ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute)

ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute) : ‘ગેરી’ના ટૂંકા નામે ઓળખાતી સિવિલ ઇજનેરી એટલે કે બાંધકામશાસ્ત્ર ક્ષેત્રે સંશોધન અને વિકાસનું કામ કરતી રાજ્ય સરકારની એકમાત્ર સંસ્થા. આ સંસ્થાની મુખ્ય કચેરી વડોદરામાં આવેલી છે. 1960ની સાલમાં ઇજનેરી સંશોધન સંસ્થા તરીકેનો દરજ્જો હાંસલ કર્યો ત્યારથી આજ સુધી આ સંસ્થાએ રાજ્યના…

વધુ વાંચો >

ગુજરાત ઇતિહાસ પરિષદ

ગુજરાત ઇતિહાસ પરિષદ : ગુજરાતની પ્રજામાં ઇતિહાસની અભિરુચિ કેળવાય, ઇતિહાસની સાચી ર્દષ્ટિ મળે, ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેમજ ઇતિહાસના અભ્યાસને ઉત્તેજન આપવું એ હેતુથી ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના એપ્રિલ 1960માં કરવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર મુકામે 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું 20મું અધિવેશન યોજાયું…

વધુ વાંચો >

ગુજરાત કેળવણી પરિષદ

ગુજરાત કેળવણી પરિષદ : શિક્ષણની સર્વગ્રાહી વિચારણા માટે ભરાયેલી પરિષદ. પ્રથમ પરિષદ 23 અને 24 ઑક્ટોબર 1916ના દિવસે ચીમનલાલ સેતલવડના પ્રમુખપદે અમદાવાદમાં મળી હતી. મહાત્મા ગાંધી, રણજિતરામ, ઇન્દુલાલ યાજ્ઞિક, સુમંત મહેતા વગેરે કાર્યકરો તથા ગુજરાતનાં દેશી રાજ્યોના વિદ્યાધિકારીઓએ તેમાં હાજરી આપી ચર્ચામાં ભાગ લીધો હતો. આ પરિષદમાં નીચે મુજબના ઠરાવો…

વધુ વાંચો >

ગુજરાત કૉલેજ

ગુજરાત કૉલેજ : ગુજરાત પ્રદેશની જૂનામાં જૂની કૉલેજ. સ્થાપના 13 જુલાઈ 1861. 1855ના મે માસના સરકારી ગેઝેટમાં મુંબઈ સરકારે અમદાવાદમાં કૉલેજ સ્થાપવાની જાહેરાત કરેલી. 1856માં મુંબઈ સરકારે ઉત્તર વિભાગના શિક્ષણ નિરીક્ષક તરીકે થિયોડોર હોપની નિમણૂક કરી હતી. 1856ના એપ્રિલની બીજી તારીખે થિયોડોર હોપના પ્રયત્નથી અમદાવાદમાં કૉલેજ સ્થાપવાના પ્રશ્નની ચર્ચા કરવા…

વધુ વાંચો >

ગુજરાત ગણિત મંડળ

ગુજરાત ગણિત મંડળ : ગુજરાતમાંના ગણિતના અભ્યાસીઓ તથા ગણિતચાહકોનું મંડળ. આ મંડળની સ્થાપના 1963માં ડૉ. પ્ર. ચુ. વૈદ્યે કરી હતી. મંડળનું ધ્યેય ગુજરાતમાં ગણિતને અભ્યાસના તેમજ શોખના વિષય તરીકે પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિ કરવા, ગણિતક્ષેત્રની સિદ્ધિઓ અને સમાચારોથી સૌને માહિતગાર રાખવા, ગુજરાતની ગાણિતિક પ્રતિભાઓ શોધીને તેમનું સંવર્ધન કરવા અને સામાન્ય…

વધુ વાંચો >

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) : ગુજરાત સરકારની વિવિધ રાજ્ય સેવા માટે અધિકારીઓની પસંદગી કરનારું તંત્ર. કલ્યાણ રાજ્યની વિભાવના અને સમાજવાદી વિચારસરણીની સરકારો દ્વારા થતા અમલને પરિણામે વહીવટી માળખામાં ધરખમ વધારો થાય છે. વહીવટ માટે કાર્યક્ષમ અને નિષ્ઠાવાન અધિકારીઓની જરૂરિયાત રહે છે. તેમની પસંદગીમાં લાગવગ, ભ્રષ્ટાચાર કે સગાવાદને સ્થાન ન…

વધુ વાંચો >

ગુજરાતદર્પણ

ગુજરાતદર્પણ : દક્ષિણ ગુજરાતનું લોકભોગ્ય અખબારી પ્રકાશન. 1888માં જેકિશનદાસ લલ્લુભાઈ અઠ્ઠાવાળા અને હરિલાલ હર્ષદ ધ્રુવે સૂરતમાંથી ‘ગુજરાતદર્પણ’ નામનું અર્ધસાપ્તાહિક પત્ર શરૂ કર્યું હતું જે 1889માં ‘ગુજરાતમિત્ર’ સાથે જોડાઈ ગયું. ત્યારથી તે ‘ગુજરાતમિત્ર’ અને ‘ગુજરાતદર્પણ’ના સંયુક્ત નામથી પ્રગટ થાય છે. ભગવતીકુમાર શર્મા

વધુ વાંચો >

ગુજરાતનાં સાહિત્યિક પારિતોષિકો અને ચંદ્રકો

ગુજરાતનાં સાહિત્યિક પારિતોષિકો અને ચંદ્રકો : ગુજરાતમાં સાહિત્યસર્જનના ક્ષેત્રે અપાતા વિવિધ પુરસ્કારો. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાની કદર કરવાની વૃત્તિ સંસ્કારી પ્રજામાં વિકસેલી છે. વિવિધ કલાઓ, સાહિત્ય, શિક્ષણ, સેવા, રમતગમત, શૌર્ય-સાહસ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિ કે સંસ્થાની વિશિષ્ટ શક્તિને પ્રમાણીને એનું પોષણ, સંવર્ધન અને પ્રોત્સાહન કરવામાં આવે છે. ગુજરાતમાં…

વધુ વાંચો >

ગુજરાતનો નાથ (પ્રથમ આવૃત્તિ 1918)

ગુજરાતનો નાથ (પ્રથમ આવૃત્તિ 1918) : કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. કૃતિ તરીકે સ્વતંત્ર છતાં કથા તરીકે ‘પાટણની પ્રભુતા’ની કથાનું અનુસંધાન છે. નવલકથા ચાર વિભાગોમાં વહેંચાયેલી છે, જે કથાવિકાસની જ ચાર ભૂમિકાઓ છે. લાટનો સુભટ કાક અને કૃષ્ણદેવ નામ ધારણ કરી છદ્મવેશે આવેલો જૂનાગઢનો કુંવર ખેંગાર, પાટણને પાદરે નગરપ્રવેશની રાહ જોતાં…

વધુ વાંચો >

ગુજરાત ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, રાજપીપળા

ગુજરાત ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, રાજપીપળા : વનવિસ્તારના અધિકારીઓની તાલીમ માટેની સરકાર હસ્તકની સંસ્થા. વનવિસ્તારની તાંત્રિક વ્યવસ્થામાં વનખંડ અધિકારીઓ (rangers) ઘણી અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. તેઓ વનસંરક્ષણમાં, વનવિકાસનાં કામોમાં તેમજ વનવિસ્તરણ માટેની વિવિધ પ્રક્રિયાઓમાં વન અંગેનાં કામો પરની ક્ષેત્રીય કક્ષાની દેખરેખ, તેની તાંત્રિક ચકાસણી, માપચકાસણી, તે માટેની નાણાકીય ચુકવણી, હિસાબી…

વધુ વાંચો >

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

Feb 1, 1994

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

Feb 2, 1994

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

Feb 3, 1994

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

Feb 4, 1994

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

Feb 5, 1994

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

Feb 6, 1994

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

Feb 7, 1994

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

Feb 8, 1994

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

Feb 8, 1994

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

Feb 8, 1994

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >