ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મંદ દ્રાવણો

મંદ દ્રાવણો (dilute solutions) : દ્રાવક(solvent)ની સરખામણીમાં દ્રાવ્ય (solute) (ઓગળેલો પદાર્થ) ઓછા જથ્થામાં હાજર હોય તેવી પ્રણાલી. આવાં દ્રાવણો માટેના સામાન્ય નિયમો કોઈ પણ મંદ દ્રાવણ (વાયુ + પ્રવાહી; પ્રવાહી + પ્રવાહી, ……. વગેરે) માટે વાપરી શકાય છે; પરંતુ સામાન્ય રીતે ઘન પદાર્થના પ્રવાહીમાંનાં દ્રાવણ માટે તેમનો વધુ ઉપયોગ થાય…

વધુ વાંચો >

મંદસૌર

મંદસૌર : મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં ઇન્દોર વિભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 04´ ઉ. અ. અને 75° 04´ પૂ. રે.ની આજુબાજુનો 9,791 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ તરફ રાજસ્થાનના ચિતોડગઢ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ જિલ્લા તથા દક્ષિણ તરફ…

વધુ વાંચો >

મંદારમરંદચંપૂ

મંદારમરંદચંપૂ : ભારતીય અલંકારશાસ્ત્ર વિશે કૃષ્ણકવિએ લખેલો કાવ્યગ્રંથ. કૃષ્ણકવિનો જન્મ સોળમી સદીના અંતભાગમાં ગુહપુરમાં થયેલો અને તેમણે પોતાનું જીવન ત્યાં જ ગાળેલું. તેમના ગુરુનું નામ વાસુદેવ યોગીન્દ્ર (કે યોગીશ્વર) હતું. તેમના ગુરુ વાસુદેવ આઠ ભાષાઓમાં રસભરી કવિતા રચવામાં કુશળ હતા. ‘મંદારમરંદચંપૂ’ નિર્ણયસાગર પ્રેસે પ્રગટ કર્યો છે. તેની બીજી આવૃત્તિ 1924માં…

વધુ વાંચો >

મંદિર-સ્થાપત્ય

મંદિર-સ્થાપત્ય કોઈ પણ દેવતાની પૂજા-ઉપાસના કે પ્રાર્થના માટેનું પવિત્ર વસ્તુ કે પ્રતીકો ધરાવતું વિશિષ્ટ સ્થાપત્ય. આવું સ્થાપત્ય સાધારણ રીતે કોઈ ધર્મ-સંપ્રદાય સાથે સંકળાયેલું હોય છે. રચના પરત્વે એમાં નાના, સાદા એકાદા ખંડ કે મઢૂલીથી માંડીને શિખર કે મિનારાબંધ ભવ્ય પ્રાસાદ-સ્વરૂપનાં બાંધકામો જોવામાં આવે છે. એમાંનાં ઘણાં દેવતાની મૂર્તિ કે ચિત્ર…

વધુ વાંચો >

મા આનંદમયી

મા આનંદમયી (જ. 30 એપ્રિલ 1896, ખેવડા, ત્રિપુરા; અ. 27 ઑગસ્ટ 1982) : વર્તમાન ભારતનાં અગ્રણી મહિલા સંતોમાંનાં એક. પિતા બિપિનબિહારી ભટ્ટાચાર્ય વિદ્યાકૂટ(હવે બાંગલાદેશમાં)ના ઈશ્વરભક્ત બ્રાહ્મણ કવિ હતા. માતા મોક્ષદાસુંદરી આદર્શ આર્ય ગૃહિણી હતાં. માનું બાળપણનું નામ નિર્મલાસુંદરી. બાળપણમાં જ તેમનામાં આધ્યાત્મિક લક્ષણો પ્રગટવા લાગ્યાં. તેજસ્વી સૌંદર્યવાળાં, પ્રેમભાજન, આજ્ઞાંકિત, સહાય…

વધુ વાંચો >

માઇકલૅન્જેલો, બુઑનારૉતી

માઇકલૅન્જેલો, બુઑનારૉતી (જ. 1475, કૅપ્રિસ, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1564, રોમ, ઇટાલી) : યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. રેનેસાંસ કાળની કળાના ટોચના 3 કળાકારોમાં લિયોનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે તેમનું સ્થાન છે. યુરોપની કળા પર માઇકલૅન્જેલોની અસર રેનેસાંસ પછી મૅનરિઝમ અને બરોક શૈલીઓ ઉપર એટલી પ્રભાવક રહી…

વધુ વાંચો >

માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ

માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ (જ. 1852, સ્ટ્રજેલ્નો (strezelno), પોલૅન્ડ: અ. 1931, યુ.એસ.) : વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ અમેરિકન નાગરિક. અત્યંત ચોકસાઈપૂર્વકનાં માપન કરવા માટે તૈયાર કરેલા પ્રકાશીય (optical) ઉપકરણ માટે તેમને 1907માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જન્મ સમયે તેમનું કુટુંબ પ્રશિયાના આધિપત્ય નીચે આવેલા પોલૅન્ડમાં સ્થાયી…

વધુ વાંચો >

માઇકલ્સન-મૉર્લી પ્રયોગ

માઇકલ્સન-મૉર્લી પ્રયોગ : પૃથ્વી એક પ્રકારના ઈથર માધ્યમમાં ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ માપવા માટે 1887માં કરવામાં આવેલ પ્રયોગ. તે સમયે એવું માનવામાં આવતું હતું કે અવકાશ ઈથર નામના પ્રવાહીથી ભરેલું છે. આ પ્રવાહી પારદર્શક અને હલકું હોવાનું મનાતું હતું. જેમ ધ્વનિના તરંગોને પ્રસરવા માટે માધ્યમ આવશ્યક છે તેમ…

વધુ વાંચો >

માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા)

માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા) : ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ સ્પંદનદિશા નિર્ધારિત કરવા માટેનું ઉપકરણ. પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ વિષમદિક્ધર્મીય (અસાવર્તિક) ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ ખનિજ-સ્ફટિકની તેજ (fast, X) અને ધીમી (slow, Z) સ્પંદનદિશા નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતું આ એક નાનું પણ અગત્યનું ઉપકરણ છે. માઇકા-પ્લેટની રચનામાં મસ્કોવાઇટ ખનિજની તદ્દન પાતળી પતરી (કે…

વધુ વાંચો >

માઇકોટૉક્સિન

માઇકોટૉક્સિન (ફૂગ-વિષ) : ફૂગ દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થો. ફૂગ દ્વારા ઉત્પન્ન થતા તે દ્વિતીય ચયાપચયકો (secondary metabolites) છે. માનવી તેમજ પાલતુ જાનવરોના ખોરાક પરની ફૂગ ઝેરનો સ્રાવ કરે છે. ઉપરાંત કેટલીક વનસ્પતિઓની ફૂગ પણ ચેપ લગાડી ઝેરનો સ્રાવ કરે છે. ફૂગથી ચેપી બનેલ આવો ખોરાક ખાવામાં આવતાં વિવિધ રોગો…

વધુ વાંચો >

મઅર્રી, અબુલ આલા

Jan 1, 2002

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

Jan 1, 2002

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

Jan 1, 2002

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

Jan 1, 2002

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

Jan 1, 2002

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

Jan 1, 2002

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

Jan 1, 2002

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

Jan 1, 2002

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

Jan 1, 2002

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

Jan 1, 2002

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >