૯.૨૪

દ્રાવ્યતાથી દ્વીપચાપ

દ્વિઅક્ષી ખનિજો

દ્વિઅક્ષી ખનિજો : બે પ્રકાશીય અક્ષ ધરાવતાં અસાવર્તિક (anisotropic) ખનિજો. ઑર્થોરહોમ્બિક, મૉનોક્લિનિક અને ટ્રાયક્લિનિક સ્ફટિકવર્ગનાં ખનિજો દ્વિઅક્ષી ખનિજો છે. આ પ્રકારનાં ખનિજોમાં ત્રણ મુખ્ય સ્પંદનદિશાઓ (principal vibration directions) હોય છે, જેમાં પ્રકાશ જુદી જુદી ગતિથી પસાર થાય છે. આ દિશાઓ ‘ઈથર-અક્ષ’ના નામથી પણ ઓળખાય છે અને તેમને X, Y અને…

વધુ વાંચો >

દ્વિઅંગી મૅગ્મા

દ્વિઅંગી મૅગ્મા : બે ઘટકોથી બનેલો મૅગ્મા. પૃથ્વીના પેટાળમાં પ્રવર્તમાન ઊંચા તાપમાનને કારણે અસ્તિત્વમાં આવતો ગતિશીલ ખડકોનો પીગળેલો રસ. સંજોગો અનુસાર તેની અંતર્ભેદન તેમજ બહિ:સ્ફુટન ક્રિયાઓ થઈ શકે છે. મૅગ્માની ઘનીભવનની ક્રિયાને પરિણામે અગ્નિકૃત ખડકોનું નિર્માણ થાય છે. મૅગ્મા પ્રવાહી, સિલિકેટ સ્વરૂપ તેમજ ઑલિવીન, પાઇરૉક્સીન, પ્લેજિયોક્લેઝ વગેરેના છૂટા છૂટા રહેલા…

વધુ વાંચો >

દ્વિઅંગી વનસ્પતિ

દ્વિઅંગી વનસ્પતિ (Bryophytes) : ભ્રૂણધારી (embryophyta) વનસ્પતિ વિભાગનો સૌથી આદ્ય અને સરળ વનસ્પતિસમૂહ. તેની મોટા ભાગની વનસ્પતિઓના દેહનું પ્રકાંડ અને પર્ણમાં વિભેદન થયેલું હોવાથી આ વનસ્પતિસમૂહને દ્વિઅંગી કહે છે. તે નાની અને અલ્પવિકસિત લીલી વનસ્પતિઓ છે. (સૌથી મોટી દ્વિઅંગી વનસ્પતિ ડૉઉસેનિયા છે. તે 40–50 સેમી.ની ઊંચાઈ ધરાવે છે, અને સામાન્ય…

વધુ વાંચો >

દ્વિકરભારમુક્તિ

દ્વિકરભારમુક્તિ (double taxation relief) : ભારતના આવકવેરાના કાયદા મુજબ તથા પરદેશના આવકવેરાના કાયદા મુજબ કરદાતા દ્વારા એક જ આવક ઉપર બંને સરકારોને ચૂકવવાપાત્ર આવકવેરામાં આપવામાં આવતી કરરાહત. ભારતના આવકવેરા અધિનયમ 1961ની કલમ 90 મુજબ ભારતની  કેન્દ્ર-સરકાર, બીજા કોઈ પણ દેશની સરકાર સાથે એવો સમજૂતી કરાર કરી શકે છે કે જેથી…

વધુ વાંચો >

દ્વિગૃહી ધારાસભા

દ્વિગૃહી ધારાસભા : બે ગૃહો ધરાવતી ધારાસભા. જે ધારાસભામાં માત્ર એક જ ગૃહ હોય છે તેને એકગૃહી અને જેને બે ગૃહો હોય છે તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જે રાજ્યમાં દ્વિગૃહી પદ્ધતિ પ્રવર્તતી હોય છે ત્યાં ધારાસભાના પ્રથમ ગૃહને નીચલું અને બીજાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે. ભારત, ઇંગ્લૅન્ડ,…

વધુ વાંચો >

દ્વિ-ગ્રેટિંગ સ્પેક્ટ્રોગ્રાફ

દ્વિ-ગ્રેટિંગ સ્પેક્ટ્રોગ્રાફ : ગ્રેટિંગ (અથવા પ્રિઝમ) જેવા વિભાજક (disperser) વડે પ્રકાશનું બે વાર વિભાજન કરીને, પ્રકાશની જુદી જુદી તરંગલંબાઈઓની તીવ્રતા માપવા માટેનું એક ઉપકરણ. સ્પેક્ટ્રોગ્રાફ કે સ્પેક્ટ્રોમીટર વડે જુદી જુદી તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતાનું વિતરણ (distribution) માપી શકાય છે. દ્વિ-વિભાજન બે રીતે મેળવી શકાય છે : (i) એક પછી એક એમ…

વધુ વાંચો >

દ્વિજ માધવ

દ્વિજ માધવ (સોળમી સદી) : બંગાળી લેખક. એણે ‘ચંડીમંગલ’ કાવ્યની રચના કરી છે. કાવ્યમાં પોતાની માહિતી આપતાં કહ્યું છે કે એ હુગલી નદીને કિનારે આવેલા સતગાંવનો રહેવાસી હતો. પણ એનું કુટુંબ પછી પૂર્વ બંગાળમાં જઈને વસ્યું હતું અને કાવ્યની રચના પણ ત્યાં જ કરી હતી. એ કાવ્યમાં સામાન્ય રીતે ‘ચંડીમંગલ’માં…

વધુ વાંચો >

દ્વિતીય વૃદ્ધિ

દ્વિતીય વૃદ્ધિ : મોટાભાગની દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા પછી જાડાઈમાં થતી વૃદ્ધિ. એધા (cambium) અને ત્વક્ષૈધા(cork cambium or phallogen)ની ક્રિયાશીલતાથી દ્વિતીયક પેશીઓનું નિર્માણ થતાં દ્વિતીય વૃદ્ધિ થાય છે. એધાવલય (cambium ring) દ્વારા રંભીય (stelar) પ્રદેશમાં દ્વિતીયક અન્નવાહક (secondary phloem) અને દ્વિતીયક પેશીઓ  (secondary xylem) અને…

વધુ વાંચો >

દ્વિત્વ

દ્વિત્વ (duality) : ગણિતમાં કેટલીક વાર એવું બને છે કે અમુક તર્કસિદ્ધ વિધાન કે પ્રમેયમાં અમુક બે પદોની તથા અમુક બે પ્રક્રિયાઓની એકસામટી અદલાબદલી કરવામાં આવે તો જે નવું વિધાન મળે તે પણ તર્કસિદ્ધ એટલે કે સાચું જ હોય. આને દ્વિત્વનો સિદ્ધાંત કહે છે; દા. ત., ગણસિદ્ધાંતમાં નીચેનું વિધાન લઈએ…

વધુ વાંચો >

દ્વિર્દષ્ટિ

દ્વિર્દષ્ટિ (diplopia) : એક વસ્તુ બેવડી દેખાય તેવો વિકાર. તે એક અથવા બંને આંખમાં થાય છે. એક આંખના વિકારમાં એક આંખ વડે જોતાં અને બે આંખના વિકારમાં બંને આંખ વડે જોતાં એક વસ્તુ બેવડી દેખાય છે. તેથી આ બંને સ્થિતિઓને એકબીજીથી અલગ પાડવા વારાફરતી એક આંખ બંધ રાખીને તથા બંને…

વધુ વાંચો >

દ્રાવ્યતા

Mar 24, 1997

દ્રાવ્યતા : પદાર્થનું સંતૃપ્ત દ્રાવણ બને ત્યારે દ્રાવકના નિયત જથ્થામાં પદાર્થની ઓગળવાની ક્ષમતા. સામાન્ય રીતે તે એક પદાર્થની બીજામાં એકસરખી રીતે સંમિલિત થઈ જવાની ક્ષમતા અથવા ગુણનું માપ છે. તે કિગ્રા. પ્રતિ ઘન મીટર, ગ્રામ પ્રતિ લિટર, મોલ પ્રતિ કિગ્રા. અથવા મોલ અંશ(mole fraction)માં દર્શાવવામાં આવે છે. આ પ્રાચલ વૈજ્ઞાનિક…

વધુ વાંચો >

દ્રાવ્યતા ગુણાકાર

Mar 24, 1997

દ્રાવ્યતા ગુણાકાર : અલ્પદ્રાવ્ય ઘન પદાર્થ અને દ્રાવણમાંના તેનાં અનુવર્તી આયનો વચ્ચેના સમતોલનને દર્શાવવામાં ઉપયોગી એવો સરળીકૃત સમતોલન-અચળાંક. મોટા ભાગના અલ્પદ્રાવ્ય ક્ષારો જલીય દ્રાવણમાં વિશેષત: (essentially) સંપૂર્ણપણે વિયોજિત થયેલા હોય છે. એક પદાર્થ AxBy(s) દ્રાવણમાંનાં તેનાં આયનો A+ અને B– સાથે નીચે પ્રમાણે સમતોલનમાં હોય, AxBy(s) ↔ xA+(aq) + yB–(aq)…

વધુ વાંચો >

દ્રાહ્યાયણ શ્રૌતસૂત્ર

Mar 24, 1997

દ્રાહ્યાયણ શ્રૌતસૂત્ર : જુઓ, કલ્પસૂત્ર.

વધુ વાંચો >

દ્રોણ

Mar 24, 1997

દ્રોણ : મહાભારતનાં મુખ્ય પાત્રોમાંનું એક. મહર્ષિ ભરદ્વાજના તેઓ પુત્ર. સ્નાન પછી વસ્ત્રો બદલતી અપ્સરા ઘૃતાચીના સૌન્દર્યદર્શને અનર્ગલ કામાવેશાવસ્થામાં ભરદ્વાજનું વીર્ય સ્ખલિત થયું, જેને તેમણે ‘દ્રોણ’(યજ્ઞકલશ)માં સાચવી રાખ્યું. તેમાંથી પુત્રનો જન્મ થયો, જેથી તેને ‘દ્રોણ’ નામ મળ્યું. આચાર્ય અગ્નિવેશના ગુરુકુળમાં દ્રોણ દ્રુપદના સહાધ્યાયી સુહૃદ હતા, ત્યારે દ્રુપદે તેમને સહાયવચનો આપેલાં,…

વધુ વાંચો >

દ્રોમોસ

Mar 24, 1997

દ્રોમોસ : પ્રાચીન ગ્રીક સ્થાપત્યમાં ભૂગર્ભમાં આવેલ થોલોઝ કે મકબરામાં જવાનો પ્રવેશમાર્ગ. આવા પ્રવેશમાર્ગની લંબાઈ ઘણી વાર 50 મીટરથી વધુ તથા પહોળાઈ 6 મીટર જેટલી રહેતી. ઉપરથી ખુલ્લા તથા બંને તરફ સુર્દઢ દીવાલોવાળા આ દ્રોમોસના છેડે મકબરાનું પ્રવેશદ્વાર રહેતું. આવું ઉલ્લેખનીય દ્રોમોસ માઇસેનીના ટ્રેઝરી ઑવ્ ઍટ્રિયસમાં છે. હેમંત વાળા

વધુ વાંચો >

દ્રૌપદી

Mar 24, 1997

દ્રૌપદી : મહાભારતનું મુખ્ય સ્ત્રી-પાત્ર. દ્રૌપદી એટલે પાંચાલરાજા દ્રુપદની સાધ્વી પુત્રી, જેનું પ્રાકટ્ય, શચીના અંશથી યજ્ઞકુંડમાંથી થયું હતું. એનું સૌન્દર્ય અનુપમ હતું અને કાંતિ ગૌર હોવા છતાં વર્ણ થોડો શ્યામ હોવાને કારણે, પિતાએ તેને મજાકમાં ‘કૃષ્ણા’ કહી, તેથી તેને ‘કૃષ્ણા’ નામ પણ મળ્યું. એના સ્વયંવરમાં વિભિન્ન દેશોમાંથી રાજાઓ આવ્યા હતા,…

વધુ વાંચો >

દ્વાદશાર નયચક્ર

Mar 24, 1997

દ્વાદશાર નયચક્ર (ઈ. સ.ની ચોથી શતાબ્દી) : વિશિષ્ટ પ્રકારનો અતિ મહત્વનો પ્રાચીન સંસ્કૃત દર્શનસંગ્રહ. સંભવત: વલભીપુરના વતની મહાતાર્કિક ‘વાદિપ્રભાવક’ મલ્લવાદી ક્ષમાશ્રમણે આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથનામ અન્વર્થક છે. જેમ રથના ચક્રમાં બાર આરા હોય છે તેમ આમાં પણ અરાત્મક બાર પ્રકરણો છે. એક એક અરમાં વિધિ આદિ બાર નયોના…

વધુ વાંચો >

દ્વારકા

Mar 24, 1997

દ્વારકા : જુઓ, દેવભૂમિ દ્વારકા.

વધુ વાંચો >

દ્વારકાધીશનું મંદિર

Mar 24, 1997

દ્વારકાધીશનું મંદિર : ભારતપ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું, સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલું હરિધામ. તે ગોમતી નદીના ઉત્તરના કિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય અન્ય હિંદુ મંદિરોના જેવું તેરમી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ, ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે. તેની છત ગ્રૅનાઇટ અને રેતિયા પથ્થરના 60 સ્તંભ ઉપર…

વધુ વાંચો >

દ્વારરક્ષક

Mar 24, 1997

દ્વારરક્ષક : મંદિર તથા ચૈત્યની બહાર મુખ્ય પ્રવેશની બંને તરફ હાથમાં દંડ સાથેનાં પુરુષોનાં પૂતળાં. તે દ્વારપાળ પણ કહેવાય છે. ઈ. સ. 180માં કાન્હેરીના હીનયાન સંપ્રદાયના ચૈત્યની બહાર છે તે દ્વારરક્ષકના સૌથી પ્રાચીન નમૂના ગણાય છે. રામેશ્વર ગુફા (ઇલોરા)ની બહારના દ્વારરક્ષક વધુ મોટા પ્રમાણમાપવાળા છે જ્યારે હોયશાળા સ્થાપત્યમાં દ્વારરક્ષક વધુ…

વધુ વાંચો >