૮.૨૩

ઢોળ ચડાવવો (ધાતુનો)થી તબરી

ઢોળ ચડાવવો (ધાતુનો)

ઢોળ ચડાવવો (ધાતુનો) : વસ્તુની સપાટીના ગુણધર્મો જેવા કે ક્ષયન (ક્ષારણ) પ્રતિરોધ, ચળકાટ, સમાપન અને જાડાઈ વગેરે સુધારવા સપાટી પર ધાતુના પાતળા થર લગાવવાની ક્રિયા. ઢોળ  ચડાવવાની ક્રિયા ઘણી જાણીતી છે. લોખંડના પતરા પર જસતનું પાતળું પડ ચડાવી પતરાને કાટ ચડતો રોકવામાં આવે છે. આ ઉપરાંત લોખંડના સ્ક્રૂ અને ચાકીઓ…

વધુ વાંચો >

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા)

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા) (ઈ. સ. 1053 પહેલાં) : શ્રુતપંચમીને લગતી દસ પ્રાકૃત કથાઓનો સંગ્રહ. તેના કર્તા મહેશ્વરસૂરિ સજ્જન ઉપાધ્યાયના શિષ્ય હતા. આ ગ્રંથની પ્રાચીનતમ તાડપત્રીય પ્રત વિ. સં. 1109ની લખેલી મળે છે. માટે આનો રચનાકાળ ઈ. સ. 1053ની પૂર્વનો છે. આ સંગ્રહમાં શ્રુતપંચમી વ્રતનું માહાત્મ્ય બતાવવા માટે દસ કથાઓ સંગૃહીત…

વધુ વાંચો >

ણાયકુમારચરિઉ

ણાયકુમારચરિઉ (સં. નાગકુમારચરિત) (દસમી સદી) : પ્રસિદ્ધ કવિ પુષ્પદંત દ્વારા 9 સંધિઓમાં અપભ્રંશ ભાષામાં રચાયેલું ‘નાગકુમારચરિત’ એ પ્રાચીન ભારતીય સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. શ્રીપંચમીવ્રતનું મહત્વ દર્શાવતી આ કૃતિની રચના કવિએ માન્યખેટના રાજાના મંત્રી નન્નની પ્રેરણાથી કરી. કવિએ પોતાની કૃતિમાં રચનાકાળનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી; પરંતુ આંતરબાહ્ય પ્રમાણો પરથી તેમનો સમય…

વધુ વાંચો >

ણિસીહસુત્ત

ણિસીહસુત્ત (સં. નિશીથસૂત્ર) : જૈન પરંપરાનું મુખ્યત્વે પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ દર્શાવતું પ્રાકૃત ભાષામાં રચેલું શાસ્ત્ર. આગમ વર્ગીકરણ અનુસાર ‘ણિસીહસુત્ત’નો સમાવેશ છેદસૂત્ર અંતર્ગત કરવામાં આવે છે. આચારાંગ સૂત્રની અંતિમ (પાંચમી) ચૂર્ણિ ‘આયાર પગય્ય’ (આચાર પ્રકલ્પ) જે પરિશિષ્ટ રૂપે હતી, તે તેના પ્રતિપાદ્ય વિષયની ગોપનીયતાના કારણે ‘નિશીથસૂત્ર’ના નામે પ્રચલિત બની અને…

વધુ વાંચો >

તક્રારિષ્ટ

તક્રારિષ્ટ : ‘તક્ર’ એટલે કે છાશને મુખ્ય દ્રવ્ય તરીકે લઈ બનાવેલ અરિષ્ટ પ્રકારનું ઔષધ. ‘ચરકસંહિતા’કારે ચિકિત્સાસ્થાનના આ ઔષધનો ગ્રહણીરોગની ચિકિત્સા રૂપે ઉલ્લેખ કર્યો છે. તક્રારિષ્ટ આ રીતે બને છે : અજમો, આમળાં, હરડે અને કાળાં મરી આ દરેક 3 પલ (1 પલ = 40 ગ્રામ); પાંચેય નમક (સિંધવ, સંચળ, બીડલૂણ,…

વધુ વાંચો >

તકલામાકાન

તકલામાકાન : ચીનની વાયવ્ય દિશાએ સિંકયાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39° ઉ. અ. અને 83° પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે. તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે…

વધુ વાંચો >

તક્ષશિલા

તક્ષશિલા : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ  જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના  કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે.…

વધુ વાંચો >

તખ્તાજાન, આર્મેન

તખ્તાજાન, આર્મેન (જ. 10 જૂન 1910; અ. 13 નવેમ્બર 2009) : રશિયાના વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને ઉત્ક્રાંતિવિદ (evolutionist). તેમણે ઉચ્ચશિક્ષણ લેનિનગ્રેડ અને મૉસ્કોમાં પ્રાપ્ત કર્યું હતું. લેનિનગ્રેડની બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ અકૅડમી ઑવ્ સાયન્સીસમાં જોડાયા બાદ તે કોમારૉવ બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટના નિયામક બન્યા. વનસ્પતિ-વિસ્તરણ અને વર્ગીકરણનો ઘનિષ્ઠ અભ્યાસ કરી 1942માં વનસ્પતિ-વર્ગીકરણની સરળ…

વધુ વાંચો >

તગર (ચાંદની)

તગર (ચાંદની) : દ્વિદળી વર્ગમાં આવેલ ઍપોસાયનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ervatamia coronaria Stapf = E. divericata (Linn.) Alston syn. Tabernaemontana coronaria R. Br. (સં. नंदीवृक्ष, હિં. ગુ. तगर, ચાંદની) છે. તે 2થી 2.5 મીટર ઊંચું સદાહરિત ક્ષુપ છે. તેની છાલ સફેદ-ભૂખરી હોય છે અને તેનો પર્ણસમૂહ સુંદર હોય…

વધુ વાંચો >

તગર (ગંઠોડાં)

તગર (ગંઠોડાં) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા વેલેરિયેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Valeriana. jatamansi Jones — syn. V. wallichii D. (સં. तगरम् હિં. મ. ગુ. બં. તગર; અં. Indian Valerian) છે. યુરોપિયન તગર (V. officinalis) ઇંગ્લૅન્ડ, યુ.એસ., જર્મની, ફ્રાન્સ, હોલૅન્ડ, બેલ્જિયમ, પૂર્વીય યુરોપ અને જાપાનમાં થાય છે. તે બહુગુણસૂત્રતા…

વધુ વાંચો >

તનાવક્ષમતા

Jan 23, 1997

તનાવક્ષમતા (tensile strength) : ખેંચી રાખેલા પદાર્થની, તૂટી ગયા સિવાય, મહત્તમ ભાર સહન કરી શકવાની શક્તિ. ખેંચાણ પહેલાંના તેના મૂળ આડછેદના ક્ષેત્રફળ વડે ભાગવાથી મળતી ભૌતિક રાશિ માટે તેનું પરિમાણ એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ છે;  અને MKS માપ પદ્ધતિમાં તેને કિલોગ્રામ દર ચોરસ મીટર વડે દર્શાવવામાં આવે છે. તનાવક્ષમતા…

વધુ વાંચો >

તનાવ–દાબ

Jan 23, 1997

તનાવ–દાબ (tension–compression) (ભૂસ્તરીય) : પૃથ્વીના પોપડામાં ભૂસંચલનને કારણે અસર કરતાં કાર્યશીલ બળો. પોપડામાં થતી ભૂસંચલનની ક્રિયામાં જે વિસ્તાર સામેલ થાય છે ત્યાંના પ્રાદેશિક ખડકોમાં તેમજ ખડકદળમાં વિરૂપતાનાં બળો કાર્યશીલ બની વિવિધ પ્રકારનાં રચનાત્મક લક્ષણો ઉત્પન્ન કરે છે. તે ખડક પ્રકાર બળના પ્રકાર, બળની દિશા અને બળની તીવ્રતા તેમજ બળની કાર્યશીલતાના…

વધુ વાંચો >

તનુગંડિકાકાઠિન્ય

Jan 23, 1997

તનુગંડિકાકાઠિન્ય (tuberous sclerosis) : આંચકી આવવી, મનોબૌદ્ધિક ઊણપ તથા ત્વક્તૈલાર્બુદ (adenoma sebaceum) વાળો વારસાગત ઊતરી આવતો રોગ. તેને બાર્નેવિલનો રોગ પણ કહે છે. તે અલિંગસૂત્રીય પ્રભાવી (autosomal dominant) પ્રકારના વારસા રૂપે પેઢી-દર-પેઢી ઊતરી આવે છે. કપાળ અને ગાલ પર પતંગિયાની પાંખોના આકારવાળા વિસ્તારમાં નાની નાની ફોલ્લીઓ રૂપે ત્વક્તૈલાર્બુદો થાય છે.…

વધુ વાંચો >

તનુતંતુજનક

Jan 23, 1997

તનુતંતુજનક (fibrinogen) : લોહી ગંઠાવાની ક્રિયામાં અગત્યનો ક્રિયાશીલ ઘટક. તેના મહત્વને કારણે લોહીના ગંઠનની ક્રિયામાં ઉપયોગી વિવિધ 13 ઘટકો અને અન્ય પ્રોટીનોમાં તેને પ્રથમ ઘટક (factor -I) તરીકે ઓળખવામાં આવે છે. તેના અણુઓ 340 કિલો ડેલ્ટોન્સ કદના હોય છે. અને તેનું રુધિરજળ(plasma)માંનું પ્રમાણ 300 મિગ્રા/ડેસી લિ. અથવા 9 માઇક્રોરોમ જેટલું…

વધુ વાંચો >

તપ

Jan 23, 1997

તપ : સંતાપ આપવાના અર્થમાં રહેલા ‘તપ્’ ધાતુ ઉપરથી બનેલો શબ્દ. તે શરીરને સંતાપ આપનારાં ચાંદ્રાયણ વગેરે વ્રતો એવો અર્થ મુખ્યત્વે આપે છે. કોઈક ભૌતિક કે દિવ્ય વસ્તુ મેળવવા માટે શરીરની સ્વાભાવિક આવશ્યકતા સ્વલ્પ કે સંપૂર્ણ રીતે છોડી દઈ શરીરને પીડા આપવી તેને તપ કહેવાય. શરીરનું શોષણ કરનારાં નિયમો કે…

વધુ વાંચો >

તપસ્વી ઓ તરંગિણી

Jan 23, 1997

તપસ્વી ઓ તરંગિણી (1965) : બંગાળી લેખક બુદ્ધદેવ બસુનું કાવ્યનાટક. એને સાહિત્ય અકાદમીના 1967ની શ્રેષ્ઠ બંગાળી રચના માટેના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. નાટકનું કથાનક પુરાણમાંથી લેવામાં આવ્યું છે. એમાં પ્રેમ અને વાસના વચ્ચેનો સંઘર્ષ દર્શાવાયો છે. અંગ દેશમાં વર્ષો સુધી વરસાદ વરસ્યો ન હોવાથી ત્યાં દુકાળની પરિસ્થિતિ પ્રવર્તતી…

વધુ વાંચો >

તપાસપંચ

Jan 23, 1997

તપાસપંચ (Inquiry commission) : જાહેર અગત્ય ધરાવતી અને આમજનતાને સ્પર્શતી મહત્ત્વની બાબતોની તપાસ કરવા માટે તથા જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓની વર્તણૂકની તપાસ કરવા માટે વખતોવખત નિમાતું પંચ. મુખ્ય હેતુ વહીવટમાં સ્વચ્છતા અને પ્રામાણિકતા જાળવવાનો તથા મંત્રીઓની વર્તણૂકમાં વધુમાં વધુ પારદર્શકતા લાવવાનો હોય છે. સને 1921 પહેલાં ઇંગ્લૅન્ડમાં કોઈ પણ બાબતની…

વધુ વાંચો >

તપોવન

Jan 23, 1997

તપોવન (sacred grove) : સ્થાનિક જનસમુદાય માટે વિશિષ્ટ ધાર્મિક મહત્વ ધરાવતાં વૃક્ષોના સમૂહનો બનેલો જંગલનો ખંડ. તેનું સ્થાનિક લોકો દ્વારા રક્ષણ થાય છે. તપોવન સામાન્ય રીતે ત્યાંના લોકોના રક્ષણ માટેનો ધાર્મિક સૂચિતાર્થ (connotation) ધરાવે છે. આ વિસ્તારમાં શિકાર અને ઉત્કાષ્ઠન (logging) પર સખત પ્રતિબંધ હોય છે. કેટલીક વાર મધ અને…

વધુ વાંચો >

તફસીર

Jan 23, 1997

તફસીર : ઇસ્લામના ધર્મગ્રંથ કુરાનની વિસ્તૃત સમજૂતી. કુરાનની તફસીર કરનાર ‘મુફસ્સિર’ કહેવાય છે. તેના માધ્યમથી મુખ્યત્વે અરબી ભાષાના વ્યાકરણ તથા શબ્દશાસ્ત્ર અને અન્ય પંદર જેટલાં સંબંધિત શાસ્ત્રોની સહાયથી પવિત્ર કુરાનના અર્થની ચર્ચા કરવામાં આવે છે. તફસીર-શાસ્ત્રને બીજાં બધાં ઇસ્લામી શાસ્ત્રોમાં પ્રાધાન્ય આપવામાં  આવે છે. તેનો સંબંધ દિવ્ય વાણી સાથે છે…

વધુ વાંચો >

તબકાતે અકબરી

Jan 23, 1997

તબકાતે અકબરી : હિંદમાં મુસ્લિમ શાસનની શરૂઆતથી અકબરના શાસનના 39મા વર્ષ સુધીનો ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ. લેખક નિઝામુદ્દીન અહમદ હરાવી (1551–1594). પ્રસ્તાવના અને પુરવણી ઉપરાંત નવ પ્રકરણમાં લખાયેલો આ ગ્રંથ ત્રણ ખંડમાં બંગાળની એશિયાટિક સોસાયટી દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ ‘તબકાતે અકબરશાહી’ અથવા ‘તારીખે નિઝામી’ના નામથી પણ પ્રચલિત છે.…

વધુ વાંચો >