ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

ઇક્વેડૉર

Jan 19, 1990

ઇક્વેડૉર (Republic of Ecuador) : દક્ષિણ અમેરિકાના નાના દેશોમાં ચોથા ક્રમે આવતો દેશ. ભૌ. સ્થા. : 20 00´ દ. અ. અને 770 30´ પ. રે. વિસ્તાર આશરે 2,83,561 ચોકિમી. ઉત્તરમાં કોલંબિયા તથા પૂર્વ અને દક્ષિણમાં પેરુ દેશો આવેલા છે. વિષુવવૃત્તીય આબોહવા, ક્વિટોનું જાન્યુઆરીનું તાપમાન 150 સે. અને જુલાઈનું 140. વાર્ષિક…

વધુ વાંચો >

ઇક્ષ્વાકુ વંશ

Jan 19, 1990

ઇક્ષ્વાકુ વંશ : જુઓ આંધ્રભૃત્યો.

વધુ વાંચો >

ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન

Jan 19, 1990

ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન (1887) : વિખ્યાત કન્નડ નાટ્યકાર વેંકટરમણ શાસ્ત્રી ઉર્ફે વિઘ્નેશ્વર શાસ્ત્રીસૂરિ(1852-1892)રચિત ‘ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન’. કન્નડ ભાષાનું તે કજોડાને લગતું પ્રથમ નાટક છે. કન્નડની કાવ્યક બોલીમાં તે લખાયેલું છે. એમાં કન્યાવિક્રય પર લેખકે કટાક્ષ કર્યો છે. વિષય ગંભીર હોવા છતાં કન્યાવિક્રય કરનાર માબાપ પોતે જ પોતાની જાળમાં કેવાં ફસાય…

વધુ વાંચો >

ઇગ્નિમ્બ્રાઇટ ખડકો

Jan 19, 1990

ઇગ્નિમ્બ્રાઇટ ખડકો (ignimbrites) : ઝારણભૂત ટફખડકો. લાવા-પ્રવાહોની જેમ વિસ્તૃત પટમાં પથરાયેલ ઘનિષ્ઠ, દળદાર, રેણ પામેલા સિલિકાયુક્ત, સુવિકસિત, પ્રિઝમેટિક, સાંધાવાળા જ્વાળામુખીજન્ય ખડકો. ઇગ્નિમ્બ્રાઇટનો આવો થર ન્યૂઝીલૅન્ડના નૉર્થ ટાપુના મધ્ય ભાગમાં બહોળા વિસ્તારને આવરી લે છે. મહદ્અંશે કાચનાં ઠીકરાં(shards)નો બનેલો આ ખડક મુખ્યત્વે સૂક્ષ્મ દાણાદાર રહાયોલાઇટિક-ટફ હોય છે; જેમાં ફેલ્સ્પાર, ક્વાર્ટ્ઝ અને…

વધુ વાંચો >

ઇગ્રેટ કિલ્લો

Jan 19, 1990

ઇગ્રેટ કિલ્લો : જાપાનના સૌથી મોટા ટાપુ હોન્શુના અગ્નિખૂણાના કિનારે હિમેજી શહેરમાં આવેલો કિલ્લો. હિમેજી હરિમા મેદાનના મધ્ય ભાગમાં હ્યોગો જિલ્લામાં આવેલું છે. તેનું બાંધકામ સોળમી સદીમાં થયેલું. આ કિલ્લો બાહ્ય આક્રમણથી રક્ષિત એક ભુલભુલામણી જેવો છે. તેની અંદરનાં મકાનો પથ્થરના પાયા પર કાષ્ઠઘટકોનાં બનેલાં છે. પથ્થરના પાયાને અંતર્ગોળ આકાર…

વધુ વાંચો >

ઇચલકરંજી

Jan 19, 1990

ઇચલકરંજી : મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં, કર્ણાટક રાજ્યની સરહદે આવેલું જૂના રજવાડાનું કેન્દ્ર. મરાઠા શાસનકાળ દરમિયાન આ શહેર જાણીતું હતું. ત્યાંના પેશવાઈ શાસનમાં ઘોરપડે કુળના આગેવાનોએ રાજ્યશાસનમાં પંતસચિવો તરીકેની ઉમદા કામગીરી નોંધાવી હતી. તે જમીનમાર્ગે સાંગલી સાથે જોડાયેલું છે. આસપાસના શેરડીના પાકના વિસ્તારોને કારણે ખેતઉત્પાદન બજાર માટે પણ તે શહેર…

વધુ વાંચો >

ઇચલકરંજીકર બાળકૃષ્ણ બુવા

Jan 19, 1990

ઇચલકરંજીકર બાળકૃષ્ણ બુવા (જ. 1849; અ. 1926) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક અને ગાયનકલા- મર્મજ્ઞ. પિતા રામચંદ્ર બુવા ગાયક હતા, તેથી બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે અભિરુચિ થયેલી. માતાના મૃત્યુ બાદ સંગીતની જિજ્ઞાસા પૂરી કરવા માટે તેઓ ઘર છોડી મ્હૈસાલ ગયા. ત્યાં વિષ્ણુ બુવા ભોગલેકર પાસે બે વર્ષ સુધી સંગીતનું…

વધુ વાંચો >

ઇચિકાવા દાંજૂરો

Jan 19, 1990

ઇચિકાવા દાંજૂરો (1660-1946) : જાપાની-વ્યવસાય સાથે બાર પેઢીઓથી જોડાયેલા કાબુકિ રંગભૂમિના કલાકારો. દાંજૂરો નામથી ઓળખાતા આ કુટુંબના પેઢી-દર-પેઢીના વારસદારોને કાબુકિ રંગભૂમિના સમ્રાટ પણ કહેવાય છે. કુટુંબનો વડો દાંજૂરો કે સોક વંશની પરંપરા અનુસાર ‘આરાગોતો’ નટની શૈલીને જાળવે છે અને વારસામાં પછીની પેઢીને તે કળા શીખવે છે. બાળવયના નટને દાંજૂરો તરીકે…

વધુ વાંચો >

ઇચ્છાભેદી રસ

Jan 19, 1990

ઇચ્છાભેદી રસ : આયુર્વેદિક ઔષધિ. શુદ્ધ હિંગળો એક ભાગ, શુદ્ધ ટંકણ એક ભાગ, સૂંઠ એક ભાગ, લીંડીપીપર એક ભાગ, દારૂડીનાં મૂળ ચાર ભાગ અને શુદ્ધ નેપાળાનાં બીજ ચાર ભાગ લઈ, તેને એકત્ર કરી ખરલમાં બારીક ચૂર્ણ બનાવવામાં આવે છે. માત્રા : 2થી 4 રતી, ચિકિત્સકની સલાહ પ્રમાણે અપાય છે. અનુપાન…

વધુ વાંચો >

ઇજનેરી

Jan 19, 1990

ઇજનેરી કુદરતી સ્રોતો(resources)નું માનવજાતિના ઉપયોગ માટે ઇષ્ટતમ રૂપાંતરણ કરવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરતી વ્યાવસાયિક કળા. ઇજનેરી વ્યવસાય યંત્રો, પ્રયુક્તિઓ (devices) અને સંરચનાઓ-(structures)ની અભિકલ્પના (design) અને નિર્માણ સાથે સંકળાયેલો છે. વૈજ્ઞાનિક પ્રકૃતિનાં રહસ્યો ઉકેલવાનું વલણ ધરાવે છે, જ્યારે ઇજનેરનું કાર્ય તે જ્ઞાનનો વિનિયોગ કરવાનું હોય છે. વિજ્ઞાની પ્રાયોગિક રીતે ચકાસેલ ભૌતિક…

વધુ વાંચો >