ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

ઈરાની, અરુણા

Jan 30, 1990

ઈરાની, અરુણા (જ. 3 મે 1946, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી. જૂની ગુજરાતી રંગભૂમિ સાથે વર્ષોથી સંકળાયેલ જાણીતા ઈરાની પરિવારના સભ્ય તેમજ લક્ષ્મીકાન્ત નાટક સમાજ અને દેશી નાટક સમાજના એક સમયના સંચાલક ફરેદુન ઈરાનીનાં પુત્રી. અભિનયની કારકિર્દી જૂની ગુજરાતી રંગભૂમિથી બાળપણથી જ આરંભેલી. 1960ના દાયકામાં હિંદી ચલચિત્રોમાં…

વધુ વાંચો >

ઈરાની કપ

Jan 30, 1990

ઈરાની કપ : આશરે રૂ. 2,000/-ની કિંમતનો સેન્સર ઍન્ડ કંપનીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડના માનાર્હ ખજાનચી (1948-67), ઉપપ્રમુખ (1963-65) અને પ્રમુખ (1966-69) જાલ રુસ્તમ ઈરાનીની સ્મૃતિમાં આપેલો આ કપ રાષ્ટ્રીય વિજેતા અને શેષ ભારત વચ્ચેની રમતના વિજેતાને અર્પણ થાય છે. શેષ ભારતની પસંદગી ભારતીય વરણી સમિતિ કરે છે. પ્રથમ રમત…

વધુ વાંચો >

ઈરાની, સ્મૃતિ

Jan 30, 1990

ઈરાની, સ્મૃતિ (જ. 23 માર્ચ, 1976, નવી દિલ્હી) : ભારત સરકારમાં હાલ મહિલા અને બાળવિકાસ તથા લઘુમતી બાબતોના મંત્રી. લઘુમતી બાબતોના મંત્રી તરીકે પ્રથમ બિનમુસ્લિમ મંત્રી. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ. અગાઉ વાજપેયી અને પ્રમોદ મહાજન જૂથમાં સામેલ હતાં. મે, 2019થી અમેઠીના સાંસદ. પ્રસિદ્ધ ટેલિવિઝન અભિનેત્રી, ‘ક્યોંકી સાસ ભી કભી…

વધુ વાંચો >

ઈરેટૉસ્થિનીસ

Jan 30, 1990

ઈરેટૉસ્થિનીસ (જ. આશરે ઈ. સ. પૂ. 276, સાયરીન આજનું શહાન, લિબિયા; અ. આશરે ઈ. સ. પૂ. 196, ઍલેક્ઝાંડ્રિયા) : ગ્રીક ખગોળશાસ્ત્રી, ભૂગોળવેત્તા, ભૂમાપનજ્ઞ રમતવીર અને ઇતિહાસકાર. પ્રાથમિક શિક્ષણ એના જ ગામના પ્રખ્યાત કવિ કૅલિમૅક્સ પાસેથી મેળવી વધુ અભ્યાસાર્થે તે એથેન્સ ગયો. ઇજિપ્તના રાજા ટૉલેમી ત્રીજાએ પોતાના પુત્રના શિક્ષક તરીકે ઍલેક્ઝાંડ્રિયામાં…

વધુ વાંચો >

ઈરોઝ

Jan 30, 1990

ઈરોઝ (Eros) : ગ્રીક પ્રેમદેવતા. ઈરોઝને લૅટિનમાં એમર કહે છે. રોમન પ્રજા એને ક્યૂપિડ કહે છે. તે એફ્રેડેઇટીના અરમીઝ અથવા હમીઝ સાથેના પ્રેમસંબંધનું ફરજંદ હોવાની માન્યતા પ્રવર્તે છે. પ્રાચીન ગ્રીસમાં લોકો તેને પાંખોવાળા ‘સ્પિરિટ’ તરીકે ઓળખતા. હોમરનાં મહાકાવ્યોમાં ઈરોઝનો પ્રેમદેવતા તરીકે ઉલ્લેખ નથી. ‘ઈરોઝ’ એટલે યુવાન હૃદયનો અકલ્પ્ય તરવરાટ કે…

વધુ વાંચો >

ઈરોડ

Jan 30, 1990

ઈરોડ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના પેરિયાર જિલ્લાનું મથક. ભૌગોલિક સ્થાન : 11o 27´ ઉ. અ., 77o 44´ પૂ. રે.. તે કાવેરી નદી પર વસેલું છે. વિસ્તાર : 8209 ચોકિમી.. વસ્તી : આશરે 22,59,608 (2011). આ સ્થળનું નામ પ્રસિદ્ધ કોલા મંદિર (907-1279) સાથે ઐતિહાસિક રીતે સંકળાયેલું છે. ત્યાંનાં મંદિરોના શિલાલેખો…

વધુ વાંચો >

ઈલાઇટિસ

Jan 30, 1990

ઈલાઇટિસ (જ. 2 નવેમ્બર 1911, ક્રીટ, ગ્રીસ; અ. 18 માર્ચ 1996, એથેન્સ) : 1979નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ગ્રીક કવિ. ખરું નામ ઓડિસ્યુસ એલેપોદેલિસ. ઈલાઇટિસ એમણે કવિ તરીકે ધારણ કરેલી અટક છે. વેપાર-ઉદ્યોગમાં જેની ઘણી મોટી શાખ હતી તેવા કુટુંબમાં જન્મેલા આ કવિએ મુખ્યત્વે વ્યાપારને જ વ્યવસાય બનાવ્યો…

વધુ વાંચો >