ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુજરાત ભૂગોળ મંડળ

ગુજરાત ભૂગોળ મંડળ : ગુજરાત ભૂગોળ મંડળ (ગુજરાત જિયોગ્રાફિકલ ઍસોસિયેશન – GGA) ગુજરાતના ભૂગોળશાસ્ત્રીઓની એક નોંધાયેલ વ્યાવસાયિક સંસ્થા. જેની સ્થાપના સન 1984માં સ્વર્ગસ્થ પ્રોફેસર અંબુભાઈ દેસાઈ, વી. જી. દલાલ, એન. જી. પરીખ, કે. જે. પટેલ(ગાંધીનગર), પ્રાધ્યાપક ડૉ. અંજના દેસાઈ, કે. એન. જસાણી અને ડૉ. કે. એમ. કુલકર્ણીના અથાગ પ્રયત્નોથી નિર્માણ…

વધુ વાંચો >

ગુજરાતમિત્ર

ગુજરાતમિત્ર : સૂરતથી પ્રગટ થતું અગ્રણી ગુજરાતી દૈનિક. તેની સ્થાપના 15 સપ્ટેમ્બર 1863ના રોજ સૂરતમાં દીનશા અરદેશર તાલિયારખાન નામના એક પ્રામાણિક અને નિર્ભીક પત્રકારે કરી હતી. પ્રારંભે ‘ગુજરાતમિત્ર’નું નામ ‘સૂરતમિત્ર’ હતું. પણ એક જ વર્ષમાં 11 સપ્ટેમ્બર 1864થી તે ‘ગુજરાતમિત્ર’ બન્યું. દર રવિવારે પ્રગટ થતું ‘ગુજરાતમિત્ર’ ત્યારે સાપ્તાહિક હતું. 1862માં…

વધુ વાંચો >

ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ

ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ : મધ્યયુગીન ભારતના પહાડી, મુઘલ, સલ્તનત, રાજસ્થાની અને ગુજરાતી લઘુચિત્રો ધરાવતા વિશ્વવિખ્યાત ‘નાનાલાલ ચમનલાલ મહેતા સંગ્રહ’નું કાયમી ધોરણે પ્રદર્શન કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ‘સંસ્કાર-કેન્દ્ર’માં આ મ્યુઝિયમનું ઉદઘાટન 1963માં ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. 1993માં આ મ્યુઝિયમ અમદાવાદના…

વધુ વાંચો >

ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી : ગુજરાત રાજ્યમાં સ્થપાયેલ પશ્ચિમ ભારતની એક મોટામાં મોટી યુનિવર્સિટી. સ્થાપના : 1949. જૂના મુંબઈ પ્રાંતે પસાર કરેલ ‘ધ ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ, 1949’ અન્વયે તેનું નિર્માણ થયું. ગુજરાત યુનિવર્સિટીના કૅમ્પસનો કુલ વિસ્તાર 250 એકર છે. ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ (1949) દ્વારા ‘શિક્ષણ તેમજ જોડાણ આપતી’ (teaching and affiliating) યુનિવર્સિટી…

વધુ વાંચો >

ગુજરાત રાજ્ય રમતગમત પરિષદ (Gujarat State Sports Council) :

ગુજરાત રાજ્ય રમતગમત પરિષદ (Gujarat State Sports Council) : ગુજરાતમાં રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તરફથી રચાયેલી સંસ્થા. ગુજરાત રાજ્યના રમતવીરોને વિકાસલક્ષી પ્રોત્સાહન આપવા, યુવાશક્તિને રચનાત્મક કાર્યોમાં હેતુપૂર્વક કામે લગાડવા, ઉચ્ચ કક્ષાની સિદ્ધિ મેળવવા રમતવીરોને અદ્યતન વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવા, વ્યક્તિનો સર્વાંગી વિકાસ હાંસલ કરવા અને તાલુકા, જિલ્લા તથા…

