ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અવિદ્યા

Jan 22, 1989

અવિદ્યા : પદાર્થનું અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન. બુદ્ધિ (જ્ઞાન) બે પ્રકારની છે : વિદ્યા અને અવિદ્યા. પદાર્થનું જ્ઞાન તે વિદ્યા, અને અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન તે અવિદ્યા છે (વૈશેષિક સૂ. 9-2, 13). અવિદ્યાના ચાર પ્રકાર છે : સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન. (1) ભિન્ન ધર્મોવાળા પદાર્થોના સમાન ધર્મોને જ જોવાથી…

વધુ વાંચો >

અવિધિસરનું શિક્ષણ

Jan 22, 1989

અવિધિસરનું (nonformal) શિક્ષણ : વિધિસરનું નહિ એવું શિક્ષણ. અધ્યયન કે સ્વયંશિક્ષણની પરિસ્થિતિમાં સહાયરૂપ થવાની ક્રિયાને શિક્ષણ અથવા અધ્યાપન કહી શકાય. શિક્ષણને અનૌપચારિક (informal), ઔપચારિક કે વિધિસરનું (formal) તથા અવિધિસરનું (nonformal) એમ ત્રણ પ્રકારના પ્રભાવ રૂપે ઓળખવામાં આવે છે.  કુટુંબ, શેરીમિત્રો અને ચલચિત્રોનો પ્રભાવ અનૌપચારિક ગણાય. શાળા કે કૉલેજ જેવી સ્પષ્ટ…

વધુ વાંચો >

અવિપત્તિકર ચૂર્ણ

Jan 22, 1989

અવિપત્તિકર ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. સૂંઠ, મરી, લીંડીપીપર, હરડે, બહેડાં, આંબળાં, નાગરમોથ, બીડલવણ, વાવડિંગ, ઇલાયચી અને તમાલપત્ર – દરેક એક એક ભાગ, લવિંગ અગિયાર ભાગ, નસોતર ચુંમાળીસ ભાગ અને સાકર છાસઠ ભાગ લઈ બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવામાં આવે છે. આ ચૂર્ણ ત્રણથી છ ગ્રામ જેટલું ઠંડા પાણી સાથે દિવસમાં…

વધુ વાંચો >

અવિભાગાદ્વૈત

Jan 22, 1989

અવિભાગાદ્વૈત : ભારતીય તત્વજ્ઞાનમાં વિજ્ઞાનભિક્ષુનો અદ્વૈત સિદ્ધાંત. આ જગતમાં અંતિમ પારમાર્થિક તત્વની દૃષ્ટિએ એકત્વ છે કે અનેકત્વ, એવા પ્રશ્નોનું સમાધાન આપતા સઘળા મતોનું ખંડન કરીને આચાર્ય વિજ્ઞાનભિક્ષુ પોતાના ‘બ્રહ્મસૂત્રવિજ્ઞાનામૃતભાષ્ય’માં અવિભાગાદ્વૈતનું પ્રતિપાદન નીચે મુજબ કરે છે : બ્રહ્મ એક છે; અને આ દૃશ્યમાન સકળ સચરાચર જગત એ બ્રહ્મથી ભિન્ન છે, તેમજ…

વધુ વાંચો >

અવિયોજન

Jan 22, 1989

અવિયોજન (nondisjunction) : કોષવિભાજન દરમ્યાન રંગસૂત્રો છૂટા નહિ પડવાની ઘટના. ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના કોષોમાં રંગસૂત્રો નિશ્ચિત સંખ્યામાં અને જોડમાં હોય છે. પ્રજનનકોષોના નિર્માણ સમયે સમજાત રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં આવેલાં આ રંગસૂત્રોનું વિયોજન થતાં તેઓ અલગ અલગ પ્રજનનકોષમાં પ્રવેશે છે. પરિણામે પ્રજનનકોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃઓના શારીરિક (somatic) કોષો કરતાં…

વધુ વાંચો >

અવેજ

Jan 22, 1989

અવેજ (consideration) : એક પ્રકારની લેવડદેવડ (quid pro quo). અવેજ એ કરારનો પાયો છે. તેના વિના કરાર કાયદેસર ટકી શકતો નથી. કોઈ પણ કરારમાં બે પક્ષકારો હોય છે. તેમાં એક વ્યક્તિ વચન આપનાર છે અને બીજી વ્યક્તિ વચન લેનાર છે. એક પક્ષકાર વચન આપે તેના બદલામાં વચન લેનારે કંઈક આપવું…

વધુ વાંચો >

અવેસ્તા (ઝંદ)

Jan 22, 1989

અવેસ્તા (ઝંદ) : જરથોસ્તી ધર્મનો મૂળ ગ્રંથ. ઝંદનો અર્થ ભાષ્ય-ટીકા થાય છે. અવેસ્તાની ગાથા અને ઋગ્વેદના કેટલાક મંત્ર મળતાં આવે છે અને કેટલાંક તો એક જ અર્થનાં છે. મૂળ અવેસ્તા ગ્રંથ ઘણો મોટો હતો, પરંતુ સિકંદરે જ્યારે ઈરાન જીત્યું ત્યારે તેનો ઘણો અંશ નાશ પામ્યો હતો. સાતમી સદીમાં મુસ્લિમોની ચડાઈથી…

વધુ વાંચો >

અવ્વૈયાર

Jan 22, 1989

અવ્વૈયાર (ઈ. સ. બારમી કે તેરમી સદી) : તમિળ કવયિત્રી. સંઘકાળની અવ્વૈયાર જેવી જ મધ્યકાળમાં અવ્વૈયાર નામની એક કવયિત્રી હતી. એનું મૂળ નામ, જન્મ, માતાપિતા વગેરે વિશે કશી માહિતી મળતી નથી. સંઘકાળની અવ્વૈયારની જેમ એને વિશે પણ જાતજાતની દંતકથાઓ પ્રચલિત છે. એ દંતકથાઓમાં સત્યનો અંશ છે કે નહિ, અને હોય…

વધુ વાંચો >

અશરફખાન

Jan 22, 1989

અશરફખાન (જ. 1880, ઇન્દોર; અ. 11 સપ્ટેમ્બર 1962, અમદાવાદ) : જૂની ગુજરાતી રંગભૂમિના નટ. અશરફખાન બહુ ભણ્યા ન હતા, પણ મઝહબ(ધર્મ)નું જ્ઞાન મેળવ્યું હતું. પાંચ વાર નમાજ પઢતા અને દારૂ વગેરે વ્યસનોથી દૂર રહેલા. ઘેરથી નાસી જઈને શરૂઆતમાં તેઓ નાની વાંકાનેર કંપનીમાં જોડાયેલા, પણ તેમના વાલી બાબુરાવ કંપનીમાંથી છોડાવીને ઘેર…

વધુ વાંચો >

અશરફી મહલ

Jan 22, 1989

અશરફી મહલ : માંડુ(માંડવગઢ)માં સુલતાન મુહંમદ ખલજીએ પંદરમી સદીમાં બંધાવેલો મહેલ. મુહંમદ ખલજીના પિતા હોશંગશાહે (1405-34) માંડુના કિલ્લામાં સુંદર સ્થાપત્યો બંધાવવાની શરૂઆત કરી હતી. માંડુ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ઇન્દોરથી પશ્ચિમે 99.2 કિમી. દૂર આવેલું ઇતિહાસપ્રસિદ્ધ નગર છે. હોશંગશાહે બંધાવેલ જામી મસ્જિદ સામે અશરફી મહલ નામે રાજમહલ બંધાવેલ છે. અશરફી મહલની…

વધુ વાંચો >