ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મહેન્દ્રનગર
મહેન્દ્રનગર : નેપાળ દેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલું સરહદીય શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 28 55´ ઉ. અ. અને 80 20´ પૂ. રે. પર સ્થિત છે. હિમાલયની તળેટી ટેકરીઓના તરાઈ વિસ્તારમાં 229 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ શહેર ભારતની સીમા અને મહાકાલી સરહદી નદીથી આશરે 3 કિમી. દૂર આવેલું…
વધુ વાંચો >મહેન્દ્રપાલ પહેલો
મહેન્દ્રપાલ પહેલો (રાજ્યઅમલ : 885–908) : કનોજના રાજા ભોજનો પુત્ર અને પ્રતીહાર વંશનો રાજા. તે ‘મહેન્દ્રાયુધ’, ‘નિર્ભય-નરેન્દ્ર’ અથવા ‘નિર્ભયરાજ’ તરીકે પણ ઓળખાતો હતો. તેણે વારસામાં મળેલ સામ્રાજ્ય સાચવી રાખ્યું તથા તેને પૂર્વ તરફ વિસ્તાર્યું હતું. તખ્તનશીન થયા બાદ તેણે મગધ તથા ઉત્તર બંગાળના મોટા-ભાગના પ્રદેશો પાલ રાજા પાસેથી જીતી લીધા…
વધુ વાંચો >મહેન્દ્રપાલ બીજો
મહેન્દ્રપાલ બીજો (ઈ. સ. 945–’46) : પ્રતીહાર વંશનો રાજા. વિનાયકપાલનો પુત્ર. તેના પછીનાં 15 વર્ષમાં (1) દેવપાલ, (2) વિનાયકપાલ બીજો, (3) મહિપાલ બીજો અને (4) વિજયપાલ – એમ ચાર રાજાઓ થઈ ગયા. આ ચાર અલગ રાજાઓ હતા કે અલગ નામ ધરાવનાર બે રાજા હતા, તે બાબતમાં ઇતિહાસકારો અલગ અલગ મત…
વધુ વાંચો >મહેન્દ્ર પ્રતાપ, રાજા
મહેન્દ્ર પ્રતાપ, રાજા (જ. 1 ડિસેમ્બર 1886, મુરસન, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1979) : ભારતીય ક્રાંતિકાર. વિદેશમાં સ્થાપેલી ભારતની કામચલાઉ સરકારના પ્રમુખ. તેમના પિતા રાજા ઘનશ્યામ સિંહ શ્રીમંત જમીનદાર હતા. હાથરસના રાજા હરનારાયણ સિંહે મહેન્દ્ર પ્રતાપને દત્તક લીધા અને તેમની સાથે ઝિંદ રાજ્યના શાસકની પુત્રી નાની ઉંમરે પરણાવી. તેમણે અલીગઢની…
વધુ વાંચો >મહેબૂબનગર (જિલ્લો)
મહેબૂબનગર (જિલ્લો) : તેલંગાણા જિલ્લામાં આવેલો જિલ્લો તેમજ જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો પાલામુરુ જિલ્લા તરીકે પણ ઓળખાય છે. તે 15 55´ ઉ. અ.થી 17 29´ ઉ. અ. અને 77 15´ પૂ. રે.થી 79 15´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. જેનો વિસ્તાર આશરે 2,737 ચો.કિમી. છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 498 મીટરની ઊંચાઈએ…
વધુ વાંચો >મહેમદાવાદ
મહેમદાવાદ : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 22° 44´થી 22° 57´ ઉ. અ. અને 72° 35´થી 73° 00´ વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અમદાવાદ જિલ્લાની સીમા; ઈશાનમાં ખેડા જિલ્લાનો કપડવંજ તાલુકો; પૂર્વ, અગ્નિ અને દક્ષિણે નડિયાદ તાલુકો;…
વધુ વાંચો >મહેરઅલી, યૂસુફ
મહેરઅલી, યૂસુફ (જ. 23 સપ્ટેમ્બર 1903, મુંબઈ; અ. 2 જુલાઈ 1950, મુંબઈ) : અગ્રણી સ્વાતંત્ર્ય-સેનાની અને નિષ્ઠાવાન સમાજવાદી નેતા. શ્રીમંત ખોજા મુસ્લિમ પરિવારમાં જન્મ. પિતા જાફરઅલી વ્યાપારી હતા. મૂળ વતન કચ્છ; પરંતુ વ્યાપાર માટે પરિવારે મુંબઈ સ્થળાંતર કરેલું. તેમનું પ્રાથમિક શિક્ષણ કોલકાતા ખાતે, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈ ખાતે થયું…
વધુ વાંચો >મહેલ સ્થાપત્ય
મહેલ સ્થાપત્ય : જુઓ રાજમહેલ સ્થાપત્ય
વધુ વાંચો >મહેશ
મહેશ (અઢારમી સદીનો મધ્યભાગ, જ. અને અ. ચમ્બા, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાનો વિખ્યાત ચિત્રકાર. મહેશનો જન્મ સુથાર કુટુંબમાં થયો હતો. ચિત્રકલા પ્રત્યેના જન્મજાત લગાવને કારણે તેણે કિરપાલુ નામના પહાડી ચિત્રકાર પાસે તાલીમ મેળવી. પોતાના સમકાલીન પહાડી ચિત્રકાર લાહારુના સહયોગમાં તેણે અનેક ઉત્તમ ચિત્રકૃતિઓ સર્જી. આ ઉપરાંત કોઈના પણ સહયોગ…
વધુ વાંચો >મહેશ ચંપકલાલ (ડૉ.)
મહેશ ચંપકલાલ (ડૉ.) (જ. 25 ઑક્ટોબર 1951, મ્બાલે, પૂર્વ આફ્રિકા) : નાટ્યવિદ, અભિનેતા અને દિગ્દર્શક. તેમણે વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી 1987માં ‘ભરત મુનિનો અભિનયસિદ્ધાંત’ વિશે સંશોધન કરી નાટકમાં પીએચ.ડી.ની ડિગ્રી તથા 1996માં ‘નાટકમાં ભાષા’ અંગે સંશોધન કરીને ગુજરાતી સાહિત્યમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1973થી 1981 દરમિયાન તેઓ મુંબઈની વ્યાવસાયિક…
વધુ વાંચો >