ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આનર્તપુર

આનર્તપુર : જુઓ, આનંદપુર

વધુ વાંચો >

આનંદ

આનંદ : ચિત્તની પ્રસન્ન સ્થિતિ. પ્રાણીમાત્ર આનંદને શોધે છે અને પીડા, વેદના કે વ્યથાને ટાળવાનો હરહંમેશ પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોએ પણ આ બાબતનું સમર્થન કરેલું છે. જેનાથી બદલો કે પુરસ્કાર (reward) મળે તેવા વર્તનનું પુનરાવર્તન થાય છે અને જેનાથી શિક્ષા કે સજા (punishment) થાય તેને પ્રાણીમાત્ર ટાળવાનો કે તેમાંથી…

વધુ વાંચો >

આનંદ

આનંદ : પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ. તેઓ સિદ્ધાર્થ ગૌતમના કાકાના દીકરા હતા અને દીક્ષા લીધા પછી બુદ્ધના નિકટતમ શિષ્ય હતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે 25 વર્ષો સુધી બુદ્ધની સેવા કરી હતી. પોતાની પ્રતિભાને કારણે તેમને બૌદ્ધ સંઘમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી બૌદ્ધ સાહિત્યનો સંગ્રહ કરવામાં તેમણે સંઘનું…

વધુ વાંચો >

આનંદ-ચલચિત્ર

આનંદ (ચલચિત્ર) : જિંદગીનો અંત નિકટ હોવાનું જાણવા છતાં પણ જે સમય બાકી છે તે ભરપૂર આનંદથી જીવી લેવા મથતા એક યુવકની હૃદયસ્પર્શી કથા નિરૂપતું હિંદી ચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માણ-સંસ્થા : રૂપમ્ ચિત્ર; પટકથા : હૃષીકેશ મુખરજી, ગુલઝાર, ડી. એન. મુખરજી; દિગ્દર્શન : હૃષીકેશ મુખરજી; સંવાદ : ગુલઝાર; ગીતકાર…

વધુ વાંચો >

આનંદઘન

આનંદઘન : (ઈ. સ. 17મી સદી) જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં તેમજ શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા – જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો મેળાપ ઉપાધ્યાય યશોવિજયજી…

વધુ વાંચો >

આનંદતીર્થ

આનંદતીર્થ : જુઓ, મધ્વાચાર્ય.

વધુ વાંચો >

આનંદપુર

આનંદપુર : ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ. આશરે ઈ. પૂ. બીજી કે પહેલી સદીથી વિકસેલા આ નગરનો મુખ્ય ભાગ શર્મિષ્ઠા તળાવની પશ્ચિમ અને દક્ષિણ બાજુએ આશરે એક કિલોમીટરના વિસ્તારનો છે. તેની આજુબાજુ તેના જૂના અવશેષો છૂટાછવાયા આશરે એકથી દોઢ કિલોમીટરમાં વિસ્તરેલા છે. વલભીના મૈત્રક રાજાઓએ અહીંના બ્રાહ્મણોને દાન આપ્યાની…

વધુ વાંચો >

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં)

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં) : મ્યાનમારમાં પાગાન નગરમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. આ મંદિર ક્યાનઝીથ્થ (1084–1112) રાજાએ 1090માં બંધાવ્યું હતું. આ બૌદ્ધ પેગોડા આશરે 187 મી. × 187 મી.ના સમચોરસમાં બાંધેલું છે અને આશરે 90 મી. પહોળું તથા 50 મી. ઊંચું છે. તેની વિવિધ બેઠકોનું નીચેથી ઉપર ઘટતું જતું કદ,…

વધુ વાંચો >

આનંદ બાઝાર પત્રિકા

આનંદ બાઝાર પત્રિકા : બંગાળી દૈનિક. સ્થાપના 13 માર્ચ, 1922. સ્થાપક અશોકકુમાર સરકાર. કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાંથી પ્રસિદ્ધ થતું એ.બી.પી. ગ્રૂપનું દૈનિકપત્ર છે. પ્રાદેશિક ભાષાઓમાં જેની એક આવૃત્તિ 12.80 લાખ નકલનો ફેલાવો ધરાવે છે. ભારતના બંગાળી અખબારોમાં 65.32 લાખની વાચક સંખ્યા સાથે બંગાળી અખબારોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એમાં…

વધુ વાંચો >

આનંદબોધ

આનંદબોધ (પંદરમી અને અઢારમી સદી વચ્ચે ?) : યજુર્વેદની કાણ્વસંહિતાના ભાષ્યકાર. ભાષ્યનું શીર્ષક ‘કાણ્વવેદમંત્રભાષ્ય-સંગ્રહ’. આનંદબોધ એ જાતવેદ ભટ્ટોપાધ્યાયના પુત્ર હતા, એવું ભાષ્યની પુષ્પિકામાંથી સમજાય છે. અલબત્ત તેનો આખરી નિર્ણય થઈ શક્યો નથી. ગૌતમ પટેલ    

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 1929, મછલીપટ્ટનમ્) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ છે. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ. પાછળથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા ત્યારે જ ‘અનંતમ્’ નાટકમાં ભાગ લીધેલો…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 1994) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખે છે. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) (અ. 1562) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે આગ્રાથી અગ્નિખૂણે આશરે 80 કિમી. દૂર આવેલું હતકન્ત ક્ષેત્ર…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >