ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >પિંડારક
પિંડારક : ગુજરાતનું પ્રાચીન તીર્થધામ અને લઘુ બંદર. તે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કચ્છના અખાતના દક્ષિણ કાંઠે આજના દ્વારકા નગરથી 28 કિમી. દૂર આવેલ છે. કચ્છના અખાતના પ્રવેશદ્વાર નજીક આવેલા શંખોદ્ધર બેટની બરોબર સામે આવેલ આ તીર્થધામ તાલુકામથક કલ્યાણપુરથી 26 કિમી. દૂર 22o 15′ ઉ. અ. અને 69o 15′…
વધુ વાંચો >પીએચ (pH)
પીએચ (pH) : દ્રાવણની ઍસિડિકતા કે બેઝિકતા દર્શાવતો અંક. તે ફ્રેન્ચ પદ puissance de hydrogen (હાઇડ્રોજનની પ્રબળતા, સાંદ્રતા કે વિભવ) માટેની સંજ્ઞા છે. જલીય દ્રાવણોની હાઇડ્રોજન આયન સાંદ્રતા દર્શાવવાની આ પ્રણાલી ડૅનિશ જૈવરસાયણવિદ સોરેન સોરેન્સને 1909માં શોધી હતી. તે પ્રમાણે દ્રાવણનું pH મૂલ્ય એટલે દ્રાવણમાંના હાઇડ્રોજન (ખરેખર હાઇડ્રોનિયમ, H3O+) આયનોની…
વધુ વાંચો >pH મીટર
pH મીટર : દ્રાવણની હાઇડ્રોજન આયન(H+)-સાંદ્રતા (acidity) માપવા માટેનું સાધન. કોષનું વિદ્યુત-ચાલક બળ (electromotive force, e.m.f.) માપવા માટે પોટેન્શિયૉમીટર તરીકે પણ તે વાપરી શકાય છે. સાધનના ચંદા (dial) ઉપર pH અને મિ.વોલ્ટ બંને એકમો દર્શાવતા આંકા હોય છે. માપક્રમની પરાસ (range) pH મૂલ્યો માટે 0 થી 14 pH અને ઈ.એમ.એફ.…
વધુ વાંચો >પીએનો જીઉસિપ્પી
પીએનો, જીઉસિપ્પી (જ. 27 ઑગસ્ટ 1858, સ્પિનેટ્ટા, ઇટાલી; અ. 20 એપ્રિલ 1932, તુરિન, ઇટાલી) : ઇટાલિયન ગણિતશાસ્ત્રી અને સંજ્ઞાત્મક તર્કશાસ્ત્ર(symbolic logic)ના પ્રણેતા. પિતાનું નામ બાર્ટોલોમિયો અને માતાનું નામ રોઝા કેવેલો હતું. બાર વર્ષની ઉંમરે તે અભ્યાસ કરવા મોસાળ તુરિન નગરમાં ગયા. શરૂઆતનું શિક્ષણ ઘરમાં જ શિક્ષકો પાસેથી મેળવ્યું. 1873માં કેવર…
વધુ વાંચો >પીચ
પીચ : દ્વિદળી (મેગ્નોલિયોસ્પીડા) વર્ગમાં આવેલા રોઝેસી (પદ્મકાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus persica Batsh (હિ. આલુબુખારા, અરુ, શફતાલૂ; મ. વીરારુક; કા. ચુનુન; પં. આડુ; ફા. શફતાલૂ અં. પીચ, નૅકટરીન બોખારાપ્લમ છે. ઉદભવ અને વિતરણ : પીચ ઉત્તર-પશ્ચિમ ચીનની મૂળ વતની વનસ્પતિ છે; તેનું તરીમદ્રોણી (basin) અને કુન્લુન શેન…
વધુ વાંચો >પીછેહઠ
પીછેહઠ : યુદ્ધના મોરચા પરથી સૈનિકોની ટુકડીઓ પાછી ખેંચી લઈ તેમનું સુરક્ષિત પ્રદેશમાં સ્થળાંતર કરવા અંગેની રણનીતિ. તે ફરજિયાત પણ હોઈ શકે અથવા તે વ્યૂહાત્મક પણ હોઈ શકે છે. નિકટવર્તી અથવા આસન્ન પરાજયથી બચવા માટે જ્યારે લશ્કર પીછેહઠ કરે છે ત્યારે તેને ફરજિયાત પીછેહઠ કહેવાય; પરંતુ તે સિવાય કેટલાક અન્ય…
વધુ વાંચો >પીટ
પીટ : છીછરાં સરોવરો, પંકવિસ્તારો કે અન્ય છીછરાં, ભેજવાળાં રહેતાં ગર્તસ્થાનોમાં ઊગેલા છોડ, જામતી શેવાળ, સાઈપરેસી પ્રકારની ‘સેજ’, ઘાસ પ્રકારની ‘રશ’, ઇક્વિસેટમ પ્રકારની ‘હૉર્સટેઇલ’ તેમજ અન્ય વનસ્પતિના વિઘટન-વિભંજન દ્વારા તૈયાર થતો કાળા કે ઘેરા રંગનો અવશેષ-જથ્થો. ક્યારેક તેમાં પારખી શકાય એવા વનસ્પતિના ટુકડાઓ પણ રહી જતા હોય છે, તો ક્યારેક…
વધુ વાંચો >પીટર ધ ગ્રેટ
પીટર, ધ ગ્રેટ (જ. 9 જૂન 1672, મૉસ્કો; અ. 8 ફેબ્રુઆરી 1725) : આધુનિક રશિયાનો પાયો નાખનાર શક્તિશાળી રશિયન શહેનશાહ. તેના નબળા મનના ભાઈ ઇવાન પાંચમાની સાથે તે દસ વરસની વયે રશિયાનો સંયુક્ત ગાદીપતિ થયો. તેના પાલક તરીકે બહેન સોફિયા હતી. પીટરના અનુયાયીઓએ ઇવાનને રીજંસી પદેથી 1689માં પદભ્રષ્ટ કરતાં તે…
વધુ વાંચો >પીટરનો સિદ્ધાંત
પીટરનો સિદ્ધાંત : શ્રેણીબદ્ધ વ્યવસ્થાતંત્રમાં બઢતી મળતાં મળતાં વ્યક્તિ તેની બિનકાર્યક્ષમતાના સ્તર સુધી પહોંચવાનું વલણ ધરાવે છે તેમ પ્રતિપાદિત કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંતની રજૂઆત કરનાર લૉરેન્સ પીટર અને રેમન્ડ હલ નામના સંશોધકો હતા. તેમણે નિરીક્ષણ કર્યું કે જ્યાં નજર નાખીએ ત્યાં બિનકાર્યક્ષમતા જ દેખાય છે. સરકારી ઑફિસોમાં જ નહિ, ખાનગી…
વધુ વાંચો >પીટરમેરિટ્ઝબર્ગ
પીટરમેરિટ્ઝબર્ગ : દક્ષિણ આફ્રિકાના નાતાલ વિભાગનું પાટનગર. ભૌ. સ્થાન : 29o 37′ દ. અ. અને 30o 16′ પૂ. રે. ડર્બનથી પશ્ચિમ તરફ આશરે 64 કિમી. અંતરે અંદરના ભૂમિભાગમાં, વૃક્ષ-આચ્છાદિત ભેખડો(escarpments)ની તળેટીમાં આવેલી ઉમસિંદુસી નદીખીણમાં તે વસેલું છે. 1839માં કેપ કૉલોનીના બોઅર લોકોએ ઝુલુઓ પર વિજય મેળવેલો તેની ખુશાલીમાં બ્લડ નદી…
વધુ વાંચો >