ભારતીય સંસ્કૃતિ

વિદ્યાપતિ

વિદ્યાપતિ : ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલ તે નામે એક વિખ્યાત મૈથિલ કવિ. ચૈતન્યદેવના અનુયાયી વૈષ્ણવ ભક્તકવિ. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ગણપતિના પુત્ર અને જયદત્તના પૌત્ર. તેઓ મુખ્યત્વે મિથિલાનરેશ શિવસિંહના આશ્રિત કવિ તેમજ સભાપંડિત હતા. મહારાજાએ તેમને બિસપી ગામ ભેટ ધર્યું હતું. તેમના વંશજો ઘણા લાંબા કાળ પર્યંત આ ગામમાં રહ્યા હતા,…

વધુ વાંચો >

વિદ્યારણ્ય

વિદ્યારણ્ય : 14મી શતાબ્દીમાં દક્ષિણ ભારતમાં થયેલા ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં ભારતને પ્રતિષ્ઠા અપાવનાર શૃંગેરી મઠના મહાન આચાર્ય. એમના સમય સુધીમાં હિંદુ રાજાઓ પરસ્પરની પ્રતિસ્પર્ધા અને સંઘર્ષને કારણે મુસ્લિમ આક્રમણો સામે પરાજિત થઈ ચૂક્યા હતા. દક્ષિણ ભારત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. ધાર્મિક સ્થળો વેરાન થઈ ગયાં હતાં. એવે…

વધુ વાંચો >

વિન્ટરનિત્ઝ, એમ.

વિન્ટરનિત્ઝ, એમ. (જ. 1863, હૉર્ન, ઑસ્ટ્રિયા; અ. 1934) : ભારતીય સાહિત્ય તથા સંસ્કૃતિના ઑસ્ટ્રિયાના વિદ્વાન. વિયેના ખાતે પ્રશિષ્ટ ભાષાવિજ્ઞાન તથા તત્વવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમના પ્રાધ્યાપકોએ તેમને ભારતીય સાહિત્યનો પરિચય કરાવ્યો. ‘ઍન્શન્ટ ઇન્ડિયન મૅરિજ રિચ્યુઅલ એકૉર્ડિંગ ટૂ અપસ્તંભ, કમ્પેર્ડ વિથ ધ મૅરિજ કસ્ટમ્સ ઑવ્ ધી ઇન્ડો-યુરોપિયન પીપલ’ – એ તેમના પીએચ.ડી.ના…

વધુ વાંચો >

વિપાશા (બિયાસ)

વિપાશા (બિયાસ) : પંજાબમાં આવેલી એક નદી. પંજાબમાં સિંધુ નદીને તટે પૂર્વ તરફ વિતસ્તા (જેલમ), અસિકની (ચિનાબ), પરુષ્ણી (રાવી), વિપાશા (બિયાસ) અને શુતુદ્રી (સતલજ) નદીઓ આવેલી છે. આ નદી કુલ્લુર પર્વતમાળામાંથી ઉદ્ભવી કાંગડા જિલ્લાના પૂર્વ સીમાવર્તી સંઘોલનગર પાસેના પર્વતીય પ્રદેશમાંથી પસાર થાય છે. અહીંથી મીરથલઘાટ પાસે તે સમતલ ક્ષેત્રમાં વહે…

વધુ વાંચો >

વિશ્વકર્મા

વિશ્વકર્મા : આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય. વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે. આથી શ્રી વિશ્વકર્માના પ્રાકટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વકલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે. એમ મનાય છે કે શ્રી…

વધુ વાંચો >

વિશ્વામિત્ર

વિશ્વામિત્ર : પ્રાચીન ભારતના વેદપ્રસિદ્ધ ઋષિ. વાલ્મીકિ રામાયણ અનુસાર વિશ્વામિત્રનો વંશક્રમ છે પ્રજાપતિ-કુશ-કુશનામ-ગાથિન-વિશ્વામિત્ર. આરણ્યક ગ્રંથોમાં ‘વિશ્વનો મિત્ર તે વિશ્વામિત્ર’ એવી વ્યુત્પત્તિ આપવામાં આવી છે. કાન્યકુબ્જ દેશના કુશિક નામના પ્રખ્યાત કુળમાં એમનો જન્મ થયો હતો. રાજવંશી હોવા છતાં તેમણે ‘બ્રાહ્મણત્વ’ પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો હતો. આથી જ્ઞાનોપાસના, તપશ્ચર્યા ઇત્યાદિ દ્વારા અંતે…

વધુ વાંચો >

વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી)

વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી) : સંસ્કૃતમાં રચાયેલ એક મહત્વચપૂર્ણ માહાત્મ્ય ગ્રંથ. વડોદરાના મ. સ. વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યામંદિરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાલા(ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સીરીઝ)ના 176મા ગ્રંથ તરીકે આ ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ (critical edition) 1997માં પ્રકાશિત કરી છે, જેમાં સમીક્ષાપૂર્વકનો સર્વતોમુખી અભ્યાસ પણ આપેલો છે. આ સઘળું સંશોધન સંસ્થાના નિવૃત્ત નિયામક…

વધુ વાંચો >

વિષ્ણુધર્મોત્તર પુરાણ

વિષ્ણુધર્મોત્તર પુરાણ : એક ઉપપુરાણ. એના અધ્યાયોની પુષ્પિકામાં એનું નામ ‘વિષ્ણુધર્મોત્તર’ જણાવાયું છે : इतिश्री विष्णुधर्मोत्तरेषु मार्कण्डेयवज्रसंवादे तृतीये काण्डे चित्रसूत्रे प्रथमोडध्यायः ।।1।। નારદીય પુરાણમાં (પૂર્વખંડ, અ. 94, શ્ર્લો. 17-20) ‘વિષ્ણુધર્મોત્તર’નો ઉલ્લેખ આવે છે, જેમાં વિવિધ ધર્મકથાઓ, પુણ્ય, વ્રતો, નિયમો, યમો વિશે વર્ણન આવે છે તેને ‘વિષ્ણુધર્મોત્તર’ નામ આપ્યું છે અને…

વધુ વાંચો >

વિષ્ણુસ્વામી

વિષ્ણુસ્વામી : દ્વૈતવાદી વૈષ્ણવ અને ભક્તિમાર્ગી સંત. કૃષ્ણભક્તિના સંદર્ભમાં બે પ્રકારના ભક્તિમાર્ગીઓ ઉલ્લેખનીય છે : 1. કૃષ્ણ-રુક્મિણીના ભક્તો અને 2. કૃષ્ણ-રાધાના ભક્તો. જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ જેવા મહારાષ્ટ્રના સંતો પહેલા પ્રકારમાં આવે છે, જ્યારે જેમના દ્વારા અન્ય પ્રદેશોમાં વિવિધ પંથો સ્થપાયા તે નિમ્બાર્ક, વિષ્ણુસ્વામી, વલ્લભાચાર્ય અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ…

વધુ વાંચો >

વીરભાન સંત

વીરભાન સંત (ઈ. સ.ની 16મી સદી) : એક હિંદી સંત અને સતનામી પંથના પ્રવર્તક. તેઓ નારનૌલના રહેવાસી હતા. સાધ સંપ્રદાયી ઉદાદાસના તેઓ પટ્ટશિષ્ય હતા. તેમની પદ્યરચના વાણીના નામે સંકલિત કરેલી છે. તેમનાં આનાથી વધારે પદો ‘આદિ-ઉપદેશ’ નામે ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. તેમાં તે સંપ્રદાયના નીતિનિયમો પણ દર્શાવ્યા છે. પરમેશ્વરને…

વધુ વાંચો >