ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >

પિલ્લાઈ કે. જી. શંકર

Jan 10, 1999

પિલ્લાઈ, કે. જી. શંકર (જ. 1948, ચાવરા, જિ. કોલ્લમ, કેરળ) : મલયાળમ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કે. જી. શંકર પિલ્લાઈયુડે કવિતકળ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલનો…

વધુ વાંચો >

પિલ્લાઈ ડૉ. ચંપકરામન

Jan 10, 1999

પિલ્લાઈ, ડૉ. ચંપકરામન (જ. 15 સપ્ટેમ્બર 1891, તિરુવનન્તપુરમ્, કેરળ; અ. 26 મે 1934, બર્લિન, જર્મની) : જર્મનીમાં વસેલ ભારતીય ક્રાંતિકારી. ચંપકરામનનો જન્મ સારી સ્થિતિના તમિળ હિંદુ કુટુંબમાં થયો હતો. પિતા ચિન્નાસ્વામી ત્રાવણકોર રાજ્યમાં પોલીસ અધિકારી હતા. ત્યાંની મહારાજા હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન 1905ની બંગભંગની ચળવળમાં ભાગ લેવાથી ચંપકરામનની ધરપકડ થઈ અને…

વધુ વાંચો >

પિલ્લાઈ પટ્ટમ થાનુ

Jan 10, 1999

પિલ્લાઈ, પટ્ટમ થાનુ (જ. 15 જુલાઈ 1885, તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્); અ. 27 જુલાઈ 1970, તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્)) : ત્રાવણકોર રાજ્ય કૉંગ્રેસના નેતા, સ્વાતંત્ર્યસેનાની, કેરળ રાજ્યના મુખ્ય પ્રધાન, આંધ્રપ્રદેશ અને પંજાબના ગવર્નર. જન્મ મધ્યમવર્ગના કુટુંબમાં. પિતા બ્રાહ્મણ અને માતા નાયર જ્ઞાતિનાં હતાં. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ તિરુવનંતપુરમમાં મેળવીને બી.એ. અને બી.એલ.ની ડિગ્રી…

વધુ વાંચો >

પિલ્લૈ શંકર

Jan 10, 1999

પિલ્લૈ શંકર (જ. 31 જુલાઈ 1902, કાયામ્કુલમ્, કેરળ; અ. 26 ડિસેમ્બર 1989) : વિખ્યાત કાર્ટૂનિસ્ટ અને ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટના સ્થાપક. ત્રિવેન્દ્રમની મહારાજા કૉલેજમાંથી વિજ્ઞાનના સ્નાતક થયા બાદ, 1927માં તેઓ કાયદાનું જ્ઞાન મેળવવા મુંબઈ ગયા; પણ તુરત જ અભ્યાસ છોડી દીધો ને કામ કરવા લાગ્યા. મુંબઈમાં તેઓ વિદ્યાર્થી હતા ત્યારે શોખ…

વધુ વાંચો >

પિશારોટી પી. આર.

Jan 10, 1999

પિશારોટી, પી. આર. (જ. 10 ફેબ્રુઆરી 1909, કોલેનગોડે, જિ. પાલઘાટ, કેરળ; અ. 24 સપ્ટેમ્બર 2002, પુણે) : હવામાનશાસ્ત્રના પ્રખર ભૌતિકશાસ્ત્રી. મૅટ્રિક સુધીનો અભ્યાસ કોલેનગોડેની શાળામાં જ 1925માં પૂરો કર્યો અને પછી 1931માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ, ભૌતિકશાસ્ત્ર)ની ઉપાધિ મેળવી. 1932થી 1941 સુધી એક કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે…

વધુ વાંચો >

પિસારિડેસ ક્રિસ્ટૉફર એ. (Possarides Christopher A.)

Jan 10, 1999

પિસારિડેસ, ક્રિસ્ટૉફર એ. (Possarides Christopher A.) (જ. 20 ફેબ્રુઆરી 1948, નિકોશિયા, સાયપ્રસ) : 2010નું નોબેલ પારિતોષિક પીટર ડાયમંડ તથા ડેલ ટી. મોર્તેન્સેન સાથે મેળવનારા બ્રિટિશ અર્થશાસ્ત્રી. તેમણે ત્રણેયે સંયુક્ત રીતે શોધ-ઘર્ષણ સાથે બજારનું વિશ્લેષણ કર્યું માટે તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિકમાં પ્રાધ્યાપક છે. તેમણે…

વધુ વાંચો >

પિસિસ્ટ્રેટસ

Jan 10, 1999

પિસિસ્ટ્રેટસ (જ. ઈ. સ. પૂ. 600; અ. ઈ. સ. પૂ. 527) : પ્રાચીન ગ્રીસના પ્રસિદ્ધ નગરરાજ્ય ઍથેન્સનો પ્રબુદ્ધ સરમુખત્યાર. એનો જન્મ ઈ. સ. પૂ. 600માં ઉમરાવ કુટુંબમાં થયો હતો. તે મહત્ત્વાકાંક્ષી હતો અને ઍથેન્સમાં સરમુખત્યાર થવા ઇચ્છતો હતો. એ સમયે ઍથેન્સમાં મેદાન પક્ષનો નેતા લાયકરગસ અને સમુદ્રકિનારા પક્ષનો નેતા મૅગાક્લીસ…

વધુ વાંચો >

પિસ્ટન અને સિલિંડર

Jan 10, 1999

પિસ્ટન અને સિલિંડર : એન્જિનના મહત્વના ભાગો. સિલિંડરમાં પિસ્ટન પશ્ચાગ્ર (reciprocating) ગતિએ ફરે છે. સિલિંડર એ બહારનો અને પિસ્ટન એ અંદરનો ભાગ ગણાય. એન્જિનમાં ઉચ્ચ દબાણવાળી વાયુની શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરવામાં સિલિંડર-પિસ્ટનની જોડ મહત્વનો ભાગ ભજવે છે. સિલિંડરને ઠંડું પાડવા માટે, સિલિંડરની આસપાસ જૅકેટ મૂકવામાં આવે છે ને તેમાંથી…

વધુ વાંચો >

પિસ્તાં

Jan 10, 1999

પિસ્તાં : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ એનાકાર્ડિયેસી (આમ્રાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pistacia Vera Linn. (સં. અભિષુક, મુકૂલક નિકરેચક; હિં. મ. ગુ. ફા. પિસ્તાં; બં. પિસ્તાગાછ; અ. ફિસ્તક, બસ્તજ; અં. પિસ્ટાશિઓ, ગ્રીન આમંડ) છે. ઉદભવ અને વિતરણ : તે પૂર્વીય ભૂમધ્ય પ્રદેશ, ઈરાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઈ દેશોની…

વધુ વાંચો >

પિસ્તોલ

Jan 10, 1999

પિસ્તોલ : નજીકથી પ્રહાર કરી શકાય તેવું સુવાહ્ય હથિયાર. વજનમાં તે હલકું (આશરે 907 ગ્રા.) હોવાથી માત્ર એક હાથમાં પકડીને નિશાન પર તે તાકી શકાય છે. નિશાનબાજીનું ક્ષેત્ર નાનું કે મર્યાદિત હોય અથવા નજીકમાં હોય કે સ્થિર હોય તો જ તેનો અસરકારક ઉપયોગ કરી શકાય છે. નિશાનબાજ નિષ્ણાત હોય તો…

વધુ વાંચો >