સ્થાપત્યકલા

વિલા ફાર્નીસ, કાપ્રારોલા

વિલા ફાર્નીસ, કાપ્રારોલા : ઇટાલિયન રેનેસાંસનો એક ભવ્ય મહેલ. આ મહેલનું બાંધકામ 1547માં વિગ્નોલા દ્વારા કરવામાં આવ્યું હતું. સુંદર વર્તુલાકાર પ્રાંગણમાં એક ભવ્ય સીડી છે જ્યાંથી ઉપરના ભાગે જઈ શકાય છે. મહેલનો આ ઉપરનો ભાગ ચૂનાકામનાં શિલ્પો અને ભીત્તિચિત્રો વડે સુશોભિત છે. આ સુશોભનનું કામ ઝુકારી અને ટેમ્પેસ્ટાએ કરેલું છે.…

વધુ વાંચો >

વિલા રોટોન્ડા, વીસેન્ઝા

વિલા રોટોન્ડા, વીસેન્ઝા : ઇટાલીનું સ્થાપત્ય. વિલા રોટોન્ડા વિલા એલ્મેરિકોવલ્મરના તરીકે પણ ઓળખાય છે. તે પોપ એલ્મેરિકોનું શહેર બહારનું નિવાસસ્થાન મનાય છે. ઘણાં વર્ષો રોમના વસવાટ પછી 1566માં વીસેન્ઝામાં આવતાં આ બાંધકામ કરવામાં આવ્યું હતું. નગરની બહાર પોતાની સ્થાવર મિલકતનું સ્થળાંતર કરવા માટે એલ્મેરિકોએ પોતાના મહેલને વેચી દીધો. બાંધકામ ઝડપથી…

વધુ વાંચો >

વિલા સાવોય, પોઇઝી

વિલા સાવોય, પોઇઝી : ફ્રાન્સના પોઇઝીના સ્થળે આવેલી લા કાર્બુઝે નિર્મિત ઇમારત. લા કાર્બુઝે દ્વારા નિર્મિત અનેક ઇમારતો પૈકીની આ એક સૌથી સારી ઇમારત ગણાય છે. આ પ્રકારની ઇમારતો બાંધવા માટે કલાપ્રિય વ્યક્તિઓ જરૂરી છે. લા કાર્બુઝેને આ પ્રકારની વ્યક્તિઓ મળી અને તે હતી શ્રી અને શ્રીમતી સાવોય. તેઓ કલાનાં…

વધુ વાંચો >

વિલા હેડ્રિયન (ટ્રિવૉલી)

વિલા હેડ્રિયન (ટ્રિવૉલી) : એપેનાઇન ટેકરીઓની તળેટીના પ્રદેશમાં આવેલ ઇમારત. તે 380 એકરનો વિસ્તાર ધરાવે છે. તેને ફરતી લંબગોળાકાર દીવાલ અને 760 ફૂટ x 318 ફૂટની સ્તંભાવલિ છે. તેની વચ્ચે એક વિશાળ જળાશય છે. પ્રાચીન ઍથેન્સમાં જોવા મળતું આવું કૃત્રિમ જળાશય ‘સ્પેઆ’ તરીકે ઓળખાય છે. તેના અનુકરણમાં આ જળાશય બનાવાયું…

વધુ વાંચો >

વિશ્વકર્મા

વિશ્વકર્મા : આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય. વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે. આથી શ્રી વિશ્વકર્માના પ્રાકટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વકલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે. એમ મનાય છે કે શ્રી…

વધુ વાંચો >

વિશ્વરૂપ વિષ્ણુ

વિશ્વરૂપ વિષ્ણુ : વિષ્ણુનું વિશ્વરૂપ દર્શનનું આ સ્વરૂપ ઋગ્વેદના પુરુષસૂક્તના ‘सहस्रशीर्षपुरुषः’ને અથવા ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણના વિશ્વરૂપ દર્શનને સાકાર કરવાના ખ્યાલમાંથી ઉદ્ભવ્યું હોય તેમ લાગે છે. આ પ્રકારના શિલ્પમાં વિષ્ણુને ત્રણ મુખવાળા દર્શાવવામાં આવે છે. વચ્ચેનું મુખ મનુષ્યનું, ડાબી બાજુનું સિંહનું અને જમણી બાજુનું મુખ વરાહનું હોય છે. વિશ્વરૂપ વિષ્ણુની બે પ્રતિમાઓ…

વધુ વાંચો >

વિહાર (સ્થાપત્ય)

વિહાર (સ્થાપત્ય) : બૌદ્ધ સાધુઓને રહેવાનું સ્થાન. ચૈત્યગૃહની પાસે બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહાર, મઠ કે સંઘારામની યોજના કરવામાં આવતી. મોટાભાગના બૌદ્ધ વિહારો પર્વતમાંથી કંડારીને બનાવેલા છે. અર્થાત્ તે શૈલોત્કીર્ણ (rock-cut) છે. ઈ. પૂ. 3જીથી 2જી સદી દરમિયાન પર્વતમાંથી કંડારીને વિહાર બનાવવાની પ્રથા શરૂ થઈ. આ પૂર્વેના વિહારો લાકડામાંથી બનાવવામાં…

વધુ વાંચો >

વેદિકા

વેદિકા : સ્તૂપ-સ્થાપત્યનું એક અંગ. સામાન્ય રીતે ‘વેદિકા’નો અર્થ કઠેડો (railing) થાય છે. આ શબ્દનું મૂળ વેદકાલીન ‘વેદી’માં રહેલું છે. યજ્ઞના અગ્નિને ફરતું બાંધકામ વેદી તરીકે ઓળખાય છે. આગળ જતાં આ જ સ્વરૂપ કોઈ પણ ધાર્મિક સ્થાપત્યને ફરતી દીવાલને પણ લાગુ પડ્યું; જેમ કે, રામાયણમાં ચૈત્ય-વૃક્ષને ફરતા કઠેડા માટે પણ…

વધુ વાંચો >

વેદી

વેદી : યજ્ઞ સાથે સંકળાયેલું સ્થાપત્ય. ભારતમાં છેક વેદકાલથી યજ્ઞની પરંપરા ચાલી આવી છે. યજ્ઞ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ધાર્મિક વિધિ અને સ્થાપત્યના સિદ્ધાંતો અનુસાર વેદીની રચના કરવામાં આવે છે. વેદીની રચના કરીને તેમાં વિધિવત્ અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ભારતનું સૌથી જૂનું સ્થાપત્ય વેદી છે. ભારતીય વાસ્તુકલાનો જન્મ યજ્ઞવેદીમાંથી થયો…

વધુ વાંચો >

વેન્ચુરી, રૉબર્ટ

વેન્ચુરી, રૉબર્ટ (જ. 1925, ફિલાડૅલ્ફિયા, અમેરિકા) : અનુઆધુનિકતાવાદના જન્મદાતા, પ્રણેતા તથા પ્રથમ અનુઆધુનિક સ્થપતિ. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેમણે પ્રાધ્યાપક જ્યાં લાબાતુ હેઠળ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1954માં તેઓ રોમ ગયા. ત્યાં તેમને સ્થાપત્યક્ષેત્રનો પ્રતિષ્ઠિત ખિતાબ ‘પ્રિ દે રોમા’ મળ્યો. રોમમાં વિરાટકાય ભવ્ય પ્રાચીન રોમન સ્થાપત્યમાં તેમને કોઈ રસ પડ્યો નહિ, પણ…

વધુ વાંચો >