૬(૨).૧૧

ગુરુત્વીય ત્રિજ્યા થી ગુંફિત ઝરણાં

ગુરુત્વીય ત્રિજ્યા

ગુરુત્વીય ત્રિજ્યા : આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ M દ્રવ્યમાનના તારકના કેન્દ્રથી r અન્તરે આવેલા બિન્દુએ પ્રકાશનો વેગ C નહિ રહેતાં ઘટશે અને થશે. અહીં G એ ગુરુત્વનો અચલાંક છે. આ ઘટેલો પ્રકાશનો વેગ જો શૂન્ય થઈ જાય તો  અથવા ને તારકની ગુરુત્વ ત્રિજ્યા કહે છે. તે અંતરે પ્રકાશનો વેગ શૂન્ય…

વધુ વાંચો >

ગુરુત્વીય નિપાત (gravitational collapse)

ગુરુત્વીય નિપાત (gravitational collapse) : આંતરતારકીય વાદળમાં અને તારકની અંદર, ગુરુત્વાકર્ષણ દ્વારા થતાં સંકોચન અને નિપાત. ખભૌતિકીમાં આ ઘટના ઘણી મહત્વની છે, કારણ કે તેની દ્વારા તારકો, તારકગુચ્છો અને તારકવિશ્વોનું સર્જન અને વિસર્જન બંને થતાં હોય છે. કેટલીક વખત આંતરતારકીય વાદળનું સંઘટ્ટન એટલા બધા પ્રમાણમાં થાય છે કે તેના કેન્દ્રીય…

વધુ વાંચો >

ગુરુદત્ત

ગુરુદત્ત (જ. 9 જુલાઈ 1925, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 20 ઑક્ટોબર 1964, મુંબઈ) : ભારતીય ચલચિત્ર જગતની એક આગવી કલાકાર-દિગ્દર્શક પ્રતિભા. મૂળ કન્નડભાષી છતાં મુંબઈને કર્મભૂમિ બનાવી હિંદી ચલચિત્રોમાં દિગ્દર્શન અને અભિનયમાં નવી ભાત પાડી. પૂરું નામ ગુરુદત્ત શિવશંકર પદુકોણ. બાળપણ અને શાળાકીય શિક્ષણ કોલકાતા ખાતે. 1941માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

ગુરુદયાલસિંહ

ગુરુદયાલસિંહ (જ. 10 જાન્યુઆરી 1933, ભૈયાનીફતેહ, સંગરુર, પંજાબ; અ. 16 ઑગસ્ટ 2016, ભટીંડા, પંજાબ) : પંજાબી વાર્તાકાર. પંજાબના પતિયાલા જિલ્લાના નાભા શહેરમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધેલું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં લીધેલું. ત્યાંથી પંજાબી અને અંગ્રેજી વિષયો લઈને બી.એ. તથા એમ.એ. થયા. કૉલેજમાં હતા ત્યારથી જ જુદાં જુદાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ…

વધુ વાંચો >

ગુરુદ્વારા (ગુરદ્વાર)

ગુરુદ્વારા (ગુરદ્વાર) : શીખોનું ધર્મમંદિર. દસ ગુરુમાંથી કોઈ એકે ધર્મપ્રચાર માટે જેની સ્થાપના કરી હોય અથવા જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હોય એવું સ્થાન. શીખોના પહેલા ગુરુ નાનકદેવથી પાંચમા ગુરુ અર્જુનદેવ સુધી આ ધર્મમંદિરોને ‘ધર્મશાળા’ કહેતા હતા. ગુરુ અર્જુનદેવજીએ સૌપ્રથમ અમૃતસરના ધર્મમંદિરને ‘હરિમંદિર’ નામ આપ્યું અને છઠ્ઠા ગુરુ હરિગોબિંદજીએ આવાં…

વધુ વાંચો >

ગુરુ નાનકદેવ

ગુરુ નાનકદેવ (જ. 15 એપ્રિલ 1469, રાયભોઈ દી તલવંડી [વર્તમાન નાનકાના સાહિર, લાહોર પાસે, પાકિસ્તાન]; અ. 22 સપ્ટેમ્બર 1539, કરનારપુર, પંજાબ) : શીખ ધર્મપ્રવર્તક અને આદ્યગુરુ. એમનો જન્મ કાલુરામ વેદીને ત્યાં તલવંડી(પશ્ચિમ પંજાબ)માં થયો હતો. એમણે પંડિત તથા મૌલાના પાસે શિક્ષણ લીધું હતું. અઢારમે વર્ષે એમનાં લગ્ન સુલક્ષણાદેવી સાથે થયાં.…

વધુ વાંચો >

ગુરુબક્ષસિંહ

ગુરુબક્ષસિંહ (જ. 26 એપ્રિલ 1895, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ;  અ. 10 ઑગસ્ટ 1977) : પંજાબી લેખક. મૅટ્રિક સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછી અમેરિકા ગયા અને ત્યાં બી.એસસી. તથા ઇજનેરીનું શિક્ષણ લીધું. ભારત આવીને થોડાં વર્ષ રેલવેમાં નોકરી કરી, 1931માં રાજીનામું આપ્યું અને પછી ખેતી કરવા લાગ્યા. 1933માં એમણે ‘પ્રીતલડી’ નામનું…

વધુ વાંચો >

ગુરુમુખી

ગુરુમુખી : પંજાબમાં બોલાતી તથા લખાતી લિપિ. આ લિપિ ઉત્તર ભારતમાં પ્રચલિત શારદા તથા ટાકરી લિપિઓ દ્વારા પ્રચલિત બની. પંજાબમાં ધર્મગુરુઓ દ્વારા એનો ઉપયોગ થતો હોવાથી એને ‘ગુરુમુખી’ નામ મળ્યું. ‘ગુરુમુખી’ લિપિ નામનો દુરુપયોગ છે. શીખ-ગુરુઓ દ્વારા આ લિપિ યોજવામાં આવી નથી. અદ્યતન સંશોધકોએ સાબિત કર્યું છે કે વિખ્યાત સૂફી…

વધુ વાંચો >

ગુરુવાયુર મંદિર

ગુરુવાયુર મંદિર : ભારતમાં અત્યંત પવિત્ર ગણાતાં મંદિરોમાંનું એક મંદિર. તે કેરળ રાજ્યના ત્રિચુર જિલ્લાના ગુરુવાયુર નામક ગામમાં આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ટટ્ટાર અવસ્થામાં ઊભા છે અને તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, સુદર્શનચક્ર, કમળનું ફૂલ અને ગદા છે. શ્રીકૃષ્ણના જીવનની જુદી…

વધુ વાંચો >

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ : સૌર મંડળના ઘણા ધૂમકેતુ ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણને લીધે ગુરુની પકડમાં આવી જાય છે અને એ રીતે ‘ગુરુ-પરિવારના ધૂમકેતુ’ બની જાય છે. માર્ચ 1993માં શુમેકર પતિ-પત્ની તથા ડેવિડ લેવી નામના ખગોળ-વિજ્ઞાનીઓએ એક નવતર પ્રકારનો ગુરુ-પરિવારનો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો, જે એ પહેલાં લગભગ જુલાઈ 1992માં…

વધુ વાંચો >

ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના

Feb 11, 1994

ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના : ગુર્જર દેશના રાજવીઓનો વંશ. છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ગુર્જરનૃપતિવંશની સત્તા સ્થપાઈ. આ વંશના 13 દાનશાસન મળ્યાં છે, જેમ કલચુરિ વર્ષ 380થી 486(ઈ. સ. 629થી 736)ના છે. દાનશાસનોમાં આ રાજવંશને ‘ગુર્જર નૃપતિવંશ’ કહ્યો છે. એની રાજધાની શરૂઆતમાં નાંદીપુરી  – નાંદીપુર(નાંદોદ)માં હતી. આ વંશનો…

વધુ વાંચો >

ગુર્જિયેફ, જ્યૉર્જી ઇવાનોવિચ

Feb 11, 1994

ગુર્જિયેફ, જ્યૉર્જી ઇવાનોવિચ (જ. 28 નવેમ્બર 1877, ઍલેક્સાન્ડ્રોલ, આર્મીનિયા, રશિયા; અ. 28 ઑક્ટોબર 1949, પૅરિસ, ફ્રાંસ) : વિખ્યાત રશિયન રહસ્યવાદી. ગ્રીક અને આર્મીનિયન દંપતીનું સંતાન. તેમના પૂર્વજીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે; પરંતુ યુવાવસ્થામાં તેમણે પૂર્વ અને પશ્ચિમના અનેક પ્રવાસો ‘સત્યશોધક’ (Seekers of Truth) નામના જૂથથી ઓળખાતા લોકો સાથે…

વધુ વાંચો >

ગુર્ટુ, શોભા

Feb 11, 1994

ગુર્ટુ, શોભા (જ. 8 ફેબ્રુઆરી 1925, બેલગામ, કર્ણાટક; અ. 27 સપ્ટેમ્બર 2004, મુંબઈ) : ઠૂમરી, ગઝલ અને દાદરા શૈલીનાં નામી ગાયિકા. શોભાનાં માતા મેનકાબાઈ શિરોડકર શાસ્ત્રીય તેમજ સુગમ સંગીત ઉત્તમ રીતે ગાતાં. ઉપરાંત નૃત્ય અને વાદ્યવાદનમાં પણ તેઓ માહેર હતા. એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ જયપુર-અતરોલી ઘરાણાના ઉસ્તાદ નથ્થનખાં પાસેથી તથા…

વધુ વાંચો >

ગુર્નાહ, અબ્દુલરઝાક (Gurnah, Abdulrazak)

