ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પેરાસિટેમૉલ (એસિટિલઍમિનોફિનોલ)
પેરાસિટેમૉલ (એસિટિલઍમિનોફિનોલ) : દુખાવો અને તાવ ઘટાડતું ઔષધ. તે કોલસીડામર(coal-tar)જૂથના પીડાશામક (analgesic) ઔષધ તરીકે પણ ઓળખાય છે. તેનું શાસ્ત્રીય નામ એન-એસિટિલ-4-ઍમિનોફિનોલ છે. તેનો સૌપ્રથમ ઉપયોગ 1893માં ફોન મેરિંગે કર્યો હતો. તે અગાઉ વપરાતી એસિટાનિલિડ અને ફિનેસેટિન નામની દવાઓનું સક્રિય ચયાપચયી શેષદ્રવ્ય છે તેવું જાણમાં આવ્યા પછી 1949થી તે વ્યાપક વપરાશમાં…
વધુ વાંચો >પેરાસેલ્સસ
પેરાસેલ્સસ (જ. નવેમ્બર 1493, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 24 સપ્ટેમ્બર 1541, સાલ્ઝબર્ગ) : સ્વિસ કીમિયાગર (alchemist) તથા દાક્તર, ઔષધવિજ્ઞાનના સ્થાપક. પિતા ઝુરિક નજીક વૈદું કરતા, જેમણે વૈદક અંગેનું પ્રાથમિક જ્ઞાન આપેલું. સ્ટ્રાસબર્ગમાં સ્થાયી થયા તે અગાઉ ખૂબ મુસાફરી કરેલી. આ મુસાફરી દરમિયાન તેમણે કેટલીક વગદાર વ્યક્તિઓની સારવાર કરી, તેમને સાજા કરેલા. પરિણામે…
વધુ વાંચો >પેરિક્યુટિન
પેરિક્યુટિન : મેક્સિકોમાં આવેલો જ્વાળામુખી પર્વત. પશ્ચિમ ગોળાર્ધમાં છેલ્લે છેલ્લે પ્રસ્ફોટ પામી તૈયાર થયેલો જ્વાળામુખી. નૈર્ઋત્ય મેક્સિકોના ઉરુઅપન (Uruapan) શહેર નજીક તે આવેલો છે. જ્વાળામુખીના પ્રસ્ફોટની ક્રિયાથી નાશ પામેલા પેરિક્યુટિન નામના ગામ પરથી તેને પ્રસ્તુત નામ અપાયેલું છે. 1943ના ફેબ્રુઆરીની 20મી તારીખે આ ગામના એક મકાઈના ખેતરની ફાટમાંથી આ જ્વાળામુખીનું…
વધુ વાંચો >પેરિક્લિસ
પેરિક્લિસ (જ. ઈ. સ. પૂ. 490, ઍથેન્સ; અ. ઈ. સ. પૂ. 429, ઍથેન્સ) : ઍથેન્સનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સર્વતોમુખી પ્રગતિનો સર્જક. તે ઉમરાવ કુટુંબમાં જન્મ્યો હતો. તેના પિતા ઝેનથિપ્પસ ઍથેન્સના સેનાપતિ અને રાજકીય નેતા હતા. તેની માતા લોકશાહીવાદી ક્લિસ્થેનિસની ભત્રીજી હતી. પેરિક્લિસ તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર અને સાહિત્યનો પ્રખર અભ્યાસી હતો. ડેમન…
વધુ વાંચો >પેરિડોટાઇટ
પેરિડોટાઇટ : અગ્નિકૃત ખડકો પૈકીનો બેઝિક ખડકપ્રકાર. ઑલિવીન, પાયરૉક્સિન અને હૉર્નબ્લેન્ડના સ્થૂલ સ્ફટિકોનું 90 % પ્રમાણ ધરાવતા, પરંતુ જેમાં ઑલિવીન મુખ્ય ખનિજ હોય એવા આવશ્યકપણે બિનફેલ્સ્પેથિક અંત:કૃત ખડકને પેરિડોટાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ખનિજોમાં મુખ્યત્વે પ્લેજિયોક્લેઝ, ક્રોમાઇટ અને ગાર્નેટ હોઈ શકે છે. પૃથ્વીના પેટાળમાં ભૂમધ્યાવરણ(mantle)નો મોટો ભાગ કદાચ પેરિડોટાઇટથી…
વધુ વાંચો >પેરિન ઝાં બાપ્તિસ્તે
પેરિન, ઝાં બાપ્તિસ્તે [જ. 30 સપ્ટેમ્બર 1870, લીલ (Lille), ફ્રાન્સ; અ. 17 એપ્રિલ, 1942, ન્યૂયૉર્ક] : દ્રવ્યના તૂટક બંધારણ-(discontinuous structure)ના તેમના કાર્ય માટે અને વિશેષત: વિક્ષેપન(sedimentation)ના સમતોલનની શોધ માટે, 1926ના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના વિજેતા. પૅરિસની ‘ઍકોલ નૉર્માલે સુપેરિયર’ (Ecole Normale’ Superieure) શાળામાં શિક્ષણ લઈને 1908માં પૅરિસ યુનિવર્સિટીમાં જોડાયા અને…
વધુ વાંચો >પેરિનબહેન કૅપ્ટન
પેરિનબહેન કૅપ્ટન (જ. 12 ઑક્ટોબર 1888, માંડવી; અ. 17 ફેબ્રુઆરી 1958, પુણે) : ભારતીય મહિલા સ્વાતંત્ર્યસેનાની. દાદાભાઈ નવરોજીના મોટા પુત્ર અરદેશરની સૌથી નાની પુત્રી. પિતા ડૉક્ટર. માતા વીરબાઈ દાદીના. પેરિનબહેને 1893માં પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં થયું. ઉચ્ચ અભ્યાસ અર્થે ફ્રાંસ ગયાં. પૅરિસની સોર્બોન નુવૅલે…
વધુ વાંચો >પેરિપ્લૉકેસી (Periplocaceae Sehltn)
પેરિપ્લૉકેસી (Periplocaceae Sehltn) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ એસ્ક્લેપિયેડેસી કુળમાંથી છૂટું પડાયું છે. એસ્ક્લેપિયેડેસીમાં પરાગરજ પરાગપિંડ (pollinium) નામના અંગમાં સંકલિત થઈ હોય છે. જ્યારે પેરિપ્લૉકેસીમાં પુંકેસરો મુક્ત હોય છે અને પરાગરજ સ્વતંત્ર કણસ્વરૂપે હોય છે. પરાગનયન વિશિષ્ટ સ્વરૂપનું હોય છે. પરાગરજ એક ચમચી આકારના સ્થાનાંતરક (translator) નામના…
વધુ વાંચો >પેરિયપ્પુરમ જોસ ચાકો (ડૉ.)
પેરિયપ્પુરમ જોસ ચાકો (ડૉ.) (જ. 28 એપ્રિલ 1958) : એક પ્રસિદ્ધ હૃદયશલ્ય ચિકિત્સક. જેઓ દક્ષિણી રાજ્ય કેરળમાં ઉત્કૃષ્ટ કાર્ડિયોલૉજિકલ અને કાર્ડિયાક સર્જિકલ ઉપચારની શરૂઆત કરવા માટે અને એને સ્થાપિત કરવા માટે જાણીતા છે. ડૉ. પેરિયપ્પુરમે વર્ષ 1978માં કેરળ વિશ્વવિદ્યાલયમાં પ્રથમ રેન્ક સાથે સેન્ટ થોમસ કૉલેજ પલાઈમાંથી વનસ્પતિવિજ્ઞાનમાં સ્નાતક કર્યું અને…
વધુ વાંચો >પેરિયાર (નદી સરોવર)
પેરિયાર (નદી, સરોવર) : દક્ષિણ ભારતના નૈર્ઋત્ય ભાગમાં કેરળ રાજ્યમાં આવેલાં નદી અને સરોવર. પેરિયાર નદી તમિળનાડુ-કેરળની સરહદ પરના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને ત્યાંથી ઉત્તર તરફ વહીને પેરિયાર સરોવરને મળે છે. આ નદી સરોવરના પૂર્વ ભાગમાંથી ફરીથી નીકળે છે અને પર્વતોમાં થઈને વાયવ્ય તરફ વહે છે. કોટ્ટાયમ્ તથા એર્નાકુલમ્…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >