ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પેલિયોસીન રચના (Palaeocene)
પેલિયોસીન રચના (Palaeocene) : તૃતીય જીવયુગના પાંચ કાલખંડ પૈકીનો એક અને પ્રથમ ક્રમે આવતો વિભાગ. પેલિયોસીનની વ્યુત્પત્તિ-Palaeo એટલે પ્રાચીન (જૂનું) અને cene એટલે અર્વાચીન-કરતાં અર્વાચીન પૈકીનો આદ્ય એવો અર્થ થાય. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં તેના ખડકસ્તરોની જમાવટ આજથી ગણતાં 6.5 કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 5.5 કરોડ વર્ષ અગાઉ પૂરી…
વધુ વાંચો >પેલે (મૂળ નામ એડસન અરાન્ટેસ ડા નાસિમેન્ટો)
પેલે (મૂળ નામ એડસન અરાન્ટેસ ડા નાસિમેન્ટો) (જ. 23 ઑક્ટોબર, 1940, ત્રે કોરાકોસ, મિનાસ જિરાઇસ) : બ્રાઝિલનો ફૂટબૉલ-રમતવીર. વિશ્વમાં સૌથી વધારે ખ્યાતિ ધરાવતા રમતવીરોમાંનો એક. રમતનાં કૌશલ્યોના તેના અદભુત સ્વામિત્વે પશ્ચિમી દેશોમાં તેને આદરભર્યું સ્થાન અપાવ્યું. પિતા રમોસ ફૂટબૉલના વ્યવસાયી ખેલાડી હતા. પિતાની પ્રેરણાથી એડસન પણ સમય મળ્યે આ રમત…
વધુ વાંચો >પેલેટિયરીન
પેલેટિયરીન : દાડમ(Punica granatum)ના ઝાડના મૂળની છાલમાંથી મળતું પ્રવાહી આલ્કેલૉઇડ. [β – 2 (પીપરીડાઇલ) – પ્રોપિયોનાલ્ડિહાઇડ] C5H10N(CH2)2CHO તેનું ઉ.બિં. 195o સે. તથા ઘટત્વ 0.988 છે. તે પાણી, આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મ તથા બેન્ઝિનમાં દ્રાવ્ય છે. તેના સલ્ફેટ, ટેનેટ, વેલરેટ જેવાં લવણો ઔષધ રૂપે પટ્ટીકૃમિનિસ્સારક (taeniafuge), કૃમિનાશક (anthelmintic), અતિસાર-પ્રતિકારક (antidysenteric) તરીકે વપરાય…
વધુ વાંચો >પૅલેડિયો આંદ્રે
પૅલેડિયો, આંદ્રે (જ. 30 નવેમ્બર 1508, Padua, Republic of Venice; અ. 19 ઑગસ્ટ, 1580, Maserm near Treviso, Repubik of venice) : ઇટાલિયન સ્થપતિ. સોળમી સદીના ઉન્નત રેનેસાંસ તથા રીતિવાદી પરંપરાના અગ્રેસર પ્રણેતા. માઇકલ ઍન્જેલોના આ સમકાલીને રેનેસાં સ્થાપત્યકલાને ધાર્મિક સિવાયની ઇમારતોમાં લોકભોગ્ય બનાવી. તેઓ પથ્થરના કારીગર તરીકે કામ કરતા હતા.…
વધુ વાંચો >પેલેન્ક્યુ
પેલેન્ક્યુ : મેક્સિકોમાં આવેલ પ્રાચીન માયા સંસ્કૃતિનું નાશ પામેલ પ્રસિદ્ધ નગર. તેનું મૂળ નામ જાણવા મળતું ન હોવાથી, નજીકના ગામ પરથી આ નામ આપ્યું છે. ઈ. સ.ની સાતમી અને આઠમી સદીમાં તે નગરની જાહોજલાલી હતી. મેક્સિકોના હાલના ચિયાપાસ રાજ્યમાં તે આવેલ હતું. સ્પૅનિશ લોકોએ સોળમી સદીમાં તે વિસ્તારો જીતી લીધા…
વધુ વાંચો >પૅલેસ્ટાઇન (ઇતિહાસ)
પૅલેસ્ટાઇન (ઇતિહાસ) : ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે આવેલો નાનકડો પ્રદેશ. દુનિયાના સૌથી વધારે ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રદેશોમાંનો તે એક છે. યહૂદી અને ખ્રિસ્તી ધર્મની શરૂઆત આ પ્રદેશમાં થઈ હતી. બાઇબલમાં વર્ણવેલાં ઘણાં સ્થળો આ પ્રદેશમાં આવેલાં છે. ઇજિપ્ત અને નૈર્ઋત્ય એશિયા વચ્ચે આવેલા આ પ્રદેશ ઉપર ઘણાં આક્રમણો થયાં છે…
વધુ વાંચો >પૅલેસ્ટાઇન (ભૂગોળ)
પૅલેસ્ટાઇન (ભૂગોળ) : પશ્ચિમ એશિયા અથવા તો મધ્ય-પૂર્વમાં આજનું ‘ગાઝા પટ્ટી’ (Gaza Strip) તરીકે ઓળખાતું ક્ષેત્ર. તે જૉર્ડન નદી-ખીણની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠા પર ઉત્તર-દક્ષિણ લાંબી પટ્ટીના રૂપમાં આવેલું છે. તેની એક બાજુએ ઇઝરાયલની સીમા છે, તો બીજી બાજુએ ઇજિપ્તની. આમ છતાં પૅલેસ્ટાઇનવાસીઓની માગણી મુજબનો આ નવોદિત રાષ્ટ્રનો વિસ્તાર…
વધુ વાંચો >પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (P.L.O.)
પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (P.L.O.) : અરબીમાં મુનાઝમ્મત-એત-તાહરીર ફિલિસ્તીનિયાહ. પૅલેસ્ટાઇનવાસી આરબોની રાષ્ટ્રીય આકાંક્ષાઓને વાચા આપતું તથા તેને સાકાર કરવા મથતું રાજકીય સંગઠન. સ્થાપના : 1964. તેનો મુખ્ય હેતુ પૅલેસ્ટાઇન પ્રદેશમાં રહેતા આરબો માટે સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય સ્થાપવાનો છે. 1948માં ઇઝરાયલના સ્વતંત્ર રાજ્યની રચના પહેલાં ‘મૅન્ડેટેડ’ પૅલેસ્ટાઇનમાં વસતા 44,50,000 આરબો અને…
વધુ વાંચો >પેલોપોનિશ્યન યુદ્ધો
પેલોપોનિશ્યન યુદ્ધો : ઍથેન્સ ને સ્પાર્ટાનાં નગરરાજ્યો વચ્ચેનાં યુદ્ધો. પ્રાચીન ગ્રીસમાં કેટલાંક સ્વાયત્ત નગરરાજ્યો આવેલાં હતાં; જેમાં ઍથેન્સ તથા સ્પાર્ટા મુખ્ય તેમજ શક્તિશાળી નગરરાજ્યો હતાં. ગ્રીસનાં નગરરાજ્યોના ભૌગોલિક તેમજ પ્રાદેશિક રીતે બે વિભાગ હતા : (1) પેલો પોનેસસનો પ્રદેશ તથા (2) ગ્રીસનો અન્ય પ્રદેશ. પેલો પોનેસસમાં ડોરિયન લોકોની મુખ્ય વસ્તી…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >