૧૯.૧૯

વલભીપુરથી વસિષ્ઠ મૈત્રાવરુણ

વલ્લથોળ, નારાયણ મેનન (મહાકવિ)

વલ્લથોળ, નારાયણ મેનન (મહાકવિ) (જ. 16 ઑક્ટોબર 1878, ચેન્નારા, જિ. માલપુરમ, કેરળ; અ. 13 માર્ચ 1958) : કથકલીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સપાટી પર મશહૂર કરનાર કેરળના બહુમુખી કલાકાર તથા અગ્રણી સાહિત્યકાર. કેરળ સાહિત્યિક-ત્રિપુટીમાંના એક. તેઓ ‘મહાકવિ’ તરીકે જાણીતા હતા, ત્રિપુટીના અન્ય બે સાહિત્યકારો તે ઉલ્વુળ પરમેશ્વર આયૈર અને કુમારન આશાન.…

વધુ વાંચો >

વલ્લભદાસજી

વલ્લભદાસજી (જ. 1903; અ. 1972, મુંબઈ) : સ્વામીનારાયણ પંથના મહંત અને શાસ્ત્રીય સંગીતના ગાયક. તેમણે બાળપણમાં જ સંન્યાસ ધારણ કર્યો હતો અને તેઓ મુંબઈના એક મંદિરમાં નિવાસ કરતા હતા. બાળપણથી જ તેમને સંગીતનો ખૂબ શોખ હતો. મંદિરમાં ગાયન-વાદનના કાર્યક્રમો થતા, જેમાંથી તેમને સંગીતમાં રુચિ પેદા થઈ અને તેઓ મૃદંગ વગાડવાનું…

વધુ વાંચો >

વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ

વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ : 1890માં સૂરતના જિલ્લા-કલેક્ટરે સૂરતમાં સ્થાપેલું મ્યુઝિયમ. આ ઉત્સાહી કલેક્ટરે સૂરત, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી એકઠાં કરેલ પ્રણાલિકગત કાપડ, કિનખાબ, વસ્ત્રો, ધાતુનાં પાત્રો, ચિનાઈ માટીનાં અને કાચનાં વાસણો, વાંસમાંથી બનાવેલ ચીજવસ્તુઓ, સાગ અને સીસમમાંથી બનાવેલ રાચરચીલાં, શિલ્પો, જૂનાં ચિત્રો અને પુસ્તકો, સંગીતનાં વાદ્યો, સિક્કા, ઘરેણાં, ટપાલખાતાની ટિકિટો…

વધુ વાંચો >

વલ્લભરાજ

વલ્લભરાજ (શાસનકાળ : ઈ. સ. 1010) : સોલંકી વંશના રાજવી ચામુંડરાજનો પુત્ર. પિતાની હયાતીમાં જ તે ગાદીએ બેઠો હતો અને આશરે છ માસ સત્તા પર રહ્યો હતો. ‘દ્વયાશ્રય’, ‘વડનગર પ્રશસ્તિ’, ‘પ્રબંધ ચિંતામણિ’ વગેરે ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે. ‘દ્વયાશ્રય’ના ટીકાકાર અભયતિલકગણિના જણાવ્યા મુજબ-તીર્થયાત્રા કરવા વારાણસી જઈ રહેલા ચામુંડરાજનાં છત્ર અને…

વધુ વાંચો >

વલ્લભ વિદ્યાનગર

વલ્લભ વિદ્યાનગર : આણંદ જિલ્લામાં આવેલું આગળ પડતું વિદ્યાધામ. ભૌગોલિક સ્થાન : 22° 33´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે.. તે ચરોતર પ્રદેશનું નવું વિકસેલું અનેક રીતે વિશિષ્ટ પ્રકારનું નગર છે. તે આણંદ, મોગરી, કરમસદ અને બાકરોલની સીમાઓની વચ્ચેના મેદાની ભાગમાં વસેલું છે. ભારતના લોખંડી રાજપુરુષ તરીકે જાણીતા સરદાર…

વધુ વાંચો >

વલ્લભાચાર્ય મહાપ્રભુજી

વલ્લભાચાર્ય મહાપ્રભુજી (ઈ. 14791531) : હિંદુ ધર્મમાં શુદ્ધાદ્વૈત, પુષ્ટિમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક આચાર્ય. શ્રીમદભાગવદગીતામાં વૈદિક હિંસાત્મક દ્રવ્યયજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞો ઉત્તમ છે એ અને પછી ભક્તિની મહત્તા બતાવવામાં આવેલ છે. આ સિદ્ધાંત વ્યાપક બનતાં ઈ. પૂ. દસેક સદી પૂર્વે ભક્તિની મહત્તા સ્થાપતો અને વિષ્ણુ-નારાયણ તેમજ વાસુદેવને પરમ ઇષ્ટ માની એમના…

વધુ વાંચો >

વલ્લીઅપ્પા, આલા

વલ્લીઅપ્પા, આલા (જ. 1922, રૉયવરમ, જિ. પુડુક્કોટ્ટાઈ, તામિલનાડુ; અ. 1989) : તમિળ કવિ અને લેખક. તેમનું પૂરું નામ અલગપ્પા વલ્લીઅપ્પા હતું. તેમણે 40 વર્ષ સુધી બૅંક અધિકારી તરીકે સેવા આપી. યુવાનવયે તેમને ગાંધીવાદી વિચારસરણી અને વિવેકાનંદના તત્વજ્ઞાનનો પરિચય થયો. તેઓ સુબ્રહ્મણ્ય ભારતી અને દેસિકા વિનાયકમ્ પિલ્લઈનાં કાવ્યોથી પ્રભાવિત થયા. વિદ્યાર્થી-અવસ્થાથી…

વધુ વાંચો >

વલ્લીકાન્નન્ (આર. એસ. ક્રિશ્ર્ન સ્વામી)

વલ્લીકાન્નન્ (આર. એસ. ક્રિશ્ર્ન સ્વામી) (જ. 12 નવેમ્બર 1920, રાજાવલ્લીપુરમ્, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ ભાષાના લેખક. પૂરું નામ આર. એસ. કૃષ્ણસ્વામી. 1939માં લેખનપ્રવૃત્તિનો પ્રારંભ. 1941માં વાચન-લેખનની પ્રવૃત્તિ પાછળ પૂરો સમય આપવા માટે સરકારી નોકરીમાંથી રાજીનામું. સાહિત્યિક કારકિર્દી શરૂ કરવા તેઓ ચેન્નઈ (મદ્રાસ) આવ્યા; 1943માં ‘સિનેમા વર્લ્ડ’ (માસિક) તથા 1944માં…

વધુ વાંચો >

વશ (જાતિ)

વશ (જાતિ) : વેદોના સમયની વશ નામની, પ્રાચીનતમ જાતિઓમાંની એક. કુરુઓએ વશો, પાંચાલો તથા ઉશિનારા જાતિના લોકો સાથે મધ્યદેશ કબજે કર્યો હતો. તેઓ સૌ ત્યાં રહેતા હતા. ‘ગોપથ બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે વશો અને ઉશિનારા સંયુક્ત તથા ઉત્તરના લોકો હતા. ‘કૌશિતકી ઉપનિષદ’માં વશ જાતિના લોકોને મત્સ્યો સાથે પણ જોડવામાં આવ્યા છે.…

વધુ વાંચો >

વસન્તોત્સવ

વસન્તોત્સવ (પ્ર. આ. 1905) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામ (1877-1964)નું આશરે 2000 પંક્તિઓમાં લખાયેલું કથાકાવ્ય. તેમાં વસન્તના મ્હોરતા પ્રભાતે પ્રથમ મોરલી સાથે એક યુવક નામે રમણનો પ્રવેશ થાય છે અને એ જ સમયે સખીવૃન્દ સાથે એક યુવતી નામે સુભગા પણ ત્યાં આવી પહોંચે છે. રમણ એક હીંચકા પર હીંચતો હોય…

વધુ વાંચો >

વલભીપુર

Jan 19, 2005

વલભીપુર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને શહેર. ભૌગોલિક માહિતી : આ શહેર 21° 55´ ઉ. અ. અને 71° 55´ પૂ. રે. પર આવેલું છે. તે ઘેલો નદીના ઉત્તર કિનારે વસેલું છે. આ શહેરની ઉત્તરે કેરી નદી વહે છે. સુરેન્દ્રનગર-ભાવનગરને સાંકળતા મીટરગેજ રેલમાર્ગ પર આવેલું ધોળા જંક્શન આ શહેરથી 18 કિમી.…

વધુ વાંચો >

વલભી વિદ્યાપીઠ

Jan 19, 2005

વલભી વિદ્યાપીઠ : સૌરાષ્ટ્રના પૂર્વભાગમાં ભાવનગરની વાયવ્યે 29 કિમી.ના અંતરે વલભી ગામમાં આવેલી પ્રાચીન વિદ્યાપીઠ. ઈ. સ. 470માં વલભી મૈત્રકોની રાજધાની બની તે પહેલાંયે તે અસ્તિત્વમાં હતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ હતી. વર્તમાનકાળ જેવી સુસંગઠિત શિક્ષણ-સંસ્થાઓ તે સમયે ન હતી. ‘કથાસરિત્સાગર’માંની કથામાં ગંગા દોઆબના દ્વિજ વસુદત્તનો પુત્ર વિષ્ણુદત્ત વિદ્યાપ્રાપ્તિ વાસ્તે…

વધુ વાંચો >

વલભી સંવત

Jan 19, 2005

વલભી સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

વલય-અધોગમન (cauldron subsidence)

Jan 19, 2005

વલય-અધોગમન (cauldron subsidence) : પૃથ્વીના પોપડાનું વર્તુળાકારે થતું અવતલન. પોપડાનો કોઈ ભૂમિભાગ વલય આકારની ફાટોમાં તૂટે ત્યારે તેમાંથી અલગ પડેલા મધ્યભાગનું અવતલન થવાની ક્રિયા. આ ક્રિયાને પરિણામે 1થી 15 કિમી. જેટલા વ્યાસવાળા, તૂટેલા ઓછાવત્તા નળાકાર વિભાગો ઊભી કે ત્રાંસી વલય-ફાટો પર સરકીને નીચે રહેલા મૅગ્મા સંચયસ્થાનમાં દબવાથી તૈયાર થતી રચના.…

વધુ વાંચો >

વલયગોલક (Armillary sphere)

Jan 19, 2005

વલયગોલક (Armillary sphere) : આકાશી ગોલક પર આકાશી જ્યોતિઓનાં સ્થાન નક્કી કરવા માટે ખગોળવિજ્ઞાનના પ્રારંભિક અને મધ્યકાળમાં વપરાતાં સાધનોમાં સૌથી પુરાણું સાધન. ‘Armillary’ શબ્દ લૅટિન ‘armilla’ એટલે કે ‘કંકણ’ પરથી આવેલો છે. આકાશી ગોલક પર અવલોકન દ્વારા કોઈ પણ સમયે આકાશી જ્યોતિનું સ્થાન, તેના દ્વારા રચાતા બે ખૂણાઓ દ્વારા મપાય.…

વધુ વાંચો >

વલસંગકર, વ્યંકટેશ શામરાવ

Jan 19, 2005

વલસંગકર, વ્યંકટેશ શામરાવ (જ. 19 ઑક્ટોબર 1951, ગુલબર્ગ, કર્ણાટક) : મરાઠી કવિ અને વિવેચક. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી મરાઠીમાં એમ.એ. અને બી.એડ.ની પદવી પ્રાપ્ત કરી. પછી તેમણે એન.  વી. પ્રિયુનિવર્સિટી કૉલેજ, ગુલબર્ગમાં અધ્યાપનકાર્ય કર્યું. સાથોસાથ લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું. 1988-96 દરમિયાન તેઓ ગુલબર્ગના મરાઠી સાહિત્ય મંડળના માનાર્હ સંયુક્તમંત્રી હતા. તેમણે અત્યાર…

વધુ વાંચો >

વલસાડ (જિલ્લો)

Jan 19, 2005

વલસાડ (જિલ્લો) : ગુજરાત રાજ્યની દક્ષિણ સીમા પર આવેલો સરહદી જિલ્લો. ભૌગોલિક સ્થાન : આશરે 20° 07´થી 20° 46´ ઉ. અ. અને 72° 43´થી 73° 30´ પૂ. રે. વચ્ચેનો ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવસારી જિલ્લો, પૂર્વ તરફ મહારાષ્ટ્ર સાથેની આંતરરાજ્યસીમા, દક્ષિણ તરફ દાદરા-નગરહવેલી અને મહારાષ્ટ્ર સાથેની…

વધુ વાંચો >

વલી ગુજરાતી

Jan 19, 2005

વલી ગુજરાતી (જ. ?; અ. 1720થી 1725 વચ્ચે) : સત્તરમા-અઢારમા સૈકાના પ્રખ્યાત ઉર્દૂ ગઝલકાર. તેમની કવિતાએ ભાષા તથા વિષય બંને રીતે ઉર્દૂ કવિતાના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. તેમનું વતન ગુજરાત હતું કે ઔરંગાબાદ તે બાબતમાં ચરિત્રકારો તથા વિવેચકોમાં વર્ષોથી મતભેદ હોવા છતાં, ઉર્દૂ કવિતા ઉપર પડેલી તેમની અવિસ્મરણીય છાપ…

વધુ વાંચો >

વલ્કન (Vulcan)

Jan 19, 2005

વલ્કન (Vulcan) : બુધ અને સૂર્ય વચ્ચેનો વણશોધાયેલો ગ્રહ. ‘વલ્કન’ નામે ઓળખાતા અનુમાનિત કે પરિકલ્પિત (hypothetical) એવા આ ગ્રહને શોધવાના ઓગણીસમી સદીમાં ઘણા પ્રયત્નો થયા હતા. આવો કોઈ ગ્રહ હોવાનો વિચાર બુધના કક્ષાભ્રમણમાં જોવા મળતી અનિયમિતતામાંથી ઉદભવેલો. એ સૌ જાણે છે કે ગ્રહો સૂર્યની આસપાસ ગોળ નહિ, પણ લંબગોળ (elliptic),…

વધુ વાંચો >

વલ્કેનાઇઝેશન

Jan 19, 2005

વલ્કેનાઇઝેશન : અપરિષ્કૃત (crude) રબરને ગંધક અથવા ગંધકનાં સંયોજનો સાથે ગરમ કરી તેને સખત અને ઉપયોગી સ્વરૂપમાં ફેરવવાની વિધિ. 1839માં અમેરિકાના ચાર્લ્સ ગુડઇયર દ્વારા એક પ્રયોગ દરમિયાન સલ્ફર અને રબરનું મિશ્રણ અકસ્માતે ગરમ સ્ટવ ઉપર ઢોળાઈ જતાં ગરમી વડે સંસાધન (curing) થવાથી તે કઠોર (tough) અને મજબૂત બની ગયું. આમ…

વધુ વાંચો >