ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પેલોસી નાન્સી
પેલોસી, નાન્સી (જ. 26 માર્ચ 1940 બાલ્ટીમોર, મેરીલૅન્ડ, યુ.એસ.એ.) : જાન્યુઆરી, 2007થી અમેરિકાની ધારાસભાના નીચલા ગૃહ હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝનાં સૌપ્રથમ મહિલા-અધ્યક્ષ. તેઓ સાન્ફ્રાંસિસ્કો રાજ્યનાં વતની છે અને તેમના પતિ પૉલ પેલોસી પણ આ જ રાજ્યના વતની છે અને પાંચ બાળકોનું કુટુંબ ધરાવે છે. 1962માં તેઓ સ્નાતક બન્યા. તેમનું કુટુંબ ‘જાહેર…
વધુ વાંચો >પેલ્ટોફૉરમ
પેલ્ટોફૉરમ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ સિઝાલપિતીએસી ઉપકુળની એક નાનકડી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. તેની એક જાતિ Peltophorum ferrugineum Benth. syn. P. pterocarpum Backer ex K. Heyne. (અં. કૉપર પોડ, રસ્ટી શિલ્ડ બેરર; તે. કોન્ડાચિંટા; તા. ઇવાલ્વાગાઇ, પેરુન્ગોંડ્રાઇ; ગુ.મ.માં તામ્રશિંગી) છે. ભારતમાં ઉદ્યાનો કે રસ્તાની બંને…
વધુ વાંચો >પેશગી પ્રથા (imprest system)
પેશગી પ્રથા (imprest system) : મોટાં વ્યાપારી ગૃહોમાં થતા ગૌણ રોકડ ખર્ચને હિસાબી ચોપડામાં નોંધવા માટેની અત્યંત અનુકૂળ પ્રથા. આ પ્રથા અનુસાર અઠવાડિયું, પખવાડિયું કે મહિનો એવી કોઈ નિશ્ર્ચિત અવધિ દરમિયાન ધંધામાં થતા પરચૂરણ ખર્ચની ચુકવણી માટે પર્યાપ્ત ચોક્કસ રકમ મુખ્ય કૅશિયર દ્વારા નાયબ કૅશિયરને અગાઉથી આપવામાં આવે છે. નાયબ…
વધુ વાંચો >પેશીનાશ (gangrene)
પેશીનાશ (gangrene) : કોહવાટ (putrefaction) સાથે પેશીનો નાશ. તેને કોથ પણ કહે છે. તેને કોથ પણ કહે છે. કોષો, પેશીઓ તથા અવયવનો કોઈ ભાગ મૃત્યુ પામે તો તેને વિવિધ નામે ઓળખવામાં આવે છે. કોઈ વિકાર, ઝેર કે ઈજાને કારણે કોષોને ઈજા થાય અને તે નાશ પામે તો તેને કોષનાશ (necrosis),…
વધુ વાંચો >પેશીનાશ વાતજનક
પેશીનાશ, વાતજનક : ઈજા પછી નસો વગરની અને જીવંત ન રહી હોય એવી પેશીમાં ક્લોસ્ટ્રિડિયમ જૂથના કેટલાક જીવાણુઓથી થતો વાયુ ઉત્પન્ન કરતો રોગ. તેમાં મુખ્યત્વે ક્લો. પર્ફિન્જિન્સ નામનો જીવાણુ કારણરૂપ હોય છે; પરંતુ ક્યારેક ક્લો. નોવ્યી, ક્લો. હિસ્ટોલિટિકમ અને ક્લો. સેપ્ટિકમ પણ કારણરૂપ હોય છે. આ જીવાણુઓ માટીમાં તથા માનવો…
વધુ વાંચો >પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology)
પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology) : રોગમાં થતી પેશીની વિકૃતિઓના સૂક્ષ્મદર્શક વડે કરાતા અભ્યાસનું શાસ્ત્ર. તેને પેશી-રુગ્ણતાવિદ્યા પણ કહે છે. આ પ્રકારની વિકૃતિ કે રુગ્ણતાને પણ પેશીરુગ્ણતા (histopathogy) કહે છે. રોજબરોજની નિદાન-ચિકિત્સાલક્ષી તબીબી વિદ્યામાં પેશીનો ટુકડો મેળવીને કે શસ્ત્રક્રિયા કરીને નિદાન કરાય છે. તેનાં મુખ્ય સાત પાસાં છે : (1) પેશી-આહરણ (collection of…
વધુ વાંચો >પેશીવિદ્યા (પ્રાણી) (animal histology)
પેશીવિદ્યા (પ્રાણી) (animal histology) બહુકોષી પ્રાણીઓના શરીરમાંની વિવિધ પેશીઓ(tissues)ને લગતું વિજ્ઞાન. ઉચ્ચતર પ્રાણીઓમાં કોષોના સમૂહ સ્વરૂપે આવેલી પેશીઓ રચના પરત્વે વિવિધતા દર્શાવે છે. વિવિધ પેશીઓ વિશિષ્ટ રીતે જોડાતાં અંગોમાં પરિણમે છે. બહુકોષીય પ્રાણીઓના વિકાસની શરૂઆત એકકોષીય ફલિતાંડ(fertilised egg)થી થાય છે. કાળક્રમે ફલિતાંડનું વિભાજન (cleavage) થતાં તેનું બહુકોષીય ગર્ભ(embryo)માં રૂપાંતર થાય…
વધુ વાંચો >પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન)
પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન) : કોઈ સજીવની પેશી કે તેના કોષોને તેના શરીરની બહાર ઉછેરવાં તે. તેમાં અગાર (agar) કે સૂપ (broth) જેવાં પ્રવાહી, અર્ધપ્રવાહી કે ઘન વૃદ્ધિકારક દ્રવ્ય માધ્યમ(growth media)નો ઉપયોગ કરાય છે. અમેરિકન પૅથોલૉજિસ્ટ મૉન્ટ્રોઝ થૉમસ બરોઝે સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાલ તે મુખ્યત્વે પ્રાણીઓની પેશીના…
વધુ વાંચો >પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર)
પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર) : શરીરની બહાર કરવામાં આવતું પેશીઓનું સંવર્ધન. પેશી ઉપરાંત શરીરની બહાર કરવામાં આવતા છૂટાછવાયા કોષોના સંવર્ધનને પણ પેશીસંવર્ધન કહે છે. સજીવોના શરીરમાંથી વિશિષ્ટ જનીનોને અલગ કરીને તેમનું અન્ય સજીવોની પેશીમાં કુશળતાપૂર્વક પ્રસ્થાપન, વિષાણુઓનું અલગીકરણ, આર્થિક રીતે વધુ ઉપયોગી વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન, કૅન્સર જેવા માનવીને હાનિકારક…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >