરવામાં આવે છે. મુખ્ય તારાસારણી…

વધુ વાંચો >

તારાસિંગ

તારાસિંગ (જ. 1928, હુકરણ, હોશિયારપુર, પંજાબ) : પંજાબી કવિ. તારાસિંગ કામિલને નામે પણ ઓળખાય છે. તેમના કાવ્યસંગ્રહ ‘કહિકશાં’ને સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેમણે હાસ્ય-વિનોદપૂર્ણ તથા હળવી કાવ્યરચનાઓથી લેખનનો પ્રારંભ કર્યો હતો. ‘કવિદરબાર’માં આ રચનાઓ ખૂબ લોકપ્રિય બની રહી. ત્યારબાદ તેઓ ગાંભીર્યપૂર્ણ કાવ્યલેખન તરફ વળ્યા. તેમણે 6 ગ્રંથો…

વધુ વાંચો >

તારીખ, તિથિ, દિનાંક

તારીખ, તિથિ, દિનાંક (calendar-day) : પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરતાં લાગતો સમય. પૃથ્વી સૂર્ય આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 વર્ષ કહેવાય. ચંદ્ર પૃથ્વી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 માસ કહેવાય. પૃથ્વી પોતાની ધરી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1…

વધુ વાંચો >

તારીખે ગુજરાત

તારીખે ગુજરાત : અબૂ તુરાબ વલી દ્વારા લખાયેલો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ. મુઘલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન લખાયેલો આ ઇતિહાસગ્રંથ ઐતિહાસિક ર્દષ્ટિએ મૂલ્યવાન છે. ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યકાળનો આ આંશિક ઇતિહાસ છે. મુહમ્મદ ઝમા હી. સં. 32(ઈ. સ. 1525)માં ગુજરાતના સુલતાન બહાદુરશાહના દરબારમાંથી નાસી જાય છે. ત્યાંથી આ ઇતિહાસનો આરંભ થાય…

વધુ વાંચો >

તારીખે દાઊદી

તારીખે દાઊદી : ભારતમાંના અફઘાન શાસનને આવરી લેતો ઇતિહાસનો ગ્રંથ. તેના કર્તા તેમજ તેની રચનાની તારીખ વિશે વિગતવાર માહિતી મળતી નથી, પરંતુ કર્તાના નામ અબ્દુલ્લાહ પરથી તેમજ મુઘલ સમ્રાટ જહાંગીરના તે ઇતિહાસમાંના ઉલ્લેખ પરથી એવું અનુમાન કરી શકાય કે આ ઇતિહાસ જહાંગીર ગાદી પર આવ્યા (1605) પછી લખાયો હશે. સાદી…

વધુ વાંચો >

તારીખે ફિરિશ્તા

તારીખે ફિરિશ્તા (અથવા ‘ગુલશને ઇબ્રાહીમી’) : જહાંગીરના રાજ્યારોહણ (1605) સુધીનો મુસ્લિમ શાસનનો ઇતિહાસ. લેખકનું મૂળ નામ મુલ્લા મુહમ્મદ કાસિમ હિન્દુશાહ અને ઉપનામ ‘ફિરિશ્તા’ હતું. ફિરિશ્તાએ 1606માં ઇતિહાસ લખવાનું શરૂ કર્યું અને 1611માં પૂર્ણ કર્યું. ઇતિહાસ લખતાં પહેલાં તેણે હાથ લાગેલી બધી ઐતિહાસિક સામગ્રીનું અધ્યયન કર્યું હતું. લગભગ 32 કે 35…

વધુ વાંચો >

તારીખે બહાદુરશાહી

તારીખે બહાદુરશાહી (સોળમી સદી) : દિલ્હી સલ્તનતથી માંડીને (ઈ. સ. 1304) સુલતાન બહાદુરશાહના શાસનનો અંત (ઈ. સ. 1526–1537) સુધીનો ઇતિહાસ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક હુસામખાન ગુજરાતી છે. લેખકના આ પુસ્તકની હસ્તપ્રત મળી નથી. ‘મિરાતે સિકંદરી’માં આ ગ્રંથનો ઘણો ઉપયોગ થયેલો છે. હાજી ઉદ્-દબીરે ‘તબકાતે બહાદુરશાહી’ તરીકે અને લેખકના નામ…

