૮.૦૫

ઝવેરી મનસુખલાલ મગનલાલથી ઝિમેલ જ્યોર્જ

ઝાયગોફાયલેસી

ઝાયગોફાયલેસી : દ્વિદળી (dicotyledons) વર્ગના જિરાનિયેન્સ ગોત્રનું કુળ છે. મોટાભાગના જાતિવિકાસશાસ્ત્રીઓ આ કુળને જિરાનિયેલ્સ ગોત્રમાં મૂકે છે. હચિન્સન તેને માલ્પિઘિયેલ્સ ગોત્રમાં મૂકે છે. આ કુળમાં 27 પ્રજાતિ અને લગભગ 200 જાતિઓનો સમાવેશ થયેલો છે. કુળ મૂળભૂત રીતે ઉષ્ણ પ્રદેશોમાં થતું હોવા છતાં ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશો સુધી વિસ્તરણ…

વધુ વાંચો >

ઝાયનિઝમ

ઝાયનિઝમ : યહૂદીઓનું રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક આંદોલન. તેનો હેતુ પૅલેસ્ટાઇનમાં યહૂદી રાષ્ટ્રની સ્થાપના કરવાનો અને તેને ટેકો આપવાનો હતો. ઝાયનિસ્ટ આંદોલન સાથે ઝાયન ટેકરી પર સ્થપાયેલા પ્રાચીન જેરૂસલેમનો ઇતિહાસ અને સંસ્કૃતિ જોડાયેલાં છે. ઈ. સ. પૂ. 586માં બૅબિલોનિયનો દ્વારા થયેલા જેરૂસલેમના નાશ પછી દેશનિકાલ થયેલી યહૂદી પ્રજાની ફરીથી પોતાની ભૂમિમાં…

વધુ વાંચો >

ઝારખંડ

ઝારખંડ : ભારતનાં સંલગ્ન રાજ્યોમાંનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન : 23o ઉ. અ. અને 85o પૂ. રે.. એક અલગ રાજ્ય તરીકે તેની સ્થાપના 15 નવેમ્બર, 2000માં થઈ હતી. સદીઓથી પોતાનું અલાયદું રાજ્ય સ્થાપવાની આદિવાસી સમાજની સદીઓ જૂની માંગણી આખરે ઝારખંડની રચનાથી પૂરી થઈ છે. તેની પૂર્વમાં પશ્ચિમ બંગાળ, પશ્ચિમમાં છત્તીસગઢ,…

વધુ વાંચો >

ઝારણ

ઝારણ (soldering) : નીચા ગલનબિંદુવાળી પૂરક ધાતુની મદદથી બે ધાતુઓને જોડવાની પ્રક્રિયા, રેણ. આ માટેની ધાતુનું ગલનબિંદુ 427° સે. હોય છે. ઝારણનો ઉપયોગ વિશ્વાસપાત્ર વિદ્યુતજોડાણો, પ્રવાહી અથવા વાયુચુસ્ત જોડાણો અને બે ભાગોને ભૌતિક રીતે (physically) જોડવા માટે થાય છે. ઝારણમાં વપરાતી મુખ્ય ધાતુ સીસું અને કલાઈની મિશ્રધાતુ છે. આ ધાતુ…

વધુ વાંચો >

ઝારા, ત્રિસ્તાં

ઝારા, ત્રિસ્તાં (જ. 4 એપ્રિલ 1896, મ્વાનેસ્ત, રુમાનિયા; અ. 25 ડિસેમ્બર 1963, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, ‘દાદા’ આંદોલનના પ્રણેતા અને પ્રચારક. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે યુરોપના ભિન્ન ભિન્ન દેશોના યુવાન નિર્વાસિતો ટૂંક સમય માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝુરિકમાં વસ્યા હતા ત્યારે ઝારા પણ નિર્વાસિત તરીકે ઝુરિકમાં હતા. 1916માં હ્યૂગો બાલ, હાન્સ આર્પ આદિએ…

વધુ વાંચો >

ઝારાનું યુદ્ધ

ઝારાનું યુદ્ધ : કચ્છની ધરતી ઉપર સિંધના અમીર ગુલામશાહ અને કચ્છના રાવ ગોડજીનાં લશ્કર વચ્ચે ખેલાયેલું અવિસ્મરણીય યુદ્ધ. 1760માં રાવ લખપતના મૃત્યુ પછી ગાદીએ આવેલા રાવ ગોડજીના શાસન દરમિયાન જૂના દીવાન પૂંજા શેઠને રુખસદ અપાઈ હતી અને તેના સ્થાને તેના જ સેવક જીવણને દીવાનપદ અપાયું હતું. આ કારણે અપમાનિત થયેલ…

વધુ વાંચો >

ઝાલર (fimbriae or pili)

ઝાલર (fimbriae or pili) : કેટલાંક ગ્રામઋણાત્મક જીવાણુની સપાટીની ફરતે ચારે બાજુ પથરાયેલ, અસંખ્ય વાળ જેવી પાતળી, પોલી, તંતુકીય રચના. કશા(flagella)ની માફક જ ઝાલર પણ કોષરસમાંથી ઉદભવે છે. તે દેખાવમાં કશા જેવી લાગતી હોવા છતાં કશાથી જુદી હોય છે. કશા કરતાં તે પાતળા, નાના, સીધા (ઓછા વલયાકાર) અને તંતુ રૂપે…

વધુ વાંચો >

ઝાલર (gills)

ઝાલર (gills) : જળનિવાસી પ્રાણીઓનાં શ્વસનાંગો. આ શ્વસનાંગો દ્વારા પ્રાણીઓનાં શરીર અને પર્યાવરણ વચ્ચે વાયુની આપલે થાય છે. ઝાલરો પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનને સ્વીકારે છે, જ્યારે શરીરમાં ચયાપચયની પ્રક્રિયા દરમિયાન નિર્માણ થયેલ કાર્બનડાયૉક્સાઇડનો ત્યાગ કરે છે. માછલી જેવાં પ્રાણીઓમાં ઝાલરો શરીરના અંત:સ્થ ભાગ રૂપે આવેલી હોય છે અને તે કંઠનળી સાથે…

વધુ વાંચો >

ઝાલાઓ

ઝાલાઓ : ઉત્તર સૌરાષ્ટ્રમાં શાસન અને વસવાટ કરતા ક્ષત્રિયો. સૈન્ધવો જેમ સિંધમાંથી આવી સૌરાષ્ટ્રમાં સ્થિર થયા તે પ્રમાણે ઝાલા પણ સિંધના નગરપારકર પ્રદેશમાંથી આવ્યા હોવાનું કહેવાય છે. આ રાજવંશ મૂળ મકવાણા(સિંધ)નો (મકવાણા) વંશ હતો અને સિંધના નગરપારકર નજીક કેરંતી નગરનો શાસક હતો. પાછળથી આ વંશના રાજવીઓ ઝાલા વંશના કહેવાયા. કેરંતી…

વધુ વાંચો >

ઝાલા, ગોકુળજી

ઝાલા, ગોકુળજી (જ. 1824; અ. 1878) : જૂનાગઢના નવાબ મહબતખાન બીજાના (1851-82) દીવાન તથા વેદાંતના પ્રખર અભ્યાસી. જૂનાગઢના વડનગરા નાગર. નવાબ મહબતખાન બીજાની સગીર વય દરમિયાન અંગ્રેજ અધિકારી કૉલસન અને ઝાલા રીજન્સી કાઉન્સિલના સભ્યો હતા. તે ડુંગરશી દેવશીના રાજીનામા બાદ જૂનાગઢના દીવાન બન્યા. તેમણે રાજમાતા નજુબીબીના હસ્તક્ષેપને અવગણીને જૂનાગઢ રાજ્યનો…

વધુ વાંચો >

ઝવેરી, મનસુખલાલ મગનલાલ

Jan 5, 1997

ઝવેરી, મનસુખલાલ મગનલાલ (જ. 3 ઑક્ટોબર 1907, જામનગર; અ. 27 ઑગસ્ટ 1981, મુંબઈ) : ગુજરાતી કવિ, વિવેચક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામનગરમાં લઈને, ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ મેળવી એમ.એ. થયા હતા. મુંબઈ, રાજકોટ, પોરબંદર અને કૉલકાતાની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુંબઈ આકાશવાણીમાં વાર્તાલાપ-નિર્માતા પણ હતા. કવિ, વિવેચક, પ્રવાસકથા-લેખક,…

વધુ વાંચો >

ઝવેરી, મૂળચંદ આશારામ

Jan 5, 1997

ઝવેરી, મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો છોડી…

વધુ વાંચો >

ઝવેરી, શાંતિદાસ

Jan 5, 1997

ઝવેરી, શાંતિદાસ (જ. 1585 અને 90ની વચ્ચે અમદાવાદ; અ. 1659/60) : મુઘલ બાદશાહોના રાજ્યમાન્ય ઝવેરી તથા શરાફ અને અમદાવાદના પ્રથમ નગરશેઠ, મુત્સદ્દી અને ધર્મપરાયણ જૈન શ્રેષ્ઠી. સિસોદિયા રાજપૂત જાગીરદાર હતા; પરંતુ જૈન ધર્મ અંગીકાર કરનારા પદ્મસિંહના વંશજ અને રાજસ્થાન છોડીને અમદાવાદમાં ઝવેરાતનો ધંધો કરનાર ઓસવાળ વણિક સહસ્રકિરણના પુત્ર. શાંતિદાસને પિતાનો…

વધુ વાંચો >

ઝવેરી, શ્વેતા

Jan 5, 1997

ઝવેરી, શ્વેતા (જ. 30 સપ્ટેમ્બર 1975, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા તથા હિંદુસ્તાની અને વૈશ્વિક સ્તરના કંઠ્ય સંગીત પર સરખું પ્રભુત્વ ધરાવતાં ભારતીય નારી. પિતા સુબોધભાઈ કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાત અને માતા હંસાબહેન અંગ્રેજીનાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયાં. છ વર્ષની કાચી વયે પંડિત વિલાસરાવ ખાંડેકર પાસેથી તેમણે…

વધુ વાંચો >

ઝહબી

Jan 5, 1997

ઝહબી (જ. 1247; અ. 1348) : અરબી ભાષાના લેખક અને ઇતિહાસકાર. આખું નામ ઝહબી શમ્સુદ્દીન અબુ અબ્દુલ્લા મોહમ્મદ બિન અહમદ. હદીસશાસ્ત્રના અભ્યાસી તરીકે તેમની ગણના થાય છે. તેમણે હદીસો મોઢે કરનાર સંખ્યાબંધ લોકોનાં જીવનચરિત્રો એકત્ર કરીને ‘તઝકિરતુલ-હુફ્ફાઝ’ નામનો ગ્રંથ રચ્યો હતો. તે ચાર ભાગમાં હૈદરાબાદ(આંધ્રપ્રદેશ)માંથી છપાઈને પ્રગટ થયેલ છે. અન્ય…

વધુ વાંચો >

ઝહીર અબ્બાસ

Jan 5, 1997

ઝહીર અબ્બાસ (જ. 24 જુલાઈ 1947, સિયાલકોટ, પાકિસ્તાન) : પાકિસ્તાનનો ચશ્માંધારી જમોડી બૅટ્સમૅન. સ્લિપના સ્થાનના આ ચબરાક ફિલ્ડરે ઉચ્ચ કક્ષાની, આક્રમક અને છટાદાર બૅટિંગથી ‘એશિયન બ્રૅડમૅન’, ‘રન મશીન’ કે ‘બેવડી સદીના સમ્રાટ’ તરીકે નામના મેળવી. એની આક્રમકતા ખીલે ત્યારે એના ડ્રાઇવ, કટ અને હૂક-સ્ટ્રોક મંત્રમુગ્ધ કરી દેતા. ‘ઝેડ’ના હુલામણા નામથી…

વધુ વાંચો >

ઝંડુ ભટ્ટજી

Jan 5, 1997

ઝંડુ ભટ્ટજી (જ. 1831; અ. 1898) : આયુર્વેદના ભેખધારી વૈદ્ય. જામનગરના પ્રશ્નોરા નાગર જ્ઞાતિના વિઠ્ઠલ ભટ્ટજીના પુત્ર. 1540માં જામનગર રાજ્ય બન્યું ત્યારથી તેમના કુળના મૂળપુરુષ હાદા વેદાનાં રાજદરબારમાં માન અને સ્થાન હતાં. પિતા વિઠ્ઠલ ભટ્ટ જામનગરના મહારાજા રણમલ જામના રાજવૈદ્ય હતા. તેમનામાં રોગનિદાન અને સારવારની અદભુત શક્તિ હતી. ઝંડુ ભટ્ટજીમાં…

વધુ વાંચો >

ઝાઇગોમાયસેટિસ

Jan 5, 1997

ઝાઇગોમાયસેટિસ : ફૂગના ઝાયગોમાયકોટા વિભાગનો એક વર્ગ. આ વર્ગનું મુખ્ય લક્ષણ જાડી દીવાલ ધરાવતા વિશ્રામી બીજાણુનું નિર્માણ છે. આ બીજાણુને યુગ્મબીજાણુ (zygospore) કહે છે. તેનું સર્જન બે જન્યુધાનીઓ(gametangia)ના સંયોગથી થાય છે. સંકોષીય (coenocytic) મિસિતંતુ (mycelium). અલિંગી પ્રજનન બીજાણુધાનીય બીજાણુ (sporangiospore) દ્વારા અને કશાધારી (flagellate) કોષો તથા તારાકેન્દ્ર (centriole)નો અભાવ –…

વધુ વાંચો >

ઝાઇર

Jan 5, 1997

ઝાઇર : જુઓ ‘ડેમૉક્રેટિક રિપબ્લિક ઑવ્ ધ કૉંગો’, : ઝાઇર

વધુ વાંચો >

ઝાઇલીન

Jan 5, 1997

ઝાઇલીન : ડાયમિથાઇલ બેન્ઝિન તરીકે ઓળખાતા ત્રણ સમઘટકીય ઍરોમૅટિક હાઇડ્રોકાર્બનનો સમૂહ. ઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિન, તે દરેકનો અણુભાર 106 તથા સામાન્ય અણુસૂત્ર C8H10 છે. આ સમઘટકોની વિગત નીચેની સારણીમાં દર્શાવી છે : ઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિનના ગુણધર્મો નામ સૂત્ર ઉ. બિં. (°સે) ગ. બિં. (°સે) ઑર્થોઝાઇલીન 1, 2,–C6H4(CH3)2 144.2 –25.2 મેટાઝાઇલીન 1,…

વધુ વાંચો >