વધુ વાંચો >

ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ

ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ : ગુજરાતમાં શાળા, કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાએ રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપન અને સંશોધન કરતા શિક્ષકો, અધ્યાપકો તેમજ ગુજરાતના જાહેર જીવનમાં રસ અને નિસબત ધરાવતા નાગરિકોનું બનેલું મંડળ. શરૂઆતમાં રાજ્યશાસ્ત્રનું અધ્યાપન કરતા કેટલાક મિત્રો અનૌપચારિક રીતે અમદાવાદમાં મળતા ત્યારે ગુજરાતવ્યાપી મંડળ ઊભું કરવાનો વિચાર કેટલાકને સ્ફુર્યો. ડિસેમ્બર 1966માં અખિલ…

વધુ વાંચો >

ગુજરાત વિજ્ઞાન અકાદમી (ગુજરાત સાયન્સ એકૅડેમી)

ગુજરાત વિજ્ઞાન અકાદમી (ગુજરાત સાયન્સ એકૅડેમી) : સમગ્ર ગુજરાત રાજ્યવ્યાપી, 1978માં સ્થપાયેલ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનું સંગઠન. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL)ના પૂર્વ નિયામક ડૉ. સુધીરભાઈ પંડ્યા, કમ્પ્યૂટર વિભાગના શ્રી સુરેશભાઈ ઠાકોર, ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણવિદ અને ગણિતશાસ્ત્રી ડૉ. પ્ર. ચૂ. વૈદ્ય અને અન્યના સહયોગ તથા માર્ગદર્શન સાથે આ એકૅડેમીની સ્થાપના કરવામાં આવી. તેમાં…

વધુ વાંચો >

ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) :

ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) : ગુજરાતના સાહિત્ય તથા સંસ્કારના વિકાસને વરેલી દોઢ સદીથી વધુ જૂની સંસ્થા. ઈ.સ. 1846માં ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સ આસિસ્ટન્ટ જજ નિમાઈ અમદાવાદમાં આવ્યા હતા. ઇતિહાસમાં તેમને જીવંત રસ હતો. જૂના ઇતિહાસ અને સાહિત્યનાં લખાણો અને સાધનો કોઈ એક સ્થાને સાચવી-જાળવી શકાય તો ઇતિહાસલેખન માટે એક સુવિધા…

વધુ વાંચો >

ગુજરાત વેપારી મહામંડળ

ગુજરાત વેપારી મહામંડળ (Gujarat Chamber of Commerce & Industry) : ગુજરાત રાજ્યનાં ઉદ્યોગ તથા વ્યાપારનાં હિતોનું પ્રતિનિધિત્વ કરતી મધ્યવર્તી સંસ્થા. તેની સ્થાપના ફેબ્રુઆરી 1949માં થઈ હતી. 1948–49 દરમિયાન અમદાવાદ નગરના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ સારાભાઈ છોટાલાલ કાશીપારેખ, ગિરધરલાલ દામોદરદાસ, ભોગીલાલ સુતરિયા અને આનંદી ઠાકોરના પ્રયાસને પરિણામે આ સંસ્થા સ્થપાઈ. તેના…

વધુ વાંચો >

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ : વ્યાયામ પ્રચારને વરેલી ગુજરાતની અગ્રણી સંસ્થા. 1905ની બંગભંગની ચળવળનો જે એક તણખો ગુજરાતમાં પણ પડ્યો તેણે રાષ્ટ્રીય વ્યાયામ પ્રવૃત્તિનું સ્વરૂપ લીધું અને ‘‘શરીર સેવા માટે, રાષ્ટ્ર માટે, જીવનના ઉચ્ચતમ આદર્શ માટે’’ મુદ્રાલેખ ધરાવતા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સૌપ્રથમ વ્યાયામ સંસ્થા ‘શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળા’ની સ્થાપના 1…

વધુ વાંચો >

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

Feb 1, 1994

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

Feb 2, 1994

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

Feb 3, 1994

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

Feb 4, 1994

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

Feb 5, 1994

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

Feb 6, 1994

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

Feb 7, 1994

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

Feb 8, 1994

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

Feb 8, 1994

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

Feb 8, 1994

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >