ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પીડા (pain)

Jan 11, 1999

પીડા (pain) પેશીને થતા નુકસાનને કારણે ઉદભવતી સંરક્ષણાત્મક, અતિતીવ્ર, તકલીફ કરતી તથા હંમેશાં કોઈક પ્રકારનો પ્રતિભાવ સર્જાવતી સંવેદના. શરીરના મોટાભાગના વિકારો કે રોગોમાં દુખાવો થાય છે. વ્યક્તિને જ્યારે દુખાવો થાય ત્યારે હંમેશાં તેને પ્રતિભાવ રૂપે કોઈક રક્ષણાત્મક ક્રિયા કરવી પડે છે; દા.ત., પગ્ પર વજનદાર વસ્તુ પડે તો તેનાથી ઉદભવતી…

વધુ વાંચો >

પીડાલિયમ

Jan 11, 1999

પીડાલિયમ : જુઓ ગોખરુ.

વધુ વાંચો >

પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ-રુગ્ણતા (analgesic nephropathy)

Jan 11, 1999

પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ–રુગ્ણતા (analgesic nephropathy) : પીડાશામક દવા લેવાને કારણે થતો મૂત્રપિંડનો વિકાર. વિવિધ ઔષધો જુદી જુદી રીતે મૂત્રપિંડ તથા મૂત્રમાર્ગ પર આડઅસર રૂપે કે ઝેરી અસર રૂપે નુકસાન કરે છે. પીડાશામક ઔષધ જ્યારે વધુ માત્રામાં લેવામાં આવે ત્યારે તે મૂત્રલનલિકાઓ તથા તેની આસપાસની અંતરાલીય પેશી(interstitial tissue)ને ઈજા કરે છે.…

વધુ વાંચો >

પીડાશામકો (analgesics)

Jan 11, 1999

પીડાશામકો (analgesics) : દુખાવો ઘટાડતી દવાઓ. દુખાવો મટાડતી દવાઓ અસરકારક, ઓછી જોખમી અને ઝડપથી કાર્ય કરતી હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેમને વાપરવા માટે ત્રિસોપાની પદ્ધતિ (3 step method) દર્શાવી છે. પ્રથમ પગલારૂપે ઍસ્પિરિન, એસિટાઍમિનોફેન (પેરેસિટેમોલ) અથવા બિનસ્ટિરોઇડી પીડાશામક  પ્રતિશોથકારી ઔષધો (nonsteroidal analgesic antiinflammatory drugs, NSAIDs) વપરાય છે. જો પીડા…

વધુ વાંચો >

પીણાં

Jan 11, 1999

પીણાં ઉત્તેજના અને તાજગી પ્રાપ્ત કરવા મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતા પેય પદાર્થો. વિશ્વમાં તેમનો ઉપયોગ પ્રતિદિન વધતો જ રહ્યો છે. તેના બે પ્રકારો છે : 1. બિનનશાકારક પીણાં અને 2. નશાકારક અથવા માદક પીણાં. બિનનશાકારક પીણાંમાં, ચા, કૉફી, કોકો, કોલા, ગુઆરાના (guarana), યોકો (yoco) અને વનસ્પતિજ દૂધનો સમાવેશ થાય છે;…

વધુ વાંચો >

પીણાં (beverages) (આયુર્વિજ્ઞાન)

Jan 12, 1999

પીણાં (beverages) (આયુર્વિજ્ઞાન) : સ્ફૂર્તિ માટે પિવાતાં પીણાં. જરૂર પડ્યે કેટલીક વાર તે પાણીની અવેજીમાં પણ લેવાય છે. સામાન્ય રીતે તે સામાજિક રીતભાત અને મિલન મુલાકાતોમાં સંપર્ક અને ચર્ચા વધારવા નિમિત્તે વપરાય છે. તેમાં ચા, કૉફી, ફળોના રસ, ઉત્તેજક પાનકો (cordials) અને વાતાન્વિત જલ(aerated water)નો સમાવેશ થાય છે. મદ્યપાનમાં વપરાતા…

વધુ વાંચો >

પીણાં-ઉદ્યોગ

Jan 12, 1999

પીણાં–ઉદ્યોગ : ઉત્તેજના અને તાજગી પ્રાપ્ત કરવા માટે ઉપભોક્તા દ્વારા ઉપયોગમાં લેવાતા પેય પદાર્થો તૈયાર કરવાનો અને તેનું વિતરણ કરવાનો ઉદ્યોગ. પીણાંના બિનનશાકારક અને નશાકારક/માદક – એમ બે પ્રકારો છે. ચા, કૉફી, કોકો અને અન્ય હળવાં પીણાં જેવાં કે કોકાકોલા, ફૅન્ટા, ગોલ્ડસ્પૉટ, રસના, સોડાવૉટર, લેમન, જિંજર વગેરે બિનનશાકારક અને વાઇન,…

વધુ વાંચો >

પીતજ્વર (yellow fever)

Jan 12, 1999

પીતજ્વર (yellow fever) : મચ્છર કરડવાથી માનવ-શરીરમાં ‘B’ સમૂહના અર્બો-વિષાણુઓ પ્રવેશવાથી ઉદભવતો એક રોગ. આ વિષાણુઓ મચ્છર અને માનવ ઉપરાંત કૂકડા અને ઉંદર જેવાં પ્રાણીઓમાં પણ પ્રવેશીને ત્યાં વૃદ્ધિ પામતા હોય છે. આ રોગ મુખ્યત્વે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં પ્રચલિત છે. ક્યૂલેક્સ મચ્છર (આઇડિસ ઇજિપ્ટિ) કરડવાથી માનવ-શરીરમાં પીતજ્વરના…

વધુ વાંચો >

પી. નારાયણચંદ્ર (જ. 1914 પેનુગોન્ડા આંધ્રપ્રદેશ)

Jan 12, 1999

પી. નારાયણચંદ્ર (જ. 1914, પેનુગોન્ડા, આંધ્રપ્રદેશ) : નામાંકિત તેલુગુ કવિ. તેમને તેમની કૃતિ ‘જનપ્રિય રામાયણમ્’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ઑરિયેન્ટલ કૉલેજ તથા તિરુપતિ અને મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેલુગુ વિદ્વાનની પદવી મેળવેલી. ત્યારબાદ વિવિધ શાળા-કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. થોડો વખત સાહિત્ય અકાદમીના લાઇબ્રેરિયન…

વધુ વાંચો >

પીપ

Jan 12, 1999

પીપ : મોટું ઊભું મજબૂત નળાકાર આકારનું પાત્ર. સામાન્યત: તે લાકડા અથવા ધાતુમાંથી બનાવવામાં આવે છે. લાકડાનાં પીપો હવે બહુ પ્રચલિત નથી. સૂકી વસ્તુઓ ભરવા માટે વપરાતાં પીપો પોચા લાકડામાંથી બનાવવામાં આવે છે ને તેમને બનાવવા માટે, નિષ્ણાત કારીગરોની જરૂર રહેતી નથી; જ્યારે પ્રવાહી ભરવા માટે વપરાતાં પીપ, ઊંચા પ્રકારના…

વધુ વાંચો >