ખંડ-૨૩

સાગરથી સૈરંધ્રી

સાગર

સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…

વધુ વાંચો >

સાગર

સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…

વધુ વાંચો >

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો  : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…

વધુ વાંચો >

સાગરનંદિન્

સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…

વધુ વાંચો >

સાગર મૂવીટોન

સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…

વધુ વાંચો >

સાગર, રામાનંદ

સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…

વધુ વાંચો >

સાગર સંગમે

સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…

વધુ વાંચો >

સાગરા, ઈશ્વર

સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…

વધુ વાંચો >

સાગરા પિરાજી

સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…

વધુ વાંચો >

સાગોળ (lime)

સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…

વધુ વાંચો >

સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)

Jan 17, 2008

સિંધુ–ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains) : સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર અને ભૌગોલિક દૃષ્ટિએ જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર ત્રણ સ્પષ્ટ એકમો(વિભાગો)નો બનેલો છે : (1) શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચપ્રદેશ. (2) ભારતની પશ્ચિમે, ઉત્તરે અને પૂર્વમાં…

વધુ વાંચો >

સિંધુ-ગંગાનું ગર્ત

Jan 17, 2008

સિંધુ–ગંગાનું ગર્ત : જુઓ સિંધુ-ગંગાનાં મેદાનો.

વધુ વાંચો >

સિંધુદુર્ગ

Jan 17, 2008

સિંધુદુર્ગ : મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ છેડે કોંકણ-વિભાગમાં દરિયાકાંઠે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 30´ ઉ. અ. અને 73° 20´થી 74° 10´ પૂ. રે. વચ્ચેનો 5,222 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રત્નાગિરિ જિલ્લો, પૂર્વમાં કોલ્હાપુર જિલ્લો, અગ્નિકોણમાં બેલગામ (કર્ણાટક) જિલ્લો, દક્ષિણે ગોવા રાજ્ય તથા…

વધુ વાંચો >

સિંધુ, પી. વી.

Jan 17, 2008

સિંધુ, પી. વી. (જ. 5 જુલાઈ 1995, હૈદરાબાદ) : બૅડમિન્ટનના જાણીતા ખેલાડી. પિતાનું નામ પી. વી. રામન્ના અને માતાનું નામ પી. વિજયા. વૉલીબૉલ ખેલાડી માતા-પિતાની સંતાન સિંધુનું બાળપણ હૈદરાબાદમાં જ પસાર થયું. સિંધુના પિતા 1986થી એશિયન ગેઇમ્સમાં ભારતીય વૉલીબૉલ ટીમના સભ્ય હતા. તેમની ટીમે બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો. ખેલકૂદમાં…

વધુ વાંચો >

સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000)

Jan 17, 2008

સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000) : પરમાર વંશનો માળવાનો રાજા. મુંજ પછી તેનો નાનો ભાઈ સિંધુરાજ ઉર્ફે સિંધુલ માળવાની ગાદીએ બેઠો. તેણે ‘કુમારનારાયણ’ તથા ‘નવસાહસાંક’ ખિતાબો ધારણ કર્યા હતા. કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા સત્યાશ્રયને તેણે પરાજય આપ્યો અને પરમારોએ ગુમાવેલાં રાજ્યો પોતાના અંકુશ હેઠળ લઈ લીધાં. સિંધુરાજે નાગવંશના રાજાને…

વધુ વાંચો >

સિંહ (Panthera leo)

Jan 17, 2008

સિંહ (Panthera leo) : ‘સાવજ’, ‘કેસરી’ અને ‘વનરાજ’ના નામે જગપ્રસિદ્ધ શિકારી પ્રાણી. આ પ્રાણી ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે. તેનું કુદરતી રહેઠાણ સવાના પ્રકારનું જંગલ સૂકું કંટકવન (thorny forest) કે પાનખર ઝાંખરાયુક્ત જંગલ (deciduous shruby forest) છે. ઈ. પૂ. 6000માં ભારતમાં સ્થાયી થયેલ આ સ્થાનાંતર કરતી જાતિ છે.…

વધુ વાંચો >

સિંહ, ઈ. નીલકાંત

Jan 17, 2008

સિંહ, ઈ. નીલકાંત (જ. 1928) : મણિપુરી ભાષાના સાહિત્યકાર. તેમની કૃતિ ‘તીર્થયાત્રા’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તત્વજ્ઞાનના વિષયમાં એમ.એ. ઉપરાંત તેઓ કાયદાના સ્નાતક પણ છે. 1953થી 1971 સુધી તેમણે ઇમ્ફાલની ડી.એમ. કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે મણિપુર રાજ્ય કલા અકાદમીના સચિવ (1972-78) તથા મણિપુર…

વધુ વાંચો >

સિંહ એમ. નવકિશોર

Jan 17, 2008

સિંહ, એમ. નવકિશોર (જ. 1940, હિયંગલમ્ માયાઈ લીકાઈ, મણિપુર) : મણિપુરી વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પાંગલ શોનબી ઐશે એદોમગીનિ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી બી.એ. તથા બી.ટી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. મણિપુરની ઘણી સરકારી હાઈસ્કૂલો તથા માધ્યમિક શાળાઓમાં અધ્યાપનકાર્ય કર્યા પછી તેઓ…

વધુ વાંચો >

સિંહ એ. મિનાકેતન

Jan 17, 2008

સિંહ, એ. મિનાકેતન (જ. 1906, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અસૈબાગી નિનાઇપોડ’ (1976) માટે 1977ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 1930માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ શાળા તથા યુનિવર્સિટી કક્ષાએ સતત 41 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ઇમ્ફાલ ખાતે…

વધુ વાંચો >

સિંહ ખુમનથેમ પ્રકાશ

Jan 17, 2008

સિંહ, ખુમનથેમ પ્રકાશ (જ. 1937, સાગોલબંદ મીનો લેરક, ઇમ્ફાલ) : જાણીતા મણિપુરી કવિ. વિશેષત: ઊર્મિકાવ્યના રચયિતા અને વાર્તાકાર. તેઓ ‘તમો પ્રકાશ’ તરીકે ખૂબ જાણીતા છે. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી થોડો વખત શાળાના શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. 1960માં તેઓ આકાશવાણીમાં જોડાયા અને હાલ (2001) તેઓ જવાહરલાલ નેહરુ…

વધુ વાંચો >