આયુર્વેદ
વર્ધમાન પિપ્પલી રસાયણપ્રયોગ
વર્ધમાન પિપ્પલી રસાયણપ્રયોગ : આયુર્વેદનો વ્યક્તિના આરોગ્ય, બળ અને રોગપ્રતિકારશક્તિની વૃદ્ધિ કરી, તેની યુવાનીને ટકાવી રાખે (વૃદ્ધત્વ આવવા ન દે) તેવો એક રસાયણ-પ્રયોગ. ગળો, ગોખરુ અને આમળાં ત્રણેય સરખે ભાગે લઈ, બનાવેલ ચૂર્ણ ‘રસાયણ’ ઔષધ તરીકે ભારતમાં સર્વાધિક પ્રચલિત છે. વૈદકમાં રસાયણ ગુણ ધરાવતાં અનેક ઔષધો છે, તેના અનેક પ્રયોગો…
વધુ વાંચો >વસંતકુસુમાકર રસ (સુવર્ણયુક્ત)
વસંતકુસુમાકર રસ (સુવર્ણયુક્ત) : સપ્તધાતુવર્ધક ઉત્તમ ફલપ્રદ, આયુર્વેદિક રસાયન-ઔષધિ. આયુર્વેદના ગ્રંથોમાં ‘વસંતકુસુમાકર રસ’નો પ્રથમ પાઠ શાર્ઙ્ગધર સંહિતામાં આપેલ છે; પરંતુ આ પાઠ મુજબની ઔષધિ વૈદ્યોમાં હાલ પ્રચલિત નથી. હાલમાં વૈદ્યો ‘રસયોગ સાગર’, ‘રસરાજ સુંદર’, ‘રસતંત્રસાર’ તથા એવા અન્ય મહત્વના રસ-ગ્રંથોમાં આપેલ પાઠ મુજબ આ ઔષધિ તૈયાર કરી વાપરે છે. મોટાભાગની…
વધુ વાંચો >વસાણી, શોભન
વસાણી, શોભન (જ. 15 માર્ચ 1936, રાયપર, તા. બાબરા, જિ. અમરેલી; અ. 14 જુલાઈ 2002, અમદાવાદ) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ. ‘શોભન’ અને ‘પ્રત્યૂષ’ એ બંને તેમનાં તખલ્લુસો હતાં. તેમનું નામ દલપતભાઈ, તેમના પિતાનું નામ રવજીભાઈ વસાણી અને તેમની માતાનું નામ જીવકુંવરબા. પોતાની ચાર બહેનો અને ત્રણ ભાઈઓને તેમણે પૈસેટકે ઘણી…
વધુ વાંચો >વાગ્ભટ્ટ
વાગ્ભટ્ટ : આયુર્વેદ ક્ષેત્રના એક જાણીતા ગ્રંથકાર. વૃદ્ધ વાગ્ભટ્ટ અને વાગ્ભટ્ટ નામથી બે આચાર્યો આયુર્વેદમાં પ્રસિદ્ધ છે. વૃદ્ધ વાગ્ભટ્ટે ‘અષ્ટાંગસંગ્રહ’ નામના ગ્રંથની રચના કરી છે તો વાગ્ભટ્ટે ‘અષ્ટાંગ-હૃદય’ નામનો ગ્રંથ લખ્યો છે. કેટલાક વિદ્વાનો માને છે કે આ બે વ્યક્તિઓ જુદી નથી, એક જ છે. ‘અષ્ટાંગસંગ્રહ’ ગ્રંથમાં ચરક, સુશ્રુત વગેરેના…
વધુ વાંચો >વાચસ્પતિ
વાચસ્પતિ : આયુર્વેદ-ટીકાકાર. આયુર્વેદ-વિજ્ઞાનના રોગનિદાન માટે સર્વોત્તમ કહેવાય તેવા સંગ્રહગ્રંથ ‘માધવનિદાન’ ગ્રંથ પર જે વ્યક્તિઓએ ટીકાઓ લખી છે તે છે (1) વિજયરક્ષિત તથા તેમના શિષ્ય શ્રીકંઠ દત્ત અને (2) વાચસ્પતિ. વાચસ્પતિ ટીકાકારે ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર ‘આતંકદર્પણી’ નામની સુંદર ટીકા લખી છે. આ ટીકા લખતાં પૂર્વે તેમણે વિજયરક્ષિત તથા શ્રીકંઠ દત્તની…
વધુ વાંચો >વાજીકરણ (ચિકિત્સાવિશેષ)
વાજીકરણ (ચિકિત્સાવિશેષ) : આયુર્વેદ-વિજ્ઞાનનાં આઠ પ્રમુખ અંગોમાં છેલ્લું અંગ. ‘વાજી’ એટલે ઘોડો અને ‘કરણ’ એટલે કરવું તે. જે ઔષધ-ચિકિત્સા દ્વારા પુરુષને સ્ત્રી સાથેના સમાગમ(મૈથુન)માં ઘોડા જેવો બળવાન, તેજીલો કરવામાં આવે તે ચિકિત્સાવિશેષ તે ‘વાજીકરણ’. ‘વાજીકરણ’ સાથે સંકળાયેલા અનેક શબ્દ છે; જેમ કે, ‘વૃષ્ય’, ‘શુક્રબલપ્રદ’, ‘પુંસ્ત્વવર્ધક’, ‘પુંસ્ત્વપ્રદ’, ‘શુક્ર(વીર્ય)સ્તંભક’, ‘શુક્રલ’, ‘કામોત્તેજક’, ‘અપત્ય(સંતાન)કર’…
વધુ વાંચો >વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout)
વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout) : આઢ્યવાત (ધનવાનોને થતો વાતવ્યાધિ), ખુડ્ડુવાત (નાના સાંધાનો વા), વાત બલાસ અને આધુનિક વિજ્ઞાનમાં ‘ગાઉટ’ (gout) નામે ઓળખાતો, આયુર્વેદમાં નિર્દિષ્ટ ગાંઠિયા વાનો રોગ. રોગ–પરિચય : વાતરક્ત રોગમાં પોતાનાં કારણોથી દૂષિત થયેલ લોહી વાયુ સાથે ભળીને ખાસ કરી હાથ-પગના નાના સાંધાઓમાં અને વિશેષ રૂપે પગના…
વધુ વાંચો >વાતવ્યાધિ
વાતવ્યાધિ : આયુર્વેદે શરીરમાં રહેલ વાયુ (વાત), પિત્ત અને કફ નામનાં ત્રણ તત્વોને ‘દોષ’ સંજ્ઞા આપી તેને શરીરના સ્વાસ્થ્ય કે રોગના કારણ રૂપે બતાવેલ છે. આ ત્રણ દોષોથી બનેલ ‘ત્રિદોષવાદ’ એ આયુર્વેદિક ચિકિત્સાનો પાયો છે. આયુર્વેદમાં વાયુતત્વની પ્રશસ્તિ ભગવાન રૂપે કરી છે. શરીરના કફ અને પિત્ત બેઉ વાયુ વિના પાંગળા…
વધુ વાંચો >વાસાદિ ક્વાથ
વાસાદિ ક્વાથ : એક આયુર્વેદિક ઉકાળો. શાર્ઙ્ગધર સંહિતા અનુસાર નિર્માણવિધિ અરડૂસી, સૂંઠ, ગળો, દારૂહળદર, રક્તચંદન, ચિત્રક, કરિયાતું, લીમડાની છાલ, કટુકી (કડુ); પટોલ (પરવળ) પત્ર, હરડે, બહેડાં, આમળાં, નાગરમોથ, જવ, ઇન્દ્રજવ અને કડાછાલ – આ બધું સરખા ભાગે લઈ તેને અધકચરું ખાંડી આ ક્વાથ (ભૂકો) બનાવાય છે. માત્રા : 2થી 4…
વધુ વાંચો >વિકળો
વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous)…
વધુ વાંચો >