ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >

ઘોષ, અતુલચંદ્ર

Feb 24, 1994

ઘોષ, અતુલચંદ્ર (જ. 2 માર્ચ 1881, ખાંડ ઘોષા, બર્દવાન; અ. 15 ઑક્ટોબર 1961, કૉલકાતા) : બંગાળના અગ્રણી રાજકીય નેતા. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં; પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડ્યું. 1908માં પુરબિયા ખાતે વકીલાત…

વધુ વાંચો >

ઘોષ, (શ્રી) અરવિંદ

Feb 24, 1994

ઘોષ, (શ્રી) અરવિંદ (જ. 15 ઑગસ્ટ 1872, કૉલકાતા; અ. 5 ડિસેમ્બર 1950, પુદુચેરી) : વિશ્વનાં વિચારબળો પર પ્રભાવ પાડનાર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ઠાકુરની પરંપરામાં બેસતી ભારતીય વિભૂતિ. તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક હતા, મહાન રાજકીય નેતા હતા, કવિ અને નાટ્યકાર હતા, સાહિત્યમર્મજ્ઞ અને કવિતાના મીમાંસક…

વધુ વાંચો >

ઘોષ, અમિતાભ

Feb 24, 1994

ઘોષ, અમિતાભ (જ. 11 જુલાઈ 1956, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી સાહિત્યના જાણીતા બંગાળી નવલકથાકાર. તેમની અતિપ્રચલિત નવલકથા ‘ધ શૅડો લાઇન્સ’ માટે તેમને 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમનું બાળપણ ઢાકા અને કોલંબો(હવે શ્રીલંકા)માં વીત્યું હતું. દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને સામાજિક નૃવિજ્ઞાન…

વધુ વાંચો >

ઘોષ, ગિરીશચંદ્ર

Feb 24, 1994

ઘોષ, ગિરીશચંદ્ર (જ. 28 ફેબ્રુઆરી 1844, કૉલકાતા; અ. 8 ફેબ્રુઆરી 1912, કૉલકાતા) : બંગાળી રંગભૂમિના ભીષ્મ પિતામહ. નટ, નાટ્યકાર, નાટ્યકંપની-પ્રબંધક, નાટ્યશિક્ષક અને કૉલકાતાના વ્યાવસાયિક રંગમંચના પાયાના ઘડવૈયા. બંગાળી રંગભૂમિને રાજાઓ તથા ધનકુબેરોના આધિપત્યમાંથી મુક્ત કરીને લોકાભિમુખ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. મૂળભૂતપણે નટ; પરંતુ જ્યારે તેમના જમાનાના અગ્રગણ્ય નાટ્યકારો દીનબંધુ…

વધુ વાંચો >

ઘોષ, ગૌતમ

Feb 24, 1994

ઘોષ, ગૌતમ (જ. 24 જુલાઈ 1950, કોલકાતા) : વિખ્યાત ભારતીય ફિલ્મસર્જક. કૉલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારપછી થોડો સમય થિયેટરમાં અને થોડો સમય ફોટો-જર્નાલિસ્ટ તરીકે તે સક્રિય રહ્યા. 1973થી તેમણે દસ્તાવેજી ફિલ્મો બનાવવાની શરૂ કરી. 1973ની ‘ન્યૂ અર્થ’ અને 1974ની ‘હંગ્રી ઑટમ’ને ઑબરહોસેન અને લાઇપ્ઝિગના ફિલ્મ મહોત્સવમાં પારિતોષિકો પ્રાપ્ત…

વધુ વાંચો >

ઘોષ, પન્નાલાલ

Feb 24, 1994

ઘોષ, પન્નાલાલ (જ. 31 જુલાઈ 1911, બારિસાલ, બાંગ્લાદેશ; અ. 20 એપ્રિલ 1960, નવી દિલ્હી) : ભારતના ખ્યાતનામ બંસરીવાદક. એક સંગીતપ્રેમી કુટુંબમાં જન્મ. એમને બચપણથી જ સંગીત તથા વ્યાયામ માટે જબરું આકર્ષણ હતું અને તેમાં કુશળતા મેળવવામાં સારો એવો સમય વ્યતીત કર્યો હતો. 9 વર્ષની ઉંમરે એમણે બંસરીવાદન શરૂ કર્યું. સંગીતની…

વધુ વાંચો >

ઘોષ, પ્રફુલ્લચંદ્ર

Feb 24, 1994

ઘોષ, પ્રફુલ્લચંદ્ર (જ. 24 ડિસેમ્બર 1891, મલિકન્ડા, બંગાળ; અ. 18 ડિસેમ્બર 1983, કોલકાતા) : બંગાળના અગ્રણી રાજકારણી તથા પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા પૂર્ણચંદ્ર ઘોષ ગામડાની પ્રાથમિક શાળાના શિક્ષક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ ઢાકા ખાતે. 1913માં રસાયણશાસ્ત્ર વિષયમાં બી.એસસી. તથા 1916માં એમ.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. 1919માં કૉલકાતા યુનિવર્સિટીની ડૉક્ટરેટની…

વધુ વાંચો >

ઘોષ, બારીન્દ્રકુમાર

Feb 24, 1994

ઘોષ, બારીન્દ્રકુમાર (જ. 5 જાન્યુઆરી 1880, લંડન; અ. 18 એપ્રિલ 1959, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળના પ્રસિદ્ધ ક્રાંતિકાર. તેમના પિતા કૃષ્ણધન કોણાગરમાં જાણીતા ડૉક્ટર હતા. તેમની માતા સ્વર્ણલતા માનસિક અસ્થિરતા ધરાવતાં હોવાથી તેમને અલગ રાખવામાં આવતાં. બારીન્દ્ર 1898માં હાઈસ્કૂલમાંથી પ્રવેશ-પરીક્ષા પાસ કરી પટણા કૉલેજમાં જોડાયા. અભ્યાસ છોડીને વેપારમાં ગયા પણ…

વધુ વાંચો >

ઘોષ, રાસબિહારી

Feb 24, 1994

ઘોષ, રાસબિહારી (જ. 23 ડિસેમ્બર 1845, ટોરકોના, જિ. બર્દવાન; અ. 28 ફેબ્રુઆરી 1921) : ગાંધીજીના આગમન પહેલાંની કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા, તેના સૂરત અધિવેશનના પ્રમુખ, બંગાળના પ્રખર શિક્ષણકાર તથા ધારાશાસ્ત્રી. સ્થાનિક પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક શિક્ષણ બર્દવાનમાં. 1862માં કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક. 1867માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી સાથે અનુસ્નાતક થઈ 1871માં…

વધુ વાંચો >

ઘોષ, લાલમોહન

Feb 24, 1994

ઘોષ, લાલમોહન (જ.1 જાન્યુઆરી 1849, કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 18 ઑક્ટોબર 1909, કૉલકાતા) : અગ્રણી દેશસેવક અને રાજકીય નેતા. તથા કૉંગ્રેસપ્રમુખ (1903). ઉચ્ચ મધ્યમ વર્ગમાં જન્મ. પિતા રામમોહન બંગાળ પ્રાંતમાં ન્યાય ખાતામાં નોકરી કરતા. શરૂઆતનું શિક્ષણ વતનમાં કૃષ્ણનગર ખાતે. કાયદાની પ્રવેશપરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા પછી 1869માં ઇંગ્લૅન્ડ ગયા, જ્યાંથી…

વધુ વાંચો >