સ્થાપત્યકલા

શેખ, વજીહુદ્દીનનો રોજો

શેખ, વજીહુદ્દીનનો રોજો : અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં આવેલું મુઘલકાલીન સ્થાપત્ય. મૌલાના વજીહુદ્દીન સૂફી સંત હતા. તેઓ ચાંપાનેરના વતની હતા અને 1537થી અમદાવાદ આવી વસ્યા હતા. તેમણે અહીં મદરેસા સ્થાપી હતી. તેઓ ‘અલવી’ના ઉપનામે સાહિત્ય-રચના પણ કરતા. 1589માં તેમનું અવસાન થતાં તેમના નિવાસ પાસે જ તેમને દફનાવવામાં આવ્યા હતા. ગુજરાતના તત્કાલીન…

વધુ વાંચો >

શેરશાહનો મકબરો, સાસારામ

શેરશાહનો મકબરો, સાસારામ : મધ્યકાલીન ભારતના સુર વંશ(1540-1555)ની ભવ્ય ઇમારત. બિહારના સાસારામમાં શેરશાહનો મકબરો કૃત્રિમ જળાશયની વચ્ચે આવેલો છે. રચના અને સજાવટની દૃષ્ટિએ તે ઉત્તર ભારતની નમૂનેદાર ઇમારત ગણાય છે. એનું બાહ્ય સ્વરૂપ મુસ્લિમ છે, જ્યારે આંતરિક રચનામાં સ્તંભો વગેરેની સજાવટમાં તે હિંદુ સ્વરૂપ ધરાવે છે. તેની કુલ ઊંચાઈ 45.7…

વધુ વાંચો >

શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas)

શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas) (જ. 1660થી 1664; હૅમ્બર્ગ, જર્મની; અ. 1714, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : જર્મન બરોક શિલ્પી અને સ્થપતિ. જર્મનીમાં બરોક કલાના તેઓ સૌથી પ્રખર કલાકાર હતા. 1695માં ફ્રાન્સની અને 1696માં ઇટાલીની યાત્રાઓ કરીને શ્લુટરે બર્લિનના ઇલેક્ટર ફ્રેડરિક ત્રીજાના મુખ્ય શિલ્પીનું સ્થાન લીધું. 1703માં તેમણે ઇલેક્ટરનું પૂરાં કદથી મોટું…

વધુ વાંચો >

સહસ્રલિંગ તળાવ

સહસ્રલિંગ તળાવ : પાટણમાં સિદ્ધરાજ જયસિંહે દુર્લભ સરોવરનું નવનિર્માણ કરીને બંધાવેલ સરોવર. ભારતીય વાસ્તુગ્રંથોમાં જળાશયોની વ્યવસ્થા તથા પુર કે નગરની રચનામાં પણ તેઓનું અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટ વિશે નિરૂપણ જોવામાં આવે છે. જળાશયોમાં મુખ્યત્વે ચારેય બાજુએથી બાંધેલું સરોવર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોમાં…

વધુ વાંચો >

સાણાની ગુફાઓ

સાણાની ગુફાઓ : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકામાં વાંકિયા નામના ગામ પાસે આવેલી સાણાની ટેકરીઓમાંની ગુફાઓ. ત્યાં જૂનાગઢ અને તળાજાની ગુફાઓ જોડે સામ્ય ધરાવતી આશરે 62 શૈલ-ઉત્કીર્ણ ગુફાઓનો વિશાળ સમૂહ આવેલો છે. સાણાની ગુફાઓ કયા સંપ્રદાય માટે હતી તે હાલ માત્ર અટકળનો વિષય છે. તળાજાના એભલ મંડપ જેવી અહીં પણ…

વધુ વાંચો >

સાન્સોવિનો જેકોપૉ

સાન્સોવિનો, જેકોપૉ (જ. 2 જુલાઈ 1486, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 27 માર્ચ 1570, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. મૂળ નામ જેકોપૉ તાતી. જેકોપૉ સાન્સોવિનો 1502માં વેનિસમાં શિલ્પી આન્દ્રેઆ સાન્સોવિનોનું તેમણે શિષ્યત્વ સ્વીકારી શિલ્પકલા શીખવી શરૂ કરી. ગુરુ પ્રત્યેના આદર-ભક્તિને પ્રતાપે તેમણે તેમની મૂળ અટક ત્યાગીને ગુરુની સાન્સોવિનો અટક ધારણ…

વધુ વાંચો >

સારંગપુરની મસ્જિદ

સારંગપુરની મસ્જિદ : ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાના સમયની (1459-1511) સ્થાપત્યકીય કૃતિ. અમદાવાદમાં સારંગપુર ચકલામાં આ મસ્જિદ આવેલી છે. મલિક સારંગ મહમૂદ બેગડાનો રાજપૂત અમીર હતો. મહમૂદ બેગડાની અસર નીચે આવીને તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો એમ ‘મિરાત-એ-સિકંદરી’માં જણાવ્યું છે. તે જ્યારે સુલતાન મુઝફ્ફર બીજાના સમયમાં અમદાવાદનો સૂબો હતો…

વધુ વાંચો >

સારીનેન ઇરો

સારીનેન ઇરો (જ. 1910; અ. 1961) : યુનાઇટેડ સ્ટેટ્સના પ્રસિદ્ધ સ્થપતિ. એલિયેલ સારીનેનના પુત્ર. પિતાની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગમન; પરંતુ અભ્યાસનો કેટલોક સમય (1929-30) પૅરિસમાં વિતાવ્યો. 1931-34 દરમિયાન યાલેમાં, 1935-36માં ફિનલૅન્ડમાં અને 1936થી પિતાની ક્રેનબુક એકૅડેમી ઑવ્ આર્ટમાં ચાર્લ્સ ઈ આમસની સાથે તેઓ અધ્યાપન કરતા હતા. સ્થાપત્ય અને ફર્નિચરની ડિઝાઇનના…

વધુ વાંચો >

સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને

સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને (S. Carlo alle Quattro Fontaneનું ચર્ચ) : રોમમાં આવેલું બરોક-સ્થાપત્ય-શૈલીનું પ્રસિદ્ધ ચર્ચ. તેનો સ્થપતિ ફ્રાન્સેસ્કો બોર્રોમિનિ હતો. રોમન બરોક-સ્થાપત્યનો આ એક ઉત્તમ નમૂનો છે. આ અંડાકાર (oval shaped) ઇમારતની ઉપરનો ઘુંમટ પણ અંડાકાર છે. તેની બહારની સપાટી સીધી નથી પણ ચડતા-ઊતરતા ઘાટની (undulating) છે. સાં…

વધુ વાંચો >

સાંચીનો સ્તૂપ

સાંચીનો સ્તૂપ : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય. મધ્યપ્રદેશમાં વિદિશા અર્થાત્ વર્તમાન ભીલસાથી સાડાપાંચ માઈલ દૂર સાંચીનું સ્થળ આવેલું છે. આ સ્થળે મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી સૌથી મોટો સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટેરી હતો અને…

વધુ વાંચો >