ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પૅરેટો-શરતો
પૅરેટો–શરતો : ઇટાલીના અર્થશાસ્ત્રી પૅરેટો(1848-1923)એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર માટે રજૂ કરેલી શરતો, જેનું પાલન થાય તો સમાજમાં સંતોષની સપાટી મહત્તમ કક્ષાએ પહોંચે. એ એક એવી સ્થિતિ છે જેમાં એક વ્યક્તિને મળતા સંતોષમાં ઘટાડો કર્યા વિના બીજી વ્યક્તિને મળતા સંતોષમાં વધારો ન થઈ શકે. તેને પૅરેટો-ઇષ્ટતા પણ કહેવામાં આવે છે. આ માટે…
વધુ વાંચો >પૅરેફિન
પૅરેફિન : મીણ જેવા પદાર્થ અથવા સંયોજનોના સમૂહ માટે વપરાતો શબ્દ. મીણ અથવા ‘વૅક્સ’ (wax) શબ્દ પેટ્રોલિયમમાંથી મળતી કેટલીક અપરિષ્કૃત (crude) પેદાશો માટે પણ વપરાય છે. તેને ઠંડું પાડીને અલગ કરવામાં આવે છે તથા મિથાઇલ ઇથાઇલ કીટોનમાંથી સ્ફટિકીકરણ દ્વારા તેને શુદ્ધ કરવામાં આવે છે. પૅરેફિન વૅક્સ C26થી C30 કાર્બનવાળા આલ્કેન…
વધુ વાંચો >પૅરેફિન મીણ (paraffin wax)
પૅરેફિન મીણ (paraffin wax) : પેટ્રોલિયમમાંના ઊંજણતેલના અંશનું વિમીણીકરણ (dewaxing) કરીને મેળવાતો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનોનો બનેલો ઘન પદાર્થ. તે સ્ફટિકમય કે સૂક્ષ્મ સ્ફટિકમય (micro- crystalline) હોય છે. ઊંજણતેલનું વિભાગીકરણ (fractionation) કરીને મેળવાતા નિસ્યંદિત ભાગમાંથી સ્ફટિકમય મીણ, જ્યારે અપરિષ્કૃત (crude) તેલમાંના અવશિષ્ટ (residual) ઊંજણતેલના ભાગમાંથી સૂક્ષ્મસ્ફટિકીય પ્રકારનું મીણ મળે છે. સ્ફટિકમય મીણ…
વધુ વાંચો >પેરેસ શિમોન (Peres Shimon)
પેરેસ, શિમોન (Peres, Shimon) (જ. 1 ઑગસ્ટ 1923, પોલૅન્ડ; અ. 28 સપ્ટેમ્બર 2016, ઇઝરાયલ) : 1994ના શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અન્ય સાથે મેળવનાર ઇઝરાયલના રાજદ્વારી નેતા. તેમને એ નોબેલ પુરસ્કાર રાબિન અન યાસર અરાફાત સાથે ઇઝરાયલ-જૉર્ડન શાંતિ વાર્તાલાપ અને ઓસ્લો એકોર્ડ શાંતિ વાર્તાલાપ પૅલેસ્ટાઇનના આગેવાનો સાથે સફળતાપૂર્વક કરવા માટે આપવામાં…
વધુ વાંચો >પેરૉક્સાઇડ
પેરૉક્સાઇડ : પેરૉક્સી સમૂહ (-O-O-) ધરાવતું રાસાયણિક સંયોજન. પેરૉક્સાઇડને હાઇડ્રોજન પેરૉક્સાઇડનાં સંયોજનો ગણી શકાય. કાર્બનિક કે અકાર્બનિક પેરૉક્સાઇડમાં હાઇડ્રોજન પેરૉક્સાઇડ- (H2O2)ના એક અથવા બંને હાઇડ્રોજન વિસ્થાપન પામેલા હોય છે. ઉપચયન, સંશ્લેષણ, બહુલીકરણ તથા ઑક્સિજન બનાવવામાં પેરૉક્સાઇડ ઉપયોગમાં લેવાય છે. અકાર્બનિક પેરૉક્સાઇડમાં પરસલ્ફેટ, H2O2, Na2O2, તથા અન્ય ધાતુના પેરૉક્સાઇડ વગેરેને ગણાવી…
વધુ વાંચો >પેરૉક્સિઝોમ્સ
પેરૉક્સિઝોમ્સ : કોષમાં આવેલી હાઇડ્રોજન પેરૉક્સાઇડના સંશ્લેષણ અને વિઘટન સાથે સંકળાયેલી અંગિકા. ડી ડુવે અને તેમના સહકાર્યકરોએ (1965) કોષપ્રભાજન(cell fractionation)-પદ્ધતિ દ્વારા આ અંગિકાઓનું યકૃતકોષમાંથી અલગીકરણ કર્યું; જેમાં કેટલાક ઉપચાયી (oxidative) ઉત્સેચકો જેવા કે પેરૉક્સિડેઝ, કૅટાલેઝ, D-ઍમિનો-ઑક્સિડેઝ અને યુરેટ ઑક્સિડેઝ પુષ્કળ પ્રમાણમાં હતા. તે પ્રજીવો, યીસ્ટ, પર્ણકોષો, પાંડુરિત (etiolated) પર્ણપેશી, ભ્રૂણાગ્રચોલ(plumule),…
વધુ વાંચો >પેરોન ઈવા ડોમિન્ગો
પેરોન, ઈવા ડોમિન્ગો (જ. 7 મે 1919, લૉસ ટૉલ્ડોસ; અ. 26 જુલાઈ 1952, બ્વેઇનૉસઆયરિસ) : આર્જેન્ટિનાના પ્રમુખ જુઆન પેરોનનાં પત્ની તથા પ્રભાવશાળી મુત્સદ્દી. જન્મ ગરીબ કુટુંબમાં. જુઆન દુઆર્તે અને જુઆન ઇબારગ્યુરેનનાં પાંચ અનૌરસ સંતાનોમાંનાં તેઓ એક. 15 વર્ષની વયે ફિલ્મ અદાકાર બનવાના સ્વપ્ન સાથે તેઓ બ્વેઇનૉસઆયરિસ ગયાં હતાં અને ‘એવિટા’…
વધુ વાંચો >પેરોન જુઆન ડોમિન્ગો
પેરોન, જુઆન ડોમિન્ગો (જ. 8 ઑક્ટોબર 1895, બ્વેઇનૉસઆયરિસ, આર્જેન્ટિના; અ. 1 જુલાઈ 1974, બ્વેઇનૉસઆયરિસ) : વીસમી સદીના આર્જેન્ટિનાના મહત્વના રાજપુરુષ અને ભૂતપૂર્વ પ્રમુખ. પેરોનનો જન્મ મધ્યમવર્ગના કુટુંબમાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેઓ લશ્કરી તાલીમશાળામાં દાખલ થયા અને ક્રમશ: અધિકારી બન્યા. 1943માં લશ્કર દ્વારા થયેલ સત્તાપલટામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો…
વધુ વાંચો >પેલિકન
પેલિકન : પેલિકેનિફૉર્મિસ શ્રેણીના પેલિકેનિડે કુળનું વિશાળકાય જળચર પક્ષી. તેને ગુજરાતમાં ‘પેણ’ના નામે ઓળખવામાં આવે છે. પ્રજાતિ પેલિકેનસ હેઠળ કુલ 7 જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમને કદના આધારે બે સમૂહમાં મૂકવામાં આવે છે. બંને સમૂહોનું પ્રતિનિધિત્વ કરતી ગુલાબી પેણ (Rosy Pelican – P. onocrotalus) અને રૂપેરી પેણ (Grey Pelican –…
વધુ વાંચો >પેલિયોજીન-નિયોજીન (Palaeogene-Neogene)
પેલિયોજીન–નિયોજીન (Palaeogene-Neogene) : કૅનોઝૉઇક યુગના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ કાળગાળા. આંતરરાષ્ટ્રીય ભૂસ્તરીય પરિષદ (International Geological Congress) દ્વારા કૅનોઝૉઇક યુગને બે ભાગમાં વહેંચી નાખવામાં આવેલો છે, જે પૈકીનો પેલિયોસીન, ઇયોસીન અને ઑલિગોસીન કાલખંડોનો સમાવેશ કરતો કાળગાળો પેલિયોજીન અને માયોસીન, પ્લાયોસીન, પ્લાયસ્ટોસીન અને અર્વાચીન કાલખંડોનો સમાવેશ કરતો કાળગાળો નિયોજીન તરીકે ઓળખાય છે. યુ.એસ.ના…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >