ભારતીય સંસ્કૃતિ

વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ)

વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ) : મગધનો શુંગ વંશનો રાજા. તેનો શાસનકાળ આશરે ઈ. પૂ. 143થી 136નો હતો. શુંગ વંશમાં પુષ્યમિત્ર પછી અગ્નિમિત્ર ગાદીએ આવ્યો. તેનું બીજું નામ સુજ્યેષ્ઠ હતું. એના કેટલાક સિક્કા મળ્યા છે. એણે સાત વર્ષ રાજ્ય કર્યું હતું. તેના વિશે વધુ માહિતી મળતી નથી. રામજીભાઈ ઠા. સાવલિયા

વધુ વાંચો >

વસુમિત્ર

વસુમિત્ર : મગધના શૂંગ વંશના સમ્રાટ પુષ્યમિત્રનો પૌત્ર તથા અગ્નિમિત્રનો પુત્ર. કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકમાં જણાવ્યા મુજબ પુષ્યમિત્રે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે ઘોડાના રક્ષણ વાસ્તે મોકલવામાં આવેલ લશ્કરનો સેનાપતિ વસુમિત્ર હતો. યજ્ઞના આ ઘોડાને યવનોએ અટકાવ્યો. તેથી સિંધુ નદીના દક્ષિણ કાંઠે થયેલી લડાઈમાં વસુમિત્રે યવનોને પરાજય આપ્યો અને યજ્ઞનો ઘોડો સલામતીપૂર્વક…

વધુ વાંચો >

વાડી પાર્શ્ર્વનાથ મંદિર

વાડી પાર્શ્ર્વનાથ મંદિર : ખરતરગચ્છના ઓસવાળ જ્ઞાતિના ભીમ મંત્રીના વંશજ કુંવરજી શાહે ઈ. સ. 1596(સંવત 1652)માં પાટણમાં ઝવેરીવાડામાં બંધાવેલ મંદિર. તેને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલો છે. મૂળમંદિર હાલ મોજૂદ રહ્યું નથી; પરંતુ તેના સ્થાને નવું મંદિર બાંધવામાં આવ્યું છે. પાટણ નજીકના વાડીપુર ગામમાં અમીઝરા પાર્શ્ર્વનાથથી ઓળખાતી પ્રતિમા…

વધુ વાંચો >

વાત્સ્યાયન

વાત્સ્યાયન : પ્રાચીન ભારતીય કામશાસ્ત્રના લેખક. તેમને ‘વાત્સ્યાયન મુનિ’ અથવા ‘મહર્ષિ વાત્સ્યાયન’ એવા નામે ઓળખવામાં આવે છે. એમનું મૂળ નામ મલ્લનાગ હતું. જ્યારે વાત્સ્યાયન – એ એમનું ગોત્રનામ અથવા કુળનામ છે. આ ગોત્રના મૂળ ઋષિ વત્સ હતા અને તેમના વંશજોને ‘વાત્સ્યાયન’ એવા નામથી ઓળખવામાં આવે છે. ઈ. સ.ની સાતમી સદીમાં…

વધુ વાંચો >

વામન અવતાર

વામન અવતાર : હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુએ લીધેલો પાંચમો અવતાર. વિષ્ણુએ ઇન્દ્રના રક્ષણ અને વૈરોચન બલિના બંધન માટે આ અવતાર લીધો હતો. ઋગ્વેદમાં આ અવતારનો સ્રોત મળે છે. વિષ્ણુએ ત્રણ ડગલાંથી સમગ્ર સૃદૃષ્ટિને વ્યાપી લીધી. (ઋ. 12-2-1718) ગોપ રક્ષણહાર અને કોઈથી ન દબાય તેવા વિષ્ણુએ ત્રણ ડગ ભર્યાં. તેથી ધર્મોને…

વધુ વાંચો >

વાલ્મીકિ

વાલ્મીકિ : સંસ્કૃત ભાષાના આદિકવિ અને ‘રામાયણ’ મહાકાવ્યના રચયિતા મહાકવિ. તેમના જીવન વિશે નિશ્ચિત માહિતી વિરલ છે એટલે તેમના વિશે મળતી અનુશ્રુતિઓ પર આધાર રાખવો પડે તેમ છે. વળી તેમનું ઉપજીવન લેનારા સંસ્કૃત ભાષાના મહાકવિઓ અને નાટ્યકારોએ પણ તેમની ઘણી પ્રશંસા કરી છે. શ્રેષ્ઠ નાટ્યકાર ભવભૂતિ તેમને શબ્દબ્રહ્મના જાણકાર મનીષી…

વધુ વાંચો >

વાવ

વાવ : પગથિયાંવાળો કૂવો. વાવ માટે સંસ્કૃતમાં ‘વાપિ’ કે ‘વાપિકા’ શબ્દ છે. ગુજરાતમાં ‘વાવડી’ અને રાજસ્થાનમાં તેને ‘બાવલી’ તરીકે ઓળખવામાં આવે છે. વાવને એક છેડે કૂવો હોય છે; તેના પાણીની સપાટી સુધી પહોંચવા માટે બીજે છેડેથી પગથિયાં હોય છે. આ પગથિયાંમાં થોડે થોડે અંતરે પડથાર હોય છે; જેનો હેતુ પગથિયાં…

વધુ વાંચો >

વાસ્તુશાસ્ત્ર (ભારતીય)

વાસ્તુશાસ્ત્ર (ભારતીય) : ભવનનિર્માણકલાનું પ્રતિપાદક સ્થાપત્યશાસ્ત્ર. ‘વાસ્તુ’ શબ્દના મૂળમાં ‘वस्’ ધાતુ છે; જેનો અર્થ થાય છે ‘કોઈ એક સ્થાને નિવાસ કરવો.’ ‘વાસ્તુ’નો અર્થ થાય છે ‘જેમાં મનુષ્ય અથવા દેવતા નિવાસ કરે છે તે ભવન’. ભારતીય સૌંદર્યશાસ્ત્રમાં વાસ્તુકલાની આશ્રિત કલાઓના રૂપમાં મૂર્તિકલા અને ચિત્રકલાના ઉલ્લેખો પણ મળે છે. વાસ્તવમાં વાસ્તુકલા અને…

વધુ વાંચો >

વિઠોબા (વિઠ્ઠલ)

વિઠોબા (વિઠ્ઠલ) : વિઠોબા, વિઠ્ઠલ કે પાંડુરંગ તરીકે મહારાષ્ટ્રમાં વ્યાપક રીતે પૂજાતા દેવ. એ વિષ્ણુનું એક સ્વરૂપ છે. સંસ્કૃત ‘વિષ્ણુ’ શબ્દનું કન્નડમાં ‘વિઠ્ઠું’ રૂપાંતર થયું અને એમાંથી વિઠ્ઠલ થયું હોવાની માન્યતા છે. કન્નડ ભાષામાં સામાન્ય રીતે રાજાઓ, રાજવંશો, વ્યક્તિઓ અને સ્થળનાં નામોની પાછળ ‘લ’ મૂકવાની પ્રથા છે. મરાઠીમાં ‘વિઠ્ઠલ’ કે…

વધુ વાંચો >

વિઠ્ઠલનાથ ગુસાંઈજી

વિઠ્ઠલનાથ ગુસાંઈજી (જ. ઈ. સ. 1575; અ.) : હિંદુ ધર્મના પુદૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના એક આચાર્ય. શ્રી વલ્લભાચાર્યજી પ્રયાગના ત્રિવેણી-તીર્થ નજીકના કાંઠે આવેલા અડેલ ગામ નજીકના દેવલિયા ગામમાં રહેતા હતા ત્યારે સં. 1570(ઈ.સ. 1513)ના ભાદરવા વદિ 12ના દિવસે (કોઈ સં. 1567 પણ કહે છે) મોટા પુત્ર શ્રી ગોપીનાથજીનો જન્મ થયો. ત્યારપછી…

વધુ વાંચો >