૬(૨).૧૧

ગુરુત્વીય ત્રિજ્યા થી ગુંફિત ઝરણાં

ગુરુંગ, માર્ટિન માઇકલ

ગુરુંગ, માર્ટિન માઇકલ (જ. જાન્યુઆરી 1926, રુંગનીત ટી એસ્ટેટ, દાર્જિલિંગ, પ. બંગાળ) : જાણીતા નેપાળી વિવેચક અને વાર્તાકાર. તેમને તેમના ‘બિરસિયકો સંસ્કૃતિ’ નામક સાંસ્કૃતિક અભ્યાસગ્રંથ (1980), માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી કેટલોક વખત દાર્જિલિંગ ખાતે સેંટ જૉસેફ્સ કૉલેજમાં…

વધુ વાંચો >

ગુર્જરત્રા – ગૂર્જરત્રા

ગુર્જરત્રા – ગૂર્જરત્રા : દેશવાચક સંજ્ઞા. સંસ્કૃતીકરણ પામેલા ‘ગૂર્જરત્રા’ શબ્દનો ઉલ્લેખ દેશવાચક તરીકે રાજસ્થાનના ઘટિયાલ-(વિ. સં. 918 – ઈ. સ. 862)ના લેખમાં અને પ્રતિહાર કક્કુક(નજીકના સમય)ના લેખમાં જોવા મળે છે. ઘટિયાલ(એ જ વર્ષ)ના પ્રાકૃત લેખમાં ‘ગુજ્જરત્તા’ પ્રાકૃતીકરણ જોવા મળે છે. ગુર્જર પ્રતિહારોનું રાજ્ય પશ્ચિમ મારવાડમાં હતું અને આ પ્રદેશના એ…

વધુ વાંચો >

ગુર્જર દેશ

ગુર્જર દેશ : ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ઉપયોગમાં લેવાતી સંજ્ઞા. આ સંજ્ઞાના જૂનામાં જૂના ઉલ્લેખ પ્રમાણે રાષ્ટ્રકૂટ વંશના દંતિદુર્ગે ઉજ્જનમાં ઈ. સ. 754માં હિરણ્યગર્ભદાન આપેલું ત્યારે ત્યાં હાજર થયેલા બહારના રાજવીઓમાં એક ‘ગુર્જર દેશ’નો પણ રાજવી હતો. આ પછીના અમોઘવર્ષના ઈ. સ. 871–72ના અભિલેખમાં ‘ગુર્જરદેશાધિરાજક’ શબ્દમાં દેશનામ નોંધાયું છે.…

વધુ વાંચો >

ગુર્જર દેશ ભૂપાવલી

ગુર્જર દેશ ભૂપાવલી : ગુજરાતના રાજાઓની વંશાવળીઓને લગતી કૃતિ. જૈન મુનિ પં. રંગવિજયે વિ. સં. 1865(ઈ. સ. 1809)માં યવન રાજા રોમટના આદેશથી અને ક્ષાત્ર ભગવંતરાયના કહેવાથી ભૃગુપુર(ભરૂચ)માં તે 95 શ્લોકોમાં રચી હતી. એમાં ભગવાન મહાવીરના નિર્વાણથી માંડીને કર્તાના સમય સુધીની ગુર્જર દેશની રાજવંશાવળીઓ આપી છે. આ પરંપરા મેરુતુંગસૂરિએ ‘વિચારશ્રેણી’માં આપેલી…

વધુ વાંચો >

ગુર્જર પ્રતિહારો

ગુર્જર પ્રતિહારો : શિલાલેખો પ્રમાણે રઘુવંશી રાજા રામચંદ્રના પ્રતિહાર બનેલા લક્ષ્મણના મનાતા વંશજો. વસ્તુત: તેઓ હરિચન્દ્ર નામે કોઈ પ્રતિહારના વંશજ હોવાનું પ્રતીત થાય છે. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના પતનકાળે અનેક રાજસત્તાઓ સ્થપાઈ તેના ઉપક્રમમાં દક્ષિણ રાજસ્થાનમાં ગુર્જર રાજવંશ સ્થપાયો. આ ગુર્જરો હૂણોની સાથે વિદેશથી આવેલા હોવાનું અનુમાન છે;…

વધુ વાંચો >

ગુર્જર ભૂમિ

ગુર્જર ભૂમિ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ભૂમિ. આ સંજ્ઞા આ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. સં. ‘ગુર્જરત્રા ભૂમિ’ના સ્વરૂપનો પહેલો ઉલ્લેખ મહોદયના ભોજદેવ પહેલા (ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવે છે. પછી ડેંડવાણક (હાલના જોધપુરના પ્રદેશના) મિહિરભોજ(ઈ. સ. 844)ના અભિલેખમાં પણ જોવા મળ્યો છે. આ અભિલેખોમાં સ્પષ્ટ રીતે તે પશ્ચિમ…

વધુ વાંચો >

ગુર્જરમંડળ

ગુર્જરમંડળ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ. જૂના સમયમાં ‘ગુર્જરમંડળ’ સંજ્ઞા જોવા મળતી નથી. એનું સ્વરૂપ ‘ગુર્જરત્રામંડલ’ તરીકે સુલભ છે. ઈ. સ. 850ના એક અભિલેખમાં જયપુરના પ્રદેશમાં આવેલા ‘મંગલાનક’ને ‘ગુર્જરત્રામંડલ’માં ગણવામાં આવ્યું છે. એ પહેલાં મહોદયના ભોજદેવ પહેલા(ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવ્યો છે. એ બંને પશ્ચિમ મારવાડ માટેના…

વધુ વાંચો >

ગુર્જર વંશ

ગુર્જર વંશ : પશ્ચિમ ભારતમાંના કેટલાક રાજવંશ. એ વંશના રાજાઓ પોતે ગુર્જર જાતિના હતા કે તેઓ ગુર્જરદેશ પર રાજ્ય કરતા હોવાથી એ રીતે ઓળખાયા એ વિવાદાસ્પદ છે. રાજસ્થાનમાં છઠ્ઠી સદીના મધ્યમાં વિપ્ર હરિચન્દ્રનો વંશ સત્તારૂઢ થયો. એને ક્ષત્રિય રાણીથી થયેલ પુત્રો અને તેમના વંશજો પ્રતિહારો તરીકે ઓળખાયા. આ વંશના રાજા…

વધુ વાંચો >

ગુર્જર સંસ્કૃત રંગમ્

ગુર્જર સંસ્કૃત રંગમ્ : શાસ્ત્રીય સંસ્કૃત નાટકો ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણિત નાટ્યશૈલી મુજબ સંસ્કૃતમાં જ ભજવવા અને એ રીતે સંસ્કૃત નાટકોની સાચી પરખ મેળવવા 1990માં સ્થપાયેલી સંસ્થા. તેનું કેન્દ્ર અમદાવાદમાં છે. તેના ટ્રસ્ટીઓમાં નિરંજન ભગત અને રાજેન્દ્ર શુક્લ જેવા ખ્યાતનામ કવિઓ, અમિતભાઈ અંબાલાલ જેવા કલાકાર, પ્રહલાદભાઈ પટેલ જેવા સમાજસેવક અને…

વધુ વાંચો >

ગુર્જરો

ગુર્જરો : જાતિવાચક તેમજ પ્રદેશવાચક સંજ્ઞા. સંભવત: ભારતમાં આવી વસેલી મધ્ય એશિયાની કોઈ વિદેશી જાતિના નામનું રૂપાંતર. ‘ગુર્જર’ નામ પહેલવહેલું સાતમી સદીના સાહિત્યમાં દેખા દે છે. એ પહેલાંની સાહિત્યિક તથા આભિલેખિક નામાવલીઓમાં તે પ્રયોજાયું નથી. ‘ગુર્જર’ શબ્દ જાતિવાચક નહિ, પણ પ્રદેશવાચક હોવાનુંય સૂચવાયું છે; પરંતુ એ તર્ક ગ્રાહ્ય જણાતો નથી.…

વધુ વાંચો >

ગુરુત્વીય ત્રિજ્યા

Feb 11, 1994

ગુરુત્વીય ત્રિજ્યા : આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ M દ્રવ્યમાનના તારકના કેન્દ્રથી r અન્તરે આવેલા બિન્દુએ પ્રકાશનો વેગ C નહિ રહેતાં ઘટશે અને થશે. અહીં G એ ગુરુત્વનો અચલાંક છે. આ ઘટેલો પ્રકાશનો વેગ જો શૂન્ય થઈ જાય તો  અથવા ને તારકની ગુરુત્વ ત્રિજ્યા કહે છે. તે અંતરે પ્રકાશનો વેગ શૂન્ય…

વધુ વાંચો >

ગુરુત્વીય નિપાત (gravitational collapse)

Feb 11, 1994

ગુરુત્વીય નિપાત (gravitational collapse) : આંતરતારકીય વાદળમાં અને તારકની અંદર, ગુરુત્વાકર્ષણ દ્વારા થતાં સંકોચન અને નિપાત. ખભૌતિકીમાં આ ઘટના ઘણી મહત્વની છે, કારણ કે તેની દ્વારા તારકો, તારકગુચ્છો અને તારકવિશ્વોનું સર્જન અને વિસર્જન બંને થતાં હોય છે. કેટલીક વખત આંતરતારકીય વાદળનું સંઘટ્ટન એટલા બધા પ્રમાણમાં થાય છે કે તેના કેન્દ્રીય…

વધુ વાંચો >

ગુરુદત્ત

Feb 11, 1994

ગુરુદત્ત (જ. 9 જુલાઈ 1925, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 20 ઑક્ટોબર 1964, મુંબઈ) : ભારતીય ચલચિત્ર જગતની એક આગવી કલાકાર-દિગ્દર્શક પ્રતિભા. મૂળ કન્નડભાષી છતાં મુંબઈને કર્મભૂમિ બનાવી હિંદી ચલચિત્રોમાં દિગ્દર્શન અને અભિનયમાં નવી ભાત પાડી. પૂરું નામ ગુરુદત્ત શિવશંકર પદુકોણ. બાળપણ અને શાળાકીય શિક્ષણ કોલકાતા ખાતે. 1941માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

ગુરુદયાલસિંહ

Feb 11, 1994

ગુરુદયાલસિંહ (જ. 10 જાન્યુઆરી 1933, ભૈયાનીફતેહ, સંગરુર, પંજાબ; અ. 16 ઑગસ્ટ 2016, ભટીંડા, પંજાબ) : પંજાબી વાર્તાકાર. પંજાબના પતિયાલા જિલ્લાના નાભા શહેરમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધેલું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં લીધેલું. ત્યાંથી પંજાબી અને અંગ્રેજી વિષયો લઈને બી.એ. તથા એમ.એ. થયા. કૉલેજમાં હતા ત્યારથી જ જુદાં જુદાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ…

વધુ વાંચો >

ગુરુદ્વારા (ગુરદ્વાર)

Feb 11, 1994

ગુરુદ્વારા (ગુરદ્વાર) : શીખોનું ધર્મમંદિર. દસ ગુરુમાંથી કોઈ એકે ધર્મપ્રચાર માટે જેની સ્થાપના કરી હોય અથવા જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હોય એવું સ્થાન. શીખોના પહેલા ગુરુ નાનકદેવથી પાંચમા ગુરુ અર્જુનદેવ સુધી આ ધર્મમંદિરોને ‘ધર્મશાળા’ કહેતા હતા. ગુરુ અર્જુનદેવજીએ સૌપ્રથમ અમૃતસરના ધર્મમંદિરને ‘હરિમંદિર’ નામ આપ્યું અને છઠ્ઠા ગુરુ હરિગોબિંદજીએ આવાં…

વધુ વાંચો >

ગુરુ નાનકદેવ

Feb 11, 1994

ગુરુ નાનકદેવ (જ. 15 એપ્રિલ 1469, રાયભોઈ દી તલવંડી [વર્તમાન નાનકાના સાહિર, લાહોર પાસે, પાકિસ્તાન]; અ. 22 સપ્ટેમ્બર 1539, કરનારપુર, પંજાબ) : શીખ ધર્મપ્રવર્તક અને આદ્યગુરુ. એમનો જન્મ કાલુરામ વેદીને ત્યાં તલવંડી(પશ્ચિમ પંજાબ)માં થયો હતો. એમણે પંડિત તથા મૌલાના પાસે શિક્ષણ લીધું હતું. અઢારમે વર્ષે એમનાં લગ્ન સુલક્ષણાદેવી સાથે થયાં.…

વધુ વાંચો >

ગુરુબક્ષસિંહ

Feb 11, 1994

ગુરુબક્ષસિંહ (જ. 26 એપ્રિલ 1895, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ;  અ. 10 ઑગસ્ટ 1977) : પંજાબી લેખક. મૅટ્રિક સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછી અમેરિકા ગયા અને ત્યાં બી.એસસી. તથા ઇજનેરીનું શિક્ષણ લીધું. ભારત આવીને થોડાં વર્ષ રેલવેમાં નોકરી કરી, 1931માં રાજીનામું આપ્યું અને પછી ખેતી કરવા લાગ્યા. 1933માં એમણે ‘પ્રીતલડી’ નામનું…

વધુ વાંચો >

ગુરુમુખી

Feb 11, 1994

ગુરુમુખી : પંજાબમાં બોલાતી તથા લખાતી લિપિ. આ લિપિ ઉત્તર ભારતમાં પ્રચલિત શારદા તથા ટાકરી લિપિઓ દ્વારા પ્રચલિત બની. પંજાબમાં ધર્મગુરુઓ દ્વારા એનો ઉપયોગ થતો હોવાથી એને ‘ગુરુમુખી’ નામ મળ્યું. ‘ગુરુમુખી’ લિપિ નામનો દુરુપયોગ છે. શીખ-ગુરુઓ દ્વારા આ લિપિ યોજવામાં આવી નથી. અદ્યતન સંશોધકોએ સાબિત કર્યું છે કે વિખ્યાત સૂફી…

વધુ વાંચો >

ગુરુવાયુર મંદિર

Feb 11, 1994

ગુરુવાયુર મંદિર : ભારતમાં અત્યંત પવિત્ર ગણાતાં મંદિરોમાંનું એક મંદિર. તે કેરળ રાજ્યના ત્રિચુર જિલ્લાના ગુરુવાયુર નામક ગામમાં આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ટટ્ટાર અવસ્થામાં ઊભા છે અને તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, સુદર્શનચક્ર, કમળનું ફૂલ અને ગદા છે. શ્રીકૃષ્ણના જીવનની જુદી…

વધુ વાંચો >

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ

Feb 11, 1994

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ : સૌર મંડળના ઘણા ધૂમકેતુ ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણને લીધે ગુરુની પકડમાં આવી જાય છે અને એ રીતે ‘ગુરુ-પરિવારના ધૂમકેતુ’ બની જાય છે. માર્ચ 1993માં શુમેકર પતિ-પત્ની તથા ડેવિડ લેવી નામના ખગોળ-વિજ્ઞાનીઓએ એક નવતર પ્રકારનો ગુરુ-પરિવારનો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો, જે એ પહેલાં લગભગ જુલાઈ 1992માં…

વધુ વાંચો >