૭.૧૭

જટાયુથી જમીનદારી પદ્ધતિ

જપજી

જપજી : ગુરુ નાનકદેવની એક ખાસ બાની. માનાર્થે જી શબ્દ જપ શબ્દની સાથે જોડવામાં આવે છે. તેને જપજી કે જપજીસાહેબ પણ કહેવામાં આવે છે. આ ગુરુબાની શીખ સમુદાયના નિત્યનિયમનું મૂળ અંગ છે અને ગુરુ ગ્રંથસાહેબની શરૂઆતમાં આવે છે. જપજીનાં 38 પદો છે અને દરેક પદને પૌડી (પગથિયું) કહેવામાં આવે છે.…

વધુ વાંચો >

જપ્તી

જપ્તી : દેણદાર પાસેથી હુકમનામા મુજબની રકમની વસૂલાત કરાવવાના હેતુથી તેની મિલકત પર ન્યાયાલય દ્વારા બજાવવામાં આવતો ટાંચ હુકમ. જપ્તી વિશે કોઈ અધિકૃત ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી; પરંતુ રોમન લૉમાંથી તે ઇંગ્લૅન્ડના કાયદામાં સમાવિષ્ટ થયાનું મનાય છે. શરૂઆતમાં કોઈ વ્યક્તિ અદાલતમાં હાજર થાય તે હેતુથી સરકારી અમલદારો તેની વસ્તુઓ જપ્ત…

વધુ વાંચો >

જબલપુર

જબલપુર : મધ્યપ્રદેશનો એક જિલ્લો તથા જિલ્લાનું મુખ્ય મથક.   તે 23o 10’ ઉત્તર અક્ષાંશ તથા 79o 56’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. ઉનાળામાં તાપમાન 290 સે. જ્યારે શિયાળામાં 18o સે.થી 22o સે. જેટલું છે. આ શહેર નર્મદા નદીની ઉત્તરે આવેલું છે. શહેરના એક ડુંગર ઉપર ‘મદન મહેલ’ આવેલ છે. ચૌદમી…

વધુ વાંચો >

જમદગ્નિ

જમદગ્નિ : ઉત્તર વૈદિક કાળના ઋષિ. ભૃગુ ઋષિના કુળમાં જન્મેલા ઋચીક અને ગાધિરાજાની પુત્રી સત્યવતીના પુત્ર. આ ઋષિના નામનો સીધો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં નથી મળતો; પરંતુ તૈત્તિરીય સંહિતા –કૃષ્ણ યજુર્વેદ(7-1-9-1)માં એના બે વંશજોનો નામોલ્લેખ કર્યા વિના પરોક્ષ નિર્દેશ થયેલો જોવા મળે છે. પંચવિંશ બ્રાહ્મણ(21-10-6)માં બતાવ્યા પ્રમાણે આ ‘ઔર્વ’ ભાઈઓ હતા.…

વધુ વાંચો >

જમનોત્રી

જમનોત્રી : જમના નદીના ઊગમસ્થાને આવેલું તીર્થક્ષેત્ર. જૂના વખતમાં તે ગઢવાલ રાજ્યનો ભાગ હતો; પરંતુ હવે તે ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાનો ભાગ ગણાય છે. તે સમુદ્રની સપાટીથી આશરે 6316 મીટર ઊંચાઈ પર, હિમાલય પર્વતશ્રેણીના બંદરપૂંછ શિખરની પશ્ચિમે 10 કિમી. અંતરે આવેલું છે. બંદરપૂંછ શિખર બારે માસ હિમાચ્છાદિત હોય છે અને…

વધુ વાંચો >

જમશેદજી જીજીભાઈ, સર

જમશેદજી જીજીભાઈ, સર (જ. 15 જુલાઈ 1783, નવસારી; અ. 1859) : ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં સાર્વત્રિક ઉદારતા અને પરોપકારી સખાવતો માટે ખ્યાતિ પામેલ પશ્ચિમ હિંદના એક અગ્રગણ્ય પારસી સદગૃહસ્થ. તેમના પિતાનો હાથવણાટના કાપડનો વ્યવસાય હતો. આર્થિક સંકડામણને કારણે જમશેદજી ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા હતા; પરંતુ પ્રામાણિકતા, ધર્મપરાયણતા અને સદાચારી માતાપિતાના સંસ્કાર…

વધુ વાંચો >

જમશેદપુર

જમશેદપુર : ભારતના ઝારખંડ રાજ્યના પૂર્વ સિંગભૂમ જિલ્લામાં આવેલું પોલાદ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ નગર. ભૌગોલિક સ્થાન : 22o 48’ઉ. અ. અને 86o 11’ પૂ. રે. પ્રાચીન મૌર્ય અને ગુપ્તયુગની જાહોજલાલીને કારણે બિહાર ઇતિહાસપ્રસિદ્ધ રાજ્ય ગણાય છે, જ્યારે આધુનિક યુગમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગના પ્રારંભ માટે તે પ્રસિદ્ધિ પામ્યું. ટાટાનગર તરીકે…

વધુ વાંચો >

જમા તથા ઉધાર-ચિઠ્ઠી

જમા તથા ઉધાર-ચિઠ્ઠી : જમાચિઠ્ઠી (credit note) : ખરીદીના હિસાબની સરભર અંગે વેપારી તરફથી મોકલાતી નોંધ. વેચાણ કરેલો માલ ગ્રાહક કોઈ કારણસર વિક્રેતાને પરત કરે ત્યારે વિક્રેતા તરફથી ગ્રાહકને મોકલવામાં આવતો દસ્તાવેજ. તેને જમાચિઠ્ઠી કહે છે; તે ચિઠ્ઠી મુજબની રકમ વિક્રેતાના હિસાબી ચોપડામાં ગ્રાહક ખાતે જમા થાય છે. વળી નીચેનાં…

વધુ વાંચો >

જમાલ-ઉદ્-દીન અલ-અફઘાની

જમાલ-ઉદ્-દીન અલ-અફઘાની (જ. 1838, અસદાબાદ જિ. કાબુલ; અ. 1897) : દાર્શનિક, લેખક, પત્રકાર, વક્તા અને અખિલ ઇસ્લામી આંદોલનના પુરસ્કર્તા. શિયા લેખકોના મત મુજબ તેમનો જન્મ ઈરાનના અસદાબાદમાં થયો હતો. જન્મસ્થળ અંગે વિવાદ હોવા છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે જમાલ-ઉદ્-દીને તેમની બાલ્યાવસ્થાનો સમય કાબુલમાં વ્યતીત કર્યો હતો. જમાલ-ઉદ્-દીને ઇજિપ્ત, ઈરાન,…

વધુ વાંચો >

જમાલુદ્દીન દાના

જમાલુદ્દીન દાના (જ. 1493, જનૂક, ઈરાન; અ. 22 મે 1607, સૂરત) : માનવતાવાદી સૂફી સંત. નામ સૈયદ જમાલુદ્દીન અને ઇલકાબ ‘ખ્વાજા દાના’ હતો. પિતાનું નામ બાદશાહ ખ્વાજા પરદાપોશ. પિતા શાહ ઇસ્માઇલ સફવીના રાજ્યઅમલમાં ઈરાનમાં શહીદ થયા હતા. તેમના પિતાના શિષ્ય ખ્વાજા સૈયદ હસન અતાએ નદીકિનારે એક જંગલમાં 12 વર્ષ સુધી,…

વધુ વાંચો >

જટાયુ

Jan 17, 1996

જટાયુ : સીતાહરણ પ્રસંગે રાવણ સાથે ઝઝૂમનાર રામાયણનું એક પાત્ર. પ્રચલિત વાલ્મીકિ રામાયણની ત્રણેય વાચનામાં સીતાહરણની પૂર્વે જટાયુનો મેળાપ અને સીતાની રક્ષા કરવાની તેની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ મળે છે. આ જટાયુ ગરુડજાતિનો એક માનવ હોવાનું મનાય છે. વિનતાના પુત્ર અરુણને શ્યેનીથી ઉત્પન્ન થયેલા બે પુત્રો તે સંપાતિ અને જટાયુ. આમ જટાયુ…

વધુ વાંચો >

જટાયુ (1986)

Jan 17, 1996

જટાયુ (1986) : ગુજરાતી સાહિત્યના આધુનિકતાવાદી અગ્રણી કવિ. અવાજોમાંનો એક અવાજ રજૂ કરતો સિતાંશુ યશશ્ચન્દ્રનો ‘ઓડિસ્યૂસનું હલેસું’ (1974) પછીનો બીજો કાવ્યસંગ્રહ. એકસાથે ‘પ્રલય’, ‘ઘેરો’, ‘જટાયુ’, ‘મોહેં-જો-દડો’ જેવી પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓ ધરાવતો આ સંગ્રહ કવિની પ્રતિભાનો ઊંચો આંક દર્શાવે છે. અહીં કવિની સતત ફંટાતા રહેવાની ક્રિયાને જોઈ શકાય છે. કોઈ પણ…

વધુ વાંચો >

‘જટિલ’ દવે જીવણરામ લક્ષ્મીરામ

Jan 17, 1996

‘જટિલ’ દવે જીવણરામ લક્ષ્મીરામ : (જ. –; અ. 1901) : ગુજરાતી કવિ, વિવેચક. બ. ક. ઠાકોર પ્રમાણે તેમનું નામ જીવરામ, પછીથી જીવણરામ લખતા થયા. દવેને બદલે સહીમાં દ્વિવેદી પણ કોઈ વાર લખતા. વતન : મહુવા (સૌરાષ્ટ્ર). મુખ્યત્વે તેઓ ભાવનગર અને મહુવાની શાળાઓમાં શિક્ષક અને મુખ્યશિક્ષક હતા. કલાપી(1874-1900)ના પરિચય પછી કલાપીના…

વધુ વાંચો >

જઠરનિરીક્ષા (gastroscopy)

Jan 17, 1996

જઠરનિરીક્ષા (gastroscopy) : જઠરમાં પ્રકાશવાહી તંતુઓવાળી નળી વડે નિરીક્ષણ કરીને નિદાન તથા ચિકિત્સા કરવી તે. આ પ્રક્રિયા કરવા માટે વિશેષ તાલીમ લીધેલી જરૂરી ગણાય છે. જઠર-આંતરડાંના માર્ગમાં અંદર નિરીક્ષણ કરવાની ક્રિયા સૌપ્રથમ 1880માં થઈ હતી. તે માટે વપરાતા સાધનને જઠર-અંત:દર્શક અથવા જઠરદર્શક (gastroscope) કહે છે. શરૂઆતમાં આ અંત:દર્શક કડક નળીના…

વધુ વાંચો >

જઠરશોથ (gastritis)

Jan 17, 1996

જઠરશોથ (gastritis) : જઠરનો શોથજન્ય (inflammatory) વિકાર થવો તે. જઠરની અંદરની દીવાલ(શ્લેષ્મકલા, mucosa)માં શોથને કારણે ટૂંકા સમયનો કે લાંબા ગાળાનો સોજો થાય તેને જઠરશોથ કહે છે. તેના વર્ગીકરણમાં મતમતાંતર છે. શસ્ત્રક્રિયા કે અંત:નિરીક્ષા (endoscopy) વડે કરાયેલા પેશીપરીક્ષણમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિના જઠરમાં શોથજન્ય વિકાર નથી એવું જણાય છે. સામાન્ય રીતે…

વધુ વાંચો >

જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) :

Jan 17, 1996

જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) : જઠરના નીચેના છેડે આવેલા સ્નાયુઓની અતિવૃદ્ધિને કારણે જઠરનું દ્વાર સાંકડું થવાનો વિકાર તે શિશુઓમાં તથા ક્યારેક પુખ્તવયે થતો વિકાર છે. દર 1000 શિશુએ 3થી 4 શિશુમાં તે થાય છે. તેનું કારણ નિશ્ચિત કરાયેલું નથી. તેને માટે વિવિધ સંકલ્પનાઓ (hypotheses) વિચારાયેલી છે. સૌથી વધુ…

વધુ વાંચો >

જઠરાંત્રશોથ

Jan 17, 1996

જઠરાંત્રશોથ : જુઓ : આહારજન્ય વિષાકતતા

વધુ વાંચો >

જડત્વની ચાકમાત્રા (moment of inertia)

Jan 17, 1996

જડત્વની ચાકમાત્રા (moment of inertia) : ચાકગતિ કરતા પદાર્થના દળ અથવા તેની સપાટીના ક્ષેત્રફળનો ભ્રમણાક્ષ(axis of rotation)ના સ્થાન સાથેનો સંબંધ. સ્થિતિકી(statics)માં અને ગતિકી(dynamics)માં કેટલાક કોયડાના ઉકેલ માટે અનુક્રમે ક્ષેત્રફળ અને દળની જડત્વની ચાકમાત્રાનો ઉપયોગ થાય છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થના જડત્વની ચાકમાત્રા એટલે પ્રત્યેક કણના દળ અને ભ્રમણાક્ષથી લીધેલા લંબઅંતરના વર્ગના…

વધુ વાંચો >

જડત્વીય નિર્દેશક તંત્ર (inertial guidance system)

Jan 17, 1996

જડત્વીય નિર્દેશક તંત્ર (inertial guidance system) : રૉકેટ, વિમાન, પનડૂબી (submarine) જેવાં વાહનોના નૌસંચાલન (navigation) માટેની માર્ગદર્શક પદ્ધતિ. નૌસંચાલનની અન્ય પદ્ધતિઓની જેમ જડત્વીય નિર્દેશક જમીન કે તારાનાં અવલોકનો ઉપર, રેડિયોસંકેતો ઉપર અથવા વાહનની બહારની કોઈ પણ માહિતી ઉપર આધારિત નથી; પરંતુ જડત્વીય માર્ગદર્શક (navigator) નામે ઓળખાતી પ્રયુક્તિ (device) દોરવણી માટેની…

વધુ વાંચો >

જત

Jan 17, 1996

જત : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વસતી એક વિશિષ્ટ જાતિ. જત લોકો ઑક્સસ નદી ઉપર વસતા હતા. તેમનો જર્ત્રિકો તરીકે ઉલ્લેખ થયો છે. કચ્છનો જર્ત્રદેશ તરીકે ઉલ્લેખ થયો છે. તે તેમના કચ્છના વસવાટને કારણે હશે. ઈ. પૂ. 150થી 100 દરમિયાન તેઓ કુશાણો સાથે આવ્યા હતા. તેઓ પ્રથમ બલૂચિસ્તાનમાં બોલનઘાટ…

વધુ વાંચો >