ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર, અજિત અનંતરાવ
પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પીટરનો સિદ્ધાંત
પીટરનો સિદ્ધાંત : શ્રેણીબદ્ધ વ્યવસ્થાતંત્રમાં બઢતી મળતાં મળતાં વ્યક્તિ તેની બિનકાર્યક્ષમતાના સ્તર સુધી પહોંચવાનું વલણ ધરાવે છે તેમ પ્રતિપાદિત કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંતની રજૂઆત કરનાર લૉરેન્સ પીટર અને રેમન્ડ હલ નામના સંશોધકો હતા. તેમણે નિરીક્ષણ કર્યું કે જ્યાં નજર નાખીએ ત્યાં બિનકાર્યક્ષમતા જ દેખાય છે. સરકારી ઑફિસોમાં જ નહિ, ખાનગી…
વધુ વાંચો >પીટરમેરિટ્ઝબર્ગ
પીટરમેરિટ્ઝબર્ગ : દક્ષિણ આફ્રિકાના નાતાલ વિભાગનું પાટનગર. ભૌ. સ્થાન : 29o 37′ દ. અ. અને 30o 16′ પૂ. રે. ડર્બનથી પશ્ચિમ તરફ આશરે 64 કિમી. અંતરે અંદરના ભૂમિભાગમાં, વૃક્ષ-આચ્છાદિત ભેખડો(escarpments)ની તળેટીમાં આવેલી ઉમસિંદુસી નદીખીણમાં તે વસેલું છે. 1839માં કેપ કૉલોનીના બોઅર લોકોએ ઝુલુઓ પર વિજય મેળવેલો તેની ખુશાલીમાં બ્લડ નદી…
વધુ વાંચો >પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા)
પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા) : ભારતની પ્રમુખ સમાચાર- સંસ્થા. 27-8-1947ના રોજ સરદાર પટેલના સહયોગથી સ્થપાયેલી આ સંસ્થાએ 1 ફેબ્રુઆરી, 1949થી અંગ્રેજીમાં સમાચારો આપવાનો આરંભ કર્યો. તે વખતે આ સંસ્થાનું નામ એ.પી.આઇ. (એસોસિયેટેડ પ્રેસ ઑવ્ ઇન્ડિયા) હતું. દેશભરનાં સમાચાર-પત્રો, સરકારી કચેરીઓ, માહિતીખાતું, રાજ્યપાલનું નિવાસસ્થાન, મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન, દૂરદર્શન, આકાશવાણી – આ…
વધુ વાંચો >પીટીટ દીનશા માણેકજી (સર)
પીટીટ, દીનશા માણેકજી (સર) (જ. 30 જૂન 1823, મુંબઈ; અ. 5 મે, 1901 મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને લોકહિતૈષી દાનવીર. સૂરતથી સ્થળાંતર કરીને મુંબઈ આવેલા સમૃદ્ધ પારસી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. 14 વર્ષની વયે અભ્યાસ છોડીને તેમણે નોકરી સ્વીકારી; પરંતુ તેમની રુચિ વેપાર અને ઉદ્યોગ તરફ હોવાથી નોકરી…
વધુ વાંચો >પીટીટ મીઠુબહેન હોરમસજી
પીટીટ, મીઠુબહેન હોરમસજી (જ. 11 એપ્રિલ 1892, મુંબઈ; અ. 16 જુલાઈ 1973, સૂરત) : સ્વાતંત્ર્ય-સેનાની અને સમાજસેવિકા. મુંબઈના ધનાઢ્ય પારસી પરિવારમાં તેમનો જન્મ. હિંદના પહેલા બૅરોનેટ સર દીનશા માણેકજી તેમના વડદાદા થાય. મીઠુબહેનના પિતાનું નામ હોરમસજી અને માતાનું નામ પીરોજબાઈ હતું. તેમના કુટુંબના મૂળપુરુષ નસરવાનજી કાવસજી ઠીંગણા કદના હોવાથી ‘પીટીટ’…
વધુ વાંચો >પીઠ
પીઠ : મંદિરના ઊર્ધ્વમાનનો સૌથી નીચેનો ભાગ જેની ઉપર મંદિર સ્થિત છે. પીઠની બહારની ત્રણે બાજુઓને વિવિધ આડા થરો વડે અલંકૃત કરવામાં આવે છે. મંદિરની ઊંચાઈને ધ્યાનમાં રાખીને આડા થરોના ચોક્કસ માપ નક્કી કરેલાં છે. સૌથી નીચે ભીટ્ટનો થર હોય છે. ભીટ્ટની સંખ્યા એક, બે કે ત્રણ હોઈ શકે. તે…
વધુ વાંચો >પીઠપીડા (backache)
પીઠપીડા (backache) : પીઠમાં દુખાવો થવો તે. ધડના પાછલા ભાગને પીઠ કહે છે. સામાન્ય રીતે તે છાતી અથવા વક્ષ(thorax)ની પાછળનો ભાગ સૂચવે છે. ગળાની પાછળના ભાગને ડોક કહે છે અને પેટની પાછળના ભાગને કેડ, કમર અથવા કટિ (lumbar region) કહે છે. કટિવિસ્તાર લચીલું હલનચલન કરી શકે છે. ડોક અને કેડની…
વધુ વાંચો >પીઠમર્દ
પીઠમર્દ : સંસ્કૃત નાટકના મુખ્ય નાયકનો સહાયક. નાટકમાં નાયક સિવાયના પાત્રને લગતું પ્રાસંગિક કે ગૌણ કથાનક જે લાંબા સમય સુધી ચાલે છે તે પતાકા કહેવાય છે. આવા કથાનકનો નાયક ‘પીઠમર્દ’ કહેવાય છે. આથી જ સંસ્કૃત નાટ્યશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથ ‘દશરૂપક’ના કર્તા ધનંજય ‘પીઠમર્દ’ને ‘પતાકાનાયક’ તરીકે ઓળખાવે છે. આ પીઠમર્દ વિચક્ષણ હોય…
વધુ વાંચો >પીઠવણ
પીઠવણ : દ્વિદળી (મેગ્નાલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ફેબેસી (અપરાજિતા) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Uraria picta Desv. syn. Doodia picta Robx, Hedysarum pictum Jacq. (સં. પૃશ્નિપર્ણી, પુષ્ટિપર્ણી, પૃથક્પર્ણી, સિંહપુચ્છી, ચિત્રપર્ણી, કોષ્ટુવિન્ના, શૃગાલવિન્ના, હિં. પીઠવન, શંકરજટા, પિઠાની, ડાવડા, દૌલા, બં. ચાકૂલે, શંકરજટા, મ. પિઠવણ, રાનભાલ, શેવરા, કોંડવલા, ગુ. પીઠવણ, પીળો સમેરવો, કાબરચીતરો,…
વધુ વાંચો >પીઠિકા ખડક
પીઠિકા ખડક : જુઓ પવન
વધુ વાંચો >