સ્થાપત્યકલા

વૈકુંઠ પેરુમલ્લનું મંદિર

વૈકુંઠ પેરુમલ્લનું મંદિર : તમિલનાડુમાં કાંચીપુરમ્માં આવેલું પલ્લવશૈલીનું મંદિર. આ મંદિર પલ્લવ રાજા નંદિવર્મન્ બીજા(આશરે 717779)એ બંધાવ્યું હતું. ગર્ભગૃહ પરનું તેનું વિમાન તલમાનમાં સમચોરસ અને 18.3 મીટર (60 ફૂટ) ઊંચું છે. સુંદર થરવાળા ઊંચા અધિષ્ઠાન પર ઊભેલું આ મંદિર ગ્રૅનાઇટ પથ્થરમાંથી બાંધેલું છે. નીચેના તલ ભાગે તે સમચોરસ છે, પરંતુ…

વધુ વાંચો >

વોયઝી ચાર્લ્સ ફ્રાન્સિસ એન્નેસ્લી

વોયઝી ચાર્લ્સ ફ્રાન્સિસ એન્નેસ્લી (જ. 1857; અ. 1941) : બ્રિટિશ સ્થપતિ. સૌપ્રથમ તેણે સેડોનના હાથ નીચે અને તે પછી 1880થી ડેવેયના હાથ નીચે કામ કર્યું. તેનાથી તેની શરૂઆતની ઇમારતો પર પ્રાદેશિક (vernacular) પદ્ધતિની અસર જોવા મળે છે. 1882થી તેણે સ્વતંત્ર રીતે સ્થપતિ તરીકેની પ્રૅક્ટિસ શરૂ કરી. તેને સ્થાપત્યની જેમ ડિઝાઇનમાં…

વધુ વાંચો >

વૉલ્ટ (Vault)

વૉલ્ટ (Vault) : પથ્થર કે ઈંટની કમાન આધારિત છત (roof). બાંધકામની ષ્ટિએ વૉલ્ટના જુદા જુદા પ્રકાર પડે છે. જો કમાનને ઊંડે સુધી લંબાવવામાં આવે તો તે ટનલ (tunnel) જેવી લાગે. આ પ્રકારના વૉલ્ટને બૅરલ (barrel) કે વૅગન (waggon) કે ટનલ વૉલ્ટ કહે છે. જેની પર વૉલ્ટ ઊભું કરેલું હોય છે…

વધુ વાંચો >

શકુનિકાવિહાર

શકુનિકાવિહાર : પ્રાચીન કાળમાં શ્રીલંકાની રાજકુમારીએ ભરુકચ્છમાં બંધાવેલ જૈનમંદિર. શ્રીલંકાની એક રાજકુમારી સુદર્શનાએ ત્યાંથી ભરૂચ આવી, અશ્વાવબોધતીર્થમાં ‘શકુનિકાવિહાર’ નામે જૈનમંદિર બંધાવ્યું હતું એવી અનુશ્રુતિ અનેક પ્રાચીન જૈન ગ્રંથોમાં નોંધાઈ છે, અને એનો નિર્દેશ કરતાં શિલ્પ અનેક જૈન મંદિરોમાં છે. એ પ્રસંગનો ચોક્કસ સમય-નિર્ણય કરવો મુશ્કેલ છે, પણ વિજયે શ્રીલંકામાં વસાહત…

વધુ વાંચો >

શત્રુંજય પરનાં મંદિરો

શત્રુંજય પરનાં મંદિરો : જૈનોનું મહિમાવંતું ગિરિતીર્થ. જૈનોમાં મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. ‘એ સમ તીરથ ન કોય’ – એની તોલે આવી શકે એવું બીજું કોઈ તીર્થ નથી – એમ કહીને, એનો અપરંપાર મહિમા જૈન સંઘમાં વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા…

વધુ વાંચો >

શંખેશ્વર

શંખેશ્વર : ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ. શંખેશ્વર ઉત્તર ગુજરાતમાં રાધનપુર જિલ્લામાં મુંજપર ગામ પાસે આવેલું છે. શંખેશ્વરનું પ્રાચીન નામ ‘શંખપુર’ શિલાલેખો તેમજ ગ્રંથોમાંથી મળી આવે છે; પરંતુ શંખપુરમાં રહેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના વિશેષ મહિમાને કારણે તે ‘શંખેશ્વર તીર્થ’ તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મહામંત્રી સજ્જનશાહે…

વધુ વાંચો >

શાહઆલમનો રોજો

શાહઆલમનો રોજો (1531) : મહમૂદ બેગડાના સમયનું જાણીતું સ્થાપત્ય. અમદાવાદના મુસલમાન સંતોમાં શાહઆલમસાહેબ પ્રસિદ્ધ છે. તેમનું નામ આજદિન સુધી જાણીતું છે. 17 મે વર્ષે તેઓ સરખેજના પ્રસિદ્ધ સંત એહમદ ખટ્ટુગંજબક્ષસાહેબના પરિચયમાં આવ્યા અને મગરબી પંથનું જ્ઞાન લીધું. ગુજરાતની સલ્તનતના રાજકુટુંબ સાથે એમનો નજીકનો સંબંધ હતો. ‘મિરાંતે સિકંદરી’માં તેમના ઘણા ચમત્કારોનું…

વધુ વાંચો >

શાહની મસ્જિદ, ઇસ્ફાહાન

શાહની મસ્જિદ, ઇસ્ફાહાન : ઈરાનની જાણીતી મસ્જિદ. શાહ અબ્બાસ 1લાએ સ્થપતિ ઉસ્તાદ અબુલ કાસિમના માર્ગદર્શન નીચે 1611માં ઇસ્ફાહાનમાં આ મસ્જિદનું બાંધકામ શરૂ કરાવ્યું. મસ્જિદનું સંપૂર્ણ બાંધકામ 1638માં પૂર્ણ થયું હોવાનું જણાય છે. તેના પ્રાંગણનો ઉત્તરાભિમુખ દરવાજો (portal) 1616માં બંધાઈને પૂર્ણ થયો હતો એમ ત્યાંના શિલાલેખ પરથી જાણવા મળે છે. આર્થર…

વધુ વાંચો >

શિખર

શિખર : મંદિરના ગર્ભગૃહની ઉપર થતું શાસ્ત્રોક્ત બાંધકામ. શિખરોના બાંધકામના વૈવિધ્યને કારણે જુદી જુદી શિખરશૈલીઓ અસ્તિત્વમાં આવી. ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં આ શૈલીઓનું વિવરણ જોવા મળે છે. આમાં મુખ્યત્વે નાગર અને દ્રાવિડ પણ ઓળખાય છે. તલમાનની ષ્ટિએ આ બે શૈલીઓ વચ્ચે ભાગ્યે શિખરશૈલીઓ જાણીતી છે. નાગરશૈલી ઉત્તરભારતીય શૈલી કે ઇન્ડો-આર્યન શૈલી…

વધુ વાંચો >

શિયૉપ્સનો પિરામિડ

શિયૉપ્સનો પિરામિડ : ઇજિપ્તના પિરામિડ સ્થાપત્યમાં અગ્રગણ્ય પિરામિડ. નાઇલ નદીના પશ્ચિમ કાંઠે મેમ્ફિસ નામના સ્થળેથી થોડે દૂર ગીઝે આવેલું છે. આ સ્થળે આવેલા પિરામિડોમાં શિયૉપ્સનો પિરામિડ નોંધપાત્ર છે. તે ઇજિપ્તના ફેરોહ ખુફુનો પિરામિડ હોવાથી ખુફુના પિરામિડ તરીકે પણ જાણીતો છે. માનવસર્જિત સ્થાપત્યમાં આ સૌથી વિશાળ સ્થાપત્ય છે. તેનો સમચોરસ પાયો…

વધુ વાંચો >