Feb 11, 1994

ગુર્નાહ, અબ્દુલરઝાક (Gurnah, Abdulrazak) (જ. 20 ડિસેમ્બર 1948, ઝાન્ઝિબાર – હવે તાન્ઝાનિયા) : મુસ્લિમ પરિવારમાં જન્મેલા અબ્દુલરઝાક ઝાન્ઝિબારની ક્રાંતિ દરમિયાન 1960ના દાયકાના અંત ભાગમાં નિર્વાસિત તરીકે ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયેલા આફ્રિકન નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર અને વિવેચક છે. તેમને સંસ્કૃતિઓ અને ખંડો વચ્ચેની ખાડીમાં, વસાહતવાદના પ્રભાવ હેઠળ સમાધાનકારક પ્રતિકાર સાથે પ્રવેશતા નિર્વાસિતોનાં…

વધુ વાંચો >

ગુલકંદ (1905)

Feb 11, 1994

ગુલકંદ (1905) : કેવલરામ સલામતરાય અડવાણીરચિત ગ્રંથ. શૈક્ષણિક જાગૃતિના પ્રારંભિક તબક્કામાં કેટલાંક પાઠ્યપુસ્તકો સાથે તેમણે સાહિત્યિક પુસ્તકો તથા અનુવાદો પ્રગટ કર્યાં હતાં, તેમાંથી 1869થી 1971 દરમિયાન લખાયેલાં તેમનાં ત્રણ પુસ્તકો : ‘ગુલશકર’, ‘સુખડી’ તથા ‘ગુલકંદ’ ઉલ્લેખનીય બની રહ્યાં છે. ‘ગુલકંદ’માં કહેવતો અને ઉખાણાં સમાવિષ્ટ કરવાની સાથે તેમણે તત્કાલીન સામાજિક વિષયોને…

વધુ વાંચો >

ગુલખેરૂ

Feb 11, 1994

ગુલખેરૂ : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Althea officinalis Linn. (ગુ. મ. ગુલખેરૂ, ખૈરા; હિ. ગુલખેરીઓ, ખૈરા, ખિત્મી; ક. સીમેટુટી; ત. સિમૈટુટી; અં. માર્શમેલો) છે. તે મૃદુ રોમમય, બહુવર્ષાયુ, 60–180 સેમી. ઊંચાઈ ધરાવતી શાકીય વનસ્પતિ છે. તે હિમાલયના પ્રદેશમાં કાશ્મીરથી પંજાબ સુધી જોવા મળે છે.…

વધુ વાંચો >

ગુલછડી

Feb 11, 1994

ગુલછડી : હિં. रजनीगंधा, गुलचबु, અં. garden lily, sea daffodil, tube rose, લૅ. Polyanthes tuberosa L. એકદળીના કુળ એમરીલિડેસીનો લગભગ ત્રીસેક સેમી. ઊંચો છોડ. તેની વચ્ચે વચ્ચે સાઠેક સેમી. ઊંચી દાંડીઓ ફૂટે છે. તે દાંડીઓ ઉપર સફેદ ચળકતાં ભૂંગળાં કે ગળણી આકારનાં સુગંધી ફૂલો ઑગસ્ટથી જાન્યુઆરી માસ સુધી આવે છે.…

વધુ વાંચો >

ગુલઝાર (સંપૂરણસિંઘ)

Feb 11, 1994

ગુલઝાર (સંપૂરણસિંઘ) (જ. 18 ઑગસ્ટ 1936, દિના, જિ. જેલમ [હાલ પાકિસ્તાન]) : ઉર્દૂ અને હિંદી કવિ અને ફિલ્મ પટકથા, ઊર્મિકાવ્યોના લેખક, નિર્માતા તથા દિગ્દર્શક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ધુઆઁ’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું. તેઓ હિંદી, અંગ્રેજી, પંજાબી અને બંગાળી ભાષાના જાણકાર…

વધુ વાંચો >

ગુલદસ્તા (સ્થાપત્ય)

Feb 11, 1994

ગુલદસ્તા (સ્થાપત્ય) : ફૂલના દસ્તા અથવા ગોટાની કોતરણી. મકાનના જુદા જુદા ભાગ પર મુખ્યત્વે થાંભલાની વચ્ચેના ભાગમાં અથવા ભરણા પર ગુલદસ્તાની કોતરણી કાષ્ઠ કે પથ્થર ઉપર કરવામાં આવતી. પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં દીવાલો પર બે કમાનોની વચ્ચેના ભાગમાં ગુલદસ્તાના આકારમાં પથ્થરની કોતરણી કરવામાં આવતી. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ગુલફૂલ

Feb 11, 1994

ગુલફૂલ : પરમાનંદ મેવારામના સાહિત્યિક નિબંધો અને લેખોના સંગ્રહો. 1896માં તેમણે ‘જોતિ’ નામે પાક્ષિકમાં પ્રકાશિત થયેલા સાહિત્યિક નિબંધો અને લેખો ‘ગુલફૂલ’ (ફૂલો) નામે બે સંગ્રહોમાં મૂકેલા છે. 60 નિબંધોનો પ્રથમ ભાગ 1925માં અને 73 નિબંધોનો બીજો ભાગ 1936માં પ્રગટ થયો હતો. ભાષા, સાહિત્ય, કલા, શિક્ષણ, માનવમૂલ્યો, ઇતિહાસ, વિજ્ઞાન, પ્રાણીજગત, ખંડિયેરો,…

વધુ વાંચો >