૧૯.૧૯

વલભીપુરથી વસિષ્ઠ મૈત્રાવરુણ

વસારી, જ્યૉર્જિયો (Vasari, Georgio)

વસારી, જ્યૉર્જિયો (Vasari, Georgio) (જ. 30 જુલાઈ 1511, એરેત્ઝો, ઇટાલી; અ. 27 જૂન 1574, ફ્લોરેન્સ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાં કલાનો ઇતિહાસ લખવા માટે અમર થઈ જનાર કલા-ઇતિહાસકાર અને જીવનકથાકાર. એનાં લખાણોને આજે રેનેસાંસ કલા અંગેની માહિતી માટે થઈને સૌથી વધુ પ્રમાણભૂત દસ્તાવેજ માનવામાં આવે છે. એ ચિત્રકાર હોવા ઉપરાંત સ્થપતિ…

વધુ વાંચો >

વસાવડા મહાવીર હરિપ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1936, જૂનાગઢ)

વસાવડા મહાવીર હરિપ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1936, જૂનાગઢ) : ગુજરાતના પ્રખર ગણિતશાસ્ત્રી, સ્પષ્ટ વિચારક તથા પ્રભાવશાળી વક્તા. મહાવીર જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી 1958માં ગણિત વિષય સાથે બી.એસસી. થયા. કૉલેજકાળ દરમિયાન વક્તૃત્વકળામાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું હતું. તેઓ એમ. એસસી. દ્વારા મુંબઈ ગયા અને 1960માં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે પાસ…

વધુ વાંચો >

વસાવડા, શ્યામપ્રસાદ

વસાવડા, શ્યામપ્રસાદ (જ. 26 ફેબ્રુઆરી 1903, જૂનાગઢ; અ. 20 નવેમ્બર 1972, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પામેલા ભારતના અગ્રણી મજૂર આગેવાન. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવી 1926માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1924માં તેઓ માલવિયા એક્સપૉર્ટ હાઉસમાં મૅનેજર તરીકે જોડાયા. ત્યાં તેમના પિતાની ગંભીર માંદગીના…

વધુ વાંચો >

વસિયતનામું (વિલ)

વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ. તેના પર વ્યક્તિની પોતાની સહી અને બે સાક્ષીઓની સહી અનિવાર્ય ગણાય છે. આમ પોતાનાં હિત-અહિત વિશે પૂરી સમજણ અને સ્થિર મગજ ધરાવનાર વ્યક્તિ વસિયતનામું કરી શકે છે, પરિણીત નારી પોતાની સ્વતંત્ર મિલકત બાબતમાં…

વધુ વાંચો >

વસિષ્ઠ મૈત્રાવરુણ

વસિષ્ઠ મૈત્રાવરુણ : ભારતીય વેદકાળથી જાણીતા ઋષિ. વેદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં વસિષ્ઠ પ્રસિદ્ધ રહ્યા છે. મંત્રદ્રષ્ટા, બ્રહ્મર્ષિ, તત્વજ્ઞાની, સ્મૃતિકાર, વાસ્તુશાસ્ત્રજ્ઞ – એમ અનેક રીતે તેઓ પ્રસિદ્ધ છે. પોતાના તપોબળે તેઓ સપ્તર્ષિમાં સ્થાન પામેલા છે. કર્દમ ઋષિની પુત્રી અરુન્ધતી એમનાં પત્ની હતાં. એમનું દામ્પત્ય આદર્શરૂપ છે. એમના પુત્રોમાં શક્તિ અને પૌત્રોમાં…

વધુ વાંચો >

વલભીપુર

Jan 19, 2005

વલભીપુર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને શહેર. ભૌગોલિક માહિતી : આ શહેર 21° 55´ ઉ. અ. અને 71° 55´ પૂ. રે. પર આવેલું છે. તે ઘેલો નદીના ઉત્તર કિનારે વસેલું છે. આ શહેરની ઉત્તરે કેરી નદી વહે છે. સુરેન્દ્રનગર-ભાવનગરને સાંકળતા મીટરગેજ રેલમાર્ગ પર આવેલું ધોળા જંક્શન આ શહેરથી 18 કિમી.…

વધુ વાંચો >

વલભી વિદ્યાપીઠ

Jan 19, 2005

વલભી વિદ્યાપીઠ : સૌરાષ્ટ્રના પૂર્વભાગમાં ભાવનગરની વાયવ્યે 29 કિમી.ના અંતરે વલભી ગામમાં આવેલી પ્રાચીન વિદ્યાપીઠ. ઈ. સ. 470માં વલભી મૈત્રકોની રાજધાની બની તે પહેલાંયે તે અસ્તિત્વમાં હતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ હતી. વર્તમાનકાળ જેવી સુસંગઠિત શિક્ષણ-સંસ્થાઓ તે સમયે ન હતી. ‘કથાસરિત્સાગર’માંની કથામાં ગંગા દોઆબના દ્વિજ વસુદત્તનો પુત્ર વિષ્ણુદત્ત વિદ્યાપ્રાપ્તિ વાસ્તે…

વધુ વાંચો >

વલભી સંવત

Jan 19, 2005

વલભી સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

વલય-અધોગમન (cauldron subsidence)

Jan 19, 2005

વલય-અધોગમન (cauldron subsidence) : પૃથ્વીના પોપડાનું વર્તુળાકારે થતું અવતલન. પોપડાનો કોઈ ભૂમિભાગ વલય આકારની ફાટોમાં તૂટે ત્યારે તેમાંથી અલગ પડેલા મધ્યભાગનું અવતલન થવાની ક્રિયા. આ ક્રિયાને પરિણામે 1થી 15 કિમી. જેટલા વ્યાસવાળા, તૂટેલા ઓછાવત્તા નળાકાર વિભાગો ઊભી કે ત્રાંસી વલય-ફાટો પર સરકીને નીચે રહેલા મૅગ્મા સંચયસ્થાનમાં દબવાથી તૈયાર થતી રચના.…

વધુ વાંચો >

વલયગોલક (Armillary sphere)

Jan 19, 2005

વલયગોલક (Armillary sphere) : આકાશી ગોલક પર આકાશી જ્યોતિઓનાં સ્થાન નક્કી કરવા માટે ખગોળવિજ્ઞાનના પ્રારંભિક અને મધ્યકાળમાં વપરાતાં સાધનોમાં સૌથી પુરાણું સાધન. ‘Armillary’ શબ્દ લૅટિન ‘armilla’ એટલે કે ‘કંકણ’ પરથી આવેલો છે. આકાશી ગોલક પર અવલોકન દ્વારા કોઈ પણ સમયે આકાશી જ્યોતિનું સ્થાન, તેના દ્વારા રચાતા બે ખૂણાઓ દ્વારા મપાય.…

વધુ વાંચો >

વલસંગકર, વ્યંકટેશ શામરાવ

Jan 19, 2005

વલસંગકર, વ્યંકટેશ શામરાવ (જ. 19 ઑક્ટોબર 1951, ગુલબર્ગ, કર્ણાટક) : મરાઠી કવિ અને વિવેચક. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી મરાઠીમાં એમ.એ. અને બી.એડ.ની પદવી પ્રાપ્ત કરી. પછી તેમણે એન.  વી. પ્રિયુનિવર્સિટી કૉલેજ, ગુલબર્ગમાં અધ્યાપનકાર્ય કર્યું. સાથોસાથ લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું. 1988-96 દરમિયાન તેઓ ગુલબર્ગના મરાઠી સાહિત્ય મંડળના માનાર્હ સંયુક્તમંત્રી હતા. તેમણે અત્યાર…

વધુ વાંચો >

વલસાડ (જિલ્લો)

Jan 19, 2005

વલસાડ (જિલ્લો) : ગુજરાત રાજ્યની દક્ષિણ સીમા પર આવેલો સરહદી જિલ્લો. ભૌગોલિક સ્થાન : આશરે 20° 07´થી 20° 46´ ઉ. અ. અને 72° 43´થી 73° 30´ પૂ. રે. વચ્ચેનો ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવસારી જિલ્લો, પૂર્વ તરફ મહારાષ્ટ્ર સાથેની આંતરરાજ્યસીમા, દક્ષિણ તરફ દાદરા-નગરહવેલી અને મહારાષ્ટ્ર સાથેની…

વધુ વાંચો >

વલી ગુજરાતી

Jan 19, 2005

વલી ગુજરાતી (જ. ?; અ. 1720થી 1725 વચ્ચે) : સત્તરમા-અઢારમા સૈકાના પ્રખ્યાત ઉર્દૂ ગઝલકાર. તેમની કવિતાએ ભાષા તથા વિષય બંને રીતે ઉર્દૂ કવિતાના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. તેમનું વતન ગુજરાત હતું કે ઔરંગાબાદ તે બાબતમાં ચરિત્રકારો તથા વિવેચકોમાં વર્ષોથી મતભેદ હોવા છતાં, ઉર્દૂ કવિતા ઉપર પડેલી તેમની અવિસ્મરણીય છાપ…

વધુ વાંચો >

વલ્કન (Vulcan)

Jan 19, 2005

વલ્કન (Vulcan) : બુધ અને સૂર્ય વચ્ચેનો વણશોધાયેલો ગ્રહ. ‘વલ્કન’ નામે ઓળખાતા અનુમાનિત કે પરિકલ્પિત (hypothetical) એવા આ ગ્રહને શોધવાના ઓગણીસમી સદીમાં ઘણા પ્રયત્નો થયા હતા. આવો કોઈ ગ્રહ હોવાનો વિચાર બુધના કક્ષાભ્રમણમાં જોવા મળતી અનિયમિતતામાંથી ઉદભવેલો. એ સૌ જાણે છે કે ગ્રહો સૂર્યની આસપાસ ગોળ નહિ, પણ લંબગોળ (elliptic),…

વધુ વાંચો >

વલ્કેનાઇઝેશન

Jan 19, 2005

વલ્કેનાઇઝેશન : અપરિષ્કૃત (crude) રબરને ગંધક અથવા ગંધકનાં સંયોજનો સાથે ગરમ કરી તેને સખત અને ઉપયોગી સ્વરૂપમાં ફેરવવાની વિધિ. 1839માં અમેરિકાના ચાર્લ્સ ગુડઇયર દ્વારા એક પ્રયોગ દરમિયાન સલ્ફર અને રબરનું મિશ્રણ અકસ્માતે ગરમ સ્ટવ ઉપર ઢોળાઈ જતાં ગરમી વડે સંસાધન (curing) થવાથી તે કઠોર (tough) અને મજબૂત બની ગયું. આમ…

વધુ વાંચો >