૧.૧૬

અમાનઅલીખાંથી અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન

અમીર ખુસરો

અમીર ખુસરો [જ. 1253, પટિયાળી (ઉ.પ્ર.); અ. ઑક્ટોબર 1325, દિલ્હી] : ‘તૂતી-એ-હિન્દ’ (હિન્દ કા તોતા) નામથી વિખ્યાત ફારસી કવિ અને સંગીતકાર. તેમના પિતા સૈફુદ્દીન મહમૂદ લાચી તુર્ક સરદાર હતા અને તેઓ ઇલ્તુત્મિશના રાજ્યઅમલ દરમિયાન મધ્ય એશિયામાંથી હિંદમાં આવી વસ્યા હતા. ખુસરોનું મૂળ નામ અબૂલહસન હતું અને તેઓ સુપ્રસિદ્ધ સૂફી સંત…

વધુ વાંચો >

અમીર મીનાઈ

અમીર મીનાઈ (જ. 21 ફેબ્રુઆરી 1829, લખનૌ, ઉ.પ્ર.; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ ગઝલકાર. મૂળ નામ મુનશી અમીર અહમદ. ‘અમીર’ તખલ્લુસ. પિતાનું નામ કરમ મોહંમદ. લખનૌના સુપ્રસિદ્ધ ઓલિયા હજરત મખદૂમશાહ મીનાઈના તેઓ શિષ્ય હતા. તેથી ‘અમીર મીનાઈ’ના નામે જાણીતા છે. ઉર્દૂ ગઝલની શિષ્ટ (classical) પરંપરાના અંતિમ ચરણના તેઓ…

વધુ વાંચો >

અમીર મુઆવિયા

અમીર મુઆવિયા (જ. 602 મક્કા, અરેબિયા; અ. એપ્રિલ 680, દમાસ્કસ) : ઉમૈયા વંશના પ્રથમ ખલીફા. મક્કાના એક સરદાર અબૂ સુફયાનના પુત્ર, પયગંબરસાહેબનાં પત્ની ઉમ્મે હબીબાના ભાઈ, હજરત મુહમ્મદના મંત્રી તેમજ વહી(કુરાનના દિવ્ય સંદેશ)ની નોંધ લખનાર અને પયગંબરસાહેબના દસ સાથીઓમાંના એક. બીજા ખલીફા હજરત ઉમર ફારૂકના સમયમાં તેમને સીરિયાના સૂબેદાર નીમવામાં…

વધુ વાંચો >

અમીર મુસોલિયમ્સ

અમીર મુસોલિયમ્સ (1303-04) : કેરોમાં મામલુક યુગ દરમિયાન બંધાયેલ સાલાર અને સંજાર અલ-જાવલી નામના હજીરા. અલ-કબ્શના ઢાળ પર બંધાયેલા આ બંને હજીરા ઊંચા લાક્ષણિક ઘૂમટો ધરાવે છે. હજીરાઓનો આગળનો ભાગ ખાસો ઊંચો છે અને એક બાજુએ મિનારો જુદા જુદા આકારો વડે સુશોભિત કરવામાં આવ્યો છે, જે બાજુઓની ઇમારતો સાથે સુસંગત…

વધુ વાંચો >

અમીરહુસેનખાં

અમીરહુસેનખાં (1899–1969) : ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તબલાને એકલ વાદ્યવાદનનો દરજ્જો અપાવનાર તથા સેંકડો તબલાગતોનો આવિષ્કાર કરનાર ભારતના અગ્રણી તબલાનવાજ. પિતા અહમદ બખ્શ નામવંત સારંગીવાદક હતા. તબલામાં ફસ્નખાબાદ શૈલીનું નામ રોશન કરનાર ઉસ્તાદ મુનીરખાંસાહેબ અમીરહુસેનખાંના મામા હતા. નાની ઉંમરમાં સારંગીવાદક પિતા સાથે સંગત કરનાર અમીરહુસેનખાંનું તબલાવાદન સાંભળીને મુનીરખાંસાહેબ એટલા બધા ખુશ…

વધુ વાંચો >

અમૂર ગુરુરાજ શ્યામાચાર્ય

અમૂર, ગુરુરાજ શ્યામાચાર્ય (જ. 8 મે 1925, ધારવાડ, કર્ણાટક; અ. 28 સપ્ટેમ્બર 2020, બૅંગાલુરુ, કર્ણાટક) : અંગ્રેજી તથા કન્નડ ભાષાના વિદ્વાન, વિવેચક તથા અનુવાદક. તેમને તેમની શ્રેષ્ઠ વિવેચનાત્મક કૃતિ ‘ભુવનદ ભાગ્ય’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કન્નડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અને તેમનું પોસ્ટ-ડૉક્ટરલ સંશોધનકાર્ય…

વધુ વાંચો >

અમૂલ ડેરી

અમૂલ ડેરી : આણંદમાં આવેલી ગુજરાતની શ્રેષ્ઠ અને એશિયાની ઉત્તમ ડેરી. ઓગણીસ સો પિસ્તાલીસના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂધ કૉન્ટ્રૅક્ટરો દ્વારા એકત્ર કરી, પાશ્ચુરીકરણ કર્યા બાદ મુંબઈ દૂધયોજનામાં મોકલવામાં આવતું. પરંતુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ-ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો. આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની…

વધુ વાંચો >

અમૃત ઔર વિષ

અમૃત ઔર વિષ (1956) : હિન્દી નવલકથા. અમૃતલાલ નાગરકૃત આ નવલકથાને 1956ની શ્રેષ્ઠ હિન્દી કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ સામાજિક નવલકથામાં, સમાજના બધા જ વર્ગનાં પાત્રો લઈને, સાંપ્રત કાળમાં કેટલું અમૃત છે અને કેટલું વિષ છે, તેનું વિશ્લેષણ કરેલું છે. માનવી સમાજથી વિખૂટો પડી ગયો છે અને…

વધુ વાંચો >

અમૃત ઘાયલ

અમૃત ઘાયલ (જ. 19 ઑગસ્ટ 1916, સરધાર, જિ. રાજકોટ; અ. 25 ડિસેમ્બર, 2002, રાજકોટ, ગુજરાત ) : ગુજરાતી ગઝલકાર. અમૃત ‘ઘાયલ’નું મૂળ નામ અમૃતલાલ ભટ્ટ. માતાનું નામ સંતોકબહેન અને પિતાનું નામ લાલજીભાઈ હતું. તેમણે સાત ધોરણ સુધીનું શિક્ષણ તેમના વતન સરધારમાં જ લીધું હતું. તે પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી તેમણે…

વધુ વાંચો >

અમૃતબજાર પત્રિકા

અમૃતબજાર પત્રિકા : ભારતીય અંગ્રેજી દૈનિક પત્ર. કલકત્તા તથા લખનૌથી પ્રસિદ્ધ થાય છે. સ્થાપના 1868માં પશ્ચિમ બંગાળના જેસોર શહેરમાં તુષારકાન્તિ ઘોષ તથા તરુણકાન્તિ ઘોષે કરેલી. શરૂઆતમાં એ બંગાળી સમાચારપત્ર હતું. 1869માં બંગાળી પત્રમાં બે કૉલમ અંગ્રેજીમાં છાપવાનું શરૂ કર્યું. 1871માં એની કચેરી જેસોરથી કલકત્તા ખસેડી અને ત્યાંથી દ્વિભાષી સમાચારપત્ર મટી…

વધુ વાંચો >

અમાનઅલીખાં

Jan 16, 1989

અમાનઅલીખાં (જ. 1888; અ. 11 ફેબ્રુઆરી 1953) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક. બિજનૌર(જિલ્લો મુરાદાબાદ)ના નિવાસી. પિતાનું નામ છજ્જૂખાં ઉર્ફે અમરશા સાહેબ હતું. તેઓ બાળપણમાં રમતિયાળ હતા. પિતાની એક શિષ્યાના હળવા ઠપકાને લીધે કંઠ્ય સંગીતનું શિક્ષણ લેવા તરફ વળ્યા. કાકા નજીરખાં અને ખાદિમહુસેનખાં પાસેથી તાલીમ મેળવીને ટૂંકસમયમાં જ તેઓ…

વધુ વાંચો >

અમાનત લખનવી

Jan 16, 1989

અમાનત લખનવી (જ. 1 જાન્યુઆરી 1815, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 1 જાન્યુઆરી 1858, લખનૌ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ સાહિત્યકાર. મૂળ નામ આગા હસન અમાનત. પિતા મીર આગા રિઝવી. બાળપણથી કાવ્ય રચવાનો શોખ હતો. ‘અમાનત’ તખલ્લુસ રાખેલું. લખનૌના નવાબી વાતાવરણમાં તેમણે મરસિયા કહેવાનું શરૂ કર્યું. ઝુન્નુલાલ ‘મિયાંદિલગીર’ની પાસેથી કવિતાની બાબતમાં માર્ગદર્શન મેળવ્યું. મરસિયા…

વધુ વાંચો >

અમાનો, હિરોશી (Amano, Hiroshi)

Jan 16, 1989

અમાનો, હિરોશી (Amano, Hiroshi) (જ. 11 સપ્ટેમ્બર 1960, હમામાત્સુ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઇસામુ આકાસાકી તથા શૂજી નાકામુરા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. શાળાકીય દિવસોમાં અમાનોને અભ્યાસ પ્રત્યે અણગમો હતો, પરંતુ તેઓ ગણિતના વિષયમાં કુશળ…

વધુ વાંચો >

અમાસના તારા

Jan 16, 1989

અમાસના તારા (1953) : ગુજરાતી લેખક કિશનસિંહ ચાવડાનાં સ્મૃતિચિત્રોનો સંગ્રહ. એમાં સ્વાનુભવના ચિરસ્મરણીય પ્રસંગો તથા વ્યક્તિચિત્રો છે. એ પ્રસંગો એમણે ‘જિપ્સી’ તખલ્લુસથી સામયિકોમાં લખેલા. વિષય અને નિરૂપણરીતિ બંનેને કારણે આ પુસ્તકે વાચકોનું અનન્ય આકર્ષણ કરેલું. એમની શૈલી પ્રાણવાન તથા ચિત્રાત્મક છે. ‘હાજી ગુલામ મહમદ’ અને ‘સાઇકલ’ જેવા લેખો તો નન્નુ…