વધુ વાંચો >

તારીખે મુઝફ્ફરશાહી

તારીખે મુઝફ્ફરશાહી : મુઝફ્ફરશાહ બીજાના શાસન (1511–1526) દરમિયાનનો ઇતિહાસ. તેના  કર્તાનું નામ મીર સૈયદ અલી કાશાની હતું. તે ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાનો દરબારી ઇતિહાસકાર હતો. તે કવિ પણ હતો. સુલતાન મુઝફ્ફરશાહના આદેશથી તેણે આ ઇતિહાસ આડંબરી ભાષામાં લખ્યો છે. ગદ્ય અને પદ્યમાં રચાયેલ આ ટૂંકો ઇતિહાસ સુલતાન મુઝફ્ફરશાહ બીજાના માંડૂના…

વધુ વાંચો >

તારીખે મુબારકશાહી

Jan 29, 1997

તારીખે મુબારકશાહી : સુલતાન શિહાબુદ્દીન ઘોરી(1163થી 1205)થી માંડી સૈયદ મુહમ્મદ શાહ બિન ફરીદખાન બિન ખિઝ્રખાનના રાજ્યઅમલના બીજા વર્ષ (1433) સુધીના બનાવો અને ઘટનાઓને આવરી લેતો ઇતિહાસનો મહત્વનો ગ્રંથ. આ ગ્રંથના લેખક યાહિયા બિન એહમદ સરહિન્દી સૈયદ વંશ(1414–1451)ના સમકાલીન ઇતિહાસકાર હતા. આ ગ્રંથની એ વિશિષ્ટતા છે કે મુઘલ કાળના ઇતિહાસકારોએ પણ…

વધુ વાંચો >

તારીખે સોરઠ વ હાલાર

Jan 29, 1997

તારીખે સોરઠ વ હાલાર : દીવાન રણછોડજીકૃત ફારસીમાં લખાયેલ સૌરાષ્ટ્રનો ઇતિહાસ. જૂનાગઢના પ્રખ્યાત દીવાન રણછોડજી (1768–1841) દ્વારા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં લખાયેલો આ ગ્રંથ સૌરાષ્ટ્રના ઇતિહાસ માટે એક મહત્વનો ગ્રંથ છે, જેમાં સૌરાષ્ટ્રમાં બનેલી કેટલીક અગત્યની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તક એકંદરે નવ પ્રકરણોમાં વહેંચાયેલું છે. પ્રથમ પ્રકરણમાં…

વધુ વાંચો >

તાર્કિક સમસ્યાઉકેલ

Jan 29, 1997

તાર્કિક સમસ્યાઉકેલ : તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન હોય એવી ઉદ્દીપક પરિસ્થિતિરૂપ સમસ્યાનો તર્કસંગત ઉકેલ શોધવો તે. જ્યારે વ્યક્તિને કશુંક જોઈતું હોય પરંતુ તે મેળવવા માટે શું કરવું તેનું  તત્કાલ જ્ઞાન ન હોય ત્યારે સમસ્યા છે તેમ કહેવાય. આમ, જ્યારે પ્રવર્તમાન સ્થિતિ અને ઇચ્છિત લક્ષ્ય વચ્ચે તફાવત કે અસંગતતા હોય ત્યારે…

વધુ વાંચો >

તાલ

Jan 29, 1997

તાલ : નિશ્ચિત સમયાંતરે બંધાતી તબલા અને પખવાજના બોલની રચના. તે શાસ્ત્રીય સંગીત – ગીત, વાદ્ય અને નૃત્ય – નું એક અવિભાજ્ય અંગ છે. શાસ્ત્રીય સંગીતની રજૂઆત તાલમાં જ થાય છે. તાલ શાસ્ત્રીય સંગીતમાં સમયનો માપદંડ છે. ચર્મવાદ્ય સાથે તેનો સંબંધ છે. માત્રા એ તાલનો અલ્પતમ ઘટક છે. એક અને…

વધુ વાંચો >

તાલમાન

Jan 29, 1997

તાલમાન : સામાન્ય રીતે શિલ્પકલામાં અને ક્યારેક સ્થાપત્ય કલામાં પ્રમાણમાપ મેળવવાની પદ્ધતિ. તેમાં શિલ્પના ચહેરાને એકમ ગણી તેના ગુણોત્તરમાં અન્ય માપ નક્કી કરાય છે. અન્ય ઉલ્લેખ પ્રમાણે ફેલાયેલાં અંગૂઠા તથા વચલી આંગળીનાં ટેરવાં વચ્ચેના અંતરને પણ એકમ  તરીકે લેવાય છે, જેને તાલ કહે છે. ‘માન-સાર’માં 10 તાલ તથા ‘બિમ્બમાન’માં 12…

વધુ વાંચો >

તાલાળા

Jan 29, 1997

તાલાળા : જૂનાગઢ જિલ્લાના વેરાવળ પેટા વિભાગમાં આવેલ તાલુકો અને તાલુકા મથક. તે હીરણ નદીને કાંઠે 21° 02´ ઉ. અ. અને 70° 32´ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 953.6 ચોકિમી. છે. તાલુકામાં તાલાળા શહેર અને 96 ગામો આવેલાં છે. તેની પૂર્વે અને ઈશાન ખૂણે ગીરનું  જંગલ, પશ્ચિમે માળિયા…

વધુ વાંચો >

‘તાલીબ’ આમુલી

Jan 29, 1997

‘તાલીબ’ આમુલી (જ. ?; અ. 1625) : જાણીતા ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાન આમુલ નામના પરગણામાં થયો હતો. તેમનું નામ મુહમ્મદ અને કવિનામ ‘તાલીબ’ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું હતું. 23 વર્ષની વયે તેમણે ભૂમિતિ, ગણિત, તર્કશાસ્ત્ર, તસવ્વુફ, જ્યોતિષ તથા સુલેખનકળામાં  નિપુણતા પ્રાપ્ત કરી હતી. કવિ તરીકેની તેમની…

વધુ વાંચો >

‘તાલીબ’ ગુરુબચન સિંહ

Jan 29, 1997

‘તાલીબ’ ગુરુબચન સિંહ (જ. 9 એપ્રિલ 1911, પતિયાલા, પંજાબ; અ. 9 એપ્રિલ 1986) : પંજાબી લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પતિયાલામાં જ લીધું. અમૃતસરની ખાલસા કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પસાર કરી તથા એ જ વિષય લઈને એમ.એ.માં પણ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તરત જ…

વધુ વાંચો >

તાલીસપત્ર

Jan 29, 1997

તાલીસપત્ર : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગમાં આવેલા ટૅક્સેસીના કુળના વૃક્ષનું પર્ણ. તેનું વૈજ્ઞાનિક નામ Taxus baccata linn. (સં. મં. બં. હિં – તાલીસપત્ર; ક. ચરીચલી, ચંચલી, મારા; તે. તા. તાલીસપત્રી, મલા. તાલેસપત્ર; ફા. જરનવ; અ. તાલીસફર અં. Common yew) છે. તે 6 મી. જેટલું ઊંચુ અને 1.5-1.8 મી. ઘેરાવો ધરાવતું…

વધુ વાંચો >

તાલુકાપંચાયત

Jan 29, 1997

તાલુકાપંચાયત : પંચાયતીરાજના માળખામાં સ્વીકૃત લોકશાહીની પાયાની વિકેન્દ્રિત સંસ્થા. ભારતમાં પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીનાં રાજ્યતંત્રોનાં અનેક પરિવર્તનો વચ્ચે પંચાયતી રાજની વ્યવસ્થાએ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. ગાંધીજીએ પોતાના ગ્રામસમાજ–રામરાજ્યના વિચારોને સ્પષ્ટ કરતાં આ માન્યતાને અનુમોદન આપ્યું છે. ભારતના બંધારણના ઘડતરના સમયે ગાંધીજીના આગ્રહને કારણે બંધારણ-સમિતિએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો…

વધુ વાંચો >