૬(૨).૧૧

ગુરુત્વીય ત્રિજ્યા થી ગુંફિત ઝરણાં

ગુરુત્વીય ત્રિજ્યા

ગુરુત્વીય ત્રિજ્યા : આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ M દ્રવ્યમાનના તારકના કેન્દ્રથી r અન્તરે આવેલા બિન્દુએ પ્રકાશનો વેગ C નહિ રહેતાં ઘટશે અને થશે. અહીં G એ ગુરુત્વનો અચલાંક છે. આ ઘટેલો પ્રકાશનો વેગ જો શૂન્ય થઈ જાય તો  અથવા ને તારકની ગુરુત્વ ત્રિજ્યા કહે છે. તે અંતરે પ્રકાશનો વેગ શૂન્ય…

વધુ વાંચો >

ગુરુત્વીય નિપાત (gravitational collapse)

ગુરુત્વીય નિપાત (gravitational collapse) : આંતરતારકીય વાદળમાં અને તારકની અંદર, ગુરુત્વાકર્ષણ દ્વારા થતાં સંકોચન અને નિપાત. ખભૌતિકીમાં આ ઘટના ઘણી મહત્વની છે, કારણ કે તેની દ્વારા તારકો, તારકગુચ્છો અને તારકવિશ્વોનું સર્જન અને વિસર્જન બંને થતાં હોય છે. કેટલીક વખત આંતરતારકીય વાદળનું સંઘટ્ટન એટલા બધા પ્રમાણમાં થાય છે કે તેના કેન્દ્રીય…

વધુ વાંચો >

ગુરુદત્ત

ગુરુદત્ત (જ. 9 જુલાઈ 1925, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 20 ઑક્ટોબર 1964, મુંબઈ) : ભારતીય ચલચિત્ર જગતની એક આગવી કલાકાર-દિગ્દર્શક પ્રતિભા. મૂળ કન્નડભાષી છતાં મુંબઈને કર્મભૂમિ બનાવી હિંદી ચલચિત્રોમાં દિગ્દર્શન અને અભિનયમાં નવી ભાત પાડી. પૂરું નામ ગુરુદત્ત શિવશંકર પદુકોણ. બાળપણ અને શાળાકીય શિક્ષણ કોલકાતા ખાતે. 1941માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

ગુરુદયાલસિંહ

ગુરુદયાલસિંહ (જ. 10 જાન્યુઆરી 1933, ભૈયાનીફતેહ, સંગરુર, પંજાબ; અ. 16 ઑગસ્ટ 2016, ભટીંડા, પંજાબ) : પંજાબી વાર્તાકાર. પંજાબના પતિયાલા જિલ્લાના નાભા શહેરમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધેલું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં લીધેલું. ત્યાંથી પંજાબી અને અંગ્રેજી વિષયો લઈને બી.એ. તથા એમ.એ. થયા. કૉલેજમાં હતા ત્યારથી જ જુદાં જુદાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ…

વધુ વાંચો >

ગુરુદ્વારા (ગુરદ્વાર)

ગુરુદ્વારા (ગુરદ્વાર) : શીખોનું ધર્મમંદિર. દસ ગુરુમાંથી કોઈ એકે ધર્મપ્રચાર માટે જેની સ્થાપના કરી હોય અથવા જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હોય એવું સ્થાન. શીખોના પહેલા ગુરુ નાનકદેવથી પાંચમા ગુરુ અર્જુનદેવ સુધી આ ધર્મમંદિરોને ‘ધર્મશાળા’ કહેતા હતા. ગુરુ અર્જુનદેવજીએ સૌપ્રથમ અમૃતસરના ધર્મમંદિરને ‘હરિમંદિર’ નામ આપ્યું અને છઠ્ઠા ગુરુ હરિગોબિંદજીએ આવાં…

વધુ વાંચો >

ગુરુ નાનકદેવ

ગુરુ નાનકદેવ (જ. 15 એપ્રિલ 1469, રાયભોઈ દી તલવંડી [વર્તમાન નાનકાના સાહિર, લાહોર પાસે, પાકિસ્તાન]; અ. 22 સપ્ટેમ્બર 1539, કરનારપુર, પંજાબ) : શીખ ધર્મપ્રવર્તક અને આદ્યગુરુ. એમનો જન્મ કાલુરામ વેદીને ત્યાં તલવંડી(પશ્ચિમ પંજાબ)માં થયો હતો. એમણે પંડિત તથા મૌલાના પાસે શિક્ષણ લીધું હતું. અઢારમે વર્ષે એમનાં લગ્ન સુલક્ષણાદેવી સાથે થયાં.…

વધુ વાંચો >

ગુરુબક્ષસિંહ

ગુરુબક્ષસિંહ (જ. 26 એપ્રિલ 1895, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ;  અ. 10 ઑગસ્ટ 1977) : પંજાબી લેખક. મૅટ્રિક સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછી અમેરિકા ગયા અને ત્યાં બી.એસસી. તથા ઇજનેરીનું શિક્ષણ લીધું. ભારત આવીને થોડાં વર્ષ રેલવેમાં નોકરી કરી, 1931માં રાજીનામું આપ્યું અને પછી ખેતી કરવા લાગ્યા. 1933માં એમણે ‘પ્રીતલડી’ નામનું…

વધુ વાંચો >

ગુરુમુખી

ગુરુમુખી : પંજાબમાં બોલાતી તથા લખાતી લિપિ. આ લિપિ ઉત્તર ભારતમાં પ્રચલિત શારદા તથા ટાકરી લિપિઓ દ્વારા પ્રચલિત બની. પંજાબમાં ધર્મગુરુઓ દ્વારા એનો ઉપયોગ થતો હોવાથી એને ‘ગુરુમુખી’ નામ મળ્યું. ‘ગુરુમુખી’ લિપિ નામનો દુરુપયોગ છે. શીખ-ગુરુઓ દ્વારા આ લિપિ યોજવામાં આવી નથી. અદ્યતન સંશોધકોએ સાબિત કર્યું છે કે વિખ્યાત સૂફી…

વધુ વાંચો >

ગુરુવાયુર મંદિર

ગુરુવાયુર મંદિર : ભારતમાં અત્યંત પવિત્ર ગણાતાં મંદિરોમાંનું એક મંદિર. તે કેરળ રાજ્યના ત્રિચુર જિલ્લાના ગુરુવાયુર નામક ગામમાં આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ટટ્ટાર અવસ્થામાં ઊભા છે અને તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, સુદર્શનચક્ર, કમળનું ફૂલ અને ગદા છે. શ્રીકૃષ્ણના જીવનની જુદી…

વધુ વાંચો >

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ : સૌર મંડળના ઘણા ધૂમકેતુ ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણને લીધે ગુરુની પકડમાં આવી જાય છે અને એ રીતે ‘ગુરુ-પરિવારના ધૂમકેતુ’ બની જાય છે. માર્ચ 1993માં શુમેકર પતિ-પત્ની તથા ડેવિડ લેવી નામના ખગોળ-વિજ્ઞાનીઓએ એક નવતર પ્રકારનો ગુરુ-પરિવારનો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો, જે એ પહેલાં લગભગ જુલાઈ 1992માં…

વધુ વાંચો >

ગુલાબવેલ

Feb 11, 1994

ગુલાબવેલ : જુઓ ગુલાબ.

વધુ વાંચો >

ગુલાબી ઇયળ

Feb 11, 1994

ગુલાબી ઇયળ : કપાસના પાક ઉપરાંત ભીંડા, શેરિયા, હૉલીહૉક, ગુલનેરા, કાંસકી જેવા અન્ય માલવેસી કુળના છોડવા ઉપર જોવા મળતી જીવાત. આ કીટકનો રોમપક્ષ (lepidoptera) શ્રેણીનાં ગેલેચિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ જીવાતની નાની ઇયળ પીળાશ પડતી સફેદ અને કાળા માથાવાળી હોય છે, જ્યારે મોટી ઇયળ ગુલાબી રંગની હોય છે,…

વધુ વાંચો >

ગુલાબોનો વિગ્રહ (War of Roses)

Feb 11, 1994

ગુલાબોનો વિગ્રહ (War of Roses) : 1455થી 1485 દરમિયાન ઇંગ્લૅન્ડની ગાદી માટેના હરીફો યૉર્ક અને લૅન્કેસ્ટર અમીર કુટુંબો વચ્ચે ચાલેલી યુદ્ધોની હારમાળા. ગાદી માટે દાવો કરનાર યૉર્ક અમીર કુટુંબનું પ્રતીક (badge) સફેદ ગુલાબનું અને લૅન્કેસ્ટર અમીર કુટુંબનું પ્રતીક લાલ ગુલાબનું હતું. આ બંને પ્રતીક ઉપરથી તેમની વચ્ચે થયેલાં યુદ્ધોને ‘ગુલાબોનો…

વધુ વાંચો >

ગુલામ અલી

Feb 11, 1994

ગુલામ અલી (જ. 1750;  અ. 1836) : અગ્રિમ સૂફીવાદી સિંધી કવિ. ‘રોહલ’ ફકીરના પુત્ર. તેમને કાવ્યરચનાકૌશલ અને ભક્તિભાવ વારસામાં મળ્યાં હતાં. ગુલામ અલીએ ભારતીય છંદશાસ્ત્ર-આધારિત સિંધી કવિતાની રચના કરી હતી. તેમની કવિતા ઉપર ઇશ્કે હકીકીની સૂફીવાદી પ્રેમપરંપરા તથા વેદાંતની યોગજ્ઞાનની ઊંડી અસર છે. અદ્વૈતના ઉપાસક ગુલામ અલી સર્વે માનવમાં પ્રભુદર્શન…

વધુ વાંચો >

ગુલામ અલી

Feb 11, 1994

ગુલામ અલી (જ. 5 ડિસેમ્બર 1940, કલેકી, જિલ્લો સિયાલકોટ, પંજાબ) : પતિયાળા ઘરાનાના વિખ્યાત પાકિસ્તાની ગઝલગાયક. તેઓ વિખ્યાત શાસ્ત્રીય ગાયક બડે ગુલામ અલીના શિષ્ય છે જેમના નામ પરથી પિતાએ પોતાના પુત્રનું નામ પાડ્યું હતું. તેમનો જન્મ સંગીતને વરેલા પરિવારમાં થયો છે. તેમના પિતા કંઠ્ય સંગીત ઉપરાંત સારંગીના વાદક હતા. પિતાના…

વધુ વાંચો >

ગુલામ મુસ્તફાખાં

Feb 11, 1994

ગુલામ મુસ્તફાખાં (જ. 3 માર્ચ 1934, બદાયું; અ. 17 જાન્યુઆરી 2021, મુંબઈ) : સહસવાન ઘરાણાના ઉચ્ચ કક્ષાના ગાયક. સંગીતની તાલીમ એમણે ઉસ્તાદ નિસારહુસેનખાં પાસેથી મેળવી હતી. પોતાના ઘરાણાની મૂળ શૈલીમાં કેટલાંક મૌલિક તત્વો ઉમેરીને એમણે પોતાની આગવી શૈલી રચી છે. એ શાસ્ત્રીય સંગીતની ખયાલની શૈલી ઉપરાંત તરાના તથા ટપ્પાની શૈલીઓના…

વધુ વાંચો >

ગુલામ રસૂલ (અ. અઢારમી સદી)

Feb 11, 1994

ગુલામ રસૂલ (અ. અઢારમી સદી) : ધ્રુપદ અને ખયાલ શૈલીના ગાયક કલાકાર. ગુલામ રસૂલ લખનૌના નવાબ અસફુદ્દૌલાના દરબારી ગાયક હતા. ત્યાંના દીવાન હસનરાજખાં તરફથી એમનું અપમાન થવાથી એમણે લખનૌ છોડ્યું હતું. તે ધ્રુપદ તથા ખયાલ શૈલીઓના નિષ્ણાત હતા. પ્રાચીન ધ્રુપદની શૈલીમાં પરિવર્તન કરવું તથા ખયાલ શૈલીનો પ્રચાર કરવો એવો એમનો…

વધુ વાંચો >

ગુલામ રસૂલખાં

Feb 11, 1994

ગુલામ રસૂલખાં (જ. 1898, મથુરા; અ. 1983) : મથુરા ઘરાનાના ગાયક કલાકાર. તે ઘરાનાના કલાકારો કંઠ-સંગીત તથા સિતારવાદનના નિષ્ણાત હતા. ગુલામ રસૂલખાંના પિતામહ અહેમદખાં, પિતા કાલેખાં તથા તે પોતે લૂણાવાડા રાજ્યના દરબારી સંગીતકાર હતા. કાલેખાંએ ‘સરસપિયા’ ઉપનામ હેઠળ કેટલીક ઉત્કૃષ્ટ બંદીશો રચી હતી. ગુલામ રસૂલખાંએ પોતાના પિતા પાસેથી શરૂમાં કંઠ-સંગીતની…

વધુ વાંચો >

ગુલામી પ્રથા

Feb 11, 1994

ગુલામી પ્રથા : માણસની માણસ ઉપરની માલિકી તથા તેનું નિરંકુશ શોષણ કરતી પ્રથા. જંગમ મિલકત તરીકે ગુલામ ખરીદાતો–વેચાતો, ભેટ અપાતો અને તેનો વિનિમય થઈ શકતો. ગુલામોનાં સંતાનો પણ ગુલામીમાં સબડતાં હતાં અને તેમને દેહાંતદંડની શિક્ષા કરી શકાતી. સ્ત્રી ગુલામો સાથે માલિક દુરાચાર કરી શકતો. પ્રાચીન સુમેર, ફિનિશિયા, ગ્રીસ, રોમ, ભારત…

વધુ વાંચો >

ગુલેરી, ચન્દ્રધર શર્મા

Feb 11, 1994

ગુલેરી, ચન્દ્રધર શર્મા (જ. 7 જુલાઈ 1883, અજમેર; અ. 12 સપ્ટેમ્બર 1922, કાશી) : હિંદીના વિદ્વાન, સર્જક-સંશોધક. 1904–16 સુધી તેઓ અજમેરની મેયો કૉલેજમાં અધ્યાપક હતા તથા 1916–1920 નોબલ્સ એજ્યુકેશનના વહીવટદાર તથા સંસ્કૃત અને ધર્મ વિભાગના ડીન રહ્યા. એમણે વાર્તાઓ, નિબંધ, વિવેચન તથા ભાષાશાસ્ત્ર એમ વિવિધ ક્ષેત્રનું ખેડાણ કર્યું છે. અલ્લાહાબાદ…

વધુ વાંચો >