૭.૧૭

જટાયુથી જમીનદારી પદ્ધતિ

જનપ્રિય રામાયણ

જનપ્રિય રામાયણ : તેલુગુ કાવ્ય. 1983માં તેલુગુના પ્રસિદ્ધ કવિ નારાયણાચાર્યે રચેલું ‘જનપ્રિય રામાયણ’ સાહિત્ય અકાદમીએ 1983ના તેલુગુના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કારયોગ્ય ગણ્યું હતું. એ જ વર્ષમાં આંધ્રપ્રદેશ સરકાર તરફથી પણ નારાયણાચાર્યને એ પુસ્તકની રચના માટે પુરસ્કૃત કરાયા હતા. મધ્યકાલીન યુગમાં તેલુગુમાં રામાયણવિષયક અનેક ઉત્કૃષ્ટ રચના થઈ હતી; પરંતુ અર્વાચીન યુગમાં…

વધુ વાંચો >

જનમટીપ (1944)

જનમટીપ (1944) : ઈશ્વર પેટલીકર (1916–1983)ની ગ્રામજીવનની કીર્તિદા કૃતિ. ‘જનમટીપ’ શ્રમજીવી ઠાકરડા કોમનાં પાત્રોના સંઘર્ષ અને નાયક-નાયિકાના ચિત્તના આંતરસંઘર્ષની કથા છે. એના મુખ્ય ઘટકો આ પ્રમાણે છે : સાંઢ નાથવાને કારણે ચંદા લોકમાનસમાં દ્વિવિધ સંચલનો જગવે છે. એની નામના વધે છે અને સગાઈ તૂટી જાય છે. ચંદાની વીરતા જેને સ્પર્શી…

વધુ વાંચો >

જનરલ ઍગ્રિમેન્ટ ઑન ટ્રૅડ ઍન્ડ ટેરિફ

જનરલ ઍગ્રિમેન્ટ ઑન ટ્રૅડ ઍન્ડ ટેરિફ : જુઓ ગૅટ

વધુ વાંચો >

જનસંઘ (ભારતીય જનસંઘ)

જનસંઘ (ભારતીય જનસંઘ) : ભારતના રાજકીય રંગપટ ઉપર જમણેરી ઝોક ધરાવતો, હિન્દુત્વલક્ષી રાષ્ટ્રવાદને વરેલો રાજકીય પક્ષ. ઑક્ટોબર 1951માં તેની સ્થાપના ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના અધ્યક્ષપદે કરવામાં આવી. હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ રાષ્ટ્રના નિર્માણનું ધ્યેય ધરાવતા હિન્દુ મહાસભાના સભ્યોએ પક્ષની સ્થાપનામાં આગળ પડતો અને મહત્વનો ભાગ ભજવેલો. ‘ભારતીય…

વધુ વાંચો >

જનાન્તિક

જનાન્તિક : સંસ્કૃત નાટકમાં વપરાતી નાટ્યોક્તિની નાટ્યયુક્તિ (dramatic device). સંવાદમાં એવી ઉક્તિ આવે છે જે અમુક જ પાત્રો માટે શ્રાવ્ય હોય. સામાન્યત: નાટકના સંવાદો રંગમંચ ઉપર ઉપસ્થિત બધાં જ પાત્રોને આવરી લેતા હોય છે; પરંતુ ક્યારેક એવી નાટ્યપરિસ્થિતિ સર્જાય જ્યારે બધાં પાત્રોમાંનાં કેટલાંક પાત્રો એવી વાતચીત કરતાં હોય જે મંચ…

વધુ વાંચો >

જનાન્તિકે (1965)

જનાન્તિકે (1965) : સુરેશ જોષીએ 1955થી 1964 સુધીના સમયગાળામાં લખેલા લલિત નિબંધોનો સંગ્રહ. લલિત નિબંધનું જનાન્તિક રૂપ અહીં તેની સર્વ તરલતા સાથે પ્રકટતું જણાય છે. કેટલાંક સત્યો આવાં જનાન્તિક ઉચ્ચારણને અંતે જ પૂરું રૂપ પામતાં હોય છે. તર્ક અને તત્વના બે પાટા પરની એની દોડ વ્યવસ્થિત અને ઝડપી બને ખરી,…

વધુ વાંચો >

જનાર્દન જૉસેફ (1985)

જનાર્દન જૉસેફ (1985) : હસમુખ બારાડીલિખિત બેઅંકી નાટક. વિજ્ઞાની જૉસેફ સંસ્થાકીય વ્યવસ્થાપકોને જે સંશોધન કરી આપે છે તે લોકતરફી છે પણ સંસ્થાને નફાકારક નથી, તેથી મૅનેજિંગ ડિરેક્ટર ચોપડા વગેરે સાથે તેમને સંઘર્ષમાં ઊતરવું પડે છે; અંતે જૉસેફ વ્યવસ્થાપકોની વાત કબૂલે છે પણ લોકપ્રતિનિધિ સમા કારકુનોનું વૃંદ જનાર્દનની આગેવાની હેઠળ એને…

વધુ વાંચો >

જનીન

જનીન : આનુવંશિક લાક્ષણિકતાઓના સંચારણ માટે સંકેતો ધરાવતો એકમ. આ સંકેતોના અનુલેખનની અસર હેઠળ સજીવોના શરીરનું બંધારણ અને શરીરમાં થતી જૈવ ક્રિયાઓ નિશ્ચિત બને છે. સજીવોના શરીરમાં સાંકળ રૂપે DNAના અણુઓ આવેલા હોય છે. આ સાંકળ ડીઑક્સિરિબોન્યૂક્લિઇક ઍસિડ (ન્યુક્લિયોટાઇડો) અણુઓની બનેલી છે. સાંકળમાં આવેલા ન્યુક્લિયોટાઇડોના એકમો વિશિષ્ટ ક્રમમાં ગોઠવાયેલા હોય…

વધુ વાંચો >

જનીન આપરિવર્તિત પાક (gene modified – GM crop)

જનીન આપરિવર્તિત પાક (gene modified – GM crop) : અન્ય સજીવના શરીરમાંથી અલગ કરેલ જનીનને કૃષિપાક વનસ્પતિમાં દાખલ કરીને તેના બીજના વાવેતરથી ઉત્પન્ન થયેલ પાક. અમેરિકાની બીજ-ઉત્પાદક મૉન્સેંટો કંપની મબલખ પ્રમાણમાં ગુણવત્તાવાળો પાક મળી રહે તે ઉદ્દેશથી જાતજાતના વનસ્પતિ-પાકોનાં બીજ તૈયાર કરી કૃષિકારોને વેચે છે. ઈ.સ. 1998માં આ કંપનીએ કપાસનાં…

વધુ વાંચો >

જનીન-ઇજનેરી (genetic engineering)

જનીન-ઇજનેરી (genetic engineering) : જનીનોના એકમો અથવા તો જનીનોના સંકુલમાં ફેરબદલી સાથે સંકળાયેલી પ્રવિધિ. આનુવંશિક લક્ષણોના સંચારણ માટે અગત્યનાં જનીનોનું વહન સજીવો કરતા હોય છે. જનીનોમાં વિશિષ્ટ લક્ષણોને કારણભૂત એવાં પ્રોટીનોના અણુઓના સંશ્લેષણ માટે અગત્યની માહિતી, સંકેતો રૂપે રાસાયણિક સ્વરૂપમાં સંઘરેલી હોય છે. જનીનિક ઇજનેરી તકનીકીના ઉપયોગથી ઇચ્છિત લક્ષણ ધારણ…

વધુ વાંચો >

જટાયુ

Jan 17, 1996

જટાયુ : સીતાહરણ પ્રસંગે રાવણ સાથે ઝઝૂમનાર રામાયણનું એક પાત્ર. પ્રચલિત વાલ્મીકિ રામાયણની ત્રણેય વાચનામાં સીતાહરણની પૂર્વે જટાયુનો મેળાપ અને સીતાની રક્ષા કરવાની તેની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ મળે છે. આ જટાયુ ગરુડજાતિનો એક માનવ હોવાનું મનાય છે. વિનતાના પુત્ર અરુણને શ્યેનીથી ઉત્પન્ન થયેલા બે પુત્રો તે સંપાતિ અને જટાયુ. આમ જટાયુ…

વધુ વાંચો >

જટાયુ (1986)

Jan 17, 1996

જટાયુ (1986) : ગુજરાતી સાહિત્યના આધુનિકતાવાદી અગ્રણી કવિ. અવાજોમાંનો એક અવાજ રજૂ કરતો સિતાંશુ યશશ્ચન્દ્રનો ‘ઓડિસ્યૂસનું હલેસું’ (1974) પછીનો બીજો કાવ્યસંગ્રહ. એકસાથે ‘પ્રલય’, ‘ઘેરો’, ‘જટાયુ’, ‘મોહેં-જો-દડો’ જેવી પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓ ધરાવતો આ સંગ્રહ કવિની પ્રતિભાનો ઊંચો આંક દર્શાવે છે. અહીં કવિની સતત ફંટાતા રહેવાની ક્રિયાને જોઈ શકાય છે. કોઈ પણ…

વધુ વાંચો >

‘જટિલ’ દવે જીવણરામ લક્ષ્મીરામ

Jan 17, 1996

‘જટિલ’ દવે જીવણરામ લક્ષ્મીરામ : (જ. –; અ. 1901) : ગુજરાતી કવિ, વિવેચક. બ. ક. ઠાકોર પ્રમાણે તેમનું નામ જીવરામ, પછીથી જીવણરામ લખતા થયા. દવેને બદલે સહીમાં દ્વિવેદી પણ કોઈ વાર લખતા. વતન : મહુવા (સૌરાષ્ટ્ર). મુખ્યત્વે તેઓ ભાવનગર અને મહુવાની શાળાઓમાં શિક્ષક અને મુખ્યશિક્ષક હતા. કલાપી(1874-1900)ના પરિચય પછી કલાપીના…

વધુ વાંચો >

જઠરનિરીક્ષા (gastroscopy)

Jan 17, 1996

જઠરનિરીક્ષા (gastroscopy) : જઠરમાં પ્રકાશવાહી તંતુઓવાળી નળી વડે નિરીક્ષણ કરીને નિદાન તથા ચિકિત્સા કરવી તે. આ પ્રક્રિયા કરવા માટે વિશેષ તાલીમ લીધેલી જરૂરી ગણાય છે. જઠર-આંતરડાંના માર્ગમાં અંદર નિરીક્ષણ કરવાની ક્રિયા સૌપ્રથમ 1880માં થઈ હતી. તે માટે વપરાતા સાધનને જઠર-અંત:દર્શક અથવા જઠરદર્શક (gastroscope) કહે છે. શરૂઆતમાં આ અંત:દર્શક કડક નળીના…

વધુ વાંચો >

જઠરશોથ (gastritis)

Jan 17, 1996

જઠરશોથ (gastritis) : જઠરનો શોથજન્ય (inflammatory) વિકાર થવો તે. જઠરની અંદરની દીવાલ(શ્લેષ્મકલા, mucosa)માં શોથને કારણે ટૂંકા સમયનો કે લાંબા ગાળાનો સોજો થાય તેને જઠરશોથ કહે છે. તેના વર્ગીકરણમાં મતમતાંતર છે. શસ્ત્રક્રિયા કે અંત:નિરીક્ષા (endoscopy) વડે કરાયેલા પેશીપરીક્ષણમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિના જઠરમાં શોથજન્ય વિકાર નથી એવું જણાય છે. સામાન્ય રીતે…

વધુ વાંચો >

જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) :

Jan 17, 1996

જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) : જઠરના નીચેના છેડે આવેલા સ્નાયુઓની અતિવૃદ્ધિને કારણે જઠરનું દ્વાર સાંકડું થવાનો વિકાર તે શિશુઓમાં તથા ક્યારેક પુખ્તવયે થતો વિકાર છે. દર 1000 શિશુએ 3થી 4 શિશુમાં તે થાય છે. તેનું કારણ નિશ્ચિત કરાયેલું નથી. તેને માટે વિવિધ સંકલ્પનાઓ (hypotheses) વિચારાયેલી છે. સૌથી વધુ…

વધુ વાંચો >

જઠરાંત્રશોથ

Jan 17, 1996

જઠરાંત્રશોથ : જુઓ : આહારજન્ય વિષાકતતા

વધુ વાંચો >

જડત્વની ચાકમાત્રા (moment of inertia)

Jan 17, 1996

જડત્વની ચાકમાત્રા (moment of inertia) : ચાકગતિ કરતા પદાર્થના દળ અથવા તેની સપાટીના ક્ષેત્રફળનો ભ્રમણાક્ષ(axis of rotation)ના સ્થાન સાથેનો સંબંધ. સ્થિતિકી(statics)માં અને ગતિકી(dynamics)માં કેટલાક કોયડાના ઉકેલ માટે અનુક્રમે ક્ષેત્રફળ અને દળની જડત્વની ચાકમાત્રાનો ઉપયોગ થાય છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થના જડત્વની ચાકમાત્રા એટલે પ્રત્યેક કણના દળ અને ભ્રમણાક્ષથી લીધેલા લંબઅંતરના વર્ગના…

વધુ વાંચો >

જડત્વીય નિર્દેશક તંત્ર (inertial guidance system)

Jan 17, 1996

જડત્વીય નિર્દેશક તંત્ર (inertial guidance system) : રૉકેટ, વિમાન, પનડૂબી (submarine) જેવાં વાહનોના નૌસંચાલન (navigation) માટેની માર્ગદર્શક પદ્ધતિ. નૌસંચાલનની અન્ય પદ્ધતિઓની જેમ જડત્વીય નિર્દેશક જમીન કે તારાનાં અવલોકનો ઉપર, રેડિયોસંકેતો ઉપર અથવા વાહનની બહારની કોઈ પણ માહિતી ઉપર આધારિત નથી; પરંતુ જડત્વીય માર્ગદર્શક (navigator) નામે ઓળખાતી પ્રયુક્તિ (device) દોરવણી માટેની…

વધુ વાંચો >

જત

Jan 17, 1996

જત : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વસતી એક વિશિષ્ટ જાતિ. જત લોકો ઑક્સસ નદી ઉપર વસતા હતા. તેમનો જર્ત્રિકો તરીકે ઉલ્લેખ થયો છે. કચ્છનો જર્ત્રદેશ તરીકે ઉલ્લેખ થયો છે. તે તેમના કચ્છના વસવાટને કારણે હશે. ઈ. પૂ. 150થી 100 દરમિયાન તેઓ કુશાણો સાથે આવ્યા હતા. તેઓ પ્રથમ બલૂચિસ્તાનમાં બોલનઘાટ…

વધુ વાંચો >