વધુ વાંચો >

અમિત અંબાલાલ

Jan 16, 1989

અમિત અંબાલાલ (જ. 26 જુલાઈ 1943, ભાવનગર) : આધુનિક ગુજરાતના અગ્રણી ચિત્રકાર. અમદાવાદસ્થિત અંબાલાલ શેઠના ધનાઢ્ય કુટુંબમાં અમિતનો જન્મ થયો હતો. વિનયન, વાણિજ્ય અને કાયદામાં સ્નાતકની પદવીઓ હાંસલ કર્યા પછી કૌટુંબિક ધંધા-વ્યવસાયમાં જોડાઈ ગયા; પરંતુ આ વરસો દરમિયાન છગનલાલ જાદવ પાસે અવૈધિક રીતે ચિત્રકળાની તાલીમ લેવી શરૂ કરી. અમદાવાદમાં રવિશંકર…

વધુ વાંચો >

અમિતાક્ષર

Jan 16, 1989

અમિતાક્ષર : ‘બ્લૅંક વર્સ’ને માટે બંગાળીમાં થતો શબ્દપ્રયોગ. આ છંદનો પ્રથમ પ્રયોગ માઇકલ મધુસૂદન દત્તે કર્યો. એ છંદમાં અંત્યપ્રાસ નથી હોતો. ચૌદ અક્ષરના પયાર છંદની સાથે પ્રાસરહિત અમિતાક્ષરના મિશ્રણથી આ છંદ બન્યો છે. એમાં પ્રાસ કે યતિ અર્થાનુસારી યોજવામાં આવે છે. એટલે કે જ્યાં વિચારનો કે ભાવનો વળાંક આવતો હોય…

વધુ વાંચો >

અમિતાભ

Jan 16, 1989

અમિતાભ : બૌદ્ધ ધર્મના પાંચ ધ્યાની બુદ્ધોમાંના બૌદ્ધ સાધનમાલા અનુસાર ત્રીજા કે નેપાળમાંની પ્રચલિત માન્યતા પ્રમાણે ચોથા ધ્યાની બુદ્ધ. નેપાળના બૌદ્ધ સંપ્રદાયમાં તે ઘણા પ્રાચીન મનાય છે. પરંપરા અનુસાર તે સુખાવતી સ્વર્ગમાં ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે ને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા મનાય છે. વર્તમાન કલ્પને બૌદ્ધ સંપ્રદાયમાં ભદ્રકલ્પ કહે છે. સ્તૂપમાં…

વધુ વાંચો >

અમિસ કિંગ્ઝલી

Jan 16, 1989

અમિસ, કિંગ્ઝલી (જ. 16 એપ્રિલ 1922, ક્લેફામ, લંડન; અ. 22 ઑક્ટોબર 1995, લંડન, યુ.કે.) :  અંગ્રેજ કવિ અને નવલકથાકાર. શિક્ષણ સિટી ઑવ્ લંડન સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. પત્ની એલિઝાબેથ જેન હાવર્ડ અને પુત્ર માર્ટિન બંને નવલકથાકાર. સ્વાનસી, કૅમ્બ્રિજ(1948–61)માં અધ્યાપક અને પીટરહાઉસ, કૅમ્બ્રિજ(1961–63)ના ફેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘રૉયલ કોર…

વધુ વાંચો >

અમીચંદ

Jan 16, 1989

અમીચંદ (જ. ?; અ. 1767) : ધનને ખાતર દેશદ્રોહ કરનાર શરાફ, મૂળ નામ અમીરચંદ. અમૃતસરનો આ શીખ વેપારી કલકત્તામાં વસીને શરાફીનો ધંધો કરતો હતો. બંગાળમાં નવાબ સિરાજુદ્દૌલા સામે જીતવું અશક્ય હોવાથી ક્લાઇવે કાવતરું કરી નવાબના સરસેનાપતિ મીરજાફર, શ્રીમંત શ્રૉફ જગતશેઠ અને રાય દુર્લભને નવાબ વિરુદ્ધ બળવો કરવા લલચાવ્યા. કાવતરાની વિગતો…

વધુ વાંચો >

અમીન આર. કે.

Jan 16, 1989

અમીન, આર. કે. (જ. 24 જૂન 1923, બાવળા, જિ. અમદાવાદ; અ. 30 નવેમ્બર 2004) : ગુજરાતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા લોકસભાના પૂર્વ સભ્ય. પૂરું નામ રામદાસ કિશોરદાસ અમીન. માતાનું નામ નાથીબહેન. પિતા કપાસના વેપારી. પ્રાથમિક શિક્ષણ વતન બાવળામાં. માધ્યમિક શિક્ષણ ધોળકા તથા અમદાવાદ ખાતે. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ આઝાદીની…

વધુ વાંચો >