ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

આંશિક દબાણનો નિયમ

Jan 18, 1990

આંશિક દબાણનો નિયમ (Law of partial pressures) : બે અથવા વધુ વાયુઓના મિશ્રણમાં રહેલ પ્રત્યેક વાયુનો જથ્થો, તેનું દબાણ અને વાયુમિશ્રણના કુલ દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ. બ્રિટિશ રસાયણવિજ્ઞાની જ્હૉન ડાલ્ટને આ નિયમ 1801માં રજૂ કર્યો હોવાથી તેને ડાલ્ટનનો નિયમ પણ કહે છે. આ નિયમ મુજબ ‘એકબીજા સાથે પ્રક્રિયા કરતા…

વધુ વાંચો >

આંશિક નુકસાન

Jan 18, 1990

આંશિક નુકસાન : જુઓ યૉર્ક ઍન્ટવર્પ રૂલ્સ

વધુ વાંચો >

આંશિક વિવૃતિ

Jan 18, 1990

આંશિક વિવૃતિ (Outrop) : સ્તર, સ્તરો કે તળખડકનો તેની ઉપર રહેલા શિલાચૂર્ણ (debris) કે જમીનજથ્થાના આવરણમાંથી ખુલ્લો થઈને દેખાતો ભાગ. ભૂપૃષ્ઠ પર બધે જ ખડકો ખુલ્લી સ્થિતિમાં મળતા હોતા નથી. તે ઘણી વાર જાડા કે પાતળા શિલાચૂર્ણજથ્થાથી, કાંપમય આવરણથી કે જમીનોથી ઢંકાયેલા હોય છે. અમુક ફળદ્રૂપ વિસ્તારોમાં તો કાંપ કે…

વધુ વાંચો >

આંસૂ

Jan 18, 1990

આંસૂ (1952) : આધુનિક સિંધી નવલકથા. આ નવલકથાના લેખક ગોવિંદ માલ્હી છે. પ્રસ્તુત નવલકથામાં વિભાજન પછી સિંધમાંથી હિજરત કરીને ભારતમાં આવીને વસેલ સિંધી સમાજની યાતનાસભર અનિશ્ચિત સ્થિતિનું અસરકારક ચિત્રણ છે. નિરાશ્રિત શિબિરોમાં વિસ્થાપિત માનવીઓની માનવતાના હ્રાસનું નિરૂપણ પણ છે. માતૃભૂમિની સ્મૃતિઓ, ભવિષ્યની અનિશ્ચિતતા તથા વર્તમાનની વિષમ મન:સ્થિતિ વચ્ચે જીવતો માનવી…

વધુ વાંચો >

ઇકદુલ ફરીદ

Jan 19, 1990

ઇકદુલ ફરીદ : મહાન અરબી સાહિત્યકાર અને લેખક. ઇબ્ન અબ્દ રબ્બિહ(ઈ. 860-940)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. તેનો અર્થ અનુપમ મોતીમાળા થાય છે. તેને આઠમી સદીના મુસ્લિમ સ્પેનના બૌદ્ધિક ઇતિહાસનું એક અતિ ઉજ્જ્વળ પ્રકરણ ગણવામાં આવ્યું છે. કુર્તબામાં (Corodova) જન્મેલો તેનો લેખક હિશામ પહેલાનો ગુલામ હતો, પણ પાછળથી તેને આઝાદ કરવામાં આવ્યો હતો.…

વધુ વાંચો >

ઇકબાલ અબ્બાસ આરત્યાની

Jan 19, 1990

ઇકબાલ અબ્બાસ આરત્યાની (જ. 1896-97 આરત્યાની, ફ્રાંસ; અ. 10 ફેબ્રુઆરી 1956 રોમ, ફ્રાંસ) : અરબી-ફારસી ભાષાના અર્વાચીન સાહિત્યયુગના વિદ્વાન, સાહિત્યકાર. તેઓ વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે પણ વિખ્યાત હતા. એમણે સર સ્ટેઇનલી લેનપૂલના મહાગ્રંથ ‘મોહમેડન ડીનેસ્ટીઝ’નો ‘તબકાતે સલાતીને ઇસ્લામ’ના નામે ફારસીમાં અનુવાદ કરેલો. ઉપરાંત, ‘તરજુમાનુલ-બલાગહ’ના સંપાદક અહમદ આતશની તુર્કી પ્રસ્તાવનાનો…

વધુ વાંચો >

ઇકબાલનામા-એ-જહાંગીરી

Jan 19, 1990

ઇકબાલનામા-એ-જહાંગીરી (17મી સદી) : જહાંગીરના શાસનકાળનો ઐતિહાસિક ગ્રંથ. ઈ. સ.ની સત્તરમી સદીની પ્રથમ ત્રીસી દરમિયાન જહાંગીરના આદેશથી, દરબારી લેખક મુતામદખાં દ્વારા ફારસી ભાષામાં લખાયેલો હતો. તેના ત્રણ ભાગ પૈકી પ્રથમ ભાગમાં ખાકાન વંશના ઇતિહાસની તથા બાબર અને હુમાયૂંના શાસનની, બીજા ભાગમાં અકબરના અમલની અને ત્રીજા ભાગમાં જહાંગીરના શાસનની વિશ્વસનીય માહિતી…

વધુ વાંચો >

ઇકબાલ, મુહંમદ સર

Jan 19, 1990

ઇકબાલ, મુહંમદ સર : (જ. 9 ડિસેમ્બર 1877, સિયાલકોટ; અ. 21 એપ્રિલ 1938, લાહોર) : ઉર્દૂ અને ફારસી ભાષાના વિશ્વવિખ્યાત કવિ. તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારનાર કાશ્મીરી હિંદુના વંશજ હતા. તેમના પિતા શેખ નૂરમુહંમદનો વ્યવસાય દરજીકામનો હતો. પ્રાથમિક શિક્ષણ સિયાલકોટમાં મૌલવી સૈયદ મીરહસન પાસેથી લઈને અરબી અને ફારસી શીખ્યા. સ્કૉચ મિશન…

વધુ વાંચો >

ઇકાફે

Jan 19, 1990

ઇકાફે (ECAFE) : સંયુક્ત રાષ્ટ્રસંઘનું પ્રાદેશિક આર્થિક સંગઠન. તેનું મૂળ નામ ઇકૉનૉમિક કમિશન ફૉર એશિયા ઍન્ડ ફાર ઈસ્ટ હતું. હવે તે ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કમિશન ફૉર એશિયા ઍન્ડ ધ પૅસિફિક નામથી ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક કાઉન્સિલ હેઠળ એશિયા તથા પૅસિફિક વિસ્તારના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે કાર્ય…

વધુ વાંચો >

ઇકેડા હાયાટો

Jan 19, 1990

ઇકેડા હાયાટો (જ. 3 ડિસેમ્બર 1899, તાકેહારા, જાપાન; અ. 13 ઑગસ્ટ 1965, ટોક્યો, જાપાન) : જાપાનના વડાપ્રધાન તથા બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં દેશના આર્થિક પુનરુત્થાનના પ્રણેતા. ઇકેડાએ ઇમ્પીરિયલ યુનિવર્સિટી લૉ સ્કૂલમાંથી 1925માં સ્નાતક પદવી પ્રાપ્ત કરીને દેશના નાણાખાતામાં કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી નાણાખાતાના ઉપમંત્રીપદે કામ કર્યું. 1949ની સામાન્ય ચૂંટણીમાં…

વધુ વાંચો >