૯.૨૪

દ્રાવ્યતાથી દ્વીપચાપ

દ્વિવેદી, હજારીપ્રસાદ

દ્વિવેદી, હજારીપ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1907, દુબે કા છપરા, જિ. બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 19 મે 1979) : હિંદી સાહિત્યકાર. નિબંધ, નવલકથા, સંશોધન, વિવેચન એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં તેમણે ખેડાણ કરેલું છે. આકર્ષક વ્યક્તિત્વ, ઉદાર ચિત્તવૃત્તિ તથા વ્યાપક ર્દષ્ટિ તેમની લાક્ષણિકતા હતી. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા દ્વિવેદીજીને નાનપણથી સંસ્કૃત અધ્યયનના સંસ્કાર મળ્યા…

વધુ વાંચો >

દ્વિસ્તરવાદ

દ્વિસ્તરવાદ (double layer theory) વિદ્યુતગતિજ (electrokinetic) અને વિદ્યુતકેશીય (electrocapillary) ઘટનાઓ સાથે સંકળાયેલી બાબતો સમજાવતો સિદ્ધાંત. જ્યારે પણ દ્રવ્યની બે પ્રાવસ્થા (phase) એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે વિભવાંતર (potential difference) ઉદભવે છે. વીજભારના વહનને કારણે આમ બને છે. જ્યાં સુધી સમકારી (equalizing) વીજભારોના વહનને કારણે ઉદભવતો વિભવાંતર (ΔΦ), બે…

વધુ વાંચો >

દ્વીપકલ્પ

દ્વીપકલ્પ : ત્રણ બાજુએ જળવિસ્તારથી ઘેરાયેલો ભૂમિભાગ. જે ભૂમિસ્વરૂપ બધી બાજુએ જળથી વીંટળાયેલું હોય તેને બેટ, ટાપુ કે દ્વીપ કહેવાય છે. વિંધ્ય પર્વતમાળાની દક્ષિણે આવેલો ભારતનો ત્રિકોણાકાર પ્રદેશ એ ભારતીય દ્વીપકલ્પ છે. તેની પૂર્વ બાજુએ બંગાળનો ઉપસાગર, પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર અને દક્ષિણે હિન્દી મહાસાગર આવેલો છે. એ જ રીતે…

વધુ વાંચો >

દ્વીપચાપ

દ્વીપચાપ (island arcs) : ચાપ આકારે ગોઠવાયેલા ટાપુઓ. પૅસિફિક મહાસાગરના ઘણા જ્વાળામુખીજન્ય ટાપુઓ ચાપાકાર (arcuate) ગોઠવણી ધરાવે છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે દ્વીપચાપ એ અસંખ્ય પ્રમાણમાં થયેલા ભૂકંપ, જ્વાળામુખી-પ્રસ્ફુટન અને વર્તમાન ગેડીકરણ તેમજ સ્તરભંગક્રિયાઓનાં પરિણામ છે. ભૂભૌતિક નિરીક્ષણસંશોધનની પદ્ધતિના ઉપયોગથી દ્વીપચાપ અંગેની જાણકારીમાં વધારો થયો છે. તેની મદદથી દ્વીપચાપખંડો-મહાસાગરો…

વધુ વાંચો >

દ્રાવ્યતા

Mar 24, 1997

દ્રાવ્યતા : પદાર્થનું સંતૃપ્ત દ્રાવણ બને ત્યારે દ્રાવકના નિયત જથ્થામાં પદાર્થની ઓગળવાની ક્ષમતા. સામાન્ય રીતે તે એક પદાર્થની બીજામાં એકસરખી રીતે સંમિલિત થઈ જવાની ક્ષમતા અથવા ગુણનું માપ છે. તે કિગ્રા. પ્રતિ ઘન મીટર, ગ્રામ પ્રતિ લિટર, મોલ પ્રતિ કિગ્રા. અથવા મોલ અંશ(mole fraction)માં દર્શાવવામાં આવે છે. આ પ્રાચલ વૈજ્ઞાનિક…

વધુ વાંચો >

દ્રાવ્યતા ગુણાકાર

Mar 24, 1997

દ્રાવ્યતા ગુણાકાર : અલ્પદ્રાવ્ય ઘન પદાર્થ અને દ્રાવણમાંના તેનાં અનુવર્તી આયનો વચ્ચેના સમતોલનને દર્શાવવામાં ઉપયોગી એવો સરળીકૃત સમતોલન-અચળાંક. મોટા ભાગના અલ્પદ્રાવ્ય ક્ષારો જલીય દ્રાવણમાં વિશેષત: (essentially) સંપૂર્ણપણે વિયોજિત થયેલા હોય છે. એક પદાર્થ AxBy(s) દ્રાવણમાંનાં તેનાં આયનો A+ અને B– સાથે નીચે પ્રમાણે સમતોલનમાં હોય, AxBy(s) ↔ xA+(aq) + yB–(aq)…

વધુ વાંચો >

દ્રાહ્યાયણ શ્રૌતસૂત્ર

Mar 24, 1997

દ્રાહ્યાયણ શ્રૌતસૂત્ર : જુઓ, કલ્પસૂત્ર.

વધુ વાંચો >

દ્રોણ

Mar 24, 1997

દ્રોણ : મહાભારતનાં મુખ્ય પાત્રોમાંનું એક. મહર્ષિ ભરદ્વાજના તેઓ પુત્ર. સ્નાન પછી વસ્ત્રો બદલતી અપ્સરા ઘૃતાચીના સૌન્દર્યદર્શને અનર્ગલ કામાવેશાવસ્થામાં ભરદ્વાજનું વીર્ય સ્ખલિત થયું, જેને તેમણે ‘દ્રોણ’(યજ્ઞકલશ)માં સાચવી રાખ્યું. તેમાંથી પુત્રનો જન્મ થયો, જેથી તેને ‘દ્રોણ’ નામ મળ્યું. આચાર્ય અગ્નિવેશના ગુરુકુળમાં દ્રોણ દ્રુપદના સહાધ્યાયી સુહૃદ હતા, ત્યારે દ્રુપદે તેમને સહાયવચનો આપેલાં,…

વધુ વાંચો >

દ્રોમોસ

Mar 24, 1997

દ્રોમોસ : પ્રાચીન ગ્રીક સ્થાપત્યમાં ભૂગર્ભમાં આવેલ થોલોઝ કે મકબરામાં જવાનો પ્રવેશમાર્ગ. આવા પ્રવેશમાર્ગની લંબાઈ ઘણી વાર 50 મીટરથી વધુ તથા પહોળાઈ 6 મીટર જેટલી રહેતી. ઉપરથી ખુલ્લા તથા બંને તરફ સુર્દઢ દીવાલોવાળા આ દ્રોમોસના છેડે મકબરાનું પ્રવેશદ્વાર રહેતું. આવું ઉલ્લેખનીય દ્રોમોસ માઇસેનીના ટ્રેઝરી ઑવ્ ઍટ્રિયસમાં છે. હેમંત વાળા

વધુ વાંચો >

દ્રૌપદી

Mar 24, 1997

દ્રૌપદી : મહાભારતનું મુખ્ય સ્ત્રી-પાત્ર. દ્રૌપદી એટલે પાંચાલરાજા દ્રુપદની સાધ્વી પુત્રી, જેનું પ્રાકટ્ય, શચીના અંશથી યજ્ઞકુંડમાંથી થયું હતું. એનું સૌન્દર્ય અનુપમ હતું અને કાંતિ ગૌર હોવા છતાં વર્ણ થોડો શ્યામ હોવાને કારણે, પિતાએ તેને મજાકમાં ‘કૃષ્ણા’ કહી, તેથી તેને ‘કૃષ્ણા’ નામ પણ મળ્યું. એના સ્વયંવરમાં વિભિન્ન દેશોમાંથી રાજાઓ આવ્યા હતા,…

વધુ વાંચો >

દ્વાદશાર નયચક્ર

Mar 24, 1997

દ્વાદશાર નયચક્ર (ઈ. સ.ની ચોથી શતાબ્દી) : વિશિષ્ટ પ્રકારનો અતિ મહત્વનો પ્રાચીન સંસ્કૃત દર્શનસંગ્રહ. સંભવત: વલભીપુરના વતની મહાતાર્કિક ‘વાદિપ્રભાવક’ મલ્લવાદી ક્ષમાશ્રમણે આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથનામ અન્વર્થક છે. જેમ રથના ચક્રમાં બાર આરા હોય છે તેમ આમાં પણ અરાત્મક બાર પ્રકરણો છે. એક એક અરમાં વિધિ આદિ બાર નયોના…

વધુ વાંચો >

દ્વારકા

Mar 24, 1997

દ્વારકા : જુઓ, દેવભૂમિ દ્વારકા.

વધુ વાંચો >

દ્વારકાધીશનું મંદિર

Mar 24, 1997

દ્વારકાધીશનું મંદિર : ભારતપ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું, સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલું હરિધામ. તે ગોમતી નદીના ઉત્તરના કિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય અન્ય હિંદુ મંદિરોના જેવું તેરમી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ, ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે. તેની છત ગ્રૅનાઇટ અને રેતિયા પથ્થરના 60 સ્તંભ ઉપર…

વધુ વાંચો >

દ્વારરક્ષક

Mar 24, 1997

દ્વારરક્ષક : મંદિર તથા ચૈત્યની બહાર મુખ્ય પ્રવેશની બંને તરફ હાથમાં દંડ સાથેનાં પુરુષોનાં પૂતળાં. તે દ્વારપાળ પણ કહેવાય છે. ઈ. સ. 180માં કાન્હેરીના હીનયાન સંપ્રદાયના ચૈત્યની બહાર છે તે દ્વારરક્ષકના સૌથી પ્રાચીન નમૂના ગણાય છે. રામેશ્વર ગુફા (ઇલોરા)ની બહારના દ્વારરક્ષક વધુ મોટા પ્રમાણમાપવાળા છે જ્યારે હોયશાળા સ્થાપત્યમાં દ્વારરક્ષક વધુ…

વધુ વાંચો >