ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પેપ્ટાઇડ
પેપ્ટાઇડ : બે અથવા વધુ ઍમિનોઍસિડ સહસંયોજક બંધ વડે જોડાય ત્યારે પાણીના અણુનું વિલોપન થતાં મળતું સંયોજન. પેપ્ટાઇડમાં એમાઇડ – NH – CO – સમૂહનું પુનરાવર્તન થતું રહે છે. આ સમૂહની સંખ્યા પ્રમાણે તેમને ડાઇપેપ્ટાઇડ, ટ્રાઇપેપ્ટાઇડ, પૉલિપેપ્ટાઇડ વગેરે નામ આપવામાં આવે છે. 50થી વધુ ઍમિનોઍસિડ ધરાવતાં પેપ્ટાઇડને પ્રોટીન કહે છે.…
વધુ વાંચો >પેપ્ટિક ચાંદું (peptic ulcer)
પેપ્ટિક ચાંદું (peptic ulcer) જઠરના પાચકરસના સંસર્ગમાં આવતી શ્લેષ્મકલામાં પડતું ચાંદું(વ્રણ). એક સંકલ્પના પ્રમાણે જઠરના પાચકરસ દ્વારા જઠર કે પક્વાશય-(duodenum)ની દીવાલ(શ્લેષ્મકલા)ના પ્રોટીનનું પચન થાય છે તો ત્યાં ચાંદું પડે છે. તેથી તેને પચિતકલા-ચાંદું (peptic ulcer) કહે છે. પચિતકલા-વ્રણ બે પ્રકારનાં હોય છે : ટૂંકા ગાળાનાં અથવા ઉગ્ર (acute) અને લાંબા…
વધુ વાંચો >પેપ્ટિક છિદ્રણ (peptic perforation)
પેપ્ટિક છિદ્રણ (peptic perforation) : પેપ્ટિક વ્રણમાંથી કાણું પડવું તે. પક્વાશય (duodenum) કે જઠરમાં લાંબા સમયના ચાંદાને પચિતકલાવ્રણ (peptic ulcer) કહે છે. ક્યારેક તે વિકસીને જઠરમાં કાણું પાડે ત્યારે તેને પચિતકલાછિદ્રણ (peptic perforation) અથવા પેપ્ટિક છિદ્રણ કહે છે. સ્ત્રીઓ કરતાં તે પુરુષોમાં બમણા દરે થાય છે. તે મુખ્યત્વે 45થી 55…
વધુ વાંચો >પેપ્સિન
પેપ્સિન : સસ્તન પ્રાણીઓ, સરીસૃપો તથા માછલીના જઠર-રસમાં જોવા મળતો પ્રોટીનલયી (proteolytic) ઉત્સેચક. જઠરમાંના શ્લેષ્મલ(mucosa)માં રહેલા પેપ્સિનોજનમાંથી HCl દ્વારા પેપ્સિન બને છે. પેપ્સિન નિરોધક, પેપ્ટાઇડ, pH 5થી વધુ હોય તો પેપ્સિન અણુને વળગી રહે છે તથા ઉત્સેચકનું સક્રિયન અટકાવી દે છે. ઍસિડિક પરિસ્થિતિમાં તેની ક્રિયાશીલતા મહત્તમ હોય છે. ચરબી કે…
વધુ વાંચો >પેર
પેર : જુઓ, નાસપાતી.
વધુ વાંચો >પૅરડાઇસ લૉસ્ટ
પૅરડાઇસ લૉસ્ટ : અંગ્રેજ કવિ જ્હૉન મિલ્ટનરચિત મહાકાવ્ય. હોમર, વર્જિલ અને ટૅસ્સોનાં પ્રાચીન મહાકાવ્યોના આદર્શને નજર સમક્ષ રાખીને લખાયેલું અંગ્રેજી ભાષાનું તે સુદીર્ઘ શ્રેષ્ઠ મહાકાવ્ય છે. પ્રથમ આવૃત્તિ ઑગસ્ટ, 1667માં 10 અને દ્વિતીય આવૃત્તિ 1664માં 12 ખંડોમાં પ્રસિદ્ધ થઈ. પ્રકાશક સૅમ્યુઅલ સિર્માંગ સાથે થયેલ કરાર મુજબ કવિને પાંચ પાઉંડની રકમ…
વધુ વાંચો >પેરાઘાસ
પેરાઘાસ : એકદળી વર્ગના તૃણાદિ (poaceae) કુળની ઘાસની જાતિ. આ ઘાસનું શાસ્ત્રીય નામ Brachiaria mutica Stapf છે. આ એક બહુવર્ષીય ઘાસ છે. ઘાસનું પ્રકાંડ જમીન પર પથરાતું આગળ વધે છે. પ્રકાંડમાં અવસ્થા પ્રમાણે 5થી 15 સેમી.ના અંતરે ગાંઠો હોય છે. દરેક ગાંઠમાંથી પર્ણ પ્રકાંડને ભૂંગળીની માફક વીંટળાઈને આગળની ગાંઠ નજીક…
વધુ વાંચો >પૅરાથાયૉન
પૅરાથાયૉન : ફૉસ્ફરસ તથા સલ્ફર તત્ત્વો ધરાવતું જાણીતું જંતુઘ્ન રસાયણ. તેનું સૂત્ર (C2H5O)2P(S)OC6H4NO2 તથા રાસાયણિક નામ O, O, ડાઇઇથાઇલ-Pનાઇટ્રોફિનાઇલ-થાયોફૉસ્ફેટ છે. તે આછી વાસવાળું ઘેરા ભૂખરા કે પીળા રંગનું પ્રવાહી છે. તેનું ઘટત્વ 1.26, ઉ.બિ. 375o સે., ઠારબિંદુ 6o સે. તથા 24o સે. તાપમાને બાષ્પદબાણ 0.003 મિમી. છે. પૅરાથાયૉન પાણીમાં અલ્પદ્રાવ્ય…
વધુ વાંચો >પેરામારીબો
પેરામારીબો : દક્ષિણ અમેરિકાના ઉત્તરતરફી ઈશાન ભાગમાં આવેલા સુરીનામ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 5o 50′ ઉ. અ. અને 55o 10′ પ. રે. તે આટલાન્ટિક મહાસાગરના કિનારાથી અંદર તરફના ભૂમિભાગમાં લગભગ 20 કિમી.ને અંતરે સુરીનામ નદી પર આવેલું છે. મહાસાગર નજીકની નદીનાળમાં ઉદભવતી નાની…
વધુ વાંચો >પૅરામેટ્રિક સ્થાપત્ય
પૅરામેટ્રિક સ્થાપત્ય : મકાનનાં આકાર, માપ, માળખાકીય બંધારણ તથા અન્ય જરૂરી ગણિતીય પરિમાણો કમ્પ્યુટરનાં એલ્ગોરિધમ્સ દ્વારા નક્કી થાય તે પૅરામેટ્રિક સ્થાપત્ય. સૈદ્ધાંતિક રીતે આની શરૂઆત તો વર્ષ ૧૯૬૦ના દાયકાથી થઈ હતી પણ તેનું પ્રચલન વર્ષ ૧૯૯૦ પછી વધ્યું. સાંપ્રત સમયમાં જ્યારે ત્રિપરિમાણીય પ્રિન્ટિંગની વાત થાય છે ત્યારે પૅરામેટ્રિક સ્થાપત્યની સંભાવના